ઇન્ડીયા Archives - Page 63 of 217 - CIA Live

May 18, 2021
tmc.jpg
1min492

રાજકારણીઓને કૅમેરા સામે રૂપિયા લેતા દર્શાવતા નરાડા સ્ટિંગ કેસને મામલે સીબીઆઈએ સોમવારે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ત્રણ નેતાની ધરપકડ કરી હતી.

ટીએમસીના ત્રણ નેતા સહિત ચાર રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણી કરતી સીબીઆઈની અરજીને ગવર્નર જયદીપ ધનકરે ૭ મેએ જ મંજૂરી આપી દીધી હતી. નરાડા સ્ટિંગ કેસને મામલે હવે સીબીઆઈ ટીએમસીના ત્રણ નેતા સહિત અન્યો વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરશે.

કેસને મામલે સીબીઆઈએ ટીએમસીના નેતા ફિરહાદ હકીમ, સુબ્રતા મુખરજી અને મદન મિત્રા તેમ જ પક્ષના ભૂતપૂર્વ નેતા સોવન ચેટરજીની સોમવારે સવારે ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૪માં જ્યારે આ ગુનો આચરવામાં આવ્યો હતો તે સમયે આ ચારે પ્રધાન હતા, એમ સીબીઆઈએ કહ્યું હતું.

પક્ષના પ્રધાનોની ધરપકડના તુરંત બાદ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીબીઆઈના કાર્યાલયે પહોંચ્યાં હતાં અને તેમને છોડી મૂકવાની માગણી કરી હતી.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર મમતા બેનરજીનું આ પગલું કોલકાતા હાઈ કૉર્ટ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી તપાસની કામગીરીમાં દખલગીરી કરવા બરાબર છે.

તાજેતરમાં જ પૂરી થયેલી પ. બંગાળની ચૂંટણીમાં હકીમ, મુખરજી અને મિત્રા ફરી ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપમાં જોડાવા ટીએમસી સાથે છેડો ફાડનાર ચેટરજી બંને પક્ષ સાથે કડી ધરાવે છે.

May 18, 2021
cyclone.jpg
1min520

17/5/21 ને સોમવારે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા, જ્યારે અમુક જગ્યાએ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનસેવાને પણ રોકી દેવાની નોબત આવી હતી. આ ઉપરાંત, તોફાની પવનને કારણે ઍરપોર્ટ ખાતે ફ્લાઈટ્ સેવાને પણ સ્થગિત કરવામાં આવી હતી.

વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાને કારણે બૃહન્દ મુંબઈ મહાનગરપાલિકાએ બાંદ્રા-વરલી સી લિંકને બંધ રાખવાની જાહેરાત કરી હતી તથા તેના સ્થાને કારચાલકોને વૈકલ્પિક રસ્તે ટ્રાવેલ કરવાનો અનુરોધ કર્યો હતો. મોડી રાતેથી મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં ઠેરઠેર વરસાદ પડવાથી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે સવારે સૌથી પહેલા મધ્ય રેલવેમાં ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષની શાખા ધરાશાયી થવાથી ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. ટ્રેક પરથી વૃક્ષની શાખાઓને હટાવી લેવામાં આવ્યા પછી ટ્રેનસેવા લગભગ અગિયાર વાગ્યાના સુમારે ચાલુ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. આ ઉપરાંત, સીએસએમટી કોરિડોરમાં ભારે પવનને કારણે જીઆરપીની પોલીસ ચોકી નજીક એક્રેલીકની શીટ્સ તૂટી પડી હતી, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી. આ ઉપરાંત, મેઈન લાઈન સિવાય હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેગ બહાદુર વચ્ચે પણ બેનર તૂટી પડવાથી ઓવરહેડ

