CIA ALERT

ગુજરાત Archives - Page 43 of 157 - CIA Live

April 4, 2021
guj_corona.jpg
1min415

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા છે જ્યારે 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4566 પર પહોંચ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસો નોંધાયા છે.

April 3, 2021
guj_corona.jpg
1min378

તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.

છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

April 1, 2021
pradipsing_jadeja-1280x720.jpg
1min538

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો

April 1, 2021
kvs.jpg
14min921

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.

કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.

દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://kvsonlineadmission.kvs.gov.in/instruction.html

ગુજરાતમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોની નામાવલિ અને તેની સત્તાવાર વેબસાઇટની લિંક

Link of Gujarat State’s Kendriya Vidyalayas

Sr. No.School NameLinks
1KENDRIYA VIDYALAYA NO. I M.R. CAMPUS AHMEDABADhttps://mrcahmedabad.kvs.ac.in/
2KENDRIYA VIDYALAYA SABARMATIhttps://sabarmati.kvs.ac.in/
3KENDRIYA VIDYLAYA NO.I BARODAhttps://no1baroda.kvs.ac.in/
4KENDRIYA VIDYALAYA BHAVNAGAR PARAhttps://bhavnagarpara.kvs.ac.in/
5KENDRIYA VIDYALAYA BSF DANTIWADAhttps://bsfdantiwada.kvs.ac.in/
6KENDRIYA VIDYALAYA DIUhttps://diu.kvs.ac.in/
7KENDRIYA VIDYALAYA DWARKAhttps://dwarkagujarat.kvs.ac.in/
8KENDRIYA VIDYALAYA RLY. COLONY GANDHIDHAMhttps://gandhidham.kvs.ac.in/
9KENDRIYA VIDYALAYA CRPF GANDHINAGARhttps://crpfgandhinagar.kvs.ac.in/
10KENDRIYA VIDYALAYA NO. I GANDHINAGARhttps://no1gandhinagar.kvs.ac.in/
11KENDRIYA VIDYALAYA HIMMAT NAGARhttps://himmatnagar.kvs.ac.in/
12KENDRIYA VIDYALAYA JETPURhttps://jetpur.kvs.ac.in/
13KENRIYA VIDYALAYA JUNAGARHhttps://junagarh.kvs.ac.in/
14KENDRIYA VIDYALAYA PORBANDERhttps://porbander.kvs.ac.in/
15KENDRIYA VIDYALAYA RAJKOThttps://rajkot.kvs.ac.in/
16KENDRIYA VIDYALAYA SILVASSAhttps://silvassa.kvs.ac.in/
17KENRIYA VIDYALAYA NO.I SURAThttps://no1surat.kvs.ac.in/
18KENDRIYA VIDYALAYA VIRAMGAONhttps://viramgaon.kvs.ac.in/
19KENDRIYA VIDYALAYA GODHRAhttps://godhra.kvs.ac.in/
20KENDRIYA VIDYALAYA DAHODhttps://dahod.kvs.ac.in/
21KENDRIYA VIDYALAYA AHMEDABAD CANTThttps://ahmedabadcantt.kvs.ac.in/
22KENDRIYA VIDYALAYA NO.II BARODAhttps://no2baroda.kvs.ac.in/
23KENDRIYA VIDYALAYA NO.III (AFS) BARODAhttps://no3baroda.kvs.ac.in/
24KENDRIYA VIDYLAYA AFS NO.I BHUJhttps://no1afsbhuj.kvs.ac.in/
25KENDRIYA VIDYALAYA NO.II BHUJ CANTT.https://no2bhujcantt.kvs.ac.in/
26KENDRIYA VIDYALAYA DHARANGANDHRAhttps://dharangandhra.kvs.ac.in/
27KENDRIYA VIDYALAYA NO. III GANDHINAGAR CANTT.https://no3gandhinagarcantt.kvs.ac.in/
28KENDRIYA VIDYALAYA NO.I AFS JAMNAGARhttps://no1jamnagar.kvs.ac.in/
29KENDRIYA VIDYALAYA NO.II JAMNAGARhttps://no2jamnagar.kvs.ac.in/
30KENDRIYA VIDYALAYA NO.III (AF) JAMNAGARhttps://no3afjamnagar.kvs.ac.in/
31KENDRIYA VIDYALAYA AFS SAMANAhttps://samanaafs.kvs.ac.in/
32KENDRIYA VIDYALAYA INS VALSURAhttps://insvalsura.kvs.ac.in/
33KENDRIYA VIDYALAYA AFS NALIYAhttps://afsnaliya.kvs.ac.in/
34KENDRIYA VIDYALAYA OKHAhttps://okha.kvs.ac.in/
35KENDRIYA VIDYALAYA AFS WADSARhttps://afswadsar.kvs.ac.in/
36KENDRIYA VIDYALAYA AFS DARJEEPURAhttps://afsdarjeepura.kvs.ac.in/
37KENDRIYA VIDYALAYA V V NAGARhttps://vvnagar.kvs.ac.in/
38KENDRIYA VIDYALAYA SAC AHMEDABADhttps://sacahmedabad.kvs.ac.in/
39KENDRIYA VIDYALAYA ONGC CHANDKHEDAhttps://ongcchandkheda.kvs.ac.in/
40KENDRIYA VIDYALAYA ONGC ANKLESHWARhttps://ongcankleshwar.kvs.ac.in/
41KENDRIYA VIDYALAYA NO. IV BARODAhttps://no4baroda.kvs.ac.in/
42KENDRIYA VIDYALAYA ONGC CAMBEYhttps://ongccambey.kvs.ac.in/
43KENDRIYA VIDYALAYA IFFCO GANDHIDHAMhttps://iffcogandhidham.kvs.ac.in/
44KENDRIYA VIDYALAYA ONGC MEHSANAhttps://ongcmehsana.kvs.ac.in/
45KENDRIYA VIDYALAYA HAJIRA NO.II SURAThttps://no2hajirasurat.kvs.ac.in/
46KENDRIYA VIDYALAYA ONGC NO.III SURAThttps://ongcno3surat.kvs.ac.in/
47KENDRIYA VIDYALAYA PATANhttps://patan.kvs.ac.in/

