CIA ALERT

ઇન્ડીયા Archives - Page 64 of 215 - CIA Live

April 28, 2021
assam_quake.jpg
1min416

સવારે 7.52 કલાકે આવેલા ધરતીકંપની તીવ્રતા 6.4 નોંધાઇ, છેક પ. બંગાળના ઉત્તર વિસ્તાર સુધી ધરતીકંપ અનુભવાયો

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું. સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું. સ્વાસ્થ્ય મંત્રી શર્માએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે. યૂરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર મુજબ, ક્ષેત્રમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અસમમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલ છે કે, આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અસમમાં કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ તો કેટલીક જગ્યાએ છત તૂટી પડી છે. સોશિય મીડિયામાં લોકોએ પોતોના અનુભવ દર્શાવતા જણાવ્યું કે આ ઝટકો 30 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

અરુનાચલના ઈટાનગરથી લઈને બંગાળના કૂચબિહાર સુધી આ ઝટકા અનુભવાયા હતો. સાથે જ બિહારના પણ ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા લોકોએ સવારે 7.55 વાગ્યે અનુભવ્યા હતા. મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા સહિત અનેક વિસ્તારમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.

April 27, 2021
madras-high-court.jpg
1min486

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min407

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.

April 26, 2021
bankholiday.jpg
1min558

નાણાકીય વર્ષના બીજા મહિનામાં એટલે કે મે મહિનામાં સાર્વજનિક અને ખાનગી બેંક નવ દિવસ બંધ રહેશે. દેશમાં કોરોનાના વધી રહેલા સંકટને કારણે બેંકમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર મે મહિનામાં મહારાષ્ટ્ર દિન, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા જેવા તહેવારો આવતા હોવાથી બેંક બંધ રહેશે.

પહેલી મેના દિવસે મહારાષ્ટ્ર દિન અને લેબર ડે, સાતમી મેના ઉમત-ઉલ-વિદા, ૧૪મી મેના પરશુરામ જયંતી, અક્ષય તૃતિયા અને રમઝાન ઇદ તથા ૨૬ મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાથી બેંકમાં રજા જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં બે, નવ, ૧૬ અને ૩૦ તારીખે રવિવાર તથા આઠ અને ૨૨ મેના રોજ બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.

ક્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલી બેંકના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુવિધા મર્યાદિત કરવામાં આવી છે. આ સહિત અનેક રાજ્યમાં બેંકના કામકાજનો સમય પણ ઓછો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

April 24, 2021
CIA_Live_Logo_New2.jpg
1min567

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧થી કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર એક મહિનાનો બેન (પ્રતિબંધ) લાદી દીધો છે અને આ સમાચાર સાંભળતા જ સુરત સમેત સમગ્ર ભારતના હજારો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સુરતમાં એવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની ટિકીટ બુક હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ તા.૨૪થી ૩૦ એપ્રિલ વચ્ચે ફ્લાઇટ પકડીને કેનેડા જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કેનેડાના ફ્લાઇટ બેનના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ગયા હતા. હવે તમામ વિદ્યાર્થીઓ રિશિડ્યુલિંગની કંટાળાજનક અનેે નુકસાનકારક પ્રોસેસમાં પડ્યા છે.

વિશ્વમાં હાલ કેનેડા અભ્યાસ કરવું સૌથી સરળ હોઇ, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જવાના હતા

સમગ્ર વિશ્વમાં હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઇ રહ્યા છે તેનું કારણ એ છે કે કેનેડાની વીઝા પોલીસી સરળ છે અને પ્રવેશ કાર્યવાહી પણ બિનખર્ચાળ અને ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જાય છે અને એટલે જ સુરત સમેત ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ એપ્રિલ મે જુનમાં કેનેડા જવાનું પ્લાનિંગ ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓની ટિકીટ પણ બુક થઇ ચૂકી છે.

