નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.
હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ
જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.
કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.
પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.
હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.
વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.
આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.
‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય
છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.
આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.
આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.
NEW ADDITIONS: Sam Curran (5.50 crore), Piyush Chawla, Josh Hazlewood, R. Sai Kishore
Players bought in: FIVE
Full squad: CSK
Narayan Jagadeesan,
Ruturaj Gaikwad,
KM Asif,
Ravindra Jadeja,
M Vijay,
MS Dhoni,
Josh Hazlewood,
Kedar Jadhav,
Harbhajan Singh,
Karn Sharma,
Piyush Chawla,
Ambati Rayudu,
Suresh Raina,
Imran Tahir,
Deepak Chahar,
Faf du Plessis,
Shardul Thakur,
Mitchell Santner,
Dwayne Bravo,
Lungi Ngidi,
Sam Curran,
Monu Kumar,
Shane Watson,
Sai Kishore.
2. Mumbai Indians (MI)
NEW ADDITIONS: Chris Lynn (2 crores), Saurabh Tiwary (50 lakhs), Digvijay Deshmukh, Prince Balwant Rai Singh, Nathan Coulter-Nile, Mohsin Khan.
Players bought in: SIX
Full squad: MI
Rohit Sharma,
Sherfane Rutherford,
Suryakumar Yadav,
Anmolpreet Singh,
Chris Lynn,
Saurabh Tiwary,
Dhawal Kulkarni,
Jasprit Bumrah,
Lasith Malinga,
Mitchell McClenaghan,
Rahul Chahar,
Trent Boult,
Mohsin Khan,
Fabian Allen,
Prince Balwant Rai Singh,
Digvijay Deshmukh,
Hardik Pandya,
Jayant Yadav,
Kieron Pollard,
Krunal Pandya,
Anukul Roy,
Nathan Coulter-Nile,
Ishan Kishan,
Quinton de Kock,
Aditya Tare.
3. Kolkata Knight Riders (KKR)
NEW ADDITIONS: Eoin Morgan (5.25 crore), Pat Cummins (15.50 crore), Varun CV, Chris Green, Rahul Tripathi, Tom Banton, Pravin Tambe, M Siddharth, Nikhil Shankar Naik.
Players bought in: NINE
Full squad: KKR
Andre Russell,
Dinesh Karthik,
Harry Gurney,
Kamlesh Nagarkoti,
Kuldeep Yadav,
Lockie Ferguson,
Nitish Rana,
Prasidh Krishna,
Rinku Singh,
Sandeep Warrier,
Shivam Mavi,
Shubman Gill,
Siddhesh Lad,
Sunil Narine,
Pat Cummins,
Eoin Morgan,
Varun Chakravarthy,
Tom Banton,
Rahul Tripathi,
Chris Green,
M Siddharth,
Praveen Tambe,
Nikhil Naik.
4. Sunrisers Hyderabad (SRH)
NEW ADDITIONS: Priyam Garg, Virat Singh, Mitchell Marsh, Fabian Allen, Sandeep Bavanaka, Sanjay Yadav, Abdul Samad
Players bought in: SEVEN
Full squad: SRH
Kane Williamson,
David Warner,
Manish Pandey,
Virat Singh,
Priyam Garg,
Abdul Samad,
Bhuvneshwar Kumar,
Khaleel Ahmed,
Sandeep Sharma,
Siddharth Kaul,
Billy Stanlake,
T Natarajan,
Abhishek Sharma,
Shahbaz Nadeem,
Mitchell Marsh,
Fabian Allen,
Vijay Shankar,
Mohammad Nabi,
Rashid Khan,
Sanjay Yadav,
Jonny Bairstow,
Wriddhiman Saha,
Shreevats Goswami,
Bavanaka Sandeep.
5. Rajasthan Royals (RR)
NEW ADDITIONS: Robin Uthappa (3 crore), David Miller (75 lakhs), Anuj Rawat, Yashasvi Jaiswal, Tom Curran, Jayadev Unadkat, Anirudha Ashok Joshi, Akash Singh, Kartik Tyagi, Andrew Tye, Oshane Thomas.
