CIA ALERT

ગુજરાત Archives - Page 148 of 158 - CIA Live

October 20, 2018
9-1280x853.jpg
1min21500

જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)

સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં  અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)

એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)

October 19, 2018
drdhaval.jpg
1min140760

Jayesh Brahmbhatt 98253 44944

સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે

પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)

સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.

અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

  • ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
  • યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
  • જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
  • ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
  • સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
October 16, 2018
liquor.jpg
1min11350
  • માર્ચ 2018થી લિકર પરમિટ નવી-રિન્યુઅલ બધી જ કાર્યવાહી સ્થગિત
  • એપ્રિલ 2018થી ગુજરાતમાં દારુ પર 65 ટકા જેટલો જંગી ટેક્સ
  • સરકારે દારુ પરમિટના નીતિ-નિયમો કડક બનાવવા ઉપરાંત તોતિંગ ટેક્સ નાંખતા સત્તાવાર લિકર શોપનું વેચાણ ઘટ્યું
  • કાયદેસર વેચાતો દારુ ઓછો થતાં સરકારની તિજોરીને મળતા ટેક્સની આવકમાં પણ ઘટાડો
  • ખાનગીમાં ગેરકાયદે દારુનો વેપલો કરતા બુટલેગરોને તડાકો
  • ગુજરાતમાં 6 કરોડની વસતિ પૈકી ફક્ત 72 હજાર પાસે દારુની પરમિટ 
  • 72000 દારુની પરમિટ પૈકી 40 હજાર હેલ્થના કારણોસર અપાયેલી છે

ગુજરાતમાં દારુબંધીનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા છ મહિના દરમિયાન અનેક પગલાં ભર્યા છે. રાજ્ય સરકારના પગલાં આવકારદાયક છે પણ આ પગલાંની બીજી તરફ કેટલીક આડઅસરો પણ ઉપસ્થિત થઇ છે. જેમકે રાજ્ય સરકારે ગુજરાતમાં લિકર પરમિટ શોપ પરથી વેચાતા દારુ પર 65 ટકા જેટલો ટેક્સ ઠોકી બેસાડતા થયું એવું કે હવે ખાનગીમાં ગેરકાયદેસર દારુ વેચી રહેલા બુટલેગરોને તડાકો પડી ગયો છે. જેમની પાસે પરમિટ છે એ લોકો પણ પરમિટના દારુની જગ્યાએ ખાનગીમાં દારુ લઇ રહ્યા છે, બુટલેગરો દ્વારા વેચાતો દારુ સસ્તો પડતો હોવાથી લોકો હવે ગેરકાનુની રીતે દારુ ખરીદી રહ્યા છે.

બીજી બાજુ રાજ્ય સરકારે માર્ચ 2018થી નવી લિકર પરમિટ આપવાનું કે જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે. જેને લઇને પરમિટ હોલ્ડર પણ ગેરકાયદેસર હોવા છતાં બુટલેગરો પાસેથી જ દારુ ખરીદી રહ્યા છે.

રાજ્યમાં આવેલી સત્તાવાર લિકર શોપમાં છેલ્લા 6 મહિના દરમિયાન લિકર વેચાણ સતત ઘટ્યું છે. ગુજરાતના હોટેલિયર્સ આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના જુદા જુદા અધિકારીઓ તેમજ મંત્રીઓને મળ્યું હતું અને તેમણે ઉપરોક્ત રજૂઆતો કરી જે પૈકી કેટલીક રજૂઆતો આંખ ઉઘાડનારી હતી. એક રજૂઆત એવી પણ હતી કે રાજ્ય સરકારે પરમિટ રિન્યુઅલ બંધ કરતા, જેમની પરમિટ રિન્યુ નથી થઇ તેવા લોકો પણ હવે બુટલેગરો પાસેથી દારુ ખરીદી રહ્યા છે. આવું થવાને કારણે ગુજરાત સરકારની તિજોરીને મળતો ટેક્સ પણ ગુમાવવાનો વખત આવે છે.

