સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.
ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ
માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.
ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.





















