ઇન્ડીયા Archives - Page 203 of 216 - CIA Live

December 15, 2018
arun_jaitly.jpg
1min5210

સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB – પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદને તા.13મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું.

PSB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિલફુલ ડિફૉલ્ટર્સ સામે ૨૫૭૧ FIR નોંધવામાં આવ્યા છે, તેમની પાસેથી વસૂલાત માટે ૯૩૬૩ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને વિલફુલ ડિફૉલ્ટર્સના ૭૬૧૬ કેસમાં સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ર્ફોસમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

December 12, 2018
rahul-1280x720.jpg
1min10920

રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.

મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.

એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.

નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.

એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.

૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.

December 12, 2018
kcr.jpg
1min15450

પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.

રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.

તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.

તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.

December 11, 2018
bjp-1280x960.jpg
1min6470

પાંચ રાજ્યોના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર રચાશે તે થોડાક કલાકોમાં નક્કી થઈ જશે. હાલ તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રથ આગળ ચાલી રહ્યો છે, તો મધ્યપ્રદેળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે., તેલંગાણામાં TRS અને મિરોઝરમમાં મિજો નેશનલ ફ્રંટ આગળ છે.

આ વલણની વચ્ચે પીએમ મોદીએ કોર કમિટીની બેઠક બોલાવી છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામ અંગે ચર્ચા થશે. હાલના પરિણામો ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારે કોર કમિટીની બેઠકમાં પરિણામના જો તો વિશે પણ ચર્ચા થઈ શકે છે.

હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોના પરિણામને 2019ની લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ મનાઈ રહ્યા છે.

December 10, 2018
taj.jpg
1min6620

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 10, 2018
senior_citizen.jpg
1min6050

(Symbolic photo senior citizen )

કેટલીક બેંકો સિનિયર સિટીઝન્સને બેંક ડિપોઝીટસ પર મળતા વ્યાજની આવકમાંથી ખોટી રીતે ઇન્કમટેક્સ કાપી લેતી હોવાની બાબત ધ્યાન પર આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ગઇ તા.6 ડિસેમ્બર 2018ના રોજ એક ખાસ નોટિફિકેશન જારી કરીને દરેક બેંકો, ફાઇનાન્સિયલ સંસ્થાઓ જોગ સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટીઝન્સને વિવિધ પ્રકારની થાપણો, ડિપોઝીટ્સ પર થતી વ્યાજની કુલ રૂ.50,000 સુધીની આવક પર કોઇ પણ પ્રકારનો ટેક્સ કાપવાનો નથી. (CBDT)એ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ 194-એ અન્વયે પણ રૂ.50,000 સુધીની વ્યાજની આવક ધરાવનાર સિનિયર સિટીઝન્સની આવક પર કોઇ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો નથી.

થાપણો પર રૂ.50,000થી વધુ વાર્ષિક આવક ધરાવત સિનિયર સિટીઝનની વ્યાજની આવક પર જ ટેક્સની ગણતરી કરીને તેને કાપવાનો રહેશે. રૂ.50 હજાર સુધીના વાર્ષિક વ્યાજ પર કોઇપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો રહેતો નથી.

(CBDT)ની આ પ્રકારી સ્પષ્ટતા પછી દેશભરના લાખો નહીં કરોડો સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી થઇ છે. મોટા ભાગના સિનિયર સિટીઝન્સ કે જેઓ સેવા નિવૃત જીવન વિતાવે છે, તેમની પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત બેંકની ફિક્સ ડિપોઝીટ કે અન્ય થાપણો સ્વરૂપે હોય છે અને તેના વ્યાજમાંથી મળતી રકમમાંથી તેમનો નિર્વાહ થતો હોય છે. આવા સંજોગોમાં (CBDT)ની સ્પષ્ટતાથી સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી ફેલાય છે.

The Central Board of Direct Taxes (CBDT) has learnt of instances where banks wrongly deducted tax at source (TDS) on interest income earned by senior citizens. In a notification issued on December 6, it has clarified that no TDS has to be deducted under section 194-A of the Income Tax (I-T) Act in the hands of senior citizens, unless their interest income in the aggregate exceeds Rs 50,000 in a year.

Section 80-TTB was introduced with effect from April 1, 2018. Any individual, aged 60 and above, can claim a deduction of up to Rs 50,000 from his/her interest income.

Thus, if the interest income is collectively less than this sum, TDS requirements do not come into play

 

December 10, 2018
india_wins.jpg
1min4710

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.

ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.

December 10, 2018
sensex.jpg
1min9480

આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.

બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.

ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.

બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.

ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.

December 10, 2018
kannor.jpg
1min8430

તા.9મી ડિસેમ્બર 2018ને રવિવારે ક્ધનુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન થતાં કેરળ ચાર આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ અને મુખ્ય પ્રધાન પિનારયી વિજયને સવારે મત્તાન્નુર શહેર નજીકના ઍરપોર્ટ પર સંયુક્ત રીતે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી અને એ સાથે વિમાનીમથક સત્તાવાર રીતે કાર્યરત્ થયું હતું. અબુ ધાબી ગયેલી આ ફ્લાઇટમાં ૧૮૬ મુસાફરો હતા.

રાજ્યના બીજા ત્રણ વિમાનીમથકો થિરુવનન્થપુરમ, કોચી અને કોઝિકોડે ખાતે છે. ક્ધનુરનું ઍરપોર્ટ મલબાર અને ક્ધનુરની સાંસ્કૃતિક પરંપરા ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના કોદાગુની પરંપરાને પણ રજૂ કરે છે. ખાસ કરીને મલબાર અને કથકલી, થેય્યમ, યક્ષગણ સહિતના વિવિધ ભારતીય નૃત્યો દર્શાવતા ભીંત પરના રંગચિત્રો આ ઍરપોર્ટની ખાસિયતો છે.

સુરેશ પ્રભુએ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટની શરૂઆતથી રાજ્યના અને ખાસ કરીને ઉત્તર પ્રાન્તના એકંદર વિકાસ તથા સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા સમાન કહી શકાય.’

આ ઍરપોર્ટ અખાતના દેશોના બિન-રહીશ કેરલાઇટ્સ (એનઆરકે)ને મદદરૂપ થવા ઉપરાંત પર્યટન ઉદ્યોગને તેમ જ નિકાસને વેગ આપશે અને એને પગલે અનેક રોજગારો ઊભા થશે.

મુખ્ય પ્રધાન પી. વિજયને સુરેશ પ્રભુની પ્રશંસા કરી હતી તેમ જ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટ બની રહ્યું હતું એ સમયે હું મોદીજીને મળ્યો ત્યારે તેમનો પણ પ્રતિસાદ ખૂબ સકારાત્મક હતો.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચન્ડીને આ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન અપાતાં કૉન્ગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય જનતા પક્ષે પણ બહિષ્કાર કર્યો હતો.

December 6, 2018
Kashmir.jpg
1min8240

સામાન્ય રીતે એવું બને છે કે જમ્મી કાશ્મીરમાં હિમવર્ષા થાય એટલે ભારતના અન્ય પ્રદેશોમાં વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ઉતરવા માંડે છે. છેલ્લા બે દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થઇ છે અને તેને લઇને ભારતના ઉત્તરીય વિભાગોમાં તાપમાન ગગડવા માંડ્યું છે, ક્રમશઃ મધ્ય ભારત તેમજ મહારાષ્ટ્ર સુધી આ બરફ વર્ષાની અસર આગામી દિવસોમાં જોવા મળશે. કાશ્મીર સેક્ટરમાં સૌથી ઓછું તાપમાન  લેહ-લદ્દાખમાં નોંધાયું છે. લેહ-લદ્દાખમાં -11.4 ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. સામાન્ય જનજીવન પર આ બરફ વર્ષાએ ઘેરી અસર કરી છે. લેહ-લદ્દાખમાં આટલી બરફ વર્ષા પછી પણ કેટલાક ટુરિસ્ટસ મોજ મનાવી રહ્યા છે

કાશ્મીરના અનેક પ્રાંતોમાં ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ઊતર્યું છે. તા.5મી ડિસેમ્બર 2018ના રોજ જમ્મુ કાશ્મીરના પ્રતિસ્થિત હેલ્થ રિસૉર્ટ તરીકે જાણીતા અમરનાથ યાત્રાના બેઝ-કૅમ્પના સ્થળ પહલગામમાં માઇનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ, સ્કીઇંગ રિસૉર્ટ તરીકે જાણીતા ગુલમર્ગમાં માઇનસ ૪.૦ ડિગ્રી સેલ્સિયસ, કાઝીગુંડમાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસ અને કુપવાડામાં માઇનસ ૩.૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ઉષ્ણતામાન માઇનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સૌથી વધારે ઠંડો લેહ-લદ્દાખનો પ્રાંત છે. તા.5મી ડિસેમ્બરના રોજ લેહ-લદ્દાખમાં માઇનસ ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ અને કારગિલમાં માઇનસ ૧૦.૯ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.

  • પહલગામમાં માઇનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ
  • ગુલમર્ગમાં માઇનસ ૪.૦ ડિગ્રી સેલ્સિયસ
  • કાઝીગુંડમાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસ
  • કુપવાડામાં માઇનસ ૩.૦ ડિગ્રી સેલ્સિયસ
  • શ્રીનગરમાં ઉષ્ણતામાન માઇનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ
  • લેહ-લદ્દાખમાં માઇનસ ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ
  • કારગિલમાં માઇનસ ૧૦.૯ ડિગ્રી સેલ્સિયસ