વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપતિમાં છેલ્લા 9 માસ દરમિયાન પ્રતિમાસ 2620 કરોડ રૂપિયા ઉંચકાઈ હતી. ફોર્બ્સ મેગેઝિનનાં અહેવાલ અનુસાર માર્ચ 2019માં મુકેશની મિલકત પ0 બિલિયન ડોલર જેટલી હતી. એટલે કે 3.6પ6 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. 6 ડિસેમ્બર સુધીમાં તે વધીને પ9.9 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે તેની કુલ મિલકતમાં દર મહિને 1.2 અબજ ડોલરનો વધારો થયો. આ રકમને જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો પ્રતિમાસ તેની સંપતિમાં 2620 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અંબાણીની કુલ મિલકત છેલ્લા 9 વર્ષમાં બમણી થઈ ગઈ છે. માર્ચ 2010માં તેમની મિલકત 29 બિલિયન ડોલર હતી. ત્યારબાદ 2010થી 2014 વચ્ચે તેમાં ઘટાડો જોવા મળેલો અને તે ઘટીને 18.6 બિલિયન ડોલર સુધી ઘટી ગઈ હતી. જો કે પછી તેમાં સતત વધારો જ થયો છે અને અત્યારે તે પ0 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
અરબી સમુદ્ર પર ફરી TWIN (બે અલગ) વાવાઝોડા’નું સંકટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એવું નથી કે ફક્ત રૂપિયા જ આપણું જીવન બદલી શકે છે. આ વખતે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનું જીવન વાવાઝોડાઓએ બદલી નાંખ્યું છે. વરસાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વાવાઝોડાએ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતનું વાતાવરણ એવું બદલ્યું છે કે લોકોની દિવાળી બગડી, ખેડૂતોના પાક બગડ્યા હાલ ઠંડીની સિઝન બદલી અને સ્વાસ્થય પર તો ઘેરી અસર થઇ રહી છે. પહેલા વાયું આવ્યું, પછી હિક્કા, પછી ક્યાર પછી મહા અને હવે પવન નામનું વાવાઝોડું ગુજરાતમાં બિનમૌસમ બારીસ લાવી રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડા કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલા વાવાઝોડા કેન્દ્રિત થયા હતા પણ હવે વધુ બે વાવઝોડા ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જારી કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડા બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે
દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં હાલે કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઇ રહ્યું છે જે ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે
તેવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ -પશ્ર્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઉભું થવા પામ્યું છે અને આ બને હળવા દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરે પૂરી શક્યતા છે.
આ વાવાઝોડાં મોટેભાગે ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ, ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાની આગાહી સાથે જ કચ્છમાં પણ ગુરુવારે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. માવઠાં જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડા કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ વર્ષે છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાના હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયા છે જેમાંથી મોટાભાગના વાવાઝોડામાં પરિવર્તિત થયા છે.
The Arabian Sea witnesses a normal of one cyclone per year. The last time five tropical cyclones were witnessed in a year was in 1902. This year, very severe cyclonic storm Vayu was witnessed from June 10-17, very severe cyclonic storm Hikka from September 22-25, super cyclonic storm Kyarr between October 24 and November 2, extremely severe cyclonic storm Maha from October 30 to November 7, and presently Cyclone Pawan.
As compared, the Bay of Bengal has witnessed only three cyclones—Pabuk, Fani and Bulbul—against the normal of four per year.
થોડા દિવસોમાં Fastag ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ પર મળવા માંડશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ટોલ પ્લાઝા અને બેંકો મારફતે ફાસ્ટેગ વેચાણ વિતરણ ગોકળગાયની ગતિએ નોંધાતા કેન્દ્ર સરકારે ફાસ્ટેગ યોજનાનો અમલ 15 દિવસ પાછો ઠેલવવો પડ્યો છે. ભારતના વાહનોમાં ફાસ્ટેગ ઝડપથી લાગૂ થાય તે માટે સરકારે હવે પહેલી વખત કોઇ સરકારી પ્રોડેક્ટને પ્રાઇવેટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર લોંચ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ભારતીય લોકોમાં શોપિંગ સાઇટ્સ પરથી ચીજવસ્તુઓ મેળવવાના ક્રેઝને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. સરકારને આશા છે કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી શોપિંગ સાઇટ્સ પર ફાસ્ટેગ મળતા થશે એટલે ફાસ્ટેગના વેચાણ વિતરણમાં મોટા ઉછાળો નોંધાશે.
