ઇન્ડીયા Archives - Page 71 of 217 - CIA Live

April 1, 2021
breaking_CIA-1280x831.jpg
4min703

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં અડધાથી એક ટકાનો ઘટાડો કરવાની કરેલી જાહેરાતને ગણતરીના કલાકોમાં જ પરત ખેંચીને અગાઉના વ્યાજના દર યથાવત રાખવામાં આવશે એવી જાહેરાત કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ની સવારે ૭.૫૪ મિનિટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે નાની બચતની યોજનાઓ પર વ્યાજના દરો માર્ચ ૨૦૨૧ની અસરથી (એટલે કે જુના દર અનુુુુુસાર) ચાલુ રહેશે.

વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં નાનાબચતકારોમાં ભારે અસંતોષ વ્યાપી ઉઠ્યો હતો. કોરોના કાળમાં આમેય રોજગાર પર અસર પડી છે ત્યારે નાનીબચત યોજનાઓના વ્યાજદર ઘટવાની જાહેરાતે સમગ્ર દેશમાં કચવાટ ફેલાવી દીધો હતો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે તો આ એકમાત્ર આવકનું સાધન ગણાય છે. દેશમાં વ્યાપેલા રોષને પગલે કેન્દ્ર સરકારે રાતોરાત પોતાનો નિર્ણય ફેરવવો પડ્યો હોવાનું જણાય આવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે Tweet કરીને જાણકારી આપી

The government on Thursday decided to withdraw interest rate cut order on small savings schemes. “Interest rates of small savings schemes of GoI (government of India) shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn,” Union finance minister Nirmala Sitharaman wrote on Twitter.

હાલમાં આ દરો અનુસાર વ્યાજની ગણતરી કરવામાં આવે છે

Interest rates on small savings schemes
InstrumentsRatesCompounding frequency
Savings deposit4.00%Annually
1-year5.50%Quarterly
2-year5.50%Quarterly
3-year5.50%Quarterly
5-year6.70%Quarterly
5-year Recurring Deposit5.80%Quarterly
Senior Citizens Saving Scheme7.40%Quarterly and paid
Monthly income account6.60%Monthly and paid
National Savings Certificate6.80%Annually
PPF7.10%Annually
Kisan Vikas Patra6.90%Annually
Sukanya Samriddhi Account Scheme7.60%Annually
Source: * Kisan Vikas Patra’s maturity has been revised from 124 months to 138 months. (મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ)

આ પહેલા તા.૩૧-૩-૨૧ ની સાંજે સરકારે આ પ્રમાણે સ્મોલ સેવીંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી

નિશ્ચિત આવક આપતી તમામ નાની બચત સ્કિમોના વ્યાજદર મોરચે પણ જબરજસ્ત ફટકો સરકારે માર્યો છે. ઘટતા જતા વ્યાજદરની નીતિ સરકારે ચાલુ રાખતા નાણાકીય વર્ષના અંતિમ દિવસે વ્યાજદરમાં તોતીંગ ઘટાડો કર્યો છે. વ્યાજની આવક પર જીવતા અને કોરોનાકાળમાં વ્યાજથી થોડી ઘણી કમાણી કરતા લોકોને મોટી ખોટ હવે જશે. કારણકે અર્ધાથી એક ટકા સુધીનો ઘટાડો એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે કરવામાં આવ્યો છે.

હવે વ્યાજદર ઘટાડો લાગૂ નહીં પડે

પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વગેરે તમામના વ્યાજદર ઘટી ગયા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર 6.4 ટકા ત્રણ માસ માટે કરી દેવામાં આવ્યા છે. જે 7.1 ટકા અત્યાર સુધી હતા.

સેવિંગ્સ ડિપોઝીટનું વાર્ષિક વ્યાજ હવે4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરાયું છે. એક વર્ષની ટાઇમ ડિપોઝીટના દર5.5થી ઘટાડીને 4.4 ટકા, બે વર્ષના 5.5માંથી 5 ટકા, ત્રણ વર્ષના 5.5માંથી 5.1 ટકા અને પાંચ વર્ષની ટાઇમ ડિપોઝીટના દર 6.7માંથી 5.8 ટકા કરી નાંખવામાં આવ્યા છે. પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝીટ સ્કિમના દર 5.8 ટકામાંથી 5.3 ટકા કરી નાંખવામાં આવ્યા છે. સિનીયર સિટીઝનને થતી આવકને સરકારે મોટો ફટકો માર્યો છે.

મોટાંભાગના સિનીયર સિટીઝન જે સ્કીમમાં પૈસા રોકે છે તે સેવિંગ સ્કિમમાં 7.4 ટકાનો દર હતો તે સીધો 6.5 ટકા કરી નાંખવામાં આવ્યો છે.

માસિક આવક યોજનાનું વ્યાજ હવે 5.7 ટકા મળશે. જે અગાઉ 6.6 ટકા હતુ. નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળતું હતુ તે હવે ફક્ત 5.9 ટકા મળશે. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં હવે 6.9 ટકા વ્યાજ મળશે. જે અત્યાર સુધી 7.6 ટકા મળતું હતુ. જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. કિસાન વિકાસપત્ર પર 6.9ને બદલે 6.2 ટકા વ્યાજદર મળશે. આમ 124 મહિને પાકતું સર્ટિફિકેટ હવે 138 મહિને પાકશે.