ઈલેક્ટ્રિક વાયરને અસર થઈ હતી, પરિમઆમે તાત્કાલિક ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. સવારના ૧૧.૪૫ વાગ્યા પછી હાર્બર લાઈનમાં ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી, પરંતુ દિવસભર લોકલ ટ્રેનો ૨૦થી ૩૦ મિનિટ સુધી મોડી દોડતી રહી હતી, પરિણામે અત્યંત આવશ્યક સેવાની શ્રેણી હેઠળના પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ભારે વરસાદને કારણે મસ્જિદ સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવેમાં સીએસએમટી-વડાલા વચ્ચેની હાર્બર લાઈનની ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે બપોરના ૧.૨૦ વાગ્યાથી ટ્રેનસેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાન્સહાર્બર તથા વડાલા-પનવેલ વચ્ચે ટ્રેનસેવાને ચાલુ રાખવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બપોરના સમયગાળા દરમિયાન ડોંબિવલી ખાતે પણ રેલવે ટ્રેક પર ઓવરહેડ વાયરમાં સ્પાર્ક થવાનો કિસ્સો બન્યો હતો, પરિણામે વૃક્ષ બળીને ખાખ થઈ ગયું હતું. આમ છતાં તેને કારણે ટ્રેનસેવા પર અસર થઈ નહોતી. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે સવારથી પશ્ર્ચિમ રેલવેમાં પણ ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવવામાં આવતી હતી, જ્યારે દહીંસર રેલવે સ્ટેશન નજીક એફઓબી ખાતે એક પ્લાસ્ટિકની ફાઈબર શીટ રેલવે ટ્રેક પર પડવાથી ટ્રેનસેવા પર અસર પડી હતી, જ્યારે બીજો બનાવ વિરારમાં ફાઈબરની શીટ ઓવરહેડ વાયર પર પડવાથી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ ઈમર્જન્સી બ્લોક લીધા પછી બપોર પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ચોમાસા પૂર્વે પાલિકા સહિત મુંબઈ રેલવેએ પણ તૈયારી ચાલુ કરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સાયન-કુર્લામાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવાઈ હતી. મુંબઈમાં હિન્દમાતા સહિત અંધેરી સબવે સહિત મલાડ સબવેની નીચે પાણી ભરાઈ ગયા પછી પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો તથા ત્યાંથી લોકોને અવરજવર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મુંબઈમાં સવારે લગભગ ૩૪ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા, પરંતુ તેમાં કોઈ જગ્યાએ જાનહાનિના બનાવ બન્યા નહોતા. પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ સ્ટાફને તહેનાત પણ કરવામાં આવ્યો હતો, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

મોનો રેલની સર્વિસ સ્થગિત

ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મોનોરેલની દિવસભરની ટ્રેનસેવા સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ ઍરપોર્ટ બંધ

ચક્રવાતને કારણે મુંબઈમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ)ને રાતના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પહેલા સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફ્લાઈટ્સ સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ બપોરના ચાર વાગ્યા પછી છ વાગ્યા પછી આઠ વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એરપોર્ટ પરની ફ્લાઈટ સેવાને બંધ રાખવાને કારણે અન્ય રાજ્યની ફ્લાઈટને ડાઈવર્ટ પણ કરવામાં આવી હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટને સુરત, ઈન્ડિગોની ફ્લાઈટને લખનઊ પરત મોકલવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટને હૈદરાબાદ ખાતે ડાઈવર્ટ કરી હતી. કોરોનાના નિયંત્રણ માટે સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી પણ પ્રવાસીઓની ઓછી ડિમાન્ડને કારણે રોજના ૨૫૦થી વધુ ફ્લાઈટ્સની અવરજવર રહે છે.

May 14, 2021
corona-sputnik.jpg
1min401

ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિકનું પ્રોડક્શન કરનારી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ તેની કિંમત જાહેર કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિનના એક ડોઝની કિંમત 948 રુપિયા રહેશે, અને તેના પર પાંચ ટકા જીએસટી અલગથી લાગશે. આમ, તેની ફાઈનલ કિંમત રુ. 995ની આસપાસ રહેશે. આજે હૈદરાબાદમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચ આજે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનના રશિયાથી આવેલા ડોઝની કિંમત 948 રુપિયા વત્તા પાંચ ટકા જીએસટી થાય છે. રસીનું લોકલ સ્તરે પ્રોડક્શન શરુ થાય બાદ તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે રશિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો 1 મેના રોજ પહોંચ્યો હતો. જેને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીનું ક્લિયરન્સ 13 મેના રોજ મળ્યું હતું.

May 13, 2021
maharashtra.jpg
1min415

મહારાષ્ટ્ર સરકારે 1/6/21 સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આ સાથે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેમાં મહત્વના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. જૂના નિયમોની સાથે કેટલાક નવા નિયમો પણ જોડવામાં આવ્યા છે જેથી કોરોના વાયરસની ચેઈનને તોડી શકાય.

મહારાષ્ટ્રમાં આવનારા તમામ લોકોએ RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું જરુરી બની રહેશે. જે રિપોર્ટ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કર્યાના 48 કલાક પહેલાનો જ હોવો જોઈએ. નવા નિયમ પ્રમાણે દેશના કોઈ પણ ખુણામાંથી આવનારા લોકોએ પોતાની સાથે RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું પડશે.

દૂધના કલેક્શન અને તેના ટ્રાન્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. જોકે, દુકાનો પર વેચવા દેવાની મંજૂરી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે.

એરપોર્ટ અને પોર્ટ પર કામ કરનારા કર્મચારીઓ કે જેઓને કોવિડ સંબંધિત દવાઓ અને ઉપકરણો માટેની મહત્વની ડ્યુટી સોંપવામાં આવી છે, તેમને લોકલ ટ્રેન, મોનો રેલમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.

May 12, 2021
cyclone.jpg
1min471

હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, 14 મેના દિવસે સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની ઉપર એક લો-પ્રેસર બની શકે છે. જે દક્ષિણ-પૂર્વના લક્ષ્યદ્વીપ ક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આવળ વધવાની સાથે વધારે આક્રામક બને તેવી સંભાવના છે. તેનાથી લક્ષ્યદ્વીપ અને કેરળ, કર્ણાટકા, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારોમાં વરસાદ કે ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતના ગુજરાત સહિતના પશ્ચિમ દરિયા કિનારા રાજ્યો આગામી સમયમાં 2021ના પહેલા વાવાઝોડોનો સામનો કર શકે છે. આ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બને તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે, અને તેનું નામ ‘તૌકતે’ છે, જેનો અર્થ થાય છે બહુ જ અવાજ કરતી ગરોળી.

પહેલાથી જ કોરોના અને કમોસમી વરસાદનો સામનો કરી રહેલા પશ્ચિમ ભારત પર હવે વાવાઝોડાનું જોખમ નિર્માણ થયું છે. હવામાન ખાતાએ ગુજરાત, ગોવા તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પર આગામી દિવસ ચાર-પાંચ દિવસ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

ભારતીય હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ દક્ષિણ અરબી સમુદ્રમાં ૧૪ મેની આસપાસ લો પ્રેશર નિર્માણ થશે અને તેને કારણે વાવાઝોડું નિર્માણ થવાની શકયતા છે. આ વાવાઝોડું આગળ ઉત્તર પશ્ર્ચિમ દિશામાં સરકવાની શકયતા છે. એ સાથે જ જેમ તે આગળ વધશે તેમ તેની તીવ્રતા પણ વધશે, તેને પગલે ૧૪ મેના રાતથી કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારપટ્ટીના વિસ્તારને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના અધિકારી ડૉ. કે.એસ.હોસલીકરના જણાવ્યા મુજબ રાજ્યના તમામ માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સૂચના પણ આપવામાં આવી હોઈ આગામી દિવસમાં દરિયો નહીં ખેડવાની સૂચના પણ તેમને આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દાખલ થશે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પણ સારો એવો વરસાદ પડશે. જયારે રાજ્યમાં ૧૦ જૂન સુધી ચોમાસું કોંકણમાં દાખલ થશે અને ૧૫થી ૨૦ જૂન દરમિયાન બાકીના મહારાષ્ટ્રમાં ચોમાસું હાજરી પૂરાવશે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને સંતોષજનક વરસાદ પડશે.

May 11, 2021
Free-vaccinee-1280x720.jpg
1min367

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તા.10મી મે 2021ના રોજ જણાવ્યું હતું કે ૧૭ કરોડ ડૉઝ આપનારો ભારત વિશ્વમાં સૌથી ઝડપી દેશ બન્યો છે. આ આંકડા સુધી પહોંચવા માટે ચીનને ૧૧૯ અને અમેરિકાને ૧૧૫ દિવસ લાગ્યા હતા. જયારે ભારતે ૧૧૪ દિવસમાં આટલા ડોઝ આપ્યા હતા.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વૅક્સિન આપવાનું શરૂ થયું હતું અને તબક્કાવાર દરેક વય અને ક્ષેત્રના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. સોમવારે સવારે સાત વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ૧૭,૦૧,૭૬,૬૦૩ વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ ૧૭ કરોડમાં ૯૫,૪૭,૧૦૨ આરોગ્યકર્મી જેમણે પહેલો ડોઝ લીધો અને ૬૪,૭૧,૩૮૫ કર્મી જેમણે બીજો ડોઝ લીધો, ૧,૩૯,૭૨,૬૧૨ કોરોના યોદ્ધાઓએ પહેલો ડોઝ અને ૭૭,૫૫,૨૮૩ યોદ્ધાઓએ બીજો ડોઝ, ૧૮થી ૪૪ વર્ષના ૨૦,૩૧,૮૫૪ લાભાર્થીએ પહેલો ડોઝ લીધો છે.

