CIA ALERT

ગુજરાત Archives - Page 54 of 158 - CIA Live

October 27, 2020
deputy_cm_nitin_patel_6483857_835x547-m.jpg
1min5530

કરજણના કુરાલી ગામે ઘટનાથી ચકચાર, ચપ્પલ ફેંકનાર ઈસમની શોધખોળ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભા પુરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમના પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામે આજે મોડી સાંજે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર બાદ ગુજરાતના નાયબ”’ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કોઈએ તેમની સામે ચપ્પલ ફેંકતા રાજકીય મોરચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ચપ્પલ ફેંકાયું છતાં નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.

આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. તેમ છતાં ચપ્પલ ફેંકનાર ઈસમ ફરાર થઈ ગયો હતો. આ યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કરજણના ભાજપ પ્રવક્તા હર્ષદભાઈ પરમારે કહ્યું છે કે આવું પ્રકરણ બન્યું નથી. બીજી બાજુ બરોડાની ઉચ્ચ પોલીસ ચપ્પલ ફેંકનારને શોધી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જુતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યકત કરવાની આ પધ્ધતિ બિલકુલ વાજબી નથી. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે તે સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંન્નિષ્ઠ રાજપુરુષ છે. તેઓ કોંગ્રેસની સભામાં આવ્યા ન હતા. જે જગ્યાએ સભા યોજાઈ હતી તે સભા, મંડપ, નેતાઓ અને આગેવાનો ભાજપના હતા. તો ત્યાં કોંગ્રેસના આગેવાનો શું કામે જાય ?
ભાજપની સભામાં કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપી આગેવાનનું કારસ્તાન ?

આ ઘટના બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, કે ભાજપની સભામાં કોઈ કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપના જ કોઈ અસંતુષ્ટ આગેવાનનું આ કારસ્તાન છે ? ભાજપના અક્ષય પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી ગયા હતા. તેમના પર ચપ્પલ ફેંકાયું પણ તેમને વાગ્યું ન હતું. બનાવના પગલે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દેવાઈ છે. ચપ્પલ ફેંકનારની હજુ સુધી ઓળખ થઈ નથી.

October 27, 2020
ground_nuts.jpg
1min5440

મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.

મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.

ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.

જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.

સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.

જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી

જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.

October 24, 2020
pm_modi.jpg
1min5460

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5770

સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો નીટ 2020માં સ્કોર ઓછો હોય અને તમે હોમીયોપેથી કે આયુર્વેદિક મેડીસીનની કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો સંભવ છે કે તમારે ગત વર્ષ કરતા કોલેજોને વધુ ફી એટલે કે તોતિંગ ફી ચૂકવવી પડશે. કેમકે સરકારે હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોની સ્ટેટ ક્વોટામાં 15 ટકા સીટો ઘટાડી નાંખીને એ મેનેજમેન્ટ ક્વોટામાં ફાળવી આપી છે. હવે પ્રાઇવેટ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા 40 ટકા થઇ ગયો છે. જેમાં 15 ટકા સીટો એન.આર.આઇ. ક્વોટાની છે. આ કોલેજો પર પ્રવેશ કાર્યવાહી પણ પ્રાઇવેટ કોલેજોના કોન્સોર્ટીયમ (મંડળ)ને આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે મેડીકલ અને પેરમેડીકલ કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રવેશ માટે ગઇ તા.8મી ઓક્ટોબર 2020ના રોજ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં એક જોગવાઇ એવી કરવામાં આવી છે કે અનએઇડેડ એટલે કે સેલ્ફફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં હવેથી 40 ટકા (15 ટકા એન.આર.આઇ. ક્વોટા સમેત) સીટો પર મેનેજમેન્ટ ક્વોટાથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકારની એડમિશન કમિટી સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં ફક્ત 60 ટકા સ્ટેટ ક્વોટાની સીટો પર જ પ્રવેશ ફાળવશે. આમ, ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓનો નીટ-2020માં સ્કોર ઓછો આવ્યો છે તેમના વાલીઓએ હવે વધુ લૂંટાવું પડશે.

