કોરોના વાઇરસ અંગે યુદ્ધના ધોરણે પગલાં લઇ રહેલી ભારત સરકાર અને રાજ્ય સરકારોના પગલાંની બીજી તરફ આજે રવિવાર તા.8મી માર્ચે ભારતમાં કોરોનાના એક સાથે 5 કન્ફર્મ કેસો કેરેલાથી મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. ઇટલીથી કેરળ આવેલા એક પરિવારને કોરોનાના લક્ષણો બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવતા એક જ પરિવારના 5 લોકોને કોરોના કન્ફર્મ થયો હતો.
શનિવાર સુધી કોરોના કેસોની સંભ્યા 34 હત એ રવિવારે સવારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.
પરિવાર હાલમાં જ ઈટાલીથી પરત ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે, પરિવારે એરપોર્ટ પર પોતાની યાત્રા અંગે જાણકારી આપી નહતી જેને કારણે તેમની તપાસ થઈ શકી નહતી. જે પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તેમાં એક બાળક પણ સામેલ છે.
રાજ્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળક અને તેના માતા-પિતા હાલમાં જ ઈટાલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે પણ મળ્યા હતા. તેમના સંબંધીઓ પહેલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પીડિત પરિવારને પણ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.
Coronavirus impact: IndiGo waives rescheduling charge for international, domestic flights
The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31.
On March 6, union aviation minister Hardeep Singh Puri said Air India has waived cancellation charges for flights to affected countries.
Globally, German airline Lufthansa also announced its group airlines have waived re-booking charges until March 31.
વિશ્વભરના 75થી વધુ દેશોમાં મહામારીની જેમ ફેલાઇ રહેલા કોરોના વાઇરસને કારણે અનેક દેશોએ તેમના મુસાફરોને ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ ટૂર નહીં કરવા પહેલા એડવાઇઝરી અને હવે તાકીદ કરવા માંડી છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વિવિધ ફ્લાઇટ્સમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ તેમજ રિશેડ્યુલ કરવામાં આવી રહ્યા છે.
એરલાઇન કંપનીઓના નિયમો મુજબ કેન્સલેશન તેમજ રિશેડ્યુલમાં મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ, ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે તેઓ તા.12મી માર્ચથી તા.31મી માર્ચ 2020 દરમિયાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સની બુક્ડ ટિકીટ જો કોઇ મુસાફર રિશેડ્યુલ કરાવે તે તેમની પાસેથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં.
ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે દરેક પ્રકારની બુક્ડ ટિકીટ પરથી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવામાં આવે છે. હાલ તા.31 માર્ચ 2020 સુધી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
As passengers postpone their travel plans due to concerns over the spread of coronavirus, budget carrier IndiGo has waived rescheduling charges for domestic and international flights.
The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31. It has also said that rescheduling charges will be waived on bookings made between March 12 and March 31 as the situation is still evolving.
This is expected to be seen as a huge relief for a large number of passengers as IndiGo commands nearly half of the entire domestic aviation market share.
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.
ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.
On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા
ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.
ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.
Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.
Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways
કરોડોના કૌભાંડો કરનાર એટલા મૂર્ખ હોય કે પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ દસ્તાવેજો સંતાડતા હશે?
એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે તા.6 માર્ચ 2020ની મોડીરાત્રે યસ બૅંકના સ્થાપક રાણા કપૂરના મુંબઈ ખાતેના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ તેમની સામેના મની લૉન્ડરિંગને લગતી તપાસના સંદર્ભમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અહીં તાર્કિક દલીલ એ છે કે યસ બેંકને ડૂબાડવામાં જેમની ભૂમિકા રહી છે એ રાણા કપૂરે કૌંભાડના દસ્તાવેજો પોતાના ઘરે રાખ્યા હશે કે તેમના ઘરે ઇ.ડી.એ. રેઇડ કરીને મિડીયાને માહિતી પણ આપી દીધી, બીજો સવાલ એ થાય કે કોઇ બેંક કે કચેરીના ઉચ્ચાધિકારીઓ પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ ડોક્યુમેન્ટસ રાખતા હોય કે તેમની અન્ય ખુફીયા કચેરીઓ કે અડ્ડાઓ પર રાખતા હોય. કોમન સેન્સનો સવાલ છે આટલા મોટા કૌભાંડ કરનારા એટલા મૂર્ખ હોય કે કૌભાંડના દસ્તાવેજો પોતાના ઘરમાં સંતાડીને રાખતા હોય.
અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈમાં પશ્ચિમ વિભાગમાં કપૂરના સમુદ્ર મહલ નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો છે. કહેવાય છે કે રાણાએ એક જાણીતી કંપનીને લોન આપવાની સાથે પછીથી કટકી લીધી હતી. એ કટકી તેની પત્નીના ખાતાઓમાં સ્વીકારવામાં આવી હોવાનું મનાય છે. અન્ય કેટલીક ગેરરીતિઓ વિશે પણ તપાસ ચાલુ છે.
યસ બૅંક લોન ભરપાઈ કરવામાં ડિફોલ્ટર બનેલી કૉક્સ ઍન્ડ કિંગ્સની સૌથી મોટી ધિરાણકર્તા હતી. યસ બૅંક તરફથી એ કંપનીને ૨,૨૮૫ કરોડ કરતાં વધુ રૂપિયાની લોન અપાઈ હોવાનું મનાય છે. આ ડિફોલ્ટર કંપની કૉક્સ ઍન્ડ કિંગ્સ પાસેથી કુલ ૫,૯૧૧ કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનું એના આર્થિક લેણદારોએ રજૂ કરેલા દાવાઓમાં જણાવાયું હતું. પુણે નજીકની પિંપરી ચિંચવડ સુધરાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે યસ બૅંકમાં એની કુલ ૯૦૦ કરોડ કરતાં પણ વધુ રકમ ડિપોઝિટ તરીકે છે.
રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.
આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.
કોરોનાના હાઉ વચ્ચે આજે તા.6 માર્ચ 2020ને શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે સવારે મોર્નિંગ બેલ વાગતાની સાથે જ ઉઘડતા બજારે ભારતીય શેરબજારો જમીનદોસ્ત જોવા મળ્યા હતા. સેન્સેક્સ 1400 પ્લસ ડાઉન રેન્જમાં જોઇને કેટલાક તો બોલી ઉઠ્યા હતા કે સેન્સેક્સ હવે લોકોને નવડાવવાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ છેલ્લા સપ્તાહમાં લાખો કરોડ રૂપિયા સેન્સેક્સે ભારતીયોના ધોઇ નાંખ્યા છે.
દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે સપ્તાહના આખરી કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે.
સવારે 9 વાગીને 15 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 1441.82 અંકોના ઘટાડા બાદ 37,028.79 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 403.15 અંક કમજોર થઈને 10,865.85 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી સેન્સેક્સ 1162.30 અંક (3.02%) ઘટીને 37,308.11 અને નિફ્ટી 351.10 (3.12%) અંક તૂટીને 10,917.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 1 શૅર લીલા નિશાન પર અને 49 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.
શૅર બજારના સેન્સેક્સે ગુરૂવારે પોતાનો શરૂઆતનો વધારે લાભ ગુમાવી દીધો અને આ 61 અંકના નુકસાન સાથે બંધ થયું. બૉમ્બે શૅર બજરાના 30 શૅરોવાળા સેન્સેક્સ દિવસમાં કારોબાર દરમિયાન 478 અંક સુધી ચઢ્યા બાદ અંતમાં 61.13 અંક એટલે 0.16%ના લાભ સાથે 38,470.61 અંક પર બંધ થયું. આવી જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 અંક એટલે 0.16%ના મામૂલી વધારા સાથે 11,269 અંક પર બંધ થયું.
બજારમાં ઘટાડાના કારણે શૅર બજારને લઈને રોકાણકારોની કમજોરી ધારણા, યસ બૅન્કથી પૈસા નીકાળવાને લઈને આરબીઆઈની અધિસૂચના પ્રમુખ રહી. એ સિવાય દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમ પણ ઘટાડાનું કારણ બન્યા.
બજાર ખુલતાની સાથે મોટા ઘટાડાથી 5 લાખ રોકાણકારોના ઘણા પૈસા સ્વાહા થઈ ગયા. શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો પણ ઘટીને 74ના સ્તર પર પહોંચી ગયા.
શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે અહીં મિટિંગ પછી જણાવ્યું હતું કે સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીની ગુરુવારની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યાજદર ૮.૫ ટકા રાખવાનું નક્કી કરાયું હતું.
તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષે એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનો વ્યાજદર ૮.૫ ટકાના દરે ચૂકવ્યા બાદ પણ ઇપીએફઓ પાસે રૂપિયા ૭૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે.
શ્રમ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જો એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનું વ્યાજ ચાલુ વર્ષે ૮.૫૫ ટકાના દરે ચૂકવાય તો પણ ઇપીએફઓની પાસે રૂપિયા ૩૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે. જો ઇપીએફઓના સભ્યોને ૮.૫૫ ટકાથી વધુના દરે વ્યાજ ચૂકવાય તો ખાધ ઊભી થાત.
અગાઉ, ઇપીએફનો વ્યાજદર ૨૦૧૨-૨૦૧૩માં ૮.૫ ટકા હતો અને તે પછી સાત વર્ષે ફરી તે સ્તરે ઘટાડી દેવાયો છે. એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડે ૨૦૧૩-૨૦૧૪માં ૮.૭૫ ટકા વ્યાજ આપ્યું હતું.
પીએફ પર વ્યાજદરમાં ઘટાડો કરવાની ઘોષણા કરાઈ છે. કેન્દ્રના શ્રમમંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે, 2019-20ના વર્ષ માટે કર્મચારી ભવિષ્યનિધિ (પ્રોવિડન્ટ ફંડ) પર 8.50 ટકા વ્યાજ મળશે, જે ગત વર્ષે 2018-19માં 8.65 ટકા હતો.
(શાકાહારીઓને સમાચાર નહીં ગમે) પણ, કોરોના અંગેની Myth ભાંગવી જરૂરી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગત જાન્યુઆરી 2020ના ત્રીજા સપ્તાહથી ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાઇરસ નોનવેજ માર્કેટમાંથી ફેલાયો હોવાના અહેવાલો બાદ વિશ્વભરમાં ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે કે નોનવેજમાંથી કોરોના ફેલાય રહ્યો છે અને તેને પગલે નોનવેજ ખાનારાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. શાકાહારીઓને કદાચ નહીં ગમે એવા સમાચાર છે પણ ભારતના ફૂડ વિભાગના અધિકારીથી લઇને કેન્દ્ર સરકારના મંત્રી ગિરીરાજ કિશોરે સ્પષ્ટતા કરી છે કે ઇંડા, ચીકન, મટન, ફીશ કે અન્ય સી ફૂડમાંથી કોરોના વાઇરસ ફેલાતો નથી.
ચીકન, મટન, સી ફૂડથી કોરોના વાઈરસ ફેલાતો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાનું ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ના વડા જીએસજી આયંગરે ગુરુવારે Date 5 March 2020 કહ્યું હતું. કોરોના વાઈરસ ઊંચા તાપમાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકતો હોવાનો દાવો તેમણે કર્યો હતો.
Coronavirus does not spread through chicken, mutton, seafood: FSSAI chief
મૂળભૂત રીતે તે પ્રાણીઓનો વાઈરસ છે. માનવમાં આ વાઈરસ કઈ રીતે ફેલાયો તે નક્કી કરવાનું વૈજ્ઞાનિકો પર છોડી દો, એમ તેમણે કહ્યું હતું. ભારત ઉષ્ણકટિબંધ પ્રદેશ છે અને એકવાર તાપમાન ૩૫-૩૬ ડિગ્રી પાર કરે પછી કોઈ વાઈરસ બચી ન શકે, એમ તેમણે કહ્યું હતું.
ભારતના કોરોના વાઈરસના ચેપના ૨૯ ક્ધફર્મ કેસ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરો, એમ તેમણે કહ્યું હતું. ચીકન, મટન અને સી ફૂડ ખાવાથી કોરોના વાઈરસ વધુ ફેલાય છે એ પ્રકારની અફવાઓ વચ્ચે એફએસએસએઆઈએ કહ્યું હતું કે આ અંગે કોઈ ગેરસમજ નથી. હું વૈજ્ઞાનિક છું અને હું એ દલીલ માન્ય નહીં રાખું, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે સંકળાયેલા આયંગરે કહ્યું હતું કે કોરોના વાઈરસને અંકુશમાં લેવાની દવા જલદી જ શોધી કાઢવામાં આવશે.
There is no scientific evidence to show that coronavirus spreads through eating chicken, mutton and seafood, FSSAI chief G S G Ayyangar said on Thursday and asserted that the virus would not survive in higher temperature. “It is basically an animal virus.
Let us leave it to scientists to figure out how it has been transmitted…however, ours is a tropical country and once the temperature crosses 35-36 degrees celsius, no virus will survive.
“Let us pray to God that winter ends and temperature rises,” he said. There are at least 29 confirmed cases of coronavirus infection in India. Amid apprehensions that the infection could spread through eating chicken, mutton and seafood, the Food Safety and Standards Authority of India (FSSAI) CEO said there is a misconception about it.
“There is a misconception that coronavirus will spread through chicken, mutton and seafood. There is nothing like that. It is scientifically not proven. “I am a scientist, I will not buy this argument,” Ayyangar told reporters here. Loan from 3000 to 3 lakhs on your fingertips.
Ayyangar, who was earlier with Indian Council of Medical Research (ICMR), said it is a matter of time that vaccine for coronavirus will be developed as India has a good track of handling viruses. “Whether it is Ebola virus or Avian flu, we have handled them very well. It is a matter of time. We have to take precaution. We have to be on our toes,” he said. Urging people to take precautions, he said coronavirus is like many other viruses and developing a vaccine will depend on the complexity of the virus. The government is making all efforts to isolate the virus. “Once we are able to isolate the virus, then it takes sometime to find a vaccine to counter the virus,” he said at an event organised by industry body Assocham.
Addressing the event on nutrition and functional foods, Hexagon Nutrition Managing Director Vikram Kelkar said prices of vitamin supplements have been volatile recently and spread of coronavirus has affected the supply across the world.
On March 2, poultry breeders demanded a relief package from the government claiming that the sector has incurred heavy losses of around Rs 1,750 crore in a month due to fake news that eating chicken could spread coronavirus. Poultry bird prices have plunged to Rs 10-30 per kg at farm gate level due to a slump in chicken demand while the average cost of production is Rs 80 per kg, the All India Poultry Breeders Association had said in a representation to the Ministry of Animal Husbandry.
નવી દિલ્હીની એક અદાલતે નિર્ભયા પર સામૂહિક બળાત્કારના ચારેય આરોપીઓને ૨૦ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ફાંસી આપવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉ, ચારેય બળાત્કારીની ફાંસી ત્રણ વખત મુલતવી રખાઇ હતી. રાષ્ટ્રપતિએ તેઓની દયાની અરજીઓ નકારી કાઢી હતી.
અગાઉ, દિલ્હી સરકારના વકીલોએ બળાત્કારીઓના બચાવના બધા માર્ગ બંધ થયા હોવાની માહિતી અદાલતને આપી હતી.
નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે દોષીઓને ૨૦મી માર્ચે સવારે ફાંસી આપી દેવાશે. નિર્ભયા જેવા બળાત્કાર ભવિષ્યમાં ક્યારેય બનવા ન જોઇએ. સામૂહિક બળાત્કારના ચારેય દોષીની ફાંસી છ અઠવાડિયાંમાં ત્રણ વખત મુલતવી રહી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી અદાલતમાં રજૂઆત કરનારા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુનેગારો ફાંસીથી બચવા માટેના દરેક માર્ગ અપનાવી ચૂક્યા છે.
ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.
બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં
નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.
આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.
કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.
નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.
એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.
૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.