Players bought in: ELEVEN
Full squad: RR
Mahipal Lomror,
Manan Vohra,
Riyan Parag,
Steve Smith,
Robin Uthappa,
David Miller,
Ankit Rajpoot,
Mayank Markande,
Jofra Archer,
Shreyas Gopal,
Varun Aaron,
Jaydev Unadkat,
Kartik Tyagi,
Akash Singh,
Oshane Thomas,
Andrew Tye,
Ben Stokes,
Rahul Tewatia,
Shashank Singh,
Yashasvi Jaiswal,
Anirudha Joshi,
Tom Curran,
Jos Buttler,
Sanju Samson,
Anuj Rawat.
6. Kings XI Punjab (KXIP)
NEW ADDITIONS: Glenn Maxwell (10.75 crore), Sheldon Cotrell (8.50 crore), Deepak Hooda (50 Lakhs), Ishan Porel (20 lakhs), Ravi Bishnoi (2 crore), Jimmy Neesham (50 lakhs), Chris Jordan (3 crore), Tajinder Singh (20 lakhs) and Prabhsimran Singh (55 lakhs)
Player bought in: NINE
Full squad: KXIP
Chris Gayle,
Mayank Agarwal,
Karun Nair,
Sarfaraz Khan,
Mandeep Singh,
Sheldon Cottrell,
Ishan Porel,
Ravi Bishnoi,
Mohammed Shami,
Mujeeb ur Rahman,
Arshdeep Singh,
Hardus Viljoen,
M Ashwin,
J Suchith,
Harpreet Brar,
Darshan Nalkande,
Glenn Maxwell,
James Neesham,
Chris Jordan,
Krishnappa
Gowtham,
Deepak Hooda,
Tajinder Singh Dhillon,
KL Rahul,
Nicholas Pooran,
Prabhsimran Singh.
7. Royal Challengers Bangalore (RCB)
NEW ADDITIONS: Aaron Finch (4.4 crore), Chris Morris (10 crore), Kane Richardson, Dale Steyn, Isuru Udana, Pavan Deshpande, Shahbaz Ahamad, Joshua Philippe
Players bought in: EIGHT
Full squad: RCB
Virat Kohli,
AB de Villiers,
Gurkeerat Mann,
Devdutt Padikkal,
Aaron Finch,
Yuzvendra Chahal,
Mohammed Siraj,
Umesh Yadav,
Navdeep Saini,
Kane Richardson,
Dale Steyn,
Isuru Udana,
Moeen Ali,
Pawan Negi,
Shivam Dube,
Washington Sundar,
Chris Morris,
Pavan Deshpande,
Parthiv Patel,
Joshua Philippe,
Shahbaz Ahamad.
8. Delhi Capitals (DC)
NEW ADDITIONS: Jason Roy (1.50 crore), Chris Woakes (1.5 crores), Shimron Hetmyer (7.75 crores), Alex Carey, Marcus Stoinis, Lalit Yadav, Mohit Sharma, Tushar Deshpande
રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર સામે ચાલતા રાજકીય ખેલમાં ઊંટે કરવટ બદલી છે. સચિન પાયલોટ અલગ થયા અને એમના સામે ગેહલોત સરકારે સરકાર તોડવાનો કેસ કર્યો. અને હવે ધારાસભાનું સત્ર તા. 14મીએ મળવાનું છે એ પહેલા એસ.ઓ.જી. તપાસનો સંકેલો કર્યો છે.
બીજી બાજુ, ભાજપના ધારાસભ્યો ન તૂટે એટલે એમને ગુજરાતમાં ખસેડયા છે. આ ધારાસભ્યો વસુંધરા રાજે જૂથના હોવાનું મનાય છે. બાર ધારાસભ્યો ગુજરાત આવ્યા છે એમાંના 6 બાવળાના કોઇ રિસોર્ટમાં રોકાયા છે તો 6 ધારાસભ્યો સોમનાથ દર્શને પહોંચ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ એના ધારાસભ્યોને બચાવતી રહી અને રિસોર્ટમાં રાખતી હતી. હજુ ય ગેહલોતે આવી જ વ્યવસ્થા કરી છે. નંબર ગેમ ચાલે છે.
