CIA ALERT

ઇન્ડીયા Archives - Page 213 of 217 - CIA Live

July 6, 2018
isro.jpg
1min5010

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ અવકાશયાત્રીઓને તાકીદની પરિસ્થિતિમાં ઉગારવા માટેની નવી ડિઝાઇનવાળી ક્રૂ એસ્કેપ સિસ્ટમની 5 જુલાઇ 2018ના દિને સફળ ફ્લાઇટ ટેસ્ટ કરી હતી.

ઇસરોએ જણાવ્યું હતું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમના યોજાનારા શ્રેણીબદ્ધ પરીક્ષણમાંનું આ સૌપ્રથમ પરીક્ષણ હતું. અવકાશયાન છોડવાની કામગીરી અચાનક રદ કરવી પડે તો એવા તાકીદના સમયે અવકાશયાત્રીઓને ક્રૂ મૉડ્યુલ સાથે લૉન્ચ વેહિકલથી સલામત સ્થળે લઇ જવા માટેની આ ખાસ યંત્રણા તૈયાર કરાઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની યાદીમાં જણાવાયું હતું કે લૉન્ચ પૅડ ખાતે કોઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ક્રૂ મૉડ્યુલને ઝડપથી સલામત સ્થળે ખેંચી જવા તૈયાર કરાયેલી પ્રથમ ‘પૅડ અબૉર્ટ ટેસ્ટ’ સફળ રહી હતી.

July 4, 2018
1min12250

વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

death

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.

July 3, 2018
a1.jpg
1min14000

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

July 2, 2018
adhar-pan-cardfeature.jpg
1min13200

આયકર વિભાગના પોલિસી મેકિંગ વિભાગે પૅનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની મુદત લંબાવીને 31-03-2019 સુધી વધારી છે. પાંચમી વખત સરકારે આધાર લીંક યોજનાની મુદત લંબાવી છે.
ઇન્કમટેક્ષ વિભાગના જણાવ્યા મુજબ સેકશન ૧૩૯ એએ (૨) અનુસાર ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં પૅનકાર્ડ મેળવનાર દરેક માટે તેને આધાર સાથે લીંક કરવું ફરિજયાત છે.

શનિવારે રાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ એકટમાં સેકશન ૧૧૯ હેઠળ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને (પાન) બાયોમેટ્રિક આઈડી (આધારકાર્ડ) સાથે જોડવાની મુદતમાં વધારો કરી ૨૭ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને અન્ય સેવા સાથે લીંક કરવાની આખરી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ આપી હતી.

બાયોમેટ્રિક સ્કીમની ખરાઈને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં પાંચ જજની બનેલી ખંડપીઠે આધારલીંક અંગે સમયમર્યાદા જાહેર કરી હતી. નવા પાનકાર્ડની માગણીમાં અને ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવામાં સરકારે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે.

કુલ ૩૩ કરોડ ફાળવેલા પૅનકાર્ડમાંથી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬.૬૫ કરોડ પૅન આધાર સાથે લીંક થયા છે.

આ અગાઉ પાન સાથે આધાર લીંક અપ અંગેની વધારવામાં આવેલી સમયમર્યાદા જુલાઈ ૩૧, ઓગસ્ટ ૩૧, ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ અને માર્ચ ૩૧, જૂન ૩૦ ૨૦૧૮ સુધીની હતી જે હવે વધારીને ૨૭ માર્ચ ૨૦૧૯ સુધીની કરવામાં આવી છે.

June 30, 2018
vidaadhar.jpg
1min14070
આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. UIDAIએ પહેલી જૂલાઈ એટલે કે કાલથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે. આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ ‘બેકાર’ બની જશે. જો કે બેકારનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે.
શું હોય છે VID?
આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા 1 જૂલાઈથી અનિવાર્ય થશે.
આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.
June 28, 2018
ghat1.jpg
1min5320

મુંબઇના ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરે 1.13 મિનીટના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી.
– જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.


– પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
– યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.

પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ

– એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
– જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
– મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
– અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.

June 27, 2018
Monsoon_clouds_near_Nagercoil.jpg
1min13280

વરસાદની બદલાઇ રહેલી સિસ્ટમ ભારત માટે ખતરાની ઘંટી વગાડી રહી છે, જૂન પૂરો થવા આવ્યો પણ હજુ દેશમાં ક્યાંયે વાવણી લાયક વરસાદ પડ્યો નથી કે નથી વોટર સ્ટોરેજમાં નોંધપાત્ર પાણી ભરાવો જોવા મળ્યો છે

ભારતમાં વરસાદની સિસ્ટમ સાવ જ ફેરવાઇ ચૂકી હોવાના નિર્દેશ મળી રહ્યા છે .ભારતમાં સામાન્યઃ મોન્સુન જૂનના પહેલા અઠવાડીયાથી સક્રિય થાય છે. આ વખતે શરૂઆત ત્રણ દિવસ વહેલી થઇ હતી અને એવું લાગ્યું કે ૧૫ જૂન સુધી દેશનો મોટાભાગનો વિસ્તાર તેમાં આવરી લેવાશે. પરંતુ ૧૩ જૂનથી તે પાછું નબળું પડ્યું અને તે ખેચાઇ ગયું છે. આ બાબત ચિંતાજનક છે અને તેના કારણે દેશમાં પાણી અને અન્નનો દુકાળ સર્જાઇ શકે છે.