In English

KV Admissions 2021: Documents Needed

  • Self Declaration distance between school and residence
  • Service Certificate Central Govt
  • Service Certificate State Govt
  • Affidavit for single girl child
  • Died in harness certificate
  • Transfer certificate
  • Date of Birth

Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.

Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5.
In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.

March 31, 2021
guj_corona.jpg
1min548

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2220 કેસો નોંધાયા છે અને 1988 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે. જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો આજે કુલ 1,93,968 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 94.51 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 288565 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 12263 છે જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12116 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 10 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોત પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 નવા દર્દીઓ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 38, જામનગરમાં 27, ગાંધીનગરમાં 26, મહેસાણામાં 26, નર્મદામાં 37 કેસો નોંધાયા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં 25, ખેડામાં 24, આણંદમાં 18, સાબરકાંઠામાં 16, દાહોદમાં 22, પાટણમાં 23, બનાસકાંઠામાં 3 કેસો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 21, અમરેલીમાં 20, જામનગરમાં 19, કચ્છમાં 17, સુરેન્દ્રનગરમાં 14, વલસાડમાં 13, દેવભૂમિ દ્વારકામાં 5, ગીર સોમનાથમાં 3 અને નવસારી-પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા છે.

March 30, 2021
iima.jpg
1min433

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કેમ્પસમાંથી મળી આવેલા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦ને પાર કરી ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (IIM-A) કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને અહીં કામ કરતા, અભ્યાસ કરતા તમામનું સ્ક્રિનિંગ કર્યું છે.

Corona blast in IIM Ahmedabad IIT Gandhinagar 65 students professors  infected | Corona Outbreaks: IIM अहमदाबाद और IIT गांधीनगर में कोरोना  विस्फोट, 65 स्टूडेंट्स-प्रोफेसर संक्रमित ।

સૌથી ચોંકાવનારી વિગત તો એ પણ છે કે 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે. જ્યારે IIM-A દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM-Aમાં 28 માર્ચે પણ 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે. હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

 

