ઇન્ડીયા Archives - Page 72 of 217 - CIA Live

March 26, 2021
maharashtra_map.jpg
1min697

કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

March 26, 2021
indiavsengland.jpg
1min490
India vs England ODI series 2021: Fixtures, Time-Table, Squads, Broadcast &  Live Streaming Details

સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.

કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.

ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.

કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.

March 26, 2021
bharat-band.jpg
1min392

આંદોલનને 120 દિવસ પૂરા થતાં ‘ભારત બંધ’ : અનેક યુનિયનોનો ટેકો; હોલિકાદહનમાં કાયદાદહન

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા કિસાનો આવતીકાલે શુક્રવારે 120 દિવસ પૂર્ણ થતાં ‘ભારત બંધ’ સાથે આંદોલન વધુ ઊગ્ર બનાવશે.

આ બંધને વેપારી યુનિયનો, ટ્રક યુનિયનો, બસ તેમજ રેલવે યુનિયનો તરફથી સમર્થન મળશે. સાથોસાથ કોંગ્રેસ, ડાબેરી સહિત અનેક વિપક્ષો પણ કિસાનોને સમર્થન આપશે. કિસાન નેતાઓએ ‘દેશબંધી’ દરમ્યાન થનારી પરેશાની બદલ લોકોની માફી માગતાં સહયોગ આપવાની અપીલ કરી છે. કિસાન સંગઠનોએ એવું પણ એલાન કર્યું છે કે, 28મી માર્ચના હોલિકાદહનમાં નવા કૃષિ કાયદાની નકલોનું પણ દહન કરાશે. દરમ્યાન સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, કાલે શુક્રવારની સવારે છથી સાંજે છ વાગ્યા સુધી ‘ભારત બંધ’નું એલાન છે. જો કે, જે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી છે, તેમને આ બંધમાંથી મુક્ત રખાયા છે, તેવું પણ જણાવાયું હતું. ‘ભારત બંધ’ દરમ્યાન રેલ અને માર્ગો પર અવર-જવર બાધિત કરવાની આંદોલનકારી કિસાનોની યોજના છે. પેટ્રોલ પમ્પ, મેડિકલ સ્ટોર જેવી જીવનજરૂરી સેવાઓ ખુલ્લી રહેશે.

March 26, 2021
sansad.jpeg
1min502

સંસદનાં બંને ગૃહોને તેમના નિર્ધારિત સમય અગાઉ બેમુદત મુલતવી રખાવાની સાથે સંસદનું બજેટ સત્ર આજે સમાપ્ત થયું હતું.

લોકસભાની કાર્યવિધિઓને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવા પૂર્વે, સભાપતિ પદ સંભાળનાર, ભર્તૃહરિ મેહતા ઓમ બિરલા ઝડપથી સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી હતી અને સભ્યોને જાણ કરી હતી કે સ્પીકરની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે બજેટસત્ર દરમિયાન ગૃહની કામગીરીની સફળતા 114 ટકા રહી હતી.

તમામ સભ્યો વતી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા જલદી સાજા થઈ જાય એવી શુભકામના પ્રિસાઈડિંગ અૉફિસરે વ્યક્ત કરી. કોવિડ-19 માટેના ટૅસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યા બાદ બિરલા હાલ સારવાર હેઠળ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૅબિનેટના અનેક પ્રધાનો તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણીઓને કારણે સભ્યોએ માગણી કરવાને પગલે બજેટ સત્ર ટૂંકાવી દેવાયું છે. સંસદ સંકુલમાં મીડિયાને માહિતી આપતાં જોષીએ કહ્યું હતું કે વર્તમાન બજેટસત્રમાં બંને ગૃહોમાં કુલ 18 ખરડા પસાર કરાયા હતા. લોકસભામાં 18 ખરડા પસાર કરાયા હતા, જ્યારે રાજ્યસભાએ 19 ખરડાને મંજૂરી આપી હતી. બંને ગૃહોમાં 20 ખરડા રજૂ કરાયા હતા. પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ ખરડાને વધુ

