દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે.
વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી આજે રાતે પોણા બસોથી વધુ ઉતારુઓને લઈ કેરળના કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયા એક્ષપ્રેસ વિમાન કોઝિકોડના એરપોર્ટ પર ઉતરાણ વેળા રન-વે પરથી લપસી ગયા બાદ ખીણમાં જઈ પડતા વિમાનના બે કટકા થઈ ગયાની કાળજું કંપાવતી’ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં સત્તાવાર ધોરણે 14 મૃત્યુ અને 123ને ઈજાની પુષ્ટિ મળી છે. 15ની હાલત ગંભીર છે. જોકે, હજુ સંખ્યાબંધ લાપતા અને અનેક ઈજાગ્રસ્ત હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.’ આ દુર્ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ પ્રગટ કરીને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તમામ સહાયની ધરપત આપી હતી.
કરીપુર તરીકે ય ઓળખાતા એરપોર્ટ પર રાતે સવા 8 કલાકે ભારે વરસાદ વચ્ચે ઉતરાણ કરનાર વિમાન રનવે ઓવરશોટ કરી જઈને-ચૂકાવી ગયા- બાદ દિવાલ સાથે અફળાઈને 30 ફીટ ઉંડી ઘાટીમાં પડતા બે ફાડિયા થઈ જવા સાથે વિમાન ગોઝારા અકસ્માતનો શિકાર બન્યુ હતું. પ્રાથમિક અહેવાલ મુજબ પાયલટ સહિત 14ના મૃત્યુ થયા છે અને કેટલાક ઉતારુઓને ઈજા થઈ છે. મૃતકોમાં બન્ને પાયલોટનો સમાવેશ થાય છે. 123 ઈજાગ્રસ્તોમાં 15ની હાલત ગંભીર છે અને તેમને માલાપ્પુરમની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે તમામ ક્રુ મેમ્બર સલામત છે અને અનેક ઉતારુઓને ઉગારી પણ લેવાયા છે. સદભાગ્યે વિમાન આગનો ભોગ બન્યુ નથી એવું પૂર્વ કેન્દ્રિય મંત્રી કેજે આલ્ફોન્સે ટવીટ કર્યુ હતું. દુર્ઘટના બન્યા સાથે અગ્નિશમન દળના બંબા અને એમ્બ્યુલન્સીસ દુર્ઘટનાસ્થળે ધસી ગયા હતા.
વિમાનમાં 174 ઉતારુઓ, દસ બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રુ સભ્યો હતા. વિદેશોમાં ફસાઈ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકારની વંદે ભારત પહેલના ભાગરૂપે આવેલી આ ફલાઈટ હતી. દરમિયાન કોઝિકોડ એરપોર્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મંત્રી પિનારાયી’ વિજયને દુર્ઘટના અનુસંધાને પોલીસ અને અગ્નિશમન દળને તાકીદના પગલાં માટેની સૂચના આપી હતી, તેમ જ બચાવ અને મેડિકલ સપોર્ટ માટેની ઘટતી તજવીજ કરવા અધિકારીઓને દોરવણી આપી હતી. ઉતરાણ બાદ વિમાન રન-વેના છેડા સુધી પહોંચી ગયા બાદ ઘાટીમાં નીચે પડતાં તેના બે ફાડિયા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા. તેથી વિમાન રનવેથી આગળ ગયું હતું.
તા.6 ઓગસ્ટ 2020ને ગુરુવારે દેશની
સુપ્રીમ કોર્ટ સમક્ષ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક રીટ
પીટીશનમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી નીટ અને
જેઇઇ જેવી પરીક્ષાઓ મુલતવી રાખીને જ્યારે કોવીડ-19ની સ્થિતિ બિલકુલ સામાન્ય થઇ જાય
ત્યારે આ પરીક્ષા યોજવા અંગેના આદેશો જારી કરવા માટેની દાદ માગવામાં આવી છે.