ગુજરાતમાં આવેલા બારેક ધારાસભ્યો પૈકી સોમનાથ દર્શને આવેલા ભાજપના ધારાસભ્યોએ ગેહલોત સરકાર પર આક્ષેપ કરતા જણાવેલું કે, ભાજપના ધારાસભ્યોને પરેશાન કરવામાં આવે છે. આ સ્થિતિમાં અમે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. પોરબંદર વિમાન મથકે ભાજપના નિર્મલ કુમાવતે જણાવ્યું કે, કોંગ્રેસ અમારા ઉપર દબાણ લાવી રહી છે. અમે અહીં બે દિવસ રોકાવાના છે.
આ છ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેનમાં પોરબંદર આવ્યા હતા. નિર્મલ ઉપરાંત ગોપીચંદ મીણા, જબ્બર સિંહ, ધર્મેન્દ્ર મોચી, ગુરુદીપ શાહપિની સામેલ છે. જયપુર આ બધાને મૂકવા આવેલા ધારાસભ્ય અશોક લાહિરીએ કહ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી તિર્થાટન પર જઇ રહ્યા છે. રાજસ્થાન પોલીસ, તંત્ર પરેશાન કરે છે.
6 ધારાસભ્યો સાંજે પાંચેક વાગ્યે ચાર્ટર પ્લેન મારફત પોરબંદર પહોંચ્યા છે. જ્યાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ ધારાસભ્યોને આવકાર્યા હતા. જ્યાં ચા-નાસ્તો કર્યા બાદ છએય ધારાસભ્યો કાર મારફતે રવાના થઇ મોડીસાંજે સોમનાથ સાંનિધ્યે પહોંચ્યા છે. અહીં સ્થાનિક ભાજપ સંગઠનના હોદેદારોએ ધારાસભ્યોને આવકાર્યા હતા.
આ અંગે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારએ જણાવેલ કે, ભાજપ પક્ષના રાજસ્થાન એકમના છ ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે જેથી તેઓ માટે સોમનાથના સાગર દર્શન વીઆઈપી ગેસ્ટ હાઉસમાં છ રૂમો બૂક કરાવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અહીં રાત્રી રોકાણ કરી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે.
અન્ય ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાની ચર્ચા છે. ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે ત્યારે હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહીં ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીક પણ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઇ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યાં પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યાં સુધી તમામને અહીં રાખવામાં આવશે. આ ધારાસભ્ય 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે. ભાજપના જ એક સિનિયર આગેવાનને ધારાસભ્યોના રોકાણની જવાબદારી સોંપવામાં આવી છે.
ગીર સોમનાથના ભાજપ પ્રમુખે સાગર દર્શન ધામમાં 6 રૂમ બૂક કરાવ્યા છે. આ હોટલ સોમનાથમાં આવેલી છે પરંતુ સૂત્રોનું માનીએ તો રાજસ્થાનના ઝાલોર, ઉદેપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના ભાજપના 12 ધારાસભ્યોને પાર્ટીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે મોકલ્યા છે.
આ ધારાસભ્યોમાં સમારામ ગરાસિયા, જાગસી રામ કોળી, પૂરારામ ચૌધરી, ધર્મનારાયણ જોશી, ફૂલસિંહ મીણા, અમૃતલાલ મીણા, પ્રતાપ ગામેતી, બાબુલાલ ખરાડી, ગૌતમ મીણા, અર્જુનલાલ જીનગર, હરેન્દ્ર નિનામાનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. આ ધારાસભ્યો 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે અને આગામી 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સત્ર મળવાનું છે.