હાલમાં દેશના અમુક ભાગોમાં જ વરસાદ પડી રહ્યો છે. ૨૬ જૂન સુધી તો વરસાદ સામાન્યપણે દેશના તમામ ભાગોને આવરી લે છે. પરંતુ હાલમાં ચોમાસુ આસામ, મહારાષ્ટ્રના થોડાક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક ભાગો, બિહાર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી હવે વરસાદ શરૂ થયો છે. પરંતુ અત્યારસુધીનો ડ્રાય સ્પેલ ચિંતાનો વિષય છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં અનુક્રમે માઇનસ ૬૩ ટકા, માઇનસ ૪૩ ટકા, માઇનસ ૫૨ ટકા અને માઇનસ ૫૪ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ અનુક્રમે માઇનસ ૩૮ ટકા, માઇનસ ૪૯ ટકા અને માઇનસ ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત રિજનમાં હવામાન વિભાગના પેટા-ડિવિઝનોમાં સ્થિતિ ધૂંધળી છે. ૨૨ જૂનના રોજે માત્ર ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય વરસાદ (માઇનસ ૧૯ ટકાથી પ્લસ ૧૯ ટકા) વરસાદ રહ્યો હતો. ૧૧ રાજ્યોમાં ઓછો વરસાદ રહ્યો છે અને મોટાપાયે ઓછો વરસાદ ધરાવતા ત્રણ રાજ્યો છે. દરમિયાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ (૨૦ ટકાથી ૫૯ ટકા) અને ત્રણ રાજ્યોમાં વધુપડતો વરસાદ (૬૦ ટકા અથવા તેથી વધુ) પડ્યો હતો. દેશમાં વાર્ષિક વરસાદમાં ૧૦ ટકા જિલ્લાઓમાં વધારો થયાનો ટ્રેન્ડ છે, જ્યારે ૧૩ ટકા જિલ્લાઓમાં વરસાદનો ઘટતો ટ્રેન્ડ છે.

આઇએમડીના ત્રણ વિજ્ઞાનીઓ સુરિન્દર કૌર, સુમંત કુમાર દિવાકર અને અશોક કુમાર દાસે ૧૯૬૧ અને ૨૦૧૩ વચ્ચે વિવિધ જિલ્લા અને હવામાનશાસ્ત્રના સબ-ડિવિઝન્સમાં વાર્ષિક અને મોસમી વરસાદના લાંબાગાળાના ટ્રેન્ડનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ ગાળામાં વાર્ષિક વરસાદના ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના અભ્યાસમાં ૬૩૨ જિલ્લા અને ૩૪ જેટલા હવામાનશાસ્ત્ર સબ-ડિવિઝન્સ સામેલ કરાયા હતા.

આ વિશ્લેષણમાં ૬,૯૯૫ જેટલા વરસાદ ગેજ સ્ટેશનોમાંથી દૈનિક વરસાદના રેકોર્ડની પણ છણાવટ કરાઇ હતી. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો અને લક્ષદ્વીપને આ અભ્યાસમાંથી બાકાત રખાયા છે.

June 25, 2018
bombaybaris.jpg
1min17240

સમગ્ર પશ્ચિમ ભારતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે સોમવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને સપ્તાહનો પ્રારંભ બોમ્બેવાસીઓ માટે કપરો રહ્યો હતો. વરસાદને કારણે સર્જાયેલી ઘટનાઓના  વિડીયોઝ અને ફોટા સોશ્યલ મિડીયામાં ગરમાગરભ ભજીયા ઉપડતા હોય તે રીતે ટ્રોલ થયા હતા. અહીં

 

 

 

 

June 24, 2018
ewayfeature.jpg
1min17800

વડાપ્રધાન મોદીએ હજુ 20 દિવસ પહેલા જ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો હતો

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચોર-લૂંટારાઓની નજર લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે વડાપ્રધાને ઉદ્‌ઘાટન કર્યું તેના ૨૦ દિવસમાં જ તસ્કરોએ લગભગ અઢી કરોડની કિંમતનું સ્ટ્રીટ ફર્નિચર ચોરી ગયા છે. તસ્કરો જેના પર હાથફેરો કર્યો છે તેમાં સોલાર પેનલ હોય કે ફુવારા, એક્સપ્રેસ વેની વાડ હોય કે સાજસજ્જાનો સામાન એમ બધું જ ચોર ઉપાડી ગયા છે.