11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ
કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ મારફતે રીટ દાખલ કરાવી છે. ભારતમાં મેડીકલ અને
ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે લેવાતી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તા.13મી
સપ્ટેમ્બર 2020 અને જેઇઇ મેઇન્સ તા.1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાની જાહેરાત નેશનલ
ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
રીટ પીટીશનમાં એવી દાદ માગવામાં આવી
છે કે ભારતમાં હજુ ઘણા રાજ્યોમાં કોરોના કેસો વકરી રહ્યા છે. અનેક રાજ્યોએ કોઇપણ
પરીક્ષાઓ નહીં યોજવા અંગેની માગણી મૂકી પણ દીધી છે. પૂર્વોત્તર રાજ્યો જેવાકે અસમ,
બિહાર વગેરેમાં પૂરની સ્થિતિ પણ ભયાનક છે આવી સ્થિતિમાં પરીક્ષાઓ નોર્મલ સ્થિતિ
થાય ત્યારે થવી જોઇએ.
Same in English
A plea in the Supreme Court on Thursday sought
postponement of JEE (Main) April 2020 and NEET-Undergraduate examinations,
which are scheduled to be conducted in September, amid spurt in the number of
COVID-19 cases in the country. While referring to the coronavirus pandemic, the
plea has sought quashing of July 3 notices issued by the National Testing
Agency (NTA), by which it was decided to conduct Joint Entrance Examination
(Main) April 2020 and National Eligibility-cum-Entrance Test
(NEET)-Undergraduate exams in September.
The plea, filed by 11 students belonging to 11
states, said that the authorities be directed to conduct these exams only after
the normalcy is restored.
As per the public notices issued by the NTA, JEE
(Main) April 2020 is scheduled from September 1-6, while NEET UG 2020 exam is
scheduled for September 13.
The plea, filed through advocate Alakh Alok
Srivastava, has also sought direction to the authorities to increase the number
of examination centres for these exams.
“Conducting the aforesaid examination
across India at such perilous time, is nothing else but putting lives of lakhs
of young students (including petitioners herein) at utmost risk and danger of
disease and death. The best recourse at this stage can be to wait for some more
time, let COVID-19 crisis subside and then only conduct these exams, in order
to save lives of the students and their parents,” the plea said.
It claimed that NTA, which conducts entrance
exams for admission in higher educational institutions in India, has decided to
conduct JEE (Main) April-2020 through online mode and NEET UG-2020 exams
through offline mode at 161 centres across India.
It alleged that NTA has indefinitely postponed
the National Council of Hotel Management Joint Entrance Examination-2020, which
was scheduled to be conducted on June 22, in wake of the COVID-19 pandemic.
“While deciding to conduct the aforesaid
JEE (Main) April-2020 and NEET UG-2020 exams in the month of September, 2020,
the respondents (NTA and others) have overlooked that many states have refused
to allow conducting of any professional or non-professional exams in their
states at this stage and hence the same is likely to cause unimaginable
harassment to the petitioners and other similarly situated students,” it
said.
“It is respectfully submitted that the students who are well equipped with computer and strong internet connection will give online exams while in other hand the students who are unable to give and arrange online exams, will have to come to exam centres by risking their lives. This is a discrimination between students which must be avoided,” it claimed. The plea has alleged that concerned authorities have ignored the plight of lakhs of students from Bihar, Assam and north eastern states, which are presently reeling under flood, and conducting either online or offline exams in such places may not be possible.
જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પોતાના પદ
પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાની
નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ આ સપ્તાહે રિટાયર થવાના છે. આ પદ પર જીસી
મૂર્મુને નિમણૂંક આપી શકાય તેમ છે.
કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનું પદ
સંભાળનારા જીસી મુર્મુએ 9 મહિના પછી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને
પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સૂત્રોને ટાંકીને
જાણકારી આપી છે કે, તેઓને આગામી Comptroller
and Auditor General of India (CAG) બનાવવામાં આવી શકે
છે. વર્તમાન CAG રાજીવ મહર્ષી આ સપ્તાહે રિટાયર થવાના છે.
31 ઓક્ટોબર, 2019એ જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહલા એલજી બન્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું સ્થાન લીધું હતું.
એવી અટકળો છે કે, વર્તમાન સીએજી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિને જમ્મુ-કાશ્મીરના આગામી એલજી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ બનેલા મહર્ષિએ 25 સપ્ટેમ્બર, 2017એ સીએજીનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ આ સપ્તાહે પૂરો થઈ રહ્યો છે.
