ડેવલપમેન્ટ Archives - Page 61 of 142 - CIA Live

September 25, 2020
saudi.png
1min4610

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ વંદે ભારત મિશન હેઠળ ભારત માટેની ફ્લાઇટને મંજૂરી આપી છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા ઉછાળા વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયાએ ભારત જતી એન આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Saudi Arabia may lift ban on women travelling without man's permission |  India.com

બુધવારે રાતે એક ટ્વીટમાં ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતથી પ્રવાસીઓને સાઉદી અરેબિયા નહીં લઇ જાય. ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ વંદે ભારત મિશનની સાઉદી અરેબિયાથી ભારતની ફ્લાઇટ ચાલુ રાખશે.

મંગળવારે જારી કરેલા એક આવેદનમાં સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમા ંલઇને ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાની હવાઇ યાત્રા સ્થગિત કરવામાં આવે છે. જોકે, તેમાં એવા મુસાફરોને બાકાત રાખવામાં આવ્યા હતા જેમની પાસે સરકારી આમંત્રણો છે. સાઉદી અરેબિયા એન સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં નોંધપાત્ર ભારતીયોની વસતી છે. દુબઇ યુએઇનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. યુએઇ સરકારના નિયમાનુસાર ભારતથી મુસાફરી કરતા દરેક લોકોએ મુસાફરીના ૯૬ કલાકની અંદર કોવિડ-૧૯નું નકારાત્મક પ્રમાણપત્ર લાવવું જરૂરી છે. 

September 25, 2020
rofl_jets.jpg
1min5320

રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ અનેકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે કેગે ડિફેન્સ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે, પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ર્ચિત નથી થઈ શકી. ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી, પરંતુ હજી સુધી વેન્ડરે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.

કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે, જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.

ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યું નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે કેગે પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદના પટલ પર મૂક્યો છે જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેન્ડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. ૨૯મી જુલાઈએ ભારતને પાંચ રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનો માટે ભારતે ૬૦ હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એન્ટિટીને કોન્ટ્રાક્ટનો ૩૦ ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ ૩૦૦ કરોડથી વધારેના દરેક ઇમ્પોર્ટ પર લાગુ થાય છે.

તેના માટે ફ્રીમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતની પ્રોડક્ટને ખરીદવામાં પણ આવી શકે છે. કેગના ઓડિટરે કહ્યું છે કે, વેન્ડર પોતાના ઓફસેટ કમિટમેંટને પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેગે કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલયને પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગે એમ પણ કહ્યું હતું કે ૨૦૦૫થી ૨૦૧૮ સુધી વિદેશી કંપનીઓ સાથે ૪૮ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા જે કુલ ૬૬,૪૨૭ કરોડ રૂપિયાના હતા. ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૯,૨૨૩ કરોડ રૂપિયાના ઓફસેટ ટ્રાન્સફર થવાનું હતું, પરંતુ માત્ર ૧૧,૨૨૩ કરોડ રૂપિયાનું જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે જે નિર્ધારીત વાયદા પ્રમાણે માત્ર ૫૯ ટકા જ છે.

September 25, 2020
corona-gujarat.jpg
1min4290

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.

September 24, 2020
corona_india.jpg
1min4670

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
corona-gujarat.jpg
1min4950

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.

September 22, 2020
deepika_padukone.jpg
1min6190

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

September 22, 2020
corona_india.jpg
3min4670

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 86961 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 87882 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7025085613496061&output=html&h=280&adk=1086755764&adf=583301947&w=690&fwrn=4&fwrnh=100&lmt=1600743437&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2748499174&psa=1&guci=2.2.0.0.2.2.0.0&ad_type=text_image&format=690×280&url=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2Fin-the-last-24-hours-86961-new-cases-of-corona-were-reported-with-1130-deaths%2F186366.html&flash=0&fwr=0&pra=3&rh=173&rw=690&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChAI8J6h-wUQ36ncj72k4L5gEkwAzjD7zBFXp3Tx1R7ml1Dv1LQpeAIAvOAwy25n6ubw0afYlsDk3K7wl_92_6_Jc_IK0TXeswEca26l–9IpwRidalk49kVEXTEW8pk&dt=1600743437861&bpp=7&bdt=3909&idt=-M&shv=r20200915&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D663ac7353e48fa24%3AT%3D1562133851%3AS%3DALNI_MZ3X1rNlQ3RVQXUkVBsKl6aTP5ZUw&prev_fmts=0x0&nras=2&correlator=2964390636989&frm=20&pv=1&ga_vid=923950125.1562133831&ga_sid=1600743434&ga_hid=949336953&ga_fc=0&iag=0&icsg=46047232&dssz=20&mdo=0&mso=0&u_tz=330&u_his=3&u_java=0&u_h=768&u_w=1366&u_ah=728&u_aw=1366&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=140&ady=1976&biw=1349&bih=657&scr_x=0&scr_y=0&eid=21067213%2C21067105%2C21067479&oid=3&pvsid=1360846202384628&pem=890&ref=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2F&rx=0&eae=0&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1366%2C0%2C1366%2C728%2C1366%2C657&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&ifi=1&uci=a!1&btvi=1&fsb=1&xpc=REyl1rz8Uv&p=https%3A//www.navgujaratsamay.com&dtd=15

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 93356 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 20, 2020
corona_india.jpg
1min5220

ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના રોગચાળાના મામલે હવે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને સૌથી વધારે સફળતા હાંસલ કરી છે. દેશના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસથી વધી ગઇ હતી. શનિવારે કોરોનાથી ૯૫,૮૮૦ લોકો સાજા થયા હતા અને કોરોનાના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખથી વધી ગયા છે.

અત્યાર સુધી દેશમાં ૪૦,૦૮,૪૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં ૮૫,૬૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર ૭૯.૨૮ ટકા પર પહોંચી ગયો છે. અને મૃત્યુ દર ઘટીને ૧.૬૧ થઇ ગયો છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસો છે, જે કુલ કેસોના ૧૯.૧૦ ટકા છે.

૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૨૪૭ મૃત્યુમાં ૪૪૦ મહારાષ્ટ્રમાં, ૧૭૯ કર્ણાટકમાં, ૯૮ ઉત્તર પ્રદેશમાં, ૬૭ આંધ્ર પ્રદેશમાં, ૫૯ પ. બંગાળમાં, ૬૭ તમિળનાડુમાં, ૬૨ પંજાબમાં અને ૩૦ દિલ્હીમાં નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી નોંધાયેલ કુલ ૮૫,૬૧૯ મૃત્યુમાં ૩૧,૭૯૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં, ૮,૬૮૫ તમિળનાડુમાં, ૭,૮૦૮ કર્ણાટકમાં, ૫,૨૪૪ આંધ્ર પ્રદેશમાં, ૪,૯૦૭ દિલ્હીમાં, ૪,૮૬૯ ઉત્તર પ્રદેશમાં અને ૪,૨૪૨ પ. બંગાળમાં નોંધાયા છે.

કોરોના વાઇરસને પછાડવામાં કેન્દ્રની મોદી સરકારની મહેનત રંગ લાવી છે અને ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4840

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4930

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.