તા.1લી ડિસેમ્બર 2019થી ભારતમાં ફાસ્ટેગ સ્કીમ લાગૂ કરવામાં પીછેહઠ થવા પાછળનું કારણ એ જ બહાર આવ્યું છે કે કરોડ વાહનો સુધી હજુ ફાસ્ટેગ પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં ફાસ્ટેગના અમલમાં 15 દિવસની મુદત વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના એ પ્રયાસો છે કે ફાસ્ટેગને વધુ શુલભ બનાવવામાં આવશે અને એટલે જ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે પર ફાસ્ટેગ ઉપલબ્ધ બનશે. ભારતમાં એવું પહેલી વખત જોવાશે કે કોઇ સરકારી સ્કીમ પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર પણ ઉપલબ્ધ બનશે.
કેન્દ્ર સરકારે ફાસ્ટેગ માટે સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાથી આગામી પખવાડીયા કે મહિના દિવસમાં ફાસ્ટેગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ઉપલબ્ધ બનશે. હાલમાં ફાસ્ટેગ પબ્લિક, પ્રાઇવેટ બેંક્સ તેમજ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. પણ ઘણું ખરું જાન્યુઆરી 2020થી ફાસ્ટેગ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પણ સરળતાથી મળતા જોવા મળશે. ફાસ્ટેગ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ પર ઉપલબ્ધ બનશે. આ સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગની ઓનલાઇન ખરીદી સરળ બનશે.
ઇકોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગ મળી રહે એ માટે તા.29મી નવેમ્બર 2019ના રોજ શુક્રવારે આ માટેના બિડ ખોલવામાં આવ્યા હતા. ફાસ્ટેગ માટેના સર્વિસ પ્રોવાઇડરને અધિકૃત મેન્યુફેક્ચરર્સ નિયત કરવામાં આવ્યા છે. બિડના દસ્તાવેજમાં સર્વિસ પ્રોવાઇડરને કોઈ એક ગ્રાહક કે ગ્રાહકોના સમૂહને ફાસ્ટેગનું બલ્ક વેચાણ નહીં કરવાની તાકીદ કરાઈ છે.
જાન્યુઆરીથી ફાસ્ટેગ ત્રણેય ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદ કે પ્રશ્નોના ઓનલાઇન ઉકેલ માટે સિસ્ટમ બનાવાશે.
માત્ર ક્લાસ-4 વ્હિકલ (કાર, જિપ, વાન અને હળવા મોટર વ્હિકલ્સ) માલિકો જ ફાસ્ટેગ ઓનલાઇન ખરીદી શકશે. અત્યારે ફાસ્ટેગ Paytm પર ઉપલબ્ધ છે.
ગ્રાહકને ઓર્ડર મૂક્યા પછી સાત દિવસમાં ફાસ્ટેગ પહોંચાડવાના રહેશે. પેકેજમાં ફાસ્ટેગ ઉપરાંત, મૂળ ઇન્વોઇસ અને વાહન પર ફાસ્ટેગ કેવી રીતે ચોંટાડવું તેની સૂચના આપતું મેન્યુઅલ આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર સત્તાવાળાને વેચાણ અંગેનો દૈનિક અહેવાલ આપશે.
સરકારને આશા છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગનું વેચાણ શરૂ થયા પછી સેલ્સમાં મોટો ઉછાળો નોંધાશે. 21 નવેમ્બરથી ટેગના ખર્ચમાંથી મુક્તિની જાહેરાત પછી ફાસ્ટેગ લેનારાની સંખ્યામાં 130 ટકા ઉછાળો નોંધાયો હતો.
ફાસ્ટેગ 560 ટોલ પ્લાઝા પર સ્વીકારવામાં આવશે. દૈનિક ધોરણે પ્લાઝાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિવિધ બેન્કો દ્વારા ઇશ્યૂ થઈ રહેલા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા પ્રિ-પેઇડ વોલેટ સાથે લિંક્ડ કરાયા છે. આવા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ બનશે અને બેન્કના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી પણ તે ખરીદી શકાશે. બેન્ક-ન્યૂટ્રલ NHAI ફાસ્ટેગ વિવિધ પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ પાસેથી ખરીદી કરી શકશે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતાથી અંબાજી જતા માર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીમાં દાંતા માર્ગમાં મરામતની કામગીરી ચાલી રહી હોવાથી આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી જવા વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્રિશૂળિયા ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ગુજરાતની સર્વાંગી વૈશ્ર્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદૃઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતીની સ્થિતિની નોંધ દેશભરમાં લેવાય છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા બાદ વધુમાં કહ્યું હતું કે, ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમ જ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક અર્પણ થયા હતા.
કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.
આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.
જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.
ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે
નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.
આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.
નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે. ‘ રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો કેરળ””’ 2.1 ટકા યુપી””” 9.8 ટકા બિહાર”’ 10.પ ટકા ગુજરાત’ 13.8 ટકા ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા હરિયાણા 11.8 ટકા પુડ્ડુચેરી 30.7 ટકા ચંદિગઢ’ 7પ ટકા
રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.
ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.
આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.