ગુજરાત કેડરના 1985 બેંચના આઈએએસ અધિકારી જીસી મુર્મુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રધાન સચિવ રહી ચૂક્યા છે. તેમનું રાજીનામું એ દિવસે આવ્યું છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 એની જોગવાઈઓને હટાવી દેવાઈ હતી. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ દરજ્જો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો હતો.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે.
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે.
માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.
આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.
iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.
CAT 2020 Important Dates
The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.
Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at
Ahmedabad,
Amritsar,
Bangalore,
Bodh Gaya,
Calcutta,
Indore,
Jammu,
Kashipur,
Kozhikode,
Lucknow,
Nagpur,
Raipur,
Ranchi,
Rohtak,
Sambalpur,
Shillong,
Sirmaur,
Tiruchirappalli,
Udaipur, and
Visakhapatnam.
CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.
CAT 2020 exam pattern
The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:
Section I: Verbal Ability and Reading Comprehension
Section II: Data Interpretation and Logical Reasoning
Section III: Quantitative Ability
Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.
Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.
Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.
In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની મહામારી વચ્ચે ‘અનલોક-૩’ના ભાગરૂપે બુધવારથી દેશભરમાં યોગ ઇન્સ્ટિટ્યૂટ્સ તથા જિમ્નેશ્યમોને ફરી ખોલવાની છૂટ આપી છે તો એની સાથે નવી માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.
આ ગાઇડલાઇન્સમાં યોગ કેન્દ્રો તથા જિમમાં સ્ટાફ અને મુલાકાતીઓ વચ્ચેનો શારીરિક સંપર્ક બને એટલો ઓછો રાખવાની સૂચના અપાઈ છે, કારણકે કોવિડ-૧૯ની જીવલેણ બીમારી માણસ-માણસ વચ્ચેના નજીકના સંપર્કથી, કફ-શરદીને લીધે હવામાં ફેલાતા સૂક્ષ્મ ટીપાં અને બિંદુથી તેમ જ કોઈ સપાટી પરના સ્પર્શથી થતી હોય છે.
જોકે, ક્ધટેઇનમેન્ટ ઝોનમાંના યોગ કેન્દ્રો અને જિમ બંધ રહેશે. માત્ર ક્ધટેઇનમેન્ટ ઝોનની બહારના જ આ કેન્દ્રો ખોલવાની છૂટ અપાઈ રહી છે. સ્પા, સૉના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલને તથા અન્ય સુવિધાઓને હજી પણ ફરી ખોલવાની મંજૂરી નથી અપાઈ.
* ૬૫ વર્ષથી મોટી વયની તથા અન્ય કોઈ મોટી બીમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને બંધબારણે ચાલુ રખાતા જિમથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.
* તમામ પ્રકારની ઇમારતોમાં હરહંમેશ ફેસ કવર અથવા માસ્ક ફરજિયાત રહેશે. જોકે, કસરત દરમિયાન માસ્કથી શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી માત્ર વાઇઝરનો ઉપયોગ કરી શકાશે.
* કોવિડ-૧૯ ટ્રૅકર ઍપ ‘આરોગ્ય સેતુ’નો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે.
* યોગ કે જિમની ફરસ વ્યક્તિદીઠ ચાર મીટરની હોવી જોઈએ. સાધનોને એકમેકથી છ ફૂટના અંતરે રાખવા અને શક્ય હોય ત્યાં એ બહાર જ રાખવા.
* ઇમારતમાં પ્રવેશવા તથા બહાર જવા માટે ખાસ માર્ગ બનાવવો અને દીવાલ પર યોગ્ય સૂચના લખવી.
* ઍર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે તાપમાનનું સેટિંગ ૨૪-૩૦ ડિગ્રી સેલ્સિયસનું હોવું જોઈએ અને શક્ય એટલી તાજી હવા માટેની જોગવાઈ હોવી જોઈએ.
* બે સેશન વચ્ચે ૧૫થી ૩૦ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે જેથી ઇમારતમાં આવતા તથા જતા મેમ્બરોમાં કોઈ ભીડ ન જામે.
* ઇમારતના પ્રવેશદ્વાર પર સૅનિટાઇઝર છાંટતા મશીન તથા થર્મલ સ્ક્રીનિંગના સાધનો હોવા જોઈએ. માત્ર સ્ટાફ સહિતના અસિમ્પ્ટોમૅટિક લોકોને જ પ્રવેશવા દેવા જોઈએ.
* જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જાગે તો એ વ્યક્તિને અલગ રૂમમાં રાખવી. એ રૂમ અન્યોથી અલગ હોય એવી આઇસોલેટેડ હોવી જોઈએ. સ્ટાફે તરત જ સૌથી નજીકની તબીબી સુવિધાના કેન્દ્રને કે રાજ્ય અથવા જિલ્લાની હેલ્પલાઇન ખાતે સંપર્ક કરવો.
અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરનું પાંચમી ઑગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત હાજર રહેશે.
અયોધ્યા નગરીને દિવાળીના જેવો મોટો તહેવાર હોય એ રીતે સજાવવામાં આવી છે. મહાનુભાવોની હાજરી અને માત્ર દેશના જ નહિ, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓ માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ બહુ વધારાઇ છે.
શ્રી રામ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનનો સમય બપોરે ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૮ સેકંડથી લઇને ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૪૦ સેકંડ સુધીનો ૩૨ સેકંડનો રાખવામાં આવ્યો છે.
રામમંદિર નિર્માણ માટે અનુષ્ઠાન (ધાર્મિક વિધિ) સોમવારે શરૂ કરાઇ હતી. રામમંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે.
ગણેશપૂજન, રામ-અર્ચના, સરયૂ નદીના પૂજન જેવા કાર્યક્રમ તો સતત ચાલુ જ છે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને હનુમાનગઢી મંદિર ખાતે સલામતીની ખાસ વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં ઠેરઠેર ઇમારતોને પીળો રંગ કરાયો છે અને મંદિરો, ઉપરાંત ઘરોમાં તોરણ બાંધવામાં આવ્યા છે. દેશની વિવિધ નદીનું જળ અને પવિત્ર સ્થળોની માટી અયોધ્યા લાવવામાં આવી છે. અહીં આ પ્રસંગે ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. દેશભરમાં બુધવારે અનેક સ્થળે રામધૂન, ભજન, યજ્ઞના કાર્યક્રમ પણ રખાયા છે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના
સભ્યો અને અન્ય સંતોએ આસપાસના વિવિધ મંદિરમાં જઇને દર્શન કરવાનું અને જરૂરી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું.
શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ પરિસરમાં વિષ્ણુસહસ્રનામની આહુતિ બે વખત અપાઇ હતી. ભગવાન રામ અને હનુમાનજીના નામે આહુતિ આપવી જરૂરી હતી.
અયોધ્યા ખાતે ગંગા સહિતની અનેક નદીના જળ અને માટી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લઇને થઇ રહેલી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અનેે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને જરૂરી સલાહ-સૂચન કર્યા હતા.
અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ રામમંદિર જેવો જ આકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના બીએપીએસના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત સાત સંતોને આ ભૂમિપૂજન માટે આમંત્રણ અપાયું છે. અમેરિકાના ટાઇમ સ્ક્વૅરના વિશાળ સ્ક્રીન સહિતના અનેક વિદેશમાં અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનું પ્રસારણ થવાનું છે.
યોગી આદિત્યનાથની સાથે સોમવારે એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશકુમાર અવસ્થી, અયોધ્યા જિલ્લાના મેજિસ્ટ્રેટ અંજુકામુર ઝા અને ડીઆઇજી દીપકકુમારે પણ ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લીધી હતી.
અયોધ્યામાં રામમંદિરના પાંચમી ઑગસ્ટે થનારા ભૂમિપૂજનની પહેલાં શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા અને અન્ય સભ્યોએ મંદિરોમાં પૂજા કરી હતી. હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર જળ લઇને મહંત રવીન્દ્ર પુરી અને અન્ય સંતો અયોધ્યા માટે રવાના થયા હતા. ભૂમિપૂજનને ધ્યાનમાં રાખીને પ્રસાદ તરીકે એક લાખ લાડુના પેકેટ તૈયાર કરવાનો પણ ઑર્ડર અપાઇ ગયો હતો. દેશમાં અનેક સ્થળે રામમંદિરો અને અન્ય ઘણાં સ્થળે પ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ કરાઇ છે.
ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.
જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.
આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.
‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.
પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.