ચર્ચાવિચારણા માટે સ્થાયી સમિતિને પાઠવાયા છે. બંને ગૃહોની સરળ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને જોષીએ વિપક્ષોને તેમના ટેકા બદલ આભાર માન્યો હતો. આઠમી માર્ચે શરૂ થયેલા બજેટસત્રના બીજા ભાગમાં પ્રથમ થોડા દિવસો સુધી ગૃહની કારવાઈ વારંવાર મુલતવી રાખવી પડી હતી, કારણ કે ઈંધણના ભાવવધારા સામે વિપક્ષે વિરોધ વ્યક્ત ર્ક્યો હતો. સત્રના બીજા ભાગમાં સરકારનું મુખ્ય ફોકસ, વેરાની વિવિધ દરખાસ્તો ધરાવતા નાણાં ખરડાની સાથે વર્ષ 2021-22 માટે ગ્રાન્ટસ માટેની વિવિધ માગણીઓને પસાર કરાવવાનું હતું.

દિલ્હીમાં ઉપ-રાજ્યપાલને સત્તા-મહત્તા આપતા ગવર્નમેન્ટ અૉફ નેશનલ કેપિટલ ટેરિટરી અૉફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને પણ ગૃહે મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષે આ ખરડાને “ગેરબંધારણીય’’ તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે કહ્યું હતું કે આ ખરડાનો ઉદ્દેશ દિલ્હીમાં ગેરવહીવટને સુધારવાનો છે.

રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, બજેટસત્ર દરમિયાન 19 ખરડા પસાર કરાયા હતા. સત્ર દરમિયાન ગૃહની એકંદર કામગીરીની સફળતા 90 ટકા રહી હતી. કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરીને ગૃહનું કામકાજ સરળતાપૂર્વક ચલાવવામાં મદદરૂપ થવા બદલ તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

March 25, 2021
corona_india.jpg
1min714

દેશમાં બુધવારે 132 દિવસ બાદ વિક્રમી 47,262 નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંક 1.17 કરોડને આંબી, 1 કરોડ 17 લાખ 34058 થઇ ગયા છે.

છેલ્લા 83 દિવસ બાદ સૌથી વધુ 275 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં કુલ 1,60,441 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે. તા.૨૪મી માર્ચે સતત 14મા દિવસે સક્રિય કેસો વધ્યા હતા. 23 હજારથી વધુ કેસોનો ઉછાળો આવતાં તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ કુલ 3,68,457 દર્દી સારવાર હેઠળ છે.

નવા કેસોમાં વિક્રમી વધારાના પગલે તા.૨૪મી માર્ચે સક્રિય કેસોનું પ્રમાણ 3.14 ટકા થઇ ગયું હતું. સક્રિય કેસોમાં વધારાએ સરકારની ચિંતા વધારી છે. દેશમાં આજે વધુ 23,907 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા પણ 1.12 કરોડને પાર કરી 1 કરોડ 12 લાખ 05,160 થઇ ગઇ છે.

March 25, 2021
virus_mutation640-nc-4.png
3min653

આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યમાં કોરોના વાઇરસના કેટલાક ભિન્ન પ્રકારની સાથે સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ (એસએઆરએસ-સીઓવી-ટૂ)ના ‘ડબલ મ્યૂટન્ટ’ (જેની રચનામાં બે વખત ફેરફાર થયા હોય એવા વાઇરસ) જોવા મળ્યા છે. અગાઉ, કોરોના વાઇરસના અમુક ભિન્ન પ્રકાર યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના વિદેશોમાં પણ જોવા મળ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશના અમુક રાજ્યમાં વધેલી કોરોના દરદીઓની સંખ્યાને કોવિડ-૧૯ના આ ભિન્ન પ્રકારોની સાથે સંબંધ હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી નથી મળ્યા.

તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ (આઈએનએસએસીઓજી) દ્વારા જેનોમ સિક્વન્સિંગ કરાતા વિવિધ રાજ્યમાં અલગ-અલગ પ્રકારના કોરોના વાઇરસ અને કેટલીક જગ્યાએ નવા ડબલ મ્યૂટન્ટ વૅરિઅન્ટ શોધી કઢાયા હતા.

ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ દેશમાં કોવિડ-૧૯નું જેનોમિક સિક્વન્સિંગ અને અનૅલિસિસ કરતી ૧૦ પ્રયોગશાળાનું જૂથ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા કુલ ૧૦,૭૮૭ પૉઝિટિવ સૅમ્પલમાંથી ૭૭૧ ‘વૅરિયન્ટ્સ ઑફ ક્ધસર્ન્સ’ જોવા મળ્યા હતા. આ સૅમ્પલ્સમાંના ૭૩૬ યુકે (બી.૧.૧.૭) લાઇનેજના, ૩૪ દક્ષિણ આફ્રિકા (બી.૧.૩૫૧) લાઇનેજ અને એક બ્રાઝિલ (પી.૧) લાઇનેજના હતા.

In English

A new “double mutant” variant of the coronavirus has been detected from samples collected in India.

Officials are checking if the variant, where two mutations come together in the same virus, may be more infectious or less affected by vaccines.

Some 10,787 samples from 18 Indian states also showed up 771 cases of known variants – 736 of the UK, 34 of the South African and one Brazilian.

Officials say the variants are not linked to a spike in cases in India.

India reported 47,262 cases and 275 deaths on Wednesday – the sharpest daily rise this year.

The Indian SARS-CoV-2 Consortium on Genomics (INSACOG), a group of 10 national laboratories under India’s health ministry, carried out genomic sequencing on the latest samples. Genomic sequencing is a testing process to map the entire genetic code of an organism – in this case, the virus.

The genetic code of the virus works like its instruction manual. Mutations in viruses are common but most of them are insignificant and do not cause any change in its ability to transmit or cause serious infection. But some mutations, like the ones in the UK or South Africa variant lineages, can make the virus more infectious and in some cases even deadlier.

Virologist Shahid Jameel explained that a “double mutation in key areas of the virus’s spike protein may increase these risks and allow the virus to escape the immune system”.

The spike protein is the part of the virus that it uses to penetrate human cells.

March 25, 2021
maharashtra_map.jpg
1min499

પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં કોવિડ-૧૯ના નવા કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાની અને આ પાંચ રાજ્યમાં કુલ કેસના ૭૭.૪૪ ટકા કેસ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે તા.૨૫મી માર્ચ ૨૦૨૧ના રોજ આપી હતી.

દેશમાં સૌથી વધુ કેસ જે ૧૦ જિલ્લામાં છે તેમાંથી નવ જિલ્લા મહારાષ્ટ્રમાં છે તેવું આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું. પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં છે.

ગત ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસમાંથી ૮૧.૬૫ ટકા નવા કેસ છ રાજ્યમાં નોંધાયા હતા. રોજનાં ધોરણે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૨૮,૬૯૯ કેસ, ત્યાર બાદ પંજાબમાં ૨૨૫૪ કેસ અને કર્ણાટકમાં ૨૦૧૦ કેસ નોંધાયા હતા.

આઠ રાજ્યમાં સાપ્તાહિક ધોરણે રાષ્ટ્રીય સરેરાશ ૪.૧૧ ટકા કરતા વધુ સક્રિય કેસ નોેંઘાયા હતા અને એમાં પણ મહારાષ્ટ્રમાં સાપ્તાહિક ધોરણે સૌથી વધુ ૨૦.૫૩ ટકા કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અપાયેલી કુલ રસીની ૬૦ ટકા રસી છ રાજ્યોમાં આપવામાં આવી છે.

