ઇન્ડીયા Archives - Page 101 of 217 - CIA Live

August 22, 2020
corona_india.jpg
1min4280

આજરોજ તા.22મી ઓગસ્ટ 2020ને શનિવારે ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી લેશે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10 લાખ કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, પરંતુ, છેલ્લા મહિનામાં તો ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે.

20,000,00થી 30,000,00 કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.

જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે. શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


August 20, 2020
corona_india.jpg
1min13150

દેશમાં બુધવારે કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, દેશમાં પહેલીવાર 70,000 કરતા વધારે કેસ એક જ દિવસમાં નોંધાયા છે. વધુ 70,101 કેસ સાથે કુલ કેસનો આંકડો 28 લાખને પાર કરીને 28,33015 થયો છે. આ સાથે 979 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુઆંક 53,929 થયો છે.

દેશમાં તાજા કેસનો નવો રેકોર્ડ નોંધાયો છે ત્યારે સૌથી વધારે 13,000 કરતા વધુ 13,165 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય અન્ય 7 રાજ્યો છે જ્યાં નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં 8 ઓગસ્ટના રો 12,822 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 6,88,162 થઈ ગઈ છે. જ્યારે કુલ 20,90,924 દર્દીઓ વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે- આ સાથે રિકવરી રેટ 73.8% પર પહોંચ્યો છે.

ઓગસ્ટના પાછલા 19 દિવસમાં મહારાષ્ટ્રમાં 2.07 લાખ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જેમાંથી માત્ર 9.3% એટલે કે 19,331 કેસ મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા 30 દિવસથી 1.5 લાખ એક્ટિવ કેસ રહ્યા બાદ આંકડો 1.6 લાખ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 346 મૃત્યુઆંક નોંધાયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 21,000ને પાર કરીને 21,033 થયો છે. જ્યારે મુંબઈ 346માંથી 46 મૃત્યુઆંક બુધવારે નોંધાયો હતો.

મહારાષ્ટ્રા પછી કર્ણાટકમાં સૌથી વધારે 126 મૃત્યુ નોંધાયા, જ્યારે તામિલનાડુમાં 116 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં 2333, યુપીમાં 5156, ઝારખંડમાં 1266, પંજાબમાં 1693, હરિયાણામાં 994, છત્તીસગઢમાં 759 અને જમ્મુ-કાશ્મીરમાં 708 કેસ નોંધાયા છે.

કેરળમાં પહેલીવાર નવા કેસનો આંકડો 2000ને પાર ગયો છે. આ સાથે કુલ કેસનોં આંકડો 50,000ને પાર કરીને 50,231 પર પહોંચી ગયો છે. તો આંધ્રપ્રદેશમાં નવા 9,742 કેસ નોંધાયા છે.

August 20, 2020
govt_jobs.jpg
1min6870

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

August 18, 2020
CIA_Live_Logo_New2.jpg
2min10290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગ્રેજ્યુએટ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સૌથી મહત્વની તક ગણાતી સિવિલ સર્વિસીઝની 2021 કેલેન્ડર વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાઓનું સમયપત્રક યુપીએસસી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

યુપીએસસી દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી તેમજ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રીલિમ્સ સમેત અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.

2021ની સિવિલ સર્વિસીઝ પ્રિલીમ્સની પરીક્ષા તા.27 જુને, ફોર્મ 2 માર્ચ સુધી ભરી દેવા પડશે

Union Public Service Commission (UPSC) has released the schedule for the upcoming recruitment exams 2020-2021 on the official website of the Commission – upsc.gov.in. As per the UPSC Recruitment Tests Schedule 2020-21, the notification for the Combined Geo-Scientist (Preliminary) Examination 2021 will be released on October 07, 2020 and the exam will be held on February 21, 2021.

The UPSC aspirants should note that Civil Services (Main) Examination, 2020 will be conducted on 8, 9, 10, 16, 17 January, 2021. Indian Forest Service (Main) Examination, 2020 to commence on February 28, 2021, and will continue for 10 days till March 09, 2021. While the UPSC Civil Services Prelims 2021 will be held in June month next year and Mains 2021 will be conducted on September 2021.