Difference Between Ayurveda and Homeopathy (with Comaprarison Chart) - Bio  Differences

હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં અત્યાર સુધી મેનેજમેન્ટ ક્વોટામાં 25 ટકા સીટો હતી 2020થી એ વધારીને 40 ટકા કરી દેવામાં આવી

કેમકે નીટમાં સ્કોર ઓછો ધરાવતા વિદ્યાર્થીઓ સામાન્યઃ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. હવે ત્યાં વધુ 15 ટકા સીટો મેનેજમેન્ટ ક્વોટામાં આપી દેવામાં આવી છે. સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે.

ગુજરાત સરકારની આ નીતિને કારણે વાલીઓ પર વધુ આર્થિક બોજ પડશે એ નિશ્ચિત છે.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
3min24200

પ્રવેશ કાર્યવાહીની બુકલેટ મેળવવા માટે Medical શબ્દ 98253 44944 પર વ્હોટ્સએપ કરો. આ બુકલેટ નીચેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ…..

આ વેબસાઇટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે : www.medadmgujarat.org/ug/home.aspx

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા નીટના સ્કોરથી પ્રવેશ મળી શકે તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સિસ દ્વારા 2020ના વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી અંગેની કામગીરીની જાહેરાત કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રૂ.200 ઓનલાઇન ભરીને પીન નંબર મેળવવાનો રહેશે.

6 સ્ટેપમાં હાથ ધરાશે પ્રવેશ કાર્યવાહી, સ્ટેપ બાય સ્ટેપ સમજો : : સમયપત્રક ટૂંક સમયમાં

આ પ્રકારે કામગીરી હાથ ધરવી

આ રહ્યા પ્રવેશ કાર્યવાહીના હેલ્પ સેન્ટર્સની માહિતી, કશું સમજ ના પડે તો અહીં પહોંચી જવું

2020 માટેની મેડીકલ કોલેજો, એક નવી કોલેજનો ઉમેરો

2020 માટેની ડેન્ટલ કોલેજો

2020 માટેની આયુર્વેદિક કોલેજો

2020 માટે હોમિયોપેથી કોલેજો

October 21, 2020
election_voting.jpg
1min4960

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ૩જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીનું ચિત્ર ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયાને અંતે આખરે સ્પષ્ટ થયું છે. આઠ બેઠકો માટે ૮૧ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. સૌથી વધુ લિંબડી બેઠક પર ૧૪ ઉમેદવાર ચૂંટણી લડશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આઠ બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે ૩જી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પરના કોંગ્રેસના સીટીંગ ધારા સભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી જાહેર થયા બાદ આઠ બેઠકો માટે ૧૦૨ ઉમેદવારીપત્રોમાંથી ૨૧ ફોર્મ સોમવાર સુધી પરત ખેંચાયા હતા, જેમાં ૮૧ ઉમેદવારો મેદાનમાં હતા, લિંબડીમાં સૌથી વધુ ૧૪ ઉમેદવારો છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવારો માટે અનામત કપરાડામાં સૌથી ઓછા ચાર ઉમેદવારો છે. મોરબી અને ગઢડા બેઠકો પરના દરેક ૧૨ ઉમેદવાર મેદાનમાં છે, ત્યારબાદ ધારીમાં ૧૧, અબડાસામાં ૧૦ અને કરજણ અને ડાંગમાં નવ ઉમેદવાર છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારો આઠ બેઠકો પર એકબીજાની સામે છે. ભારતીય આદિજાતિ પાર્ટીએ ડાંગમાં પણ બે ઉમેદવારો ઉભા રાખ્યા છે, બહુજન મહા પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, અખિલ ભારતીય રાજય સભા, અખિલ ભારતીય મજલિશ-એ-ઇન્કલાબ-એ-મિલ્લટ, રાષ્ટ્રવાદી જન ચેતન, યુવા જન જાગૃતિ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, અને રાષ્ટ્રિય જનક્રાંતિ જેવા ઓછા જાણીતા પોશાક પહેરે. પાર્ટીએ કેટલીક બેઠકો પર એક કે બે ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે.

