CIA ALERT

ઇન્ડીયા Archives - Page 160 of 217 - CIA Live

October 19, 2019
relience.png
1min5600

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે ૧૮.૬ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૨૬૨ કરોડનો ચોખ્કો નપો નોંધાવ્યો છે, જે જુલાઇ-સપ્ટેમ્બરના પાછલા વર્ષના સમયગાળામાં રૂ. ૯૫૧૬ કરોડના સ્તરે હતો. કોન્સોલિડેટેડ રેવન્યૂ વધીને રૂ. ૧૬૩૮૫૪ કરોડના સ્તરે પહોંચી હતી. એ જ સાથે રિલાયન્સ જિઓએ બીજજા ક્વાર્ટરમાં ૪૫.૫ ટકાના વધારા સાથે રૂ. ૯૯૦ કરોડનો ચોખ્ખો નપો અન્ે ૩૩.૭ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૫૩૪ કરોડની ઓપરેટીંગ રેવન્યૂ નોંધાવી હતી.

દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ ૧.૭ ટકાનો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને ૯.૦૧ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા. ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી.

October 18, 2019
gjepc_logo.jpg
1min6520

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર, હૉંગકૉંગ ખાતે થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં વૅલ્યુ એડેડ ટૅક્સ (વેટ)નો અમલ થતાં આ વર્ષે દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં અંદાજે પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે વ્યક્ત કરી છે.

GJEP કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહ

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં અર્થાત્ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલુ રહેતાં અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થતાં કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના ૧,૪૦,૧૫૮.૮૩ કરોડ સામે ૫.૭૦ ટકાથી ઘટીને ૧,૩૨,૧૭૦.૩૨ કરોડની સપાટીએ રહી હોવાનું કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું.

વધુમાં હૉંગકૉંગ ખાતે ચીનના વિરોધમાં થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં જાન્યુઆરી ૨૦૧૮થી વેટનો અમલ થતાં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ પર વિપરીત અસર પડી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હાલનું આ વલણ જોતાં વર્તમાન નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત સાલની સરખામણીમાં પાંચથી દસ ટકા જેટલી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ સપ્ટેમ્બર ૨૦૧૮ના રૂ. ૨૫,૬૯૮.૬ કરોડ સામે ૭.૪૩ ટકાથી ઘટીને ૨૩,૭૮૮.૦૧ કરોડની સપાટીએ તેમ જ કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ૧૮.૮૭ ટકાથી ઘટીને રૂ. ૧૩,૮૭૪ કરોડ (રૂ. ૧૭,૧૦૧.૪૫ કરોડ)ની સપાટીએ રહી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આર્થિક મંદીનો સિનારિયો અને નબળી ગ્રાહકલક્ષી માગને ધ્યાનમાં લેતાં તહેવારોની મોસમમાં પણ માગ દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે.

October 16, 2019
ayodhyay3.jpg
1min12270

રાજકીય રીતે સંવેદનશીલ એવા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી આ કેસના 40મા દિવસે તા.16મી ઓક્ટોબરને બુધવારે પૂરી થશે એમ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું. મૂળભૂત રીતે આ સુનાવણી 17-10-2019એ પૂર્ણ થવાની હતી અને કોર્ટ 17 નવેમ્બરના મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પહેલાં આ કેસનો ચુકાદો જાહેર કરે એવી ધારણા છે.

તા.15મી ઓક્ટોબર 2019ની સુનાવણીમાં અયોધ્યા વિવાદના એક પક્ષકાર ‘રામ લલ્લા વિરાજમાન’ વતી હાજર થયેલા વરિષ્ઠ ધારાશાત્રી કે. પરાશરણે જણાવ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે મનાતા આ સ્થળ માટે સદીઓથી હિન્દુઓ દાવો કરતા આવ્યા છે. તેમણે એવી દલીલ કરી હતી કે મુસ્લિમો ઇચ્છે તે મસ્જિદમાં બંદગી કરી શકે છે. અયોધ્યામાં જ 55થી 60 મસ્જિદો છે, પરંતુ હિન્દુઓ માટે તો આ જ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે જન્મસ્થળને બદલી તો ન શકીએ. હિન્દુઓ માટે જન્મસ્થળ છે. મુસ્લિમો માટે ઐતિહાસિક મસ્જિદ છે. મુસ્લિમો માટે તમામ મસ્જિદો એક સરખી છે. અમારે માટે એવું છે કે અમે જન્મસ્થળ બદલી ન શકીએ.’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોર્ટમાં હળવા અંદાજમાં મુખ્ય ન્યાયાધીશે મુસ્લિમ અરજદારોના વકીલ રાજીવ ધવનને પૂછ્યું’ હતું કે, શું તેમને લાગે છે કે કોર્ટે હિન્દુ પક્ષકારોને પૂરતા સવાલો પૂછયા છે? ‘અમે આ હળવાશથી કહીએ છીએ. બધી વાતોને ગંભીરતાથી લેવી ન જોઈએ’ ચીફ જસ્ટીસ ગોગોઇએ હિંદુ પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ મુસ્લીમ પક્ષના વકીલને કહ્યું હતું કે ‘લ્યો હવે તમને સંતોષ થયો ને!’ અને ત્યારે કોર્ટમાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું. આજે 39મો દિવસ છે. એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું.
સોમવારે સર્વોચ્ચ અદાલતે દશેરાની એક સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ કરી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે 1989 સુધી હિન્દુઓ દ્વારા અયોધ્યા જમીનની માલિકીનો દાવો કરાયો ન હતો. 1992માં ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પહેલાં તેનું અસ્તિત્વ હોવાથી તેની પુન:સ્થાપનાની આ મુસ્લિમ પક્ષકારોએ માગણી કરી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા જિલ્લામાં આઈપીસીની ધારા 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ પાડયો છે. અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે.
મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 6 અૉગસ્ટથી દરરોજની સુનાવણી હાથ ધરી હતી.
અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના ચાર સિવિલ દાવાઓમાં 2010ના અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલો કરવામાં આવી હતી.

October 15, 2019
rcep.jpg
4min30720

(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.

RCEP એટલે શું

અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.

RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે

RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.

સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે

RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.

RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે

જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.

ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.

નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત

આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.

ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ

https://economictimes.indiatimes.com/news/economy/foreign-trade/pm-modi-to-take-a-call-on-all-pending-rcep-issues/articleshow/71589645.cms

સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી

સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.

RCEP in Brief

The Regional Comprehensive Economic Partnership (RCEP) is a proposed free trade agreement (FTA) between the ten member states of the Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).

RCEP negotiations were formally launched in November 2012 at the ASEAN Summit in Cambodia

the proposed RCEP would cover almost every aspect of economy such as goods, services, investment, economic and technical cooperation, intellectual property rights (IPR), rules of origin, competition and dispute settlement.

October 15, 2019
trains.jpg
1min5660

ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

October 15, 2019
pmc.jpg
1min12340

આર્થિક કટોકટીમાં ફસાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર (પીએમસી) કો-ઓ. બૅંકના ખાતાધારકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા-આરબીઆઈએ ખાતાધારકો માટે પીએમસી બૅંકમાંથી રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા હાલના રૂ.૨૫૦૦૦થી વધારીને રૂ.૪૦૦૦૦ કરી છે.

રોષે ભરાયેલા ખાતાધારકો નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા બાદ તેમણે આરબીઆઈને ખાતાધારકોની સમસ્યાઓ ધ્યાન પર લેવાનું જણાવ્યા બાદ આ પગલું આવી પડ્યું હતું.

ટોચની ૧૦ અર્બન કો.ઓ. બૅંકમાં સ્થાન ધરાવતી પીએમસી બૅંકે જાણીજોઈને એનપીએ ઓછી દેખાડતાં સર્જાયેલી સમસ્યા બાદ ૨૩ સપ્ટેમ્બરથી છ મહિના માટે તેને આરબીઆઈની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.

આરબીઆઈએ ત્રીજીવાર આ મર્યાદા વધારી છે. અગાઉ ખાતાધારકોને રૂ. ૧૦૦૦ ઉપાડવાની છૂટ હતી જે વધારીને રૂ.૧૦૦૦૦, રૂ. ૨૫૦૦૦ આવી હતી અને હવે એ મર્યાદા હવે વધારીને રૂ.૪૦૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈનાં આ પગલાંને કારણે હવે લગભગ કુલ ખાતાધારકો અને થાપણદારોમાંથી ૭૭ ટકા લોકો તેમનાં ખાતામાંની પૂરી રકમનો ઉપાડ કરી શકશે.

છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનોની ચકાસણી કરવા આરબીઆઈએ ફૉરેન્સિક ઑડિટર્સની નિમણૂંક કરી છે.

શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ આરંભી હોવાનું તેમણે કહ્યું હતું.

બૅંકને તેની કાર્યવાહી કરવામાં નડતી વિવિધ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા વહીવટીતંત્ર અને આરબીઆઈ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યની સલાહકાર સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છે. 

October 11, 2019
jinping.jpg
1min5160

તામિલનાડુના મહાબલીપુરમાં 11-12 ઓકટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક યોજવા જઇ રહી છે. બન્ને નેતા યુનેસ્કોના કેટલાક વિશ્વ ધરોહર સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાપિત બેઠક માટે 11 ઓકટોબરે બપોર બાદ ચેન્નાઇ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરથી પ0 કિલોમીટર દૂર છે.

બન્ને નેતાઓ મહાબલીપુરમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપ્રમુખ જિનપિંગને આ તટીય શહેરમાં મલ્લમ શાસકો દ્વારા નિર્મિત કેટલાંક ઐતિહાસિક સ્થળો ઉપર લઇ જશે. મોદી ચીનના રાષ્ટ્ર પ્રમુખના માનમાં રાત્રીભોજન પણ આપશે અને બન્ને નેતા ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ બન્ને નેતાઓ 12 ઓકટોબરે પોતાના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાના બીજા તબક્કામાં સામેલ થશે જેના પછી થી બપોરે બે વાગ્યે સ્વદેશ જવા રવાના થશે.

બીજા દિવસની મંત્રણા તાજ સમૂહ સંચાલિત ફિશરમેન્સ કોચમાં યોજાશે. જોકે મંત્રણા અનૌપચારિક છે. તેથી કોઇ ઔપચારિક મંત્રણા કે કોઇ પ્રકારની સમજૂતિ ઉપર હસ્તાક્ષર નહીં થાય.

October 11, 2019
mumbai-local-train.jpg
1min4560

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.

આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે. કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.

ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.

October 11, 2019
tcs-1280x720.jpg
1min7670

 ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૧.૮ ટકાના વધારા સાથે રૂ. ૮,૦૪૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૭,૯૦૧ કરોડનો થયો હતો. કંપનીની જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળાની કુલ આવક ૫.૮ ટકા રૂ. ૩૮,૯૭૭ કરોડ નોંધાઇ હતી જે, ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૩૬,૮૫૪ કરોડના સ્તરે હતી. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસે વચગાળાના તેમ જ સ્પેશિયલ ડિવિડંડની જાહેરાત કરી છે. કંપનીની ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એક રૂપિયાની મૂળ કિંમતના શેરદીઠ પાંચ રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડંડ અને રૂ. ૪૦નું સ્પેશિયલ ડિવિડંડ જાહેર કર્યું છે. આ ડિવિડંડની ચુકવણી ૨૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ કરવામાં આવશે, જેની રેકોર્ડ ડેટ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૯ નક્કી કરાઈ છે.

October 11, 2019
vacant.png
1min5260

વર્ષ ૨૦૨૦ના સત્રમાં દેશમાં કોઇ નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખૂલે અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. ખરાબ પ્રદર્શન અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળી કૉલેજ બંધ થશે. કેન્દ્ર સરકારે તેમની ગઠિત વર્કીંગ કમિટીની ભલામણોને મંજૂરી આપી દીધી છે. આ બધું ગુણવત્તાવાળા એન્જિનિયર પેદા કરવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરોની ઘટતી માગના બહાને કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧માં નવી એન્જિનિયરિંગ કૉલેજોને માન્યતા નહીં આપવામાં આવે. રાજ્યોને પણ આ સંબંધે સૂચના જારી કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ પણ એન્જિનિયરિંગ કૉલેજ અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. કૉલેજોએ વિભિન્ન કોર્સમાં સ્પેશિયલાઇઝેશન પર ધ્યાન આપવું પડશે જેમ કે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંકિંગ વગેરે.

૨૦૧૮માં સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરની માગ પરખવા માટે આઇઆઇટી હૈદરાબાદના બૉર્ડ ઑફ ગવર્નરના ચેરમેન પ્રો. બીવીઆર મોહન રેડ્ડીની અધ્યક્ષતામાં આઠ સભ્યની સમિતિનું ગઠન કર્યું હતું. એમાં આઇઆઇટી, ફિક્કી, નૅસકૉમ, એસોચેમ વગેરેના વિશેષજ્ઞો સામેલ હતા. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એન્જિનિયરિંગના કોર્સની ૫૦ ટકા બેઠક ખાલી છે. માત્ર બાવન ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહ્યું છે.

સમિતિએ ૨૦૨૦માં નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખોલવાની ભલામણ કરી હતી. એઆઇસીટીઇની કૉલેજોમાં ૨૦૨૦થી એઆઇ અને ડેટા સાયન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ) કોર્સ શીખવવામાં આવશે. જોકે, આ કોર્સ એ સંસ્થાનોમાં જ શરૂ થશે, જે એનઆઇઆરએફ રેન્કિંગમાં સો અને એનબીએ એક્રિડિટેશનમાં ૭૫ ટકાથી વધારે અંક લાવ્યા હોય.