જોકે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં અને ઘણુંખરું દિવાળી પહેલા લિકર પરમિટ નવી અને રિન્યુઅલની પ્રોસેસ ફરીથી શરૂ થશે. નવા દર અનુસાર પરમિટ હોલ્ડરોએ ફી ચૂકવવાની રહેશે. પરમિટ માટે રૂ.2000ની પ્રોસેસિંગ ફી નો નવો ધારો લાગુ કરવામાં આવ્યો છે. એવી શક્યતા છેકે લિકર પરમિટ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે.

October 15, 2018
ciaz_trailer.jpg
1min6280

રવિવાર તા.15મી ઓક્ટોબર 2018ના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ અને નડિયાદ વચ્ચેથી પૂરપાટ સ્પીડથી પસાર થઇ  રહેલી એક કાર ટ્રેલર નીચે ઘુસી જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખોટી સાઇડથી ઓવર ટેઇક કરવાની લ્હાયમાં આ ઘટના બની હોવાનું અકસ્માત સ્થળેથી જાણવા મળ્યું હતું.  ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર ખાસ્સો ટ્રાફિક જામ રહ્યો હતો, તંત્રવાહકોએ ટ્રાફિક ક્લીયર કરવામાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ પાર્સિંગની મારુતિ સિઆઝ કાર (GJ 16 CB 6537) અને ટ્રેલરનો (GJ 5 AT 3354) આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરના વચ્ચેના ભાગે ઘુસી ગઈ હતી. ટ્રેલરની વચ્ચે ફસાઈ ગયેલી કાર થોડે દૂર સુધી ઢસડાઈ પણ હતી. ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ઘાયલ વ્યક્તિઓને નડિયાદની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ પોલીસ કરી રહી છે.

October 15, 2018
dwarka.gif
1min14380

દેવભૂમિ દ્વારકાને જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તો દારુણ ગરીબીમાંથી પસાર થઇ રહેલા ખેડૂતોને થોડીઘણી રાહત મળે તેમ છે. પણ આવું નહીં થતાં ખેડૂતોએ કલેક્ટર કચેરી, દ્વારકા પહોંચીને કલેક્ટરને આ રીતે સાષ્ટાંગ દંડવત કરીને આજીજી કરી હતી કે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ઓછા વરસાદ પછી પણ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવતાં તા.13મી ઓક્ટોબરના રોજ જિલ્લાના ખેડૂતો કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યા હતા અને કલેક્ટરની ઑફિસમાં જઈને પટાંગણમાં જ બહાર આવેલા જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત્ કરીને તેમની પાસે જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી હતી.

દ્વારકા જિલ્લામાં ઘઉં, મગફળી, બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે, પણ ચોમાસું નબળું જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે જિલ્લામાં થતા પાકમાંથી અંદાજે એંસી ટકા પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાકવીમાની માગણી કરે છે, પણ કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં ગઈ કાલે ખેડૂતોની એક રૅલી કલેક્ટર ઑફિસમાં પહોંચી હતી અને દ્વારકાધીશને કરે એ રીતે જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત કર્યા હતા.

October 13, 2018
gujarat_highcourt.jpg
1min4810

તાજેતરમાં સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મ બળાત્કાર કેસના આરોપીઓને સખત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ ત્રણેય કેસની ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે.

રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાથી તેમ જ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે, એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

October 9, 2018
gujarat_map-1280x1023.png
1min7920

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, હવામાન ખાતાની 99 ટકા આગાહીઓ સાચી ઠરતી નથી, હવે જોવાનું એ રહે છે કે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડે છે કે કેમ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમ જ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા આગામી 12 ઑક્ટોબર આસપાસ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આમ નવરાત્રિ ટાણે વરસાદ પડશે તો ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડશે.

અરબી સમુદ્રમાં અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 12 ઑક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઊભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી.

અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

October 8, 2018
fisherman.jpg
1min11540

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

October 7, 2018
ahdneward.jpg
1min6910

કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એરઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સાથે તા.16 નવેમ્બરે બેંગ્લોરથી યુકેની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. 15 ઓગસ્ટ-16ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી યુકે સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી 100 પેસેન્જરોનો ઘટાડો થશે.

વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એરઇન્ડિયાની અમદાવાદ લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં 238 ઇકોનોમિક પેસેન્જર અને 18 બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ 256 પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર,બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે તા.16 નવેમ્બરથી અમદાવાદથી માત્ર યુકે સુધી જ ઓપરેટ થશે.

સૂત્રોએ જણાવ્યુ કે, એરઇન્ડિયાની મુબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુંબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે 170 પેસેન્જરોની કેપેસિટિવાળું એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી યુકે થઇને નેવાર્ક જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતુ. આમ 100 પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજી એરલાઇન્સ કંપનીઓને થઇ શકે છે.

એરઇન્ડિયા ખોટમાં જતું હોવાથી વધુ નવા રૂટો નક્કી કરી શકે એમ નથી. એટલું જ નહિ તહેવારોમાં ફરવા જવાવાળા પેસેન્જરોની સંખ્યા પણ વધારે હોય છે.

October 6, 2018
migrants2-1-1280x720.jpg
1min8120
  • સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની 19 શ્રેણીબદ્ધ ઘટનાઓ
  • 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા
  • 170 લોકો સામે પરપ્રાંતીયો પર હુમલો કરવા અંગે ગુના દાખલ કરાયા
  • અન્ય જિલ્લાઓમાંથી ઉત્તર ગુજરાતમાં પોલીસ કુમકો મોકલાઇ રહી છે

સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ આકાર પામી રહી છે. શુક્રવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પરપ્રાંતીયો પર ટોળા દ્વારા હુમલો કરવાની 19 ઘટનાઓ બનતા ગુજરાતની પોલીસ હાઇએલર્ટ મોડ પર આવી ગઇ છે. ટોળાઓમાં પરપ્રાંતીયો સામેનો રોષ જોઇને  સેંકડો લોકો ગુજરાત છોડી રહ્યાના રિપોર્ટને પગલે સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય દ્વારા રેપ કરાયાની ઘટના બાદ પરપ્રાંતીયો સામે ભડકી ઉઠેલા રોષ અને હુમલાની ઘટનાઓ પૈકી 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.

ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નાની નાની ખોલીઓ, ચાલીઓમાં રહેતા પરપ્રાંતીયો દહેશતમાં છે અને તેમને પર ટોળા દ્વારા ગમે ત્યારે હુમલો કરાય તેવા ભયથી સતત પીડાય રહ્યા છે. સેંકડો લોકોએ આ જ કારણે વતનની વાટ પકડી લીધી હોવાના પણ રિપોર્ટસ છે.

રાજ્યના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલો કરવાની જુદી જુદી ઘટનાઓમાં કુલ 170 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ ચૂકી છે.

તેમણે કહ્યું કે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે પરપ્રાંતીયો પર હુમલો કરવાની શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તાત્કાલિક અસરથી ઉપરોક્ત વિસ્તારોમાં 16 એસ.આર.પી. કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કુમક બોલાવી લેવામાં આવી છે.

શિવાનંદ ઝાએ પરપ્રાંતીયો પર હુમલો કરનારા લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી નહીં લેવાય. કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વગર પગલાં ભરવામાં આવશે.

શિવાનંદ ઝાએ જણાવ્યું કે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશ્નરોને સૂચના આપી દેવામાં આવી છે કે ટોળા દ્વારા પરપ્રાંતીયો વિરુદ્ધ કંઇપણ કાંકરીચાળો કડક હાથે ડામી દેવામાં આવે.

ગુજરાતમાં રહેતા બીન ગુજરાતીઓ ને પરપ઼ાંતી તરીકે ઓળખ આપી જનતા એ રાજકીય હાથો ભાજપના ઇશારે ન બનવુ જોઇએ . રાષ્ટ઼ વ્યાપી તોફાનો સત્તાના લાલચુ લોકો કરાવશે .

Posted by Hemendra Patel on Saturday, 6 October 2018

Please Feel Free to Contact on 98253 44944 for any News, Event Coverage.