જોકે આ ચૂંટણીમાં ભાજપે પ્રદ્યુમસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લિંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે. વી. કાકડિયા (ધારી), આત્મરામ પરમાર, અક્ષય પટેલ (કરજણ), વિજય પટેલ (ડાંગ) અને જીતુભાઇ ચૌધરી (કપરાડા) મેદાનમાં ઊતર્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોમાં શાંતિલાલ સેંધાણી (અબડાસા), ચેતન ખાચર (લિંબડી), જયંતિલાલ પટેલ (મોરબી), સુરેશ કોટડિયા (ધારી), મોહન સોલંકી (ગઢડા), કિરીટસિંહ જાડેજા (કરજણ), સૂર્યકાંત ગાવિત (ડાંગ) અને બાબુભાઈ પટેલ (કપરાડા)નો સમાવેશ થાય છે.

October 21, 2020
ambaji_temple-1280x720.jpg
1min6220

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વ્રારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૪૫ , દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ , દર્શન સાંજે- ૭.૦૦ થી ૧૧.૦૦ રાત્રે નો સમય રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતીનું ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

October 21, 2020
childlabour.jpg
1min5680

ગુજરાતમાં ખેતરોમાં સવા લાખથી વધુ બાળકો ખેત મજૂરી કરતા હોવાના ઘટસ્ફોટ એક એનજીઓ દ્વ્રારા કરવામાં આવ્યો છે. મોટાભાગે આદિવાસી, ગુજારાતમાં કપાસિયા ખેતરોમાં ગેરકાયદેસર નોકરી કરે છે, એમ એક શહેર સ્થિત એનજીઓએ દાવો કર્યો છે.

રાજ્યના મજૂર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ એનજીઓ દ્વારા નિર્દિષ્ટ વિસ્તારોમાં તેમની ટીમો મોકલશે અને જો કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરશે.

સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે બીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને ઓછા ભાવો ચૂકવવામાં આવતા મુખ્ય કારણો છે કે ખેડૂતો ખેતરોમાં ક્રોસ પરાગનયન કાર્ય માટે પુખ્ત વયના બદલે બાળકોને રોજગારી આપી રહ્યા છે.”એક અધ્યયન મુજબ આદિવાસી બાળકોને એક દિવસના કામ માટે માત્ર ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના માટે એક પુખ્ત મજૂરી કરનાર સ્થાયી થાય છે. આશરે ૧.૩૦ લાખ બાળકો કપાસના ખેતરોમાં મજૂરી કરે છે, એમ કટિયારે દાવો કર્યો હતો.

આશરે ૧૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના પ્રદેશમાં આવા ખેતરોમાં બાળ મજૂરી વિરુદ્ધ રાજ્ય સરકારની કડક કાર્યવાહી બાદ, કપાસિયા ઉદ્યોગ ઉત્પાદને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેતરોમાં ખસેડ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. કટિયારે જણાવ્યું હતું કે, જોકે બદલીને કારણે દક્ષિણ રાજસ્થાનથી સ્થળાંતર અને બાળકોના ટ્રાફિકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, કપાસિયા ઉદ્યોગમાં બાળ મજૂરી ચાલુ છે, કારણ કે સ્થાનિક આદિજાતિ બાળકો હવે ખેતમજૂરો તરીકે રોકાયેલા છે. આ ગેરકાયદેસર પ્રથાને રોકવા માટે, બીજ કંપનીઓએ કપાસિયા ઊપજ માટે ખેડૂતોને વધુ સારા ભાવ આપવાનું વિચારવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે ઉદ્યોગમાં બદલાયેલી રીતની નોંધ લે અને બાળ મજૂરી રોકવા માટે નવી રણનીતિ ઘડીએ.

રાજ્યના નાયબ શ્રમ આયુક્ત એમ. સી. કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ કટિયારે ઊભા કરેલા મુદ્દાની નોંધ લીધી છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું, “અમારા વિભાગે અગાઉ ઉત્તર ગુજરાતના પ્રદેશમાં બાળ મજૂરી અને હેરાફેરીની આખી ચેઇન તોડી નાખી હતી. આ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે અમે નિયમિતપણે ડ્રાઇવ ચલાવીએ છીએ,” અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “હું આ વિસ્તારોમાં ટીમો મોકલીશ અને જો કોઈ ગેરરીતિ મળી આવે તો કાર્યવાહી કરીશ.

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min17260

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 18, 2020
adm_guide-1280x874.jpg
1min20120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો

http://medadmgujarat.org/ug/home.aspx