March 29, 2021
guj_corona.jpg
1min958

ગુજરાત રાજ્યમાં હોળી દહન થઇ રહ્યું હતું ત્યારે જ જાહેર થયેલા કોરોનાના નવા કેસોની વિગતોમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2270 કેસો નોંધાયા છે અને 1605 દર્દીઓ સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ 8 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4492 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યાં એકબાજુ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ આજે કુલ 1,36,737 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 284846 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 11528 છે, જેમાં 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 11376 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશનના 2, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા કોર્પોરેશનના 1 દર્દીનું મોત થયું છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 611, અમદાવાદમાં 607, વડોદરામાં 202 અને રાજકોટમાં 159 દર્દીઓ નોંધાયા છે. જો ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 22, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 8, પાટણમાં 23, મહેસાણામાં 26, અરવલ્લીમાં 10 કેસો નોંધાયા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં 24, કચ્છમાં 23, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢમાં 8, ગીર સોમનાથમાં 7 અને બોટાદમાં 3 તેમજ પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં 22, ખેડામાં 22, પંચમહાલમાં 19, આણંદમાં 17, નર્મદામાં 17, ભરૂચમાં 16, વલસાડમાં 13, નવસારીમાં 12 અને છોટા ઉદેપુરમાં 5 કેસો નોંધાયા છે.

March 27, 2021
corona-gujarat.jpg
1min488

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો હવે ચોંકાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2190 કેસો આવ્યા છે જ્યારે 1422 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2190 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 95.07 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 609, અમદાવાદમાં 604, વડોદરામાં 165 અને રાજકોટમાં 139 કેસો નોંધાયા છે.

Saurashtra Corona Updates

રાજકોટ અને જામનગરમાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ મૃત્યુઆંકનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં 8 અને જામનગરમાં 1 મળીને કુલ 9 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે માત્ર રાજકોટમાં એકજ કોવિડ ડેથ જાહેર કર્યુ હતુ. આજે સૌરાષ્ટ્રમાં નવા 329 કેસ નોંધાયા હતા અને 8 જિલ્લામાંથી 179 દરદી કોરોનાના ચેપમાંથી મુક્ત થયા હતા. જ્યારે બોટાદમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજકોટ શહેરમાં 139 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 18 હજારને પાર કરીને 18255 થયો હતો. તેમજ ગ્રામ્યમાં 25 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 25663 થયો હતો. જેમાંથી આજે 8 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે 109 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યારે શહેરના 673 અને ગ્રામ્યના 147 મળીને કુલ 820 એક્ટિવ કેસ રહ્યા હતા.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન વધુ એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે શહેરના 23 તથા ગ્રામ્યના 24 મળીને જિલ્લામાં નવા 47 કેસ નોંધાયા હતા અને 24 દરદીએ કોરોનાને મહાત આપી હતી.

ભાવનગર શહેરના 32 તથા ગ્રામ્યના 8 મળીને જિલ્લામાં નવા 40 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 6713 થયો હતો. જેમાંથી આજે 19 દરદી ડિસ્ચાર્જ થતા હવે 285 દરદી સારવાર હેઠળ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં નવા 20 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 4045 થયો હતો. જેમાંથી વધુ 5 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 110 એક્ટિવ કેસ રહ્યા હતા.

મોરબી શહેર-તાલુકામાં 13 તેમજ વાંકાનેરમાં 3, હળવદ, માળિયા અને ટંકારામાં 1-1 મળીને જિલ્લામાં નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 3525 થયો હતો. જેમાંથી વધુ 6 દરદી સાજા થતા હવે 113 એક્ટિવ કેસ રહ્યા હતા. તેવીજ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 17 કેસની સામે 2 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જૂનાગઢ શહેરમાં 8 તેમજ ભેંસાણમાં 1 મળીને જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા હતા અને 6 દરદી ડિસ્ચાર્જ થયા હતા. તો ગીર સોમનાથ જિલ્લામાં 8 કેસની સામે 8 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દ્વારકામાં 4 અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા અને એકેય દરદી ડિસ્ચાર્જ થયા નહોતો. બોટાદ જિલ્લામાં આજે 2 કેસ અને 2 ડિસ્ચાર્જ સ્થાનિક તંત્રએ જાહેર કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કેસ અને ડિસ્ચાર્જ 0-0 જાહેર કર્યા હતા.

