ઇન્ડીયા Archives - Page 56 of 217 - CIA Live

July 3, 2021
msme.jpg
1min445

કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી’ લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.

ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.

July 2, 2021
cia_windo-1280x793.jpg
2min1065

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલ ચાલી રહેલી ધો.11ની પ્રવેશ કાર્યવાહી અન્વયે શાળાના આચાર્યોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં આવેલા વેલીડ માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની યાદી જાહેર કરી છે. અગાઉ 62 બોર્ડ ભારતમાં વેલીડ એટલેકે માન્યતા પ્રાપ્ત હતા હવે માન્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સંખ્યા 65ની થઇ છે. જેની નામાવલી અત્રે પ્રસ્તુત છે આ સિવાય બાકીના તમામ બોર્ડ બોગસ ગણાશે અને તેમાંથી ધો.10 પાસ કર્યાની માર્કશીટ રજૂ કરનારને કોઇ શાળા કે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં.

ભારતમાં વેલીડ (માન્ય) માધ્યમિક શિક્ષણ બોર્ડની નામાવલી

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ ધો.11માં ગુજરાતમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઇકવેલન્સી સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અગર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર સંપર્ક કરવાનો રહે છે.

July 1, 2021
pm_modi1.jpg
1min1180

Jayesh Brahmbhatt 98253 44944

ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?

PM મોદી પણ ટ્વીટર રિપ્લાયમાં જોડાયા

વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી

આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.

June 30, 2021
CIA_Live_Logo_New2.jpg
1min616

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ થયાને આજે તા.30મી જૂન 2021ના રોજ ચાર વર્ષ પૂરા થયા છે. વેચાણવેરા સંદર્ભે દરેક રાજ્યોમાં જુદા જુદા 17 ટેક્સ અને જુદા જુદા દર હતા એ તમામનું એકત્રીકરણ કરીને અમલમાં મૂકાયેલા જીએસટીમાં હાલ ફક્ત 4 સ્લેબમાં ટેક્સ વસૂલ કરવામાં આવે છે. 1 જુલાઇ 2017થી ભારતમાં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જીએસટીના દાયરામાં કરોડો વેપારીઓ આવ્યા અને કુલ 66 કરોડ જેટલા રિટર્ન ફાઇલ થઇ ચૂક્યા છે જે વિશ્વમાં સૌથી મોટો આંકડો છે.

देश में एक राष्ट्रव्यापी जीएसटी एक जुलाई 2017 को लागू किया गया था, जिसमें उत्पाद शुल्क, सेवा कर, वैट और 13 उपकर जैसे कुल 17 स्थानीय कर शामिल थे

જીએસટીના ચાર વર્ષના ઉપલક્ષમાં આજે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે જીએસટીથી એકંદરે તમામ વર્ગના વ્યાપારીઓને ફાયદો થયો છે. આ રહી પી.એમ. મોદીએ કરેલી ટ્વીટ

Image
Image
June 30, 2021
tofel.png
2min833

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.

ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.

પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે

  • TOEFL iBT test,
  • TOEFL iBT Home Edition,
  • TOEFL Essentials test (beginning Aug. 2021),
  • GRE General Test, GRE General Test at home and
  • GRE Subject Tests (beginning Oct. 2021)
GRE and TOEFL Advice – BITS R&D

ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.

The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).

Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.

June 29, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min435

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટ્વિટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા બાદ ભારતમાં ટ્વિટરને ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાતે ટ્વિટરે વિવાદિત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો છે.

સોમવારની સવારે ટ્વિટરની વેબસાઈટ પર આ વિવાદિત નકશો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ટ્વીટર લાઈફ શીર્ષક હેઠળ આ વિવાદિત નકશો દર્શાવવામાં આવ્યો હતો. નવા આઈટી રૂલ્સને લઈને ટ્વિટરનો ભારત સરકાર સાથે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિવાદિત નકશો સામે આવ્યા બાદ ટ્વિટરની મંશા પર અનેક સવાલો ઊભા થયા હતા. જેના કારણે ટ્વિટરને લોકોની ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતવાસીઓએ પણ આ વિવાદિત નકશોને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને માઈક્રોબ્લોગિંગ મંચની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એ પછી તો ટ્વિટર પર #TwitterBan ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

આવું પહેલીવાર નથી બન્યું કે ટ્વિટરે ભારતના નકશોને ખોટી રીતે દર્શાવ્યો હોય. આ પહેલાં ટ્વિટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. વાત એમ છે કે, ભારત સરકાર સતત દેશના નવા આઈટી રૂલ્સની જાણી જોઈને આંખ આડા કાન કરવાનો આરોપ ટ્વિટર પર લગાવી ચૂકી છે.

નવા નિયમો હેઠળ આ માઈક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થી તરીકેની મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ચૂકી છે અને એવામાં ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં કોઈ પણ ગેરકાયદેસરની પોસ્ટ માટે ટ્વિટર જવાબદાર રહેશે. રવિવારે જ ભારતમાં ટ્વિટરના વચગાળાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ નિયુક્તિ થઈ હતી.

