ઇન્ડીયા Archives - Page 72 of 215 - CIA Live

March 20, 2021
Teerath.jpg
1min450

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ‘ફાટેલા જીન્સ’ને લગતા પોતાના નિવેદન અંગે માફી માગી હતી અને જણાવ્યું હતું કે મારા સંબંધિત નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોઇ તો હું તેમની માફી માગું છું. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે ફાટેલા જીન્સ પહેરવા અયોગ્ય છે.

તીરથસિંહ રાવતે જણાવ્યું હતું કે છોકરાઓ મોંઘાં જીન્સ ખરીદે છે અને ઘરે જઇને કાતરથી ફાડે છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપીએ તો તેઓ ભવિષ્યમાં ક્યારેય નિષ્ફળ નથી જતા.

મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. હું શાળામાં ભણતો હતો ત્યારે ફાટેલા પૅન્ટ હોય તો શિક્ષક વઢતા હતા. બાળકોને વિવિધ સામાજિક દૂષણથી દૂર રાખવા પણ જરૂરી છે.

રાવતે એક સમયે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠેલી મહિલાના કપડાંનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી બાજુમાં બેઠેલી મહિલાએ બૂટ્સ, ફાટેલા જીન્સ, બંગડીઓ પહેરી હતી. તેની સાથે તેના બાળકો પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

March 18, 2021
ritika_phoghat.jpg
1min427
Babita Phogat cousin Ritika commits suicide after losing wrestling match |Ritika  Phogat Suicide: पहलवान Babita और Geeta Phogat की बहन रितिका ने की  आत्महत्या, जानिए क्या थी वजह | Hindi News

ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.

ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

March 18, 2021
coronaupdate.jpg
2min401

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.

દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.

અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા. 

Gujarat on 19/3

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Reported on 18/3/21

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ

દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.

જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.

Gujarat

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.

રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.

March 17, 2021
CIA_Live_Logo_New2.jpg
2min402

ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપેલી જાણકારી મુજબ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (ગર્ભપાત)માં એમેન્ડમેન્ટ (સુધારા) બિલ ૨૦૨૦ને રાજ્યસભાએ મંજૂરી આપી છે. મહિલાઓના વ્યાપક હિત, ગૌરવ અને સલામતિના કારણોસર ગર્ભપાતના કાયદામાં કેટલાક આવશ્યક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેની જાણકારી નીચે મુજબ છે.

ભારતના આરોગ્ય મંત્રીએ મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદામાં સુધારાના બિલને મળેલી મંજૂરી ઐતિહાસિક અને મહિલાઓના વિશાળ હિતમાં ગણાવી હતી.

Image

The bill also ensures that women get access to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarian grounds.

Image

The bill was drafted after extensive expert consultation involving all stakeholders such as gynaecologist association, related NGOs, Indian Medical Association etc. Group of ministers chaired by Nitin Gadkari, and ethics committee was also consulted, and only after elaborate discussion the bill took shape. The bill was also discussed in great detail in Lok Sabha before being passed unanimously,” said Harsh Vardhan in Rajya Sabha. Lok Sabha passed the bill last year.

March 17, 2021
vaccine-1.jpg
2min444

સોમવાર ૧૫મી માર્ચે દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું.

આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોની રસીના આપવામાં આવેલા ડૉઝની સંખ્યાનો કુલ આંક ૩,૨૯,૪૭,૪૩૨ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

માત્ર પંદર જ દિવસમાં રસીકરણના ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓની સંખ્યાનો આંક એક કરોડને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની રસીકરણની ઝુંબેશના ૫૯મા દિવસે એટલે કે ૧૫મી માર્ચે ૨૪ કલાકના સમયગાળામાં ૩૦,૩૯,૩૯૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

૪૨,૯૧૯ સેશનમાં ૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડૉઝ તો ૪,૧૨,૨૯૫ લોકોને રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓમાં ૬૦થી વધુ વયના ૧૯,૭૭,૧૭૫ લાભાર્થીઓનો અને ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા ૪,૨૪,૭૧૩ લાભાર્થીઓનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૫,૫૫,૯૮૪ સેશન મારફતે કોરોનાની રસીના ૩,૨૯,૪૭,૪૩૨ ડૉઝ આપવામાં આવ્યા હતા.

૭૪,૪૬,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ તો ૪૪,૫૮,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો બીજો ડૉઝ અપાયો હતો,

આ ઉપરાંત ચોક્કસ બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના ૧૮,૮૮,૭૨૭ લાભાર્થી તેમ જ ૬૦થી વધુ વયના ૧,૦૨,૬૯,૩૬૮ લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં આ પાંચ રાજ્યના ૭૯.૭૩ ટકા જેટલા કેસ હોવાનું તેમણે કહ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪,૪૯૨ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સર્વાધિક ૧૫,૦૫૧ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં હાલ કોરોનાના ૨,૨૩,૪૩૨ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૯૬ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ એમ ત્રણ રાજ્યનું એકંદરે યોગદાન ૭૬.૫૭ ટકા જેટલું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૮૨,૮૦,૭૬૩ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૩૧ જણનાં મૃત્યુ થયાં હોવાનું તેમણે કહ્યું હતું.