૨૭મીએ ફ્લાઇટ હતી, ૨૩મીએ સપનું તૂટી ગયું

સુરતના એક પેરેન્ટ રિતેશ પટેલે કહ્યું કે તેમના દિકરાની તા.૨૭મી એપ્રિલે ફ્લાઇટ હતી. પેકિંગથી લઇને બધી જ તૈયારી પૂર્ણ કરી દેવાઇ હતી. છેલ્લા એક વર્ષથી તો ઓનલાઇન બે સેમેસ્ટરનો અભ્યાસ ચાલી રહ્યો હતો હવે ક્યાં સુધી ઓનલાઇન ભણવું પડશે એ વિચાર જ નાસીપાસ કરી મૂકે છે. કેમકે કેનેડાની યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસની ફી પણ રેગ્યુલર અભ્યાસની ફી જેટલી રાખી છે. બીજી તરફ વર્ચ્યુઅલ એજ્યુકેશનની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન અને સમયની બરબાદી થઇ છે.

૮ મહિનાથી તૈયારી કરી, જવાનું કેન્સલ થતાં વિદ્યાર્થિની ડિપ્રેશનમાં

એવી જ રીતે એક વિદ્યાર્થીની કેનેડા અભ્યાસ માટે જઇ રહી છે. તા.૨ મેના રોજ તેની ફ્લાઇટની ટિકીટ બુક છે પણ તમામ ફ્લાઇટ કેન્સલ થતાં એ વિદ્યાર્થીની ઘેરા ડિપ્રેશનનો ભોગ બની છે. છેલ્લા આઠ મહિનાથી તૈયારીઓ કરી રહી હતી, વિદ્યાર્થીના પેરેન્ટ શૈલેષભાઇએ જણાવ્યું કે અમને એકલાને નુકસા નથી પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થઇ છે, સુરતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ સમય આવ્યો છે. હવે ત્યાની યુનિવર્સિટીઓ સાથે વાટાઘાટ કરવી પડશે.

સુરતના હજારો વિદ્યાર્થીઓએ ત્યાં ૧૪ દિવસના ઇન્સ્ટીટ્યુશનલ કોરોન્ટાઇનના રૂપિયા પણ ચૂકવી દીધા છે, હવે ફ્લાઇટ રદ

ગુજરાતભરના અનેક વિદ્યાર્થીઓ કેનેડાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે અને વીઝા મેળવવામાં વિલંબ થવાને કારણે તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ મે મહિનાની શરૂઆતમાં કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુરતના એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ ૧થી ૧૦ મે દરમિયાન જુદી જુદી ફ્લાઇટથી કેનેડા જવાના હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ત્યાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કડક નિયમોના પાલન અંગેની પ્રોસીજર પણ કરી દીધી હતી. હજારો વિદ્યાર્થીઓએ કેનેડા પહોંચીને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનો તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો નિયમ અનુસાર વધારાનો લાખો રૂપિયા ઓનલાઇન ચૂકવી પણ દીધા છે, કે જેથી કેનેડામાં લેન્ડ થયા પછી તુરત જ ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇનમાં રહી શકાય. હવે આ ખર્ચા પરત મળશે કે કેમ તેનો સવાલ છે.

April 24, 2021
zydus.jpg
1min377
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.

April 24, 2021
maharashtra.jpg
1min452

કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી રાજ્ય પોલીસ દ્વારા કટોકટીની સ્થિતિમાં આંતરરાજ્ય અને આંતરજિલ્લા પ્રવાસ માટે શુક્રવારે ફરીથી ઇ-પાસ સિસ્ટમ શરૂ કરી છે, એમ ટોચના પોલીસ અધિકારીએ કહ્યું હતું.

Travelling outside Maharashtra? Check how to apply for e-pass here | India  News | Zee News

પ્રવાસ, ઓફિસોમાં હાજરી, લગ્નસમારંભો પર રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નવાં નિયંત્રણોનો ગુરુવાર રાતથી અમલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને ૧૪ એપ્રિલથી કડક નિયંત્રણો લદાયા હતા. જોકે સ્થિતિ ન સુધરતાં બુધવારે નવા લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ જણાવ્યું હતું કે શુક્રવારથી ઇ-પાસ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ જો કટોકટી હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઇએ. નાગરિકોએ આ માટે વિિંાંત://ભજ્ઞદશમ૧૯.ળવાજ્ઞહશભય.શક્ષ પર અરજી કરવાની રહેશે. આમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને તીવ્ર કટોકટીમાં પ્રવાસના કારણનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે. જો ઓનલાઇન ઇ-પાસ સિસ્ટમનો એક્સેસ જેમની પાસે ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઇ-પાસ પ્રાપ્ત કરી શકે છે. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ફોર્મ ભરવા અને ઇ-પાસ જારી કરવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઇ-પાસ કટોકટીમાં પ્રવાસ કરવા મળે તે માટે નાગરિકોના ઉપયોગ માટે જ છે. અગાઉ આ મહિને અન્ય નિયંત્રણો અમલમાં આવ્યા ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઇ-પાસની જોગવાઇ હાલમાં કરવામાં આવી નથી અને કટોકટીમાં હોય તે તેમને પ્રવાસ કરવો દો એવી સૂચના આપવામાં આવી હતી. જોકે નવા નિયંત્રણો દરમિયાન કટોકટીના પ્રવાસ માટે અનેક વિનંતીઓ કરાઇ રહી હોવાથી આખરે લોકોની સુવિધા માટે ઇ-પાસ સિસ્ટમ ફરીથી શરૂ કરાઇ છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ઇ-પાસ સિસ્ટમ તમામ કટોકટી અને મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે રજૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા લાખો પાસ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં મુંબઈ પોલીસે જરૂરી સેવાનાં વાહનો માટે કલર કોડ સ્ટિકર જારી કરવા માટે પ્રણાલી રજૂ કરી છે.

April 23, 2021
Virar-Vijay-Vallabh-Hospital-Fire.jpg
1min430
13 Covid Patients In ICU Killed In Maharashtra Hospital Fire

તા.૨૨ એપ્રિલ ૨૦૨૧ની મધરાત્રે મહારાષ્ટ્રના વિરારની વિજય બલ્લભ કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગને કારણે 13 દર્દીઓના મોત નીપજ્યાં હતા.

Fire at Vijay Vallabh Hospital in Mumbai's Virar leaves 13 Covid patients  dead - Cities News

ગુરુવારે મોડીરાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં 13 દર્દીઓના મોતની ઘટના સમગ્ર ભારતમાં વાયુવેગે પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સથી લઈને ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની અને દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રમાં એક મહિનામાં હોસ્પિટલમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આમાંથી બે મુંબઇની જ છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ્સ મોલમાં લાગેલી આગ ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં દાખલ 10 દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે કોરોનાના 24 દર્દીઓના મોત થયા હતા.

April 23, 2021
cashless-treatment.jpg
2min538

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 23, 2021
supreme.jpg
1min365

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થશે અને આ ઑક્સિજન દર્દીઓની સારવાર માટે મફતમાં આપવામાં આવશે એવી દલીલ કરીને વેદાન્તાએ તમિળનાડુના તુટીકોરિન ખાતેના સ્ટરલાઇટ કોપર એકમને ચાલુ કરવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે વેદાન્તાની અરજીની સુનાવણી કરવાની મંજૂરી આપતા કોરોનાના રોગચાળાને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ તમિળનાડુ સરકારના વાંધા સામે નાખુશ હતી, જેણે વેદાન્તની અરજી પર સોમવારે સુનાવણી કરવાની માગણી કરી હતી.

‘અમે આ બધું જાણીએ છીએ. પ્લાન્ટ અને તેના ઑક્સિજન ઉત્પાદનક્ષમતા દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે એ અમે સુનિશ્ર્ચિત કરીશું. આપણે ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ છીએ. રોગચાળાને કારણે ‘રાષ્ટ્રીય કટોકટી’ જેવી સ્થિતિ છે અને સમસ્યાનું નિવારણ લાવવામાં તમે બાધા નહીં બનો. વેદાન્તાની અરજીની શુક્રવારે સુનાવણી કરવામાં આવશે,’ એમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું.

‘દેશમાં અત્યારે ઑક્સિજનની ભારે જરૂર છે. કેન્દ્ર સરકાર દરેક સ્રોતથી ઑક્સિજનનો પુરવઠો મેળવી રહી છે. વેદાન્તાને તેમનો પ્લાન્ટ ચાલુ કરવો છે. વેદાન્તાને સ્વાસ્થ્ય હેતુ માટે ઑક્સિજનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવે,’ એમ જણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ અને માનવજીવનના રક્ષણની વચ્ચે પસંદગી કરવાની હોય તો આપણે માનવજીવનના રક્ષણની જ પસંદગી કરી શકાય.