ઇન્ડીયા Archives - Page 161 of 216 - CIA Live

October 2, 2019
GST-1280x720.png
1min12500

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થઇ છે. જે અગાઉના મહિને રૂ. ૯૮,૨૦૨ કરોડ હતી.સપ્ટેમ્બરમાં જીએસટી રેવન્યૂ રૂ. ૯૧૯૧૬ કરોડ થઇ છે તેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૬૬૩૦ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૨૫૯૮ કરોડ અને આઈજીએસટી રૂ. ૪૫૦૬૯ કરોડનો સમાવેશ છે, એમ સરકારી આંકડામાં જણાવાયું છે.

October 1, 2019
lata.jpg
1min13620

ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી ગાયક ગણાતા લતા મંગેશકર સોશ્યલ મિડીયા પર છાશવારે ધૂમ મચાવે છે.

ટ્વીટર ઉપર લતા મંગેશકરના ટ્વીટ ગણતરીના સમયમાં લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હવે લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે સોશ્યલ મિડીયામાં એક મહત્વના માધ્યમ ગણાતા ઈન્સ્ટાગ્રામ પર આગમન ( ડેબ્યૂ ) કર્યું છે.

લતા મંગેશકરે 28મી સપ્ટેમ્બરે 90મો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિનના બે દિવસ બાદ હવે લતા મંગેશકર’ ઈન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર લતા મંગેશકરે તસવીરો પણ પોસ્ટ કરી હતી.

તસવીરના કેપ્શનમાં લતા મંગેશકરે લખ્યું હતું કે નમસ્કાર, આજે પહેલી વખત લોકો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે જોડાઈ છું. ઈન્સ્ટાગ્રામમાં લતા મંગેશકર જોડાયાના બે કલાકની અંદર 48 હજાર ચાહકો ફોલો કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પણ આપી હતી.

October 1, 2019
Apprenticeships-Logo.png
1min6570

પ્રેન્ટિસશિપ નિયમોમાં સુધારાનું જાહેરનામું

સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.

ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.

આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.

September 30, 2019
dropout.jpg
1min6710

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 30, 2019
onion.jpg
1min5880

કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.

કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે. 

September 27, 2019
speed-boat-500x500.jpg
1min6270

વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.

એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.

September 25, 2019
rbi.jpeg
1min8280

PMC બેંક પર નિયંત્રણો બાદ સોશ્યલ મિડીયા પર ઉઠેલી અફવાઓ, લોકોમાં દહેશત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સર્વોચ્ચ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બપોરે કરેલા એક ટ્વીટમાં જણાવ્યું છે કે સોશ્યલ મિડીયામાં વહેતા થયેલા કેટલીક બેંકો બંધ થઇ જવા અંગેના મેસેજીસ બિલકુલ જુઠ્ઠા અને પાયા વિહોણા છે. લોકોએ ગેરમાર્ગે દોરાવું નહીં.

રિઝર્વ બેંકે તાત્કાલિક રદીયો આપવો પડ્યો

તા.24મી સપ્ટેમ્બર 2019થી મહારાષ્ટ્રની ચોથા નંબરની સૌથી મોટી કો ઓપરેટિવ બેંક કે જે 139 બ્રાન્ચ ધરાવે છે એ પીએમસી બેંક પર લદાયેલા નિયંત્રણો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે એવા મેસેજ સોશ્યલ મિડીયામાં ફરતા થયા હતા કે વધુ 9 જેટલી નેશનલાઇઝ્ડ બેંકો બંધ થઇ જવાની છે. લોકોમાં ગભરાટ મચાવવાના ઇરાદે આ પ્રકારના મેસેજ ફરતા કરવામાં આવ્યા હોવાનું જણાય આવતા રિઝર્વ બેંકએ ટ્વીટર હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી હતી કે કેટલીક બેંકો બંધ થવા અંગેના સંદેશા સાવ ખોટા છે.

દેશના ફાઇનાન્સ સેક્રેટરીએ પણ આ રીતે ટ્વીટ કરવી પડી

9 જેટલી બેંકો ઉઠી જવા અંગે સોશ્યલ મિડીયામાં ફરતો થયેલો સંદેશો એવા મતલબનો હતો કે જે બેંકોને કેન્દ્ર સરકારે ક્યાં તો મર્જ કરી દીધી છે અથવા તો મર્જિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આમ છતાં આ મેસેજને કારણે ભારતમાં સામાન્ય લોકોમાં મોટી ગેરસમજ ફેલાય જવા પામી હતી.