March 16, 2021
CIA_Live_Logo_New2.jpg
2min687

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

ભારતમાં યુનિવર્સિટીઓનું સંચાલન કરી રહેલી એપેક્ષ બોડી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અત્યાાર સુધી સર્ટિફિકેશન કોર્સ ગણાતા ચાર્ટર્ડ અકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, આઇ.સી.ડબલ્યુ.એ. જેવા અભ્યાસક્રમોને પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર) ડિગ્રીને સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી આઇ.સી.એ.આઇ. દ્વારા ટ્વીટ કરીને જારી કરવામાં આવી છે.

CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારો હવેથી ભારત તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ચાલતા પી.જી. અભ્યાસક્રમો કે તેનાથી ઉપર ડોક્ટરેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ પામી શકશે.

આ સાથે જ CA/CS જેવા અભ્યાસક્રમો હવે વધુ પાવરફુલ બન્યા છે. અત્યાર સુધી જેનેે સર્ટિફિકેશન્સ માનવામાં આવતા હતા તે હવે ઘરે બેસીને ભણી શકાય તેવા સૌથી પાવરફુલ કોર્સ બન્યા છે જે નોકરી, વ્યવસાય કે બિઝનેસ એક્સપર્ટસ બનાવી શકે તેટલા સક્ષમ હોવા ઉપરાંત પી.એચડી. સુધીની ડિગ્રી માટેની લાયકાત મેળવી આપશે.

હાલમાં કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ નહીં બદલાય

CA/CS/ICWA અભ્યાસ કરતાા ઉમેદવારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમકે બી.કોમ. વીથ સીએ, બીબીએ વીથ સીએ, બીબીએ વીથ સી.એસ., બી.કોમ.વીથ સી.એસ. વગેરે. વિદ્યાર્થીઓ બેકઅપ પ્લાનના ભાગરૂપે આ પ્રકારે સ્ટડી કરે છે. સી.એ. સી.એસ. જેવા કોર્સનું પરીણામ ખૂબ ઓછું આવતું હોય, અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે કોમ્બિનેશનમાં CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ કરવાનો ટ્રેન્ડ હાલ તુરત નહીં બદલાય એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Dhiraj Khandelwal, CCM of ICAI tweeted “Based on representation made by ICAI, UGC approved CA/CS/ ICWA qualification equivalent to postgraduate degree. (PDG) . Wow.. it’s a great recognition to our profession.”

The University Grants Commission (UGC) has resolved that the Chartered Accountant (CA), Company Secretary (CS), or Cost and Works Accountant (ICWA) exams will be treated equivalent to a postgraduate degree.

The Institute of Chartered Accountants of India (ICAI) on Monday informed that the UGC has resolved that CA Qualification will be treated equivalent to PG Degree. Candidates who qualify the CA, CS, ICWA exams will now be equivalent to PG holders.

This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally.” tweeted ICAI on Monday, 15 March 2021.

March 16, 2021
2000.jpg
1min604

છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.

લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.

જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.

એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.

જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.

હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.

March 15, 2021
corona_india.jpg
1min397

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.

દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.

કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.

દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.

દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.

દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.

દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.

March 14, 2021
sachin_vaze.jpg
1min497

એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘સચિન વઝેની NIA કેસ RC/1/2021/NIA/MUMમાં રાત્રે 11.50 કલાકે ધરપકડ કરવામાં આવી હતી.’ એનઆઈએએ કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ કાર્મિકલ રોડ નજીક વિસ્ફોટક ભરેલી કાર મૂકવામાં ભૂમિકા અને સંડોવણી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

તા.૧૩મી માર્ચને શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં કાર્યરત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાવલિસ્ટ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ મુકેશ અંબાણીના ઘર, એન્ટીલિયા નજીક મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં કરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની મૃત્યુ બાદ તેમની પત્નીએ પણ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી જ સચિનની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી.

વઝે પોતાનું નિવેદન નોંધાવા માટે સવારે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈના કુંબલા હિલ ખાતેની એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા.

25 ફેબ્રુઆરીના રોજ કાર્મીકલ રોડ પર અંબાણીના ઘરની નજીક પાર્ક કરેલી સ્કોર્પિયો કારમાં કેટલીક જીલેટીન સ્ટીક અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વઝે પર થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેન હત્યા કેસમાં સંડોવણીનો આરોપ છે. જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ થાણે જિલ્લામાં મનસુખ હિરેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (ATS) હિરેન હત્યા કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હિરેનની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિએ ગયા વર્ષે નવેમ્બરમાં વઝેને એસયુવી આપી હતી અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કાર પરત કરી હતી. જો કે વઝેએ આ વાતનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખના પત્ની વિમલા હિરેનની હત્યાના આરોપ બાદ સચિન વઝે પોતે જ પૂછપરછ માટે એટીએસ પહોંચ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

March 14, 2021
vaccines.jpg
1min410

દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.

શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.

દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.

કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.

અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.