April 1, 2021
vaccine-1.jpg
1min430

જે જિલ્લાઓમાં કેસ વધ્યા છે અને જ્યાં વેક્સિનનેશન ધીમી ગતિએ થઈ રહ્યું છે ત્યાં વધુ રસીકરણ કરાવવાની વ્યૂહ રચના તૈયાર કરવા કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે.

પહેલી એપ્રિલથી દેશના ૪૫થી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરતા અગાઉ કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી હતી અને કોરોનાના નવા વધુ કેસ ન નોંધાય તે માટે જરૂરી પગલાં લેવાં જણાવ્યું હતું.

નેશનલ હૅલ્થ ઑથોરિટી (એનએચએ)ના સીઈઓ અને ઍમ્પાવર્ડ ગ્રુપ ઑન વૅક્સિનેશનના અધ્યક્ષ ડૉ. આર. એસ. શર્મા અને કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય સચિવ, એનએચએમના મિશન ડિરેક્ટર અને તમામ રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશના ઈમ્યુનાઈઝેશન ઑફિસરોએ હાજરી આપી હતી.

વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવેલી આ બેઠકમાં વૅક્સિનેશન ઝુંબેશની ઝડપ અને હાલની સ્થિતિ તેમ જ પહેલી એપ્રિલથી શરૂ કરવામાં આવનારી રસીકરણની ઝુંબેશની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

ખાનગી કોવિડ વૅક્સિનેશન સેન્ટરની ક્ષમતાના યોગ્ય ઉપયોગની નિયમિતપણે સમીક્ષા કરવાનું પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવી દેવામાં આવ્યું છે.

વૅક્સિનના જથ્થાની નિયમિત રીતે સમીક્ષા કરવાનું તેમ જ વૅક્સિનની અછતને કારણે વૅક્સિનેશનમાં કાપ મુકવાની ફરજ ન પડે તેની કાળજી રાખવાનું, વૅક્સિનનો વૅસ્ટેજ દર એક ટકાથી ઓછો રહે તેનું ધ્યાન રાખવાનું તેમ જ વૅક્સિનની મુદત પૂરી થઈ જાય તે અગાઉ સમયસર તેનો ઉપયોગ કરવાની કાળજી લેવાનું પણ તેમને જણાવવામાં આવ્યું છે.

March 31, 2021
Rishabh-Pant-Delhi-Capitals-captain-IPL-2021.jpg
1min434

વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત આઇપીએલની 14મી સિઝન માટે આજે દિલ્હી કેપિટલ્સનો કપ્તાન જાહેર થયો છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે. અય્યર ખભાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. 23 વર્ષીય ઋષભ પંતે આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. આઇપીએલમાં તે પહેલીવાર સુકાની નિયુકત થયો છે. પંત 2017માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન હતો.

દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ આજે રાત્રે ઋષભ પંતને નવો કેપ્ટન બનાવ્યાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પંતે કહ્યંy છે કે દિલ્હીમાં હું મોટો થયો છું. અહીં 6 વર્ષ પહેલા આઇપીએલની યાત્રા શરૂ કરી હતી. હવે આ ટીમનો કેપ્ટન બનવું સપના જેવું લાગી રહ્યંy છે. ઋષભ પંતનું હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy છે. જેનું તેને આ ઈનામ મળ્યું છે. આઇપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ તેના અભિયાનની શરૂઆત 16 એપ્રિલે ચેન્નાઇ સામે રમીને કરશે. દિલ્હીના સુકાનીની રેસમાં સ્ટીવન સ્મિથ અને આર. અશ્વિન પણ હતા.

March 31, 2021
covid_testing.jpg
1min471

દેશમાં કૂદકેભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર ચેતવણીનાં સૂરમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જ્યાં કેસમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે તેવા રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાં સૂચના પણ આપવામાં આવી છે.

છેલ્લા એકાદ માસમાં દેશમાં કોરોનાનાં કેસમાં નિરંકુશ વધારો થયો છે. સ્વાસ્થ્ય તજજ્ઞો આને કોરોનાની બીજી લહેર ગણાવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાના કેસમાં ઓચિંતા ફરીથી ઉછાળો આવવાનું કારણ જણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં અનેક લોકો એવું માને છે કે કોરોનાની રસી આવી ગઈ છે એટલે હવે બધુ ઠીક થઈ ગયું છે. જેથી લોકો આને ગંભીરતાથી લેતા નથી. લોકો હવે કોરોનાને હળવાશમાં લેવા લાગ્યા છે માટે સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વકરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારનાં સચિવે પણ કોરોના સંક્રમણ પર દેશવાસીઓને ચેતવણી ઉચ્ચારી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા ચેપથી સ્થિતિ બદતર થઇ રહી છે અને ખાસ કરીને કેટલાક રાજ્યો માટે એ ચિંતાનો મોટો વિષય છે. સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં કોઇએ બેદરકારી ન કરવી જોઇએ.