બીજી બાજુ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત શિફટ કર્યા હોવા પર અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમાંથી સૌથી વધુ ધારાસભ્ય વસુંધરા રાજેના સમર્થક હોવાનું કહે છે. જો કે, વસુંધરા રાજેના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે વસુંધરા રાજેએ જેપી નડ્ડા સાથે પાર્ટીની કાર્યશૈલીને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વસુંદરા રાજેના જૂથનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેએ સ્પષ્ટ કહી દીધું છે કે, અમે પાર્ટીની સાથે છીએ. પરંતુ સ્વાભિમાન સાથે કોઇ સમજૂતી નહીં થાય. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે વસુંધરા રાજે અત્યારે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર પાછા ફરશે. જો કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું કે, બીજેપી પોતાના ધારાસભ્યોને નજરકેદ કરી રહી નથી. પરંતુ જરૂર પડશે તો વિધાનસભા પહેલા પ્રશિક્ષણના નામે ધારાસભ્યોને જયપુરમાં બોલાવવામાં આવી શકે છે.
ભારતમાં દૈનિક સ્તરે સામે આવી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોનો આંકડો હવે વિશ્વસ્તરે પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટ મુજબ વિતેલા ચાર દિવસ 4થી 7 ઓગસ્ટ દરમિયાન સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
WHOએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિશ્વસ્તરે સામે આવેલા કોરોના સંક્રમણના નવા કેસો પર રિપોર્ટ જાહેર કર્યો હતો જે મુજબ 1લી ઓગસ્ટે અમેરિકામાં કોરોના સંક્રમણના 67,823 નવા કેસ, બ્રાઝિલમાં 57,837 નવા કેસ અને ભારતમાં 57,118 નવા કેસ સામે આવ્યા હતા. બે ઓગસ્ટના રોજ આંકડાઓ અનુક્રમે 67,499, 52,383 અને 54,735 જ્યારે 3જી ઓગસ્ટે 58,388, 45,392 અને 52,972 નવા કેસ સામે આવ્યા હતા.
પરંતુ 4 ઓગસ્ટથી ભારત (52,050 નવા કેસ)ની સરખામણીએ અમેરિકા (47,183) અને બ્રાઝિલ (25,800) નવા કેસ સામે આવ્યા હતા. 5 ઓગસ્ટે અમેરિકામાં 49,151 નવા કેસ, બ્રાઝિલમાં 16,641 નવા કેસ જ્યારે ભારતમાં 52,509 નવા કેસ સાથે સંક્રમણનું પ્રમાણ વિતેલા દિવસો સમાન રહ્યુ હતું. આ દરમિયાન 7 ઓગસ્ટે અમેરિકામાં 53,373 નવા કેસ, બ્રાઝિલમાં 57,152 નવા કેસ જ્યારે ભારતમાં રેકોર્ડ બ્રેક 62,538 નવા કેસ સામે આવ્યા હતા.
જોકે ભારતીય સ્વાસ્થ વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 20,88,611 થયો હતો. વિતેલા 24 કલાકમાં સંક્રમણના 61 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા, જે દરમિયાન 933 દર્દીઓના મોત થયા હતા.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે.
વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી આજે રાતે પોણા બસોથી વધુ ઉતારુઓને લઈ કેરળના કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયા એક્ષપ્રેસ વિમાન કોઝિકોડના એરપોર્ટ પર ઉતરાણ વેળા રન-વે પરથી લપસી ગયા બાદ ખીણમાં જઈ પડતા વિમાનના બે કટકા થઈ ગયાની કાળજું કંપાવતી’ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં સત્તાવાર ધોરણે 14 મૃત્યુ અને 123ને ઈજાની પુષ્ટિ મળી છે. 15ની હાલત ગંભીર છે. જોકે, હજુ સંખ્યાબંધ લાપતા અને અનેક ઈજાગ્રસ્ત હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.’ આ દુર્ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ પ્રગટ કરીને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તમામ સહાયની ધરપત આપી હતી.