કોરોનાને કારણે ગત ૨૪ કલાકમાં થનાર દરદીઓના કુલ મોતમાંથી ૮૩.૨૭ ટકા મોત છ રાજ્યમાં નોંધાયા હતા અને એમાં પણ સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં ૧૩૨, ત્યાર બાદ પંજાબમાં ૫૩ અને છત્તીસગઢમાં ૨૦ દરદીનાં મોત થયાં હતાં.

March 24, 2021
coronaindia-1-1280x1044.jpg
1min483

દેશના ગૃહમંત્રાલય તરફથી તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવેલી નવી કોરોના ગાઈડલાઈનમાં રાજ્ય સરકારોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની નીતિનો સખ્તાઈથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નવી માર્ગદર્શિકા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. કેન્દ્રે રાજ્ય સરકારોને ટેસ્ટિંગ વધારવા કહેવા સાથે પોઝિટિવ આવેલા લોકોનો ઈલાજ પણ સુનિશ્ચિત કરવાં કહ્યું છે. તદુપરાંત ટ્રેક પોલિસી ઉપર કામ કરતાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોની જાણકારીઓ એકત્ર કરીને તેમની પણ સંક્રમણની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા લોકોને આઈસોલેટ એટલે કે અળગા પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. આવી જ રીતે કેન્દ્ર સરકારે જિલ્લા પ્રશાસનને પણ માઈક્રો લેવલે કન્ટેઈન્મેટન્ટ ઝોન તૈયાર કરવાં ઉપર જોર આપવા તાકીદ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં નિયમોનાં પાલન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ જવાબદાર રહેશે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓની જવાબદેહીતા પણ રાજ્ય સરકારોને નક્કી કરવાની છે. કામનાં સ્થળો ઉપર શારીરિક અંતરનાં નિયમોનું પાલન કરાવવાનો અધિકાર પણ રાજ્યોને આપવામાં આવ્યો છે. માસ્ક, સેનિટાઈઝર, સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોમાં સખ્તાઈ અને દંડ નક્કી કરવાનો અધિકાર પણ રાજ્યોને રહેશે.
આ ઉપરાંત રાજ્યોને જિલ્લા, તાલુકા અને શહેર કે વોર્ડ સ્તરે કોરોના સંબંધિત નિયંત્રણો લાગુ કરવાનો અધિકાર પણ રહેશે.

સખ્તાઈનાં આ આદેશો સાથે કેન્દ્ર તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યની ભીતર પણ આવાગમન ઉપર કોઈ જ રોક નથી. આવા પરિવહન માટે કોઈ મંજૂરી કે પરમિટ પણ જરૂરી રહેશે નહીં.

March 24, 2021
vaccine-1.jpg
1min418

કોવિડ-૧૯ની કુલ ૩૨.૫૩ લાખથી વધુ રસી સોમવારે આપવામાં આવી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં આપવામાં આવેલી સૌથી વધુ રસી હતી.

આ સાથે અત્યાર સુધીમાં ૪.૮ કરોડ કોરોનાની રસી લોકોને આપવામાં આવી હોવાની માહિતી પણ મંત્રાલયે જાહેર કરી હતી.

સોમવારે ૨૩મી માર્ચ ૨૦૨૧ રસીકરણનો ૬૬મો દિવસ હતો અને એ દિવસે કુલ ૩૨,૫૩,૦૯૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એમાંથી ૪૮૩૪૫ સત્રમાં ૨૯૦૩૦૩૦ લાભકર્તાને રસીનો પહેલો ડોઝ અને ૩૫૦૦૬૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ૨૯૦૩૦૩૦ લાભકર્તામાં ૨૧૩૧૦૧૨ વ્યક્તિ ૬૦ વર્ષથી વધુ વયની હતી અને ૫૫૯૯૩૦ વ્યક્તિ ૪૫-૫૯ વર્ષની બહુરોગીય વ્યક્તિ હતી.

March 23, 2021
vaccine-1.jpg
1min411

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.