સોશ્યલ મિડીયામાં આ જુઠ્ઠો મેસેજ ફરી રહ્યો છે

September 24, 2019
icai_logo.jpeg
5min7610

ICAI દિલ્હી કચેરી સામે જોરદાર દેખાવો, ટ્વીટર પર ICAI સામે મોટી ઝુંબેશ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સૌથી વિશ્વસનીય સંસ્થા ગણાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા દેશવ્યાપી ધોરણે લેવામાં આવતી સી.એ. ની જુદી જુદી પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીમાં ધાંધલી થઇ હોવાના સંગીન આરોપો સોશ્યલ મિડીયામાં હાલ ICAI પર કાદવ ઉછાળી રહ્યા છે. હદ ત્યારે થઇ કે ICAI મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી તેને પહોંચાડવામાં આવી હતી.

દરમિયાન આજે તા.24મી સપ્ટેમ્બર 2019ની સવારે નવી દિલ્હી સ્થિત ICAIની વડી કચેરી પર સી.એ.ની જુદી જુદી પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ ICAIની મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

ICAIની નવી દિલ્હી સ્થિત વડી કચેરીની બહાર સી.એ.ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

સી.એ.ની જુદી જુદી પરીક્ષઆ આપનારા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે જ્યારે પરીણામો જાહેર થયા હતા ત્યારથી જ તેમને પરીણામ બાબતે અસંતોષ હતો. મૂલ્યાંકનમાં ગરબડી અંગે સોશ્યલ મિડીયા મારફતે જાણકારી મળી ત્યારે અમારી ફરીયાદ સાચી લાગી છે. ICAI આ મામલામાં દરેક વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહી દર્શાવીને બતાવી દેવું જોઇએ કે ગરબડીની ફરીયાદો સાચી છે કે ખોટી

ICAI દ્વારા વેબસાઇટ પર મૂલ્યાંકન પદ્ધતિ અંગે આ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી હતી

ANNOUNCEMENT- Evaluation of answer books of CA exams
September 21, 2019
It has been brought to our notice that certain adverse reports relating to the system of evaluation of answer books of CA exams are doing the rounds in social media. In this connection, following reforms which have been put in place recently are brought to the attention of the stakeholders in respect of the ICAI examination system

1.Digital evaluation : As communicated in January 2019 Chartered Accountant Student newsletter , continuing further from the pilot e evaluation for first group of Intermediate Nov 2018 exams; all papers of Intermediate and Foundation level exams in November 2019/May 2020 will be put through the digital evaluation mode bringing in following benefitsDoing away with stages of physical handling of answer booksAvoiding variations in marks awarded by examiners.Eliminating scope of any totalling errorsContinuous review of performance of the Examiners on real time basis;Generation of analytical reports enabling quality control checks; and2. Central evaluation: Further the Central Evaluation is being carried out in several papers of CA exams, w.e.f November 2018 wherein examiners evaluate answer books under the supervision of Head Examiner/Associate Head Examiners.

3. Machine based evaluation: Effective May, 2019 exams, objective type questions for 30 marks have been introduced in select papers of Intermediate and Final Exams. Further the Institute has decided to introduce OMR based evaluation for MCQ’s of Elective Papers 6A to 6F of final New course with effect from November 2019 which are machine processed thus avoiding subjectivity.

4.Stepwise marking : Provision regarding stepwise marking is being enforced whereby in case the stepwise marks are not awarded ; it will be deemed as unevaluated answer and stepwise marks will be awarded during the course of re verification of marks

5.Mandatory on-line test for empanelment of examiners: All applicants shortlisted for empanelment as examiners are required to qualify an on-line test in the subject of their choice before inclusion of their names in the Panel of Examiners. It has further been decided that all existing examiners would also be required to undergo an on-line test in their respective subjects, once in 3 years.

Budding students are the backbone of the Chartered Accountancy profession as with them lies the future and growth of the profession. Various endeavours of the Institute through its Board of Studies like World class study material, Live Virtual /Revision Classes, training opportunities for article/industrial training, constant study updates, monthly student journal ,GMCS and ITT batches are targeted to build capability of students providing due scalability .Students are requested to be not to be misled and swayed by any tirade as ICAI stands committed to fulfil their genuine concerns.
દિલ્હીમાં આઇસીએઆઇ સામે થઇ રહેલા દેખાવોમાં હજારો ઉમેદવારો જોડાઇ રહ્યા છે.

#icaipleasechange ટ્વીટર પર આ હેશટેગથી ટ્રોલ થઇ રહી છે ICAI

ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
September 22, 2019
mumbai.jpg
1min5830

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.

September 22, 2019
diamondsurat-1280x720.jpg
1min5960

હીરાઉદ્યોગમાં જોબવર્કમાં જીએસટી પાંચ ટકાથી ઘટાડીને ૧.૫૦ ટકા કરાતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હીરાના જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ ૩.૫૦ ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો. સરકારના આ નિર્ણયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. હીરાના જોબવર્ક માટે પહેલા પાંચ ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને ૧.૫૦ ટકા કરાઈ હતી. આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ સાબિત થશે કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના પાંચ ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી હીરાઉદ્યોગની માગનો અંત આવ્યો હતો.