કરીપુર તરીકે ય ઓળખાતા એરપોર્ટ પર રાતે સવા 8 કલાકે ભારે વરસાદ વચ્ચે ઉતરાણ કરનાર વિમાન રનવે ઓવરશોટ કરી જઈને-ચૂકાવી ગયા- બાદ દિવાલ સાથે અફળાઈને 30 ફીટ ઉંડી ઘાટીમાં પડતા બે ફાડિયા થઈ જવા સાથે વિમાન ગોઝારા અકસ્માતનો શિકાર બન્યુ હતું. પ્રાથમિક અહેવાલ મુજબ પાયલટ સહિત 14ના મૃત્યુ થયા છે અને કેટલાક ઉતારુઓને ઈજા થઈ છે. મૃતકોમાં બન્ને પાયલોટનો સમાવેશ થાય છે. 123 ઈજાગ્રસ્તોમાં 15ની હાલત ગંભીર છે અને તેમને માલાપ્પુરમની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે તમામ ક્રુ મેમ્બર સલામત છે અને અનેક ઉતારુઓને ઉગારી પણ લેવાયા છે. સદભાગ્યે વિમાન આગનો ભોગ બન્યુ નથી એવું પૂર્વ કેન્દ્રિય મંત્રી કેજે આલ્ફોન્સે ટવીટ કર્યુ હતું. દુર્ઘટના બન્યા સાથે અગ્નિશમન દળના બંબા અને એમ્બ્યુલન્સીસ દુર્ઘટનાસ્થળે ધસી ગયા હતા.
વિમાનમાં 174 ઉતારુઓ, દસ બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રુ સભ્યો હતા. વિદેશોમાં ફસાઈ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકારની વંદે ભારત પહેલના ભાગરૂપે આવેલી આ ફલાઈટ હતી. દરમિયાન કોઝિકોડ એરપોર્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મંત્રી પિનારાયી’ વિજયને દુર્ઘટના અનુસંધાને પોલીસ અને અગ્નિશમન દળને તાકીદના પગલાં માટેની સૂચના આપી હતી, તેમ જ બચાવ અને મેડિકલ સપોર્ટ માટેની ઘટતી તજવીજ કરવા અધિકારીઓને દોરવણી આપી હતી. ઉતરાણ બાદ વિમાન રન-વેના છેડા સુધી પહોંચી ગયા બાદ ઘાટીમાં નીચે પડતાં તેના બે ફાડિયા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા. તેથી વિમાન રનવેથી આગળ ગયું હતું.
તા.6 ઓગસ્ટ 2020ને ગુરુવારે દેશની
સુપ્રીમ કોર્ટ સમક્ષ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક રીટ
પીટીશનમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી નીટ અને
જેઇઇ જેવી પરીક્ષાઓ મુલતવી રાખીને જ્યારે કોવીડ-19ની સ્થિતિ બિલકુલ સામાન્ય થઇ જાય
ત્યારે આ પરીક્ષા યોજવા અંગેના આદેશો જારી કરવા માટેની દાદ માગવામાં આવી છે.
11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ
કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ મારફતે રીટ દાખલ કરાવી છે. ભારતમાં મેડીકલ અને
ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે લેવાતી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તા.13મી
સપ્ટેમ્બર 2020 અને જેઇઇ મેઇન્સ તા.1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાની જાહેરાત નેશનલ
ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
રીટ પીટીશનમાં એવી દાદ માગવામાં આવી
છે કે ભારતમાં હજુ ઘણા રાજ્યોમાં કોરોના કેસો વકરી રહ્યા છે. અનેક રાજ્યોએ કોઇપણ
પરીક્ષાઓ નહીં યોજવા અંગેની માગણી મૂકી પણ દીધી છે. પૂર્વોત્તર રાજ્યો જેવાકે અસમ,
બિહાર વગેરેમાં પૂરની સ્થિતિ પણ ભયાનક છે આવી સ્થિતિમાં પરીક્ષાઓ નોર્મલ સ્થિતિ
થાય ત્યારે થવી જોઇએ.
