CIA ALERT

ઇન્ડીયા Archives - Page 198 of 216 - CIA Live

January 30, 2019
dhfl_logo.jpg
1min7890

ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો છે જે એન્ટિટીઝ તેના પ્રમોટર્સ સાથે સંકળાયેલી હતી અને પ્રમોટર્સ જ આ ફંડના વાસ્તવિક લાભાર્થી હતા. જોકે, કંપનીના ચેરમેન કપિલ વાધવાને કોઈ પણ ગેરરીતિનો ઇનકાર કરીને દાવો કર્યો હતો કે તેમણે બધા કાયદેસરનાં ટ્રાન્ઝેક્શન જ કર્યાં છે.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો

કોબ્રાપોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલે આરોપ મૂક્યો હતો કે, “ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.”

બહલે કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કેટલીક શંકાસ્પદ કંપનીઓનો ઉપયોગ કરીને આ ફંડને વાળવામાં આવ્યું હતું.” તેઓ પુન:ચુકવણી કરવાની ક્ષમતા ધરાવતી નથી તેથી તેઓ ડિફોલ્ટ શરૂ કરે તે પહેલાં અમે તેમને વહેલાસર ઓળખી લીધી છે.

આઇએલ એન્ડ એફએસના ડિફોલ્ટના કારણે મોર્ગેજ ધિરાણકાર માટે ફંડનો ખર્ચ વધી ગયા પછી ડીએચએફએલની નાણાકીય સ્થિતિ અંગે સવાલ પેદા થયા છે અને તેના માટે ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે. તેણે લિક્વિડિટી જાળવવા માટે હજારો કરોડ રૂપિયાની એસેટ્સ બેન્કોને વેચવી પડી હતી અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની લોન ફાળવણીમાં 90 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો.

બહલે દાવો કર્યો હતો કે ડીએચએફએલના પ્રાઇમરી હિસ્સેદાર કપિલ વાધવાન, અરુણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી એન્ટિટીઝને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવા માટે જંગી રકમ મંજૂર કરીને એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વાધવાને ઇટીને જણાવ્યું હતું કે, “ડીએચએફએલે જેમને લોન આપી તે શેલ કંપનીઓ ન હતી. તે બધી કાયદેસરની લોન હતી અને તેના પર વ્યાજ મળે છે. મને લાગે છે કે આ બધી કાલ્પનિક ઘડી કાઢેલી વાતો છે.”

કોબ્રાપોસ્ટે જણાવ્યું કે તેણે આ શંકાસ્પદ લોન અંગે પબ્લિક રેકોર્ડ અને સરકારી એજન્સીઓની વેબસાઇટ્સ પરથી માહિતી એકત્ર કરી છે. બહલે દાવો કર્યો હતો કે તપાસકર્તા એજન્સીઓ નાણાં ક્યાંથી ક્યાં ગયાં તે વિશે ફોરેન્સિક ઓડિટ કરે ત્યાર પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ કાઢી શકાશે.

પોર્ટલના દાવા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા જેવી સરકારી બેન્કોએ ડીએચએફએલને ₹11,000 કરોડ અને ₹4,000 કરોડની એડ્વાન્સ્ડ લોન આપી હતી. તેણે કહ્યું કે કંપનીએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ₹90,000 કરોડની લોન લીધી હતી. વાધવાને દાવો કર્યો હતો કે તેમનું એસેટ કવર બમણા કરતાં વધુ છે અને તેની સામે કરવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.

January 30, 2019
JET.jpg
1min7820

નાણાકીય કટોકટીને કારણે દેશનાં જુદાં જુદાં એરપોર્ટ પર જેટ એરવેઝે મંગળવાર તા.29મી જાન્યુઆરી 2019ના દિવસે આકાશમાં ઉડી રહેલા 5 વિમાનને ફરજિયાત પણે જમીન ઉતારવા પડ્યા હતા, જેને લઇને જેટ એરવેઝ એરલાઇનની 19 ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો જ્યાં ત્યાં અટવાય ગયા હતા. એક સાથે 5-5 વિમાનો જે તે એરપોર્ટ પર લેન્ડ થયા પછી વિમાન માલિકોએ તાબડતોડ તેનો કબજો મેળવવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈના એરપોર્ટ પર પ્રક્રિયા શરૂ કરી હતી.

એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, “વિમાન માલિકોએ વિમાન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેને કારણે વિમાનોને જુદા જુદા એરપોર્ટ્સ પર અગાઉના ડેસ્ટિનેશન્સની ફ્લાઇટ્સ રદ કરીને ભૂમિગત કરાયા હતા. આ કારણે સમગ્ર જેટ એરવેઝ નેટવર્કમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ શહેરમાં એક-એક બોઇંગ 737 વિમાન ભૂમિગત કરવું પડ્યું હતું. દિલ્હીમાં છેલ્લા છ દિવસથી બોઇંગ 737 MAX ભૂમિગત કરવાની ફરજ પડી હતી.

જેટ એરવેઝના વિમાન માલિકોમાં અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જેટ એરવેઝની 19 ફ્લાઇટ્સ રદ થવાની વાતને સમર્થન આપ્યું હતું. એરલાઇન ઉદ્યોગની વેબસાઇટ flightradar.comના ડેટા મુજબ બોઇંગ 737 MAX છેલ્લા છ દિવસથી દિલ્હી એરપોર્ટ પર હતું. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ એરપોર્ટ પર કુલ ચાર બોઇંગ 737 વિમાન ભૂમિગત થયા હતા.

ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર વિવિધ કારણોને લીધે ફ્લાઇટ્સ રદ થવાથી ભાડાં પર ખાસ અસર નહીં થાય. અન્ય એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, “એરલાઇન પોતાના જ નેટવર્કની અન્ય ફ્લાઇટ્સમાં પેસેન્જર્સને ખસેડી રહી છે. ઉપરાંત, જરૂર કરતાં વધુ ક્ષમતાની સ્થિતિને કારણે ફ્લાઇટ્સ રદ થવાની ભાડાં પર અસર નહીં થાય.” અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “પિક સીઝન હોત તો 19 ફ્લાઇટ્સ રદ થવાથી સમસ્યા ઊભી થઈ હોત. જોકે, હાલ ‘બિઝી’ સીઝન નહીં હોવાને કારણે ભાડાંમાં વધારો નહીં થાય.” ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે ચાલુ વર્ષે માર્ચમાં આવનારા બોઇંગ ૭૩૭ MAX પ્લેન્સની ડિલિવરી મોકૂફ રાખી છે.

January 30, 2019
shankar-1.jpg
1min4910

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઑફ આર્ટ્સમાં અનુ સ્નાતક થયેલા બાપુએ વર્ષ 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ (ભાજપ)માં જોડાયા હતા. શંકરસિંહ વાઘેલા 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચ વાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમ જ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમ જ 13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી. 1996માં ભાજપમાં બળવો કર્યો બાદ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટી બનાવી 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. જોકે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શંકરસિંહ એનસીપીમાં જોડાઈ ગયા છે.

January 29, 2019
farmers.jpg
1min4960

આંધ્રપ્રદેશને 900 કરોડ, ગુજરાતને 130 કરોડ, મહારાષ્ટ્રને 4,700 કરોડ અને કર્ણાટકના ખેડૂતો માટે 950 કરોડ રૂપિયાનું પેકેજ

બજેટ અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર અચાનક જ ખેડૂતો પર વરસી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 6,680 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ચાર રાજ્યોના ખેડૂતો માટે મોદી સરકારે આ પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.

કેન્દ્ર સરકારના કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ટ્વિટ કરીને આ રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, નાના અને મધ્ય ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી સર્જાયેલી મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશને 900 કરોડ, ગુજરાતને 130 કરોડ, મહારાષ્ટ્રને 4,700 કરોડ અને કર્ણાટકના ખેડૂતો માટે 950 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવાયું છે. આ ચારેય રાજ્યોમાં સમયાંતરે ખેડૂતો સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. આ રાજ્યોમાં ખેડૂતો દુષ્કાળથી પીડિત હતા એટલે કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂતોને લાભદાયી સાબિત થઈ શકે છે.

January 27, 2019
nano.jpg
2min7520
  • નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી
  • 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે
  • બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી
  • રતન ટાટાની ડ્રીમ કાર ‘ટાટા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે.
(નેનો કાર)

નેનો સામે શરૂઆતથી જ વિધ્નો હતા

પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-૨૦૨૦માં નવા નિયમો અમલી બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.

ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગઇ તા.24મી જાન્યુઆરી 2019ના રોજ હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (બીએસ-૬ નિયમો)નું પાલન નહીં કરે અને અમે તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે.” બીએસ-૬ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે એવો સંકેત તેમણે આપ્યો હતો.

ટુ-વ્હીલર પર મુસાફરી કરતાં ભારતનાં કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ ₹1 લાખમાં ૨૦૦૯માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન ૨૦૧૮માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી.

બીએસ-6 વાહનો અંગે પરીકે જણાવ્યું હતું કે તે ઓટો કંપનીઓ માટે એક પડકાર છે કારણ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ૧ એપ્રિલ ૨૦૨૦ બાદ બીએસ-૬ સિવાયનાં વાહનોના રજિસ્ટ્રેશનની પરવાનગી આપતી નથી.

ઉલ્લેખનીય છે કે ટાટા નેનો પ્લાન્ટનું આગમન ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક સાબિત થયું છે. નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યા બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા સ્કૂટર્સ એન્ડ મોટરસાઇકલ્સ, સુઝુકી મોટર્સ જેવી ઓટો જાયન્ટ કંપનીઓ અને તેમને સંલગ્ન અનેક વેન્ડર્સ કંપનીઓ ગુજરાતમાં આવી હતી અને ગુજરાત ભારતનું નવું ઓટોમોબાઇલ હબ બન્યું છે.

ટાટા મોટર્સ હાલમાં સાણંદ પ્લાન્ટ ખાતે તેની લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન કરે છે અને અહીં તેણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની હાલમાં 60 ટકા કાર માર્કેટમાં ઓપરેટ કરે છે અને 2021-’22 સુધીમાં નવી પ્રોડક્ટ્સ લોંચ કરીને 90 ટકા માર્કેટને આવરી લેશે.

What are Bharat Stage norms?
The Bharat Stage are standards instituted by the government to regulate emission of air pollutants from motor vehicles. The norms were introduced in 2000. With appropriate fuel and technology, they limit the release of air pollutants such as nitrogen oxides, carbon monoxide, hydrocarbons, particulate matter (PM) and sulphur oxides from vehicles using internal combustion engines. As the stage goes up, the control on emissions become stricter. Thus Bharat Stage VI norms are two stages ahead of the present Bharat Stage IV norms in regulating emissions. These norms are based on similar norms in Europe called Euro 4 and Euro 6.

Differences between two stages
The extent of sulphar is the major difference between Bharat Stage IV and Bharat Stage VI norms. BS-IV fuels contain 50 parts per million (ppm) sulphur, the BS-VI grade fuel only has 10 ppm sulphur. BS VI can bring PM in diesel cars down by 80 per cent . The new norms will bring down nitrogen oxides from diesel cars by 70 per cent and in petrol cars by 25 per cent. BS VI also make on-board diagnostics (OBD) mandatory for all vehicles. OBD device informs the vehicle owner or the repair technician how efficient the systems in the vehicle are.

January 27, 2019
medicine.jpg
1min6850
  • લગભગ ૩,૦૦૦ જેટલી દવાઓને પરત ખેંચવી પડશે
  • ગત સપ્ટેમ્બર 2018માં 325 ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકાયો હતો

ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓની આડઅસરને રોકવા માટે કેન્દ્ર સરકારે ગઇ તા.11મી જાન્યુઆરીએ સ્પેશિયલ ગેઝેટ બહાર પાડીને દેશમાં તબીબો દ્વારા દર્દીઓને આપવામાં આવતા વિવિધ કોમ્બિનેશન ડ્રગ પૈકીના 80 પ્રકારના ડ્રગ ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂક્યો છે, આ તાજા નોટિફિકેશનનો અમલ ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશને આ 80 પ્રકારના ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓ બજારમાંથી તાત્કાલિક પરત ખેંચી લેવા આદેશ આપ્યો છે. જોકે, સરકારે અથવા દવા કંપનીઓએ તમામ દવાઓના નામની યાદી જાહેર કરવી જોઇએ એવી કેમિસ્ટ્સની માંગ છે.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, “આ નિર્ણયના કારણે લગભગ ૩,૦૦૦ જેટલી દવાઓને પરત ખેંચવી પડશે અને તેના કારણે ટૂંકાગાળા માટે બજારમાં દવાઓની અછત સર્જાઇ શકે છે. વેપારીઓ ટ્રેડ નામથી વેચાણ કરતા હોય છે તેથી તેઓ કોમ્બિનેશન માહિતી ધરાવતા હોતા નથી.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કયા કયા ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સંપૂર્ણ જાણકારી ગેઝેટ સાથે નિહાળી શકાશે.
Banned_FDC2019_list

January 24, 2019
railway-recruitment-board.jpg
1min8640

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 24, 2019
1min11250

બજેટ પણ રજૂ કરે તેવી શક્યતા : જેટલી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ખાતા વગરનાં મંત્રી

અરુણ જેટલી અગાઉ કિડની રિપ્લેશમેન્ટની ટ્રીટમેન્ટને કારણે અને હવે ઘોષિત નહીં થયેલી બિમારીની સારવારના કારણે દેશના ખાતા વગરના મંત્રી બન્યા છે. કેમકે અરુણ જેટલી જે ખાતું સંભાળે છે એ નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો જેટલીની અસ્વસ્થતાને કારણે રેલવે મંત્રી પીયૂષ ગોયલને સોંપીને કામચલાઉ નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે.

આ ઘટનાક્રમને પગલે હવે વચગાળાનું બજેટ પણ ગોયલ જ સંસદમાં રજૂ કરે તેવી શક્યતા દેખાય છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ પીયૂષ ગોયલને અસ્થાયી ધોરણે નાણા અને કોર્પોરેટ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. જ્યાં સુધી જેટલી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેઓ મંત્રાલય વગરનાં મંત્રી બની રહેશે.

January 23, 2019
calogo1.jpg
3min18380

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 23, 2019
priyanka.jpg
1min6260

કૉંગ્રેસ સંગઠનમાં પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ છે. પ્રિયંકા ગાંધી કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે.

પ્રિયંકા ગાંધીની સક્રીય રાજકારણમાં એન્ટ્રી

ચૂંટણી પહેલા કૉંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. પ્રિયંકા ગાંધીએ આખરે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે. પહેલી વાર પ્રિયંકા ગાંધીને સક્રીય જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો કાર્યભાર મળ્યો છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસની નબળી કડી રહ્યું છે, જો કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત છે. જેને જોતા પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. સિંધિયા પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળશે.

ભાજપના કૉંગ્રેસ પર પ્રહાર

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી  પર ભાજપે કૉંગ્રેસને ઘેર્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ પર પ્રહારો કરતા તેને એક જ પરિવારની પાર્ટી બતાવી. સંબિત પાત્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની મહાસચિવના પદ પર નિયુક્તિ એ બતાવે છે કે કૉંગ્રેસ એક જ પરિવારની પાર્ટી છે.

એટલું જ નહીં, રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીની નિયુક્તિ એ વાતને દર્શાવે છે કે રાહુલ ગાંધીની અસફળતાને સાર્વજતિક રૂપથી સ્વીકારી લીધી છે. મહાગઠબંધને અસ્વીકાર કર્યા બાદ કૉંગ્રેસને ઘરના સહારાની જરૂર પડી છે.