હર્ષવર્ધને કહ્યું હતું કે, રસી લીધા પછી બીજીવાર કોવિડ-19થી સંક્રમિત થવું એ દુર્લભ ઘટના કહી શકાય, તેમ છતાં જો વેક્સિન લીધા પછી કોરોના થાય તો તેમાં ખતરો નથી રહેતો.
ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ જરૂરી છે. એકવાર કેસ ટ્રેક થઈ ગયા બાદ આઈસોલેશનમાં તેની સારવાર અનિવાર્ય છે. કોરોના સામેની લડાઈમાં ભારતની તૈયારીની વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અત્યારે 20 લાખ બેડ બનાવાયા છે. ભારત સરકાર તમામ કેસને ગંભીરતાથી લઈ રહી છે. ગત સપ્તાહે 47 જિલ્લાઓ સાથે બેઠક થઈ હતી. આજે દેશનાં 430 જિલ્લામાં 7થી લઈને 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.

સચિવે કહ્યું હતું કે, કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાંથી આઠ મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાનાં રૂપમાં આ યાદીમાં સામેલ છે. આ સિવાય પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લોર, નાંદેડ અને અહમદનગરનો સમાવેશ થાય છે.

March 30, 2021
iima.jpg
1min446

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કેમ્પસમાંથી મળી આવેલા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦ને પાર કરી ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (IIM-A) કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને અહીં કામ કરતા, અભ્યાસ કરતા તમામનું સ્ક્રિનિંગ કર્યું છે.

Corona blast in IIM Ahmedabad IIT Gandhinagar 65 students professors  infected | Corona Outbreaks: IIM अहमदाबाद और IIT गांधीनगर में कोरोना  विस्फोट, 65 स्टूडेंट्स-प्रोफेसर संक्रमित ।

સૌથી ચોંકાવનારી વિગત તો એ પણ છે કે 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે. જ્યારે IIM-A દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM-Aમાં 28 માર્ચે પણ 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે. હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

 

March 30, 2021
corona_india.jpg
1min409

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 1.20 કરોડના આંકડાને પાર કરી ગઇ છે એવી જ રીતે ભારતમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યા પણ ૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે.

29/3/21 સોમવારે ભારતમાં 68,020 નવા કેસ નોંધાયા છે, આ પાછલા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 1,20,00,000 ને પાર થઈ ગયા છે.

હાલ દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવેલી લહેર કરતા વધારે ઝડપી છે, આ વખતે વધુ ઝડપથી નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન 32 દિવસમાં 18,000 કેસથી 50,000 કેસ થયા હતા.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તમિળનાડુ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ભારતમાં કોરોના કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે.

Image
March 29, 2021
maharashtra_taj.jpg
1min420

દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે અને સાથે જ રાજ્યના આંકડાઓ પણ ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ગત વર્ષના માર્ચ મહિનાની સરખામણીએ ગઈ કાલે એટલે કે રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલે મહારાષ્ટ્ર આ અઠવાડિયે લૉકડાઉન લાદવાનું વિચારી રહ્યું છે. જોકે, રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યુ પહેલેથી જ અમલમાં મુકવામાં આવ્યો છે.

રવિવારે મહારાષ્ટ્રમાં 40,414 કેસ નોંધાયા હતા. જે રાષ્ટ્રમાં નોંધાયેલા કુલ કેસના લગભગ બે-તૃતીયાંશ કેસ જેટલા છે. રાજ્યમાં નોંધાયેલા 40,414 કેસમાંથી મુંબઈમાં 6,923 કેસ નોંધાયા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રવિવારે યોજાયેલી કોવિડ-19 ટાસ્ક ફોર્સની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે જોતા કડક લૉકડાઉન જેવા પગલા લાદવા જોઈએ. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન આગામી દિવસોમાં અસરકારક થઈ શકે છે. કારણકે અધિકારીઓને તબક્કાવાર રીતે તેનો અમલ કરવાની તૈયારી કરવા જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope)અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ (Dr. Pradeep Vyas)એ જણાવ્યું હતું કે, જો કેસ આમને આમ વધતા રહેશે તો હૉસ્પિટલ બૅડ, ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલટરની ઉપલબ્ધાતની અછત વર્તાશે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પથારી, દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધિ સહિત આરોગ્ય સંબંધિત અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પછી ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અટકાવવા માટે લૉકડાઉન જેવા કડક પગલાં લેવા જરૂરી છે. ત્યારબાદ મુખ્યપ્રધાને અધિકારીઓને  તાકીદ કરી છે કે, લૉકડાઉનના અમલીકરણ અંગે આ પ્રકારની વિગતવાર યોજના તૈયાર કરવામાં જેથી તે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછી અસર કરે.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min539

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 27, 2021
tata_cyrus-mistry.jpg
1min499

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.

દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.

રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.

તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)

સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો

૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.

March 27, 2021
bengal.png
2min628

પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021 Dates: Polls to Be Held in 8 Phases, Results on  May 2

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.

૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.

પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.

ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.

અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.

સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.

બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.

પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.