Same in English
A plea in the Supreme Court on Thursday sought
postponement of JEE (Main) April 2020 and NEET-Undergraduate examinations,
which are scheduled to be conducted in September, amid spurt in the number of
COVID-19 cases in the country. While referring to the coronavirus pandemic, the
plea has sought quashing of July 3 notices issued by the National Testing
Agency (NTA), by which it was decided to conduct Joint Entrance Examination
(Main) April 2020 and National Eligibility-cum-Entrance Test
(NEET)-Undergraduate exams in September.
The plea, filed by 11 students belonging to 11
states, said that the authorities be directed to conduct these exams only after
the normalcy is restored.
As per the public notices issued by the NTA, JEE
(Main) April 2020 is scheduled from September 1-6, while NEET UG 2020 exam is
scheduled for September 13.
The plea, filed through advocate Alakh Alok
Srivastava, has also sought direction to the authorities to increase the number
of examination centres for these exams.
“Conducting the aforesaid examination
across India at such perilous time, is nothing else but putting lives of lakhs
of young students (including petitioners herein) at utmost risk and danger of
disease and death. The best recourse at this stage can be to wait for some more
time, let COVID-19 crisis subside and then only conduct these exams, in order
to save lives of the students and their parents,” the plea said.
It claimed that NTA, which conducts entrance
exams for admission in higher educational institutions in India, has decided to
conduct JEE (Main) April-2020 through online mode and NEET UG-2020 exams
through offline mode at 161 centres across India.
It alleged that NTA has indefinitely postponed
the National Council of Hotel Management Joint Entrance Examination-2020, which
was scheduled to be conducted on June 22, in wake of the COVID-19 pandemic.
“While deciding to conduct the aforesaid
JEE (Main) April-2020 and NEET UG-2020 exams in the month of September, 2020,
the respondents (NTA and others) have overlooked that many states have refused
to allow conducting of any professional or non-professional exams in their
states at this stage and hence the same is likely to cause unimaginable
harassment to the petitioners and other similarly situated students,” it
said.
“It is respectfully submitted that the students who are well equipped with computer and strong internet connection will give online exams while in other hand the students who are unable to give and arrange online exams, will have to come to exam centres by risking their lives. This is a discrimination between students which must be avoided,” it claimed. The plea has alleged that concerned authorities have ignored the plight of lakhs of students from Bihar, Assam and north eastern states, which are presently reeling under flood, and conducting either online or offline exams in such places may not be possible.
જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પોતાના પદ
પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાની
નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ આ સપ્તાહે રિટાયર થવાના છે. આ પદ પર જીસી
મૂર્મુને નિમણૂંક આપી શકાય તેમ છે.
કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનું પદ
સંભાળનારા જીસી મુર્મુએ 9 મહિના પછી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને
પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સૂત્રોને ટાંકીને
જાણકારી આપી છે કે, તેઓને આગામી Comptroller
and Auditor General of India (CAG) બનાવવામાં આવી શકે
છે. વર્તમાન CAG રાજીવ મહર્ષી આ સપ્તાહે રિટાયર થવાના છે.
31 ઓક્ટોબર, 2019એ જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહલા એલજી બન્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું સ્થાન લીધું હતું.
એવી અટકળો છે કે, વર્તમાન સીએજી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિને જમ્મુ-કાશ્મીરના આગામી એલજી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ બનેલા મહર્ષિએ 25 સપ્ટેમ્બર, 2017એ સીએજીનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ આ સપ્તાહે પૂરો થઈ રહ્યો છે.
ગુજરાત કેડરના 1985 બેંચના આઈએએસ અધિકારી જીસી મુર્મુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રધાન સચિવ રહી ચૂક્યા છે. તેમનું રાજીનામું એ દિવસે આવ્યું છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 એની જોગવાઈઓને હટાવી દેવાઈ હતી. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ દરજ્જો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો હતો.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે.
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.