(ચોરટાંઓ આવા સ્ટેન્ડ પર સ્થાપિત કરાયેલી સોલાર પેનલ જ ચોરી ગયા)

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ૧૩૫ કિમી લાંબા હાઈવે પર લગભગ ૪૦૦૦ કિલોવોટની સૌર ઊર્જાથી ઝગમગી રહ્યો હતો પણ ચોરટાંઓ આ સોલાર પેનલ જ ઉખાડીને લઈ ગયા છે. ક્યાંકથી તેઓ કન્વર્ટર બેટરી જ ચોરી ગયા છે. બાગપતથી દાસના વચ્ચેના ૫૦ કિમીમાં ૨૫૦ સોલાર પેનલ લગાવાઈ હતી. તેમાંથી અડધાથી વધુ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે.

એક સોલાર પેનલની કિંમત દોઢ લાખ જેટલી છે. આ ઉપરાંત અંડરપાસમાં મરક્યુરી લાઈટની પણ ચોરી થઈ ગઈ છે. પ્લાસ્ટિકના પાઈપ કાપીને અનેક મીટર વીજળીના તાર પણ ચોરાઈ ગયા છે. ઈસ્ટર્ન પેરિફેરલની સુંદરતા વધારવા માટે લગભગ અંદાજે અર્ધા કરોડ રૂપિયાના આ ફુવારા લગાવાયા હતા. મોટા ભાગના ફુવારાઓ ચોરાઇ ગયા છે.

જાણકારો કહે છે કે આ હાઇવે પર રાતના સમયે ચોરી થાય છે. ચોરો અંગે સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પણ અપેક્ષા મુજબ પોલીસ બે કલાક બાદ સ્થળ પર પહોંચે છે.

તસ્કરોએ વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ ઉપાડી લીધું

વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ આ એક્સપ્રેસ વે પર સ્થાપિત કરાયું  હતું, તસ્કરોએ તેના પર પણ હાથફેરો કરી દીધો હતો. આ મિનિએચર જયપુરથી છ લાખ રૂપિયામાં આવ્યું હતું, તેની પણ ચોરી થઈ ગઇ છે.

June 23, 2018
khar_murder.jpg
1min13070

ખારના વૈભવી એપાર્ટમેન્ટ એક્તા એલિટમાં રહેતા વયોવૃદ્ધ માખીજાણી દંપતિને ઓશિકા વડે ગૂંગળાવી કરપીણ હત્યા કરવાની ઘટનાએ સિનીયર સિટીઝન્સની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી દીધા છે

તા.23 જુન, 2018

ખાર (વેસ્ટ)ના વૈભવી વિસ્તારમાં એકતા એલીટ બિલ્ડિંગમાં રહેતા વૃદ્ધ દંપતીની ગઇ તા.20મી જુનએ હત્યા કરી તેમના પહેરેલા દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં મામલો સમગ્ર મુંબઇના સિનિયર સિટીઝન્સ સમૂહમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડબલ મર્ડર થતાં ફરી એક વખત સિનિયર સિટિઝનની સુરક્ષા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયા છે. એકતા એલીટ બિલ્ડીંગ માં ૮૫ વર્ષના નાનક ગોપાલદાસ માખીજાણી અને ૮૧ વર્ષનાં દયા માખીજાણી એકલાં રહેતાં હતાં. એવું કહેવાય છે કે આ દંપતિએ કોઇ નોકરાણી નહીં બલ્કે સાક્ષાત મોતને નોકરી આપી હોય, કેમકે ૧૫ દિવસ પહેલાં ૨૪ કલાક માટે કામ પર રાખવામાં આવેલી નોકરાણી ઘટના બાદ ગાયબ થઈ ગઈ હતી.

તા.20મીની મોડીરાત્રે જ જોકે પોલીસે તેને અને તેના સાથીની અટક કરી હતી. ઘરમાંથી રોકડ અને દાગીના પણ ચોરાયાં હોવાથી પોલીસે પ્રાથમિક શંકા નોકરાણી પર વ્યક્ત કરી હતી.

ખાર પોલીસે જણાવ્યું હતું કે ‘દંપતીના દીકરાએ ત્રણ નોકરોને મમ્મી-પપ્પા માટે રાખ્યાં હતાં. એમાંથી એક નોકરાણીની ૨૪ કલાકની ડ્યુટી હતી. નોકરાણીને ૧૫ દિવસ પહેલાં જ નોકરી પર રાખવામાં આવી હતી. ઓશીકાનો ઉપયોગ કરીને દંપતીને ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હતી.  ઘરની તપાસ કરતાં દયા માખીજાણીએ પહેરેલા અને ઘરમાંથી કીમતી દાગીના તેમ જ પૈસાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.