June 28, 2021
nirmala.jpg
2min393

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Sitharaman) અલગ અલગ આઠ રાહત પેકજ (guarantee scheme)ની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health sectors) માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું.

નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-19થી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને 50 હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા.
>> અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા.
>> સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર 7.95%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય.
>> અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર 8.25%થી વધારે નહીં હોય.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 100 કરોડથી વધારે લોન રકમ

લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ 7.95 ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ 8.25 ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

ECLGS

>> ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.
>> ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધી 2.69 લાખ કરોડ રૂપિાયનું વિતરણ
>> સૌથી પહેલા આ સ્કીમમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી.
>> હવે આ સ્કીમની વિસ્તાર 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
>> અત્યારસુધી શામેલ તમામ સેક્ટર્સને તેને લાભ મળશે.

ક્રેડિટ ગેરંટી સ્કીમ

>> નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 1.25 લાખ સુધીની લઈ શકશે.
>> જેના પર બેંકના MCLR પર વધારેમાં વધારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે.
>> આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે.
>> આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે.
>> 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે યોગ્ય ગણાશે.
>> આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે.
>> આશરે 7500 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ, 2020 સુધી લાભ લઈ શકાશે.

પર્યટન ક્ષેત્ર:

ટૂરિસ્ટ ગાઇડ અને બીજા સ્ટેક હોલ્ડર્સ માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત લોન લઈ શકાશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ કરવામાં આવશે. જેમાં 100 ટકા ગેરંટી સરકાર તરફથી આપવામાં આવશે. 10 લાખ રૂપિયા પ્રતિ એજન્સી સુધી આપવામાં આવશે. જ્યારે લાઇસનધારક ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કોઈ પ્રોસેસિંગ કે ક્લૉઝર ચાર્જ નહીં હોય. આ ગેંરટી મુક્ત યોજના છે.

આત્મનિર્ભર ભારત રોજગાર

>> આ સ્કીમની મુદત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરવામાં આવી છે.
>> અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 9.2 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.
>> આ સ્કીમ અતંર્ગત સરકાર 15 હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે.
>> આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે 58.50 લાખ લોકોને લાભ મળશે.
>> સરકાર કર્મચારી-કંપનીના 12%-12%નું પીએફ ભોગવશે.

કૃષિ ક્ષેત્ર

નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 માટે 389.92 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ 14 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના

આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ 2 લાખ 27 હજાર 840 કરોડ રૂપિયા ખર્ચ થશે.

જાહેર સ્વાસ્થ્ય માટે 23,220 કરોડ રૂપિયા

ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી 9,000થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા.

June 26, 2021
delta_variant.jpg
1min458

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.

કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે

ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.

VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ

INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ

કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે  અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.

કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે.  WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.

ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો

ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.

June 24, 2021
wtc.jpg
1min401
WTC final: New Zealand crowned champs with 8-wicket win over India |  Cricket - Hindustan Times

ન્યૂ ઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ટાઇટલ અત્રે છઠ્ઠા અને છેલ્લા દિવસે બુધવારે સરળતાથી જીતી લીધું હતું. ૧૩૯ રનના લક્ષ્ય સાથે રમવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવી ૧૪૦ રન કર્યા હતાં. રોસ ટેલર અને કેન વિલિયમ્સને ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અણનમ ભાગીદારી કરી હતી.

રોઝ ટેઈલર ૪૭ રન અને કેન વિલિયમ્સન ૪૬ રન બનાવ્યા હતા. ભારતનો બીજો દાવ ફક્ત ૧૭૦ રનમાં સમેટાઈ ગયો હતો. તે પછી ભારતીય પ્રશંસકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઓફસ્પીનર આર. અશ્ર્વિને શરુઆતમાં બે વિકેટ લેતાં ભારતીય પ્રશંસકોને થોડી આશા જાગી હતી પણ વિલિયમ્સન અને ટેલરે ધીરજપૂર્વક ચિત્ર બદલી નાખ્યું હતું.

ભારત તરફથી ઇશાંત શર્મા, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

અગાઉ બુધવારે ભારતે ૬૪/૨ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. જો કે ભારતનો કોઈ બેટ્સમેન ઝાઝુ ટકી શક્યો નહોતો અને ભારતની ટીમ ૧૭૦ રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેમાં રિષભ પંત ૪૧ રન સાથે ટોપસ્કોરર હતો. રોહિત શર્મા ૩૦, વિરાટ કોહલી ૧૩, ચેતેશ્ર્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ૧૫-૧૫ રન બનાવ્યા હતાં. ન્યૂ ઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.

ટૂંકો સ્કોર:

ભારત: ૨૧૭ અને ૧૭૦

ન્યૂ ઝીલેન્ડ: ૨૪૯ અને ૧૪૦-૨.

June 22, 2021
pawar_pk.jpg
1min453

વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.

પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.

અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.

સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે.
પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.

‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.

લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી.
આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.