March 27, 2021
bribe.jpg
1min571

અમદાવાદના એક રમકડાંના વેપારીઓનો જીએસટીનો મામલો પતાવવા માટે દોઢ લાખની લાંચ લેવાના આરોપમાં સીજીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર નિતુ સિંહ અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ યશવંતભાઈ રસાણિયાની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં રમકડાનો વ્યવસાય કરતા વેપારીને GST મામલે એક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળતા વેપારીએ CGST વિભાગના જોઈન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડેન્ટ નિતુ સિંહ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. આ બેઠકમાં વેપારી પાસે 1.50 કરોડ રૂપિયાની પેનલ્ટી સામે કાર્યવાહી ન કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. બેઠક બાદ આખરે દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. જેમાંથી એક લાખ રૂપિયા નિતુ સિંહને અને બીજા 50 હજાર સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈ રસાણિયાને આપવા કહ્યું હતું.

WhatsApp Image 2021-03-26 at 10.46.37 PM.

વેપારીએ બેઠક બાદ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)ના અધિકારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. વેપારીની ફરિયાદના આધારે ACB દ્વારા રેડ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. જે મુજબ વેપારી લાંચના પૈસા આપવા માટે ACBના અધિકારી સાથે આનંદનગર સ્થિત CGSTની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો નિતુ સિંહ ઓફિસમાં નહોતા. તેથી વેપારીએ તેમને ત્યાં ફોન કર્યો તે નિતુ સિંહે કહ્યું કે હાલમાં તે કામથી બહાર આવ્યા છે તેઓ દોઢ લાખ રૂપિયા સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈને આપી દે. નિતુ સિંહના કહેવા પ્રમાણે વેપારીએ આ રકમ જ્યારે સુપ્રિટેન્ડેન્ટને આપી તે સમયે જ ACBની ટીમે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પુરાવાના આધારે નિતુ સિંહની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

March 24, 2021
corona-gujarat.jpg
1min389

તા.૨૨મી માર્ચે ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના નવા 1640 કેસ રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ હતા, એના ૨૪ કલાકમાં જ તા.૨૩મી માર્ચે ઓલટાઇમ હાઇની સંખ્યાને પણ વટાવીને કોરોનાના નવા 1730 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે સંખ્યા અત્યાર સુધીમાં ઓલટાઈમ હાઈ છે.

એક સરેરાશ મુજબ ગુજરાતમાં દર ર4 કલાકે 72 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સાથે અમદાવાદમાં ર અને સુરતમાં ર મળી વધુ 4 દર્દીના મૃત્યુ થતા કુલ મૃતકાંક 4458 થયો છે.

નવા કેસો વધવા સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ખતરનાક ઝડપે વધી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 8318 એક્ટિવ કેસ છે. જ્યારે 76 દર્દી વેન્ટીલેટર પર છે. આ સાથે 1255 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા ડીસ્ચાર્જડ દર્દીની સંખ્યા 2.77 લાખને પાર થઈ છે.

વિતેલા ર4 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા 1730 કેસ પૈકી સુરતમાં 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 140, ગાંધીનગરમાં 36, ભાવનગરમાં 31, જામનગરમાં 36, જૂનાગઢમાં 8, ખેડામાં 24, કચ્છમાં 19, મહેસાણામાં 16, ભરૂચ અને આણંદમા 15-15, દાહોદ અને સાબરકાંઠામાં 14-14, નર્મદામાં 13, અમરેલીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠા અને મહાસાગરમાં 9-9, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 7-7, તાપીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, છોટા ઉદેપુરમાં 4, અરવલ્લી અને નવસારીમાં 3-3, બોટાદ અને ગીર સોમનાથમાં ર-2, પોરબંદરમા 1 કેસ નોંધાયો છે.

નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના 11માંથી પાંચ-છ જિલ્લામાં દિવસો સુધી કોરોનાનો એક પણ નવો કેસ દેખાયો ન હતો. હવે ફરીથી તમામ 11 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વધુ’ 253 કેસ નોંધાયા છે. જેમાંથી ફક્ત રાજકોટમાં જ અડધાથી વધુ 140 કેસ બન્યા છે. તેમાં પણ 117 કેસ ફક્ત રાજકોટ શહેરમાં જ બનવા પામ્યા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં આજે નવા પાંચ મળી 48 કલાકમાં 10 કેસ નોંધાતા તંત્રની ચિંતામા વધારો થયો છે