૬૦ વર્ષથી ઉપરના નાગરિકોમાં ૫,૩૬,૭૪,૦૮૨ નાગરિકે પહેલો અને ૬૫,૬૧,૮૫૧ બીજો ડોઝ લીધો હતો. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના નાગરિકોમાં ૫,૫૧,૭૯,૨૧૭ નાગરિકે પહેલો અને ૧,૪૯,૮૩,૨૧૭ નાગિરકે બીજો ડોઝ લીધો છે.

દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં કુલ વૅક્સિનના ૬૬.૭૯ ટકા વૅક્સિન આપવામાં આવી છે. નવમી મેએ વૅક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યાના ૧૧૪મા દિવસે ૬,૮૯,૬૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min610
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 10, 2021
kejri.jpg
1min447

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાદવામાં આવેલું લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી કે, દિલ્હીમાં જે લોકડાઉન અગાઉ ૧૦ મે સુધી હતું તે હવે ૧૭ મેની સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક હશે. સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. ૨૬ એપ્રિલ બાદ નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સંક્રમણનું દર ૩૫ ટકાથી ઘટીને ૨૩ ટકા પર આવી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. ત્રણ અઠવાડિયા બાદ સંક્રમણ દરમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. શનિવારે સંક્રમણ દર ૨૩.૩૪ ટકા નોંધાયું હતું. આ પહેલાં ૧૭ એપ્રિલે સંક્રમણ દર ૨૪.૫૬ ટકા હતું.

દિલ્હીમાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭,૩૬૪ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૩૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ સાથે જ દિલ્હીમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધી ૧૯,૦૭૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૧૩,૧૦,૨૩૧ કેસ સામે આવી ચૂક્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યા ૮૭,૯૦૭ છે.

May 10, 2021
corona_india.jpg
1min364

દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.

સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે.

દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.

દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે.
દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશના દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરતાં લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.

દેશનાં માત્ર 12 રાજ્યમાં આજની તારીખે 80.68 ટકા સક્રિય કેસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 6.28 લાખ દર્દી સારવાર હેઠળ છે.

May 8, 2021
vaccine-1.jpg
1min411

રસીકરણની ઝડપ વધતી નથી કારણ કે રસીનો પુરતો પુરવઠો મળતો નથી અને હવે રાજ્યો પર રસી ખરીદવાની જવાબદારી નાખવામાં આવી છે. ગુજરાતે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે એ ક્યારે મળશે એ નક્કી નથી. સીરમ દ્વારા જુલાઇ સુધી રસીની ખેંચ રહ્યાનો નિર્દેશ અપાયો છે અને હવે ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બંધ થયું છે. આ કારણે જે લોકો પૈસા લઇ રસી લેવા માગે છે પણ એ રસ્તો બંધ થયો છે.

સરકારે ખાનગી હોસ્પિટલને તેની રીતે ખરીદી કરવા કહ્યું છે. રૂ.500 ભાવ નક્કી થયો છે, અત્યાર સુધી સરકાર જ ખાનગી હોસ્પિટલોને ડોઝ’ આપતા હતા. રૂ.150 ભાવ અને રૂ.100 સર્વિસ ચાર્જ લેવાતો હતો. આ ભાવ પણ સરકારે જ નક્કી કરી આપ્યો હતો.

હવે સમસ્યા એ’ છે કે, સરકાર-કોર્પોરેશન દ્વારા પુરવઠો’ અપાતો નથી એટલે ખાનગી હોસ્પિટલના રસી કેન્દ્રો બંધ થયા છે, રાજકોટમાં મનપા હસ્તક 21 આરોગ્ય કેન્દ્ર અને 50 જેટલી શાળાઓમાં રસી વિનામૂલ્યે અપાય છે પણ ત્યાંય પુરવઠાની સમસ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તા.1લી મેથી’ રસીકરણ બંધ છે.

ખાનગી હોસ્પિટલ કંપની પાસેથી રસી ખરીદી શકે છે પણ રસી ઉત્પાદક કંપની પહેલાં સરકારને રસી પુરી પાડે એ સ્વાભવિક છે એમાંય સમસ્યા છે. સીરમના’ અદાર પુનાવાલાને કેટલાંક રાજ્યો અને મોટા માણસોના દબાણના ફોન આવ્યા. આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલ ધારે તો ય એને પુરવઠો મળે ખરો ? એ પ્રશ્ન છે. હોસ્પિટલના મોટા જૂથ માટે એ શક્ય બને. એકાદ જુથે ઓર્ડર આપ્યો પણ છે, પણ નાની હોસ્પિટલ માટે રસીકરણ મુશ્કેલ બની ગયું છે.