CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 138 of 143 - CIA Live

September 3, 2018
bullet-1280x720.jpg
1min5840

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનાર વ્યક્તિને તે મિલકતની ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે. જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સોંપણી કર્યાંનાં ત્રણ વર્ષની અંદર મિલકત ખરીદનારને જ સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું.

૫૦૮ કિમીના મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર માટે જમીન હસ્તગત કરવા ઝઝૂમી રહેલી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ)ની તાજેતરમાં જ મળેલી બેઠકમાં આ નિર્મય લેવામાં આવ્યો હતો.

એનએચએસઆરસીએલના સૂત્રોના જણાવ્યાનુસાર આવા જમીનમાલિકોની સ્ટેમ્પ ડ્યૂટી એજન્સી ભરી દેશે. આમ કરીને જમીનમાલિકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તેમની જમીન સોંપવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આપવામાં આવનારી રકમ જમીનમાલિકોને આપવામાં આવનારી વળતરની રકમ કરતા વધુ હશે.

મોટાભાગના રાજ્યમાં મિલકતનાં કુલ બજારભાવનાં પાંચથી સાત ટકા જેટલી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે અને રજિસ્ટ્રેટશન ફી તરીકે એક ટકા જેટલી રકમ વસૂલવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ ૧૪૩૪ હૅક્ટર જમીનની જરૂર છે જેમાંની ૩૫૩ હૅક્ટર જમીન મહારાષ્ટ્રમાં તો બાકીની જમીન ગુજરાતમાં છે.

એજન્સી અત્યાર સુધીમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં માત્ર ૦.૯ ટકા જમીન હસ્તગત કરી શકી છે અને તે જમીનની વાસ્તવિક રીતે સોંપણી કરી દેવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાની અંતિમ મુદત ડિસેમ્બર ૨૦૧૮ સુધીની છે.

September 1, 2018
maharaj.jpg
1min5940

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર કર્યાના બે વર્ષ બાદ મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટને છત્રપતિ શિવાજી નામ સાથે ‘મહારાજ’ જોડાયેલું નામ મળ્યું છે. છત્રપતિ શિવાજી ઍરપોર્ટ હવે છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટ બની ગયું છે તેવી જાણ ખુદ એવિયેશન મિનિસ્ટર સુરેશ પ્રભુએ કરી હતી.

ડિસેમ્બર, 2016માં રાજ્ય સરકારે આ નામમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરવાની વિનંતી કરતો કેન્દ્રને આ મામલે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવ ભાજપના સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મૂક્યો હતો, જે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. મુંબઈનો ઍરપોર્ટ પહેલા સહાર ઈન્ટરનેશનલ ઍરપોર્ટના નામે ઓળખાતો હતો. 1999માં તેનું નામ બદલી છત્રપતિ શિવાજી ઍરપોર્ટ રાખવામાં આવ્યું હતું.

 

August 31, 2018
vehicle-insurance-800x445.jpg
1min5860

વીમાની નિયામક ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે વાહનોની લાંબાગાળાની થર્ડ પાર્ટી વીમા પૉલિસી ફરજિયાત બનાવતા શનિવારથી કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવા મોંઘાં થશે.

એન્જિનની ક્ષમતા 1,000 સીસીથી ઓછી હોય એવી કારના ત્રણ વર્ષના થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ અંદાજે રૂપિયા 5,286 થશે, 1,000થી 1,500 સીસીની કારનો રૂપિયા 9,534 અને 1,500 સીસી કે તેથી વધુની ક્ષમતવાળી કારનો રૂપિયા 24,305 થશે.

બે પૈડાંવાળા વાહનોમાં 75 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનના પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાના અંદાજે રૂપિયા 1,045 થશે, 75થી 150 સીસીની બાઇકના રૂપિયા 3,285, જ્યારે 150થી 350 સીસીની બાઇકના રૂપિયા 5,453 અને 350 સીસીથી વધુની ક્ષમતાવાળું એન્જિન ધરાવતી બાઇકના રૂપિયા 13,034 થશે.

મોટર વાહન ધારા મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે.

વાહનોની ચોરી અને નુકસાન સહિતની બાબતને આવરી લેતા કૉમ્પ્રિહેન્સિવ ઇન્સ્યુરન્સમાં કાર ખરીદનારી વ્યક્તિ માટે એક કે ત્રણ વર્ષનો અને બે પૈડાંવાળા વાહન માટે પાંચ વર્ષનો વિકલ્પ અપાય છે.

અદાલતના આદેશ મુજબ નવી કાર માટે બધી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવો ફરજિયાત રહેશે. બે પૈડાંવાળા નવા વાહન માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવાનો રહેશે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી આ નવા આદેશનો અમલ કરવાની સૂચના આપી છે.

August 29, 2018