The candidates who wish to appear for the UPSC Recruitment exams are advised to visit the official website of the Commission – upsc.gov.in – to check the complete schedule.

સિવિલ સર્વિસીઝ પ્રીપેરેશન કે અન્ય કોઇપણ માહિતી, કાઉન્સેલિંગ માટે મળો

August 18, 2020
income_tax-1280x853.jpg
1min5220

કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.

August 18, 2020
neet.jpg
1min7000

સુપ્રીમ કોર્ટમાં જેઈઈ મેન 2020ની પ્રવેશ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી અને નીટ 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે?

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટીસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ2ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે?

બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીએ પણ પોતોના 15 ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ. 

નોંધનીય છે કે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. 

August 16, 2020
corona_india.jpg
1min6050

ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા 67,000 કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.

ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 25,90,572 થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 27% મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,749 થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5,84,754 થયો છે.

આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.

રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.

August 14, 2020
modi-1280x720.jpg
1min8450

વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.

બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.

અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.

August 14, 2020
faceless.jpg
1min8570

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.

આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.

આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.

ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.

August 12, 2020
sanjaydutt.jpg
1min5770

સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટને કારણે કામમાંથી બ્રેક લેવાની ઘોષણા કર્યા બાદ, કેન્સર હોવાના રિપોર્ટ્સથી ફેન્સમાં ખળભળાટ, એક્ટરે કહ્યું – જલ્દી પાછો આવીશ

બૉલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવાર 11 ઑગસ્ટના રોજ અચાનક કામમાંથી બ્રેક લેવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા. સંજયે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણય અંગે ફેન્સને જાણકારી આપી. આના પછી ફેન્સ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. સંજયે એમ પણ કહ્યું કે, તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે શોર્ટ બ્રેક લઈ રહ્યા છે. જોકે, તેણે ફેન્સને ચિંતા ન કરવા અને અનુમાન ન બાંધવા માટે કહ્યું છે. જો કે, હવે કહેવાઈ રહ્યું છે કે સંજયને ફેફસાનું કેન્સર ડિટેક્ટ થયું છે અને તે ટ્રીટમેન્ટ માટે સિંગાપોર જવાના છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સંજયનું કેન્સર સ્ટેજ-3માં પહોંંચી ચૂક્યું છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું કે – હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે નાનકડો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને દોસ્તો મારી સાથે છે અને મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે, ચિંતા ન કરે અને બિનજરૂરી અનુમાન પણ ન લગાવે. તમારો પ્રેમ અને દુઆઓના સહારે ટૂંક સમયમાં કમબેક કરીશ.

કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે અને તે ટૂંક સમયમાં ટ્રીટમેન્ટ માટે વિદેશ જઈ શકે છે. પબ્લિશર અને ફિલ્મ રિવ્યૂઅર કોમલ નાહટાએ પણ ટ્વીટ દ્વારા એવી જાણકારી આપી છે કે, સંજયને કેન્સર થયું છે.

સંજયે પોતાની પોસ્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેને શું થયું છે. તે ગત સપ્તાહે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે 8 ઑગસ્ટના એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે પૂર્ણ રીતે સ્વસ્થ છે અને મેડિકલ દેખરેખ હેઠળ છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. સંજય દત્તે જણાવ્યું હતું કે, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે.

સંજયની ફિલ્મ ‘સડક 2’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ખૂબ જ ખાસ રોલમાં છે. આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર ફિલ્મના લીડ રોલ્સમાં છે. સોમવારે જ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરાયું હતું. આ ઉપરાંત સંજય ‘KGF 2’માં મહત્વની ભૂમિકામાં દેખાશે. 29 જુલાઈએ સંજયના જન્મદિવસ પર આ ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક રજૂ કરાયો હતો, જેની ઘણી ચર્ચા થઈ રહી હતી. આ ઉપરાંત તે અજય દેવગણની ‘ભુજ- ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ ‘પૃથ્વીરાજ’ અને ‘ટોરબાઝ’માં પણ જોવા મળશે.