CIA ALERT

ઇન્ડીયા Archives - Page 181 of 216 - CIA Live

May 31, 2019
modi_govt.jpg
1min6330

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૬૮ વર્ષીય નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની બીજી મુદત માટે ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીની સાથેે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી સહિત અનેક પ્રધાને પણ શપથ લીધા હતા.

મોદીના પ્રધાનમંડળમાં ૨૪ કેબિનેટ કક્ષાના છે, જ્યારે એટલા જ પ્રધાન રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના નવ પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરનો પ્રધાનમંડળમાં સમાવેશ થતાં કેટલાકને આશ્ર્ચર્ય થયું હતું.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડી. વી. સદાનંદ ગોવડા અને રામ વિલાસ પાસવાનનો પણ સમાવેશ થાય છે.

અગાઉની મોદી સરકારમાંના કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મેનકા ગાંધીને નવા પ્રધાનમંડળમાંથી હાલમાં બાકાત રખાયા છે.

મોદી પોતાના પ્રધાનમંડળમાં કુલ ૮૦ પ્રધાન રાખી શકે છે. બંધારણમાંની જોગવાઇ મુજબ વડા પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાનમંડળમાંના પ્રધાનોની કુલ સંખ્યા લોકસભાના કુલ (૫૪૩) સભ્યમાંના ૧૫ ટકા સુધી રાખી શકાય છે.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લેનારા અન્ય નેતાઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહ્લાદ જોશી, મહેન્દ્રનાથ પાણ્ડેય અને ગિરિરાજ સિંહનો સમાવેશ થાય છે.

મોદીના પ્રધાનમંડળમાંના નવ રાજ્ય કક્ષાના પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

અરવિંદ સાવંત અને ગજેન્દ્રસિંહ શેખાવતનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો હતો.

નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા અને સોમ પ્રકાશે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મોદી સરકારમાં ૨૪ કેબિનેટ પ્રધાન છે.

સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજિત, શ્રીપાદ નાયક અને જિતેન્દ્ર સિંહને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

કિરણ રિજીજુ, પ્રહ્લાદસિંહ પટેલ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી અને મનસુખલાલ માંડવિયાને પણ સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ફાગણસિંહ કુલહસ્તે, અશ્ર્વિની ચૌબે, અર્જુન મેઘવાલ, વી. કે. સિંહને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે, જી. કૃષ્ણ રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા અને રામદાસ આઠવલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન છે.

નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ બલયાન, સંજય ધોત્રે, અનુરાગ ઠાકુર અને સુરેશ આંગડીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રામેશ્ર્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાસ ચૌધરી અને દેવશ્રી ચૌધરીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

May 30, 2019
modirajghat.jpg
1min9750

આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ એ પૂર્વે ઐતિહાસિક દિવસે સવારે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને સ્વ. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. એ પછી તેઓ અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈને તેમને શદ્ધાંજલિ આપી.

ભાજપાના અનેક મોટા નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી બાપૂ અને વાજપેયીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વડાપ્રધાન મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને પ્રણામ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.

May 30, 2019
gst.jpg
1min12290

જીએસટી રિટર્ન વિનામૂલ્યે ફાઇલ થઇ શકે તેવું સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે

તા.29મી મે 2019ના રોજ ભારતના વેપારીઓ માટે રાહતભર્યા સમાચારની જાહેરાત કરતા GSTN નેટવર્કે રૂપિયા 1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે.

બિલિંગ સોફ્ટવેરને કારણે અંદાજે 80 લાખ જેટલા નાના વેપારીઓને એ ફાયદો થશે કે જીએસટી રિટર્ન બિલકુલ વિનામૂલ્યે ફાઈલ કરી શક્શે. આ પહેલા પણ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા જાહેરાત કરાઈ છે કે,’ આ સોફ્ટવેરના કારણે કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે’

આ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે GSTNદ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.” GSTNએ આપેલી માહિતી પ્રમામે દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે.

May 30, 2019
jagan1.jpg
1min5410

આંધ્ર પ્રદેશના ભાગલા પડયા બાદ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન તરીકે આજે વાયએસઆર કૉંગ્રેસના પ્રમુખ વાય એસ જગન રેડ્ડીની ગુરુવારે બપોરે 12.23 મિનિટે શપથગ્રહણ કરશે.

વિજયવાડા નજીક આવેલા આઇજીએમસી સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ ઇ એસ એલ નરસિંહન રેડ્ડીને શપથ લેવડાવશે.

રાજ્યની વિધાનસભાની 175 બેઠકમાંથી વાયએસઆરને 151 બેઠક પર જબરો વિજય મેળવીને રાજ્યના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને કારમો પરાજય આપ્યો હતો. એમના પક્ષે લોકસભાની 25માંથી 22 બેઠક જીતી લીધી હતી.

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે ફક્ત રેડ્ડી જ શપથ લેશે અને એમના પ્રધાનોનો શપથવિધિ સમારંભ 7મી જૂને કરવામાં આવશે.

પહેલી વખત દિલ્હીમાં આવેલા આંધ્ર પ્રદેશ ભવનમાં શપથવિધિ સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રેસિડેન્ટ કમિશનર પ્રવિણ પ્રકાશે જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ ભવનમાં આ પ્રસંગને માણવા માટે વિવિધ

દેશોના રાજદૂતો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય ડૉનર એજન્સીના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહુદેશીય કંપનીઓના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શપથવિધિ બાદ વીડિયો લિંક દ્વારા રેડ્ડી આમંત્રીત મહેમાનોને સંબોધશે અને નવા આંધ્ર પ્રદેશના નિર્માણ માટે પોતાની યોજનાની માહિતી આપશે.

May 30, 2019
bjp_logo.png
1min4570

લઘુમતીઓના પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે. યુપીએ સરકારે 2008માં લઘુમતીઓનું પ્રભુત્વ ધરાવતા 90 જિલ્લા – લોકસભાની બેઠક હોવાનું તારવ્યું હતું તે પૈકી 50 ટકાથી વધુ બેઠક ભાજપે જીતી છે. 79 મત વિસ્તાર પૈકી 41 બેઠક ભાજપે જીતી છે, જયારે કૉંગ્રેસે ફકત છ બેઠક જીતી છે જે 2014માં 12 હતી.

એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ એક જ પક્ષની તરફેણમાં મત આપ્યા નથી. આ ચૂંટણીમાં 27 મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. લઘુમતીનું પ્રભુત્વ ધરાવતા પ. બંગાળના અમુક જિલ્લામાં ભાજપે વધારે બેઠક મેળવી છે. 49 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા રાયગંજમાં ભાજપના ઉમેદવારે ટીએમસીના ઉમેદવારને 60574 મતથી હરાવ્યા છે. એ જ પ્રમાણે જલપાઈગુડી, માલ્દામાં પણ ભાજપે જીત મેળવી હતી.

કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં છ મુસ્લિમોને ટિકિટ આપી હતી, પરંતુ તમામ હાર્યા હતા. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મત વિસ્તારમાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે.

May 30, 2019
aruna_cm.jpg
1min4510

સિનિયર બીજેપી નેતા પ્રેમા ખંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બુધવારે શપથ લીધા હતા. અહીંના દોરજી ખંડુ ક્ધવેન્શન સેન્ટર ખાતે ગવર્નર બી. ડી. મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા. 11 કેબિનેટ કક્ષાના પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા.

આ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા. અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોના ગૃહમાં ભાજપના નેતૃત્વ હેઠળના પક્ષે 41 બેઠક જીતી હતી.

May 30, 2019
modi_shah.jpg
1min5070

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

May 29, 2019
neet.jpeg
1min12500

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 29, 2019
images_1528535254908_mandul_snake-1280x719.jpg
1min6170

ભાયંદર પૂર્વમાં દુર્લભ જાતિના રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ વેચવા માટે આવેલા બે જણને નવઘર પોલીસે ઝડપી પાડ્યા હતા. નવઘર પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ભાલસિંહને માહિતી મળી હતી કે ભાયંદર પૂર્વમાં સાંઇબાબા ફાટક પાસે બે શખસ દુર્લભ જાતિના સાપ વેચવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે મંગળવારે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું અને બે જણને તાબામાં લીધા હતા.

વાજીદ હુસેન મોહંમદ યુસુફ કુરેશી (47) અને શંભુ અચ્છેલાલ પાસવાન (39) નામના બંને શખસની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ મળી આવ્યા હતા. નવઘર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને શખસની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીએ આ સાપ ક્યાંથી મેળવ્યા હતા અને તે કોને વેચવા માટે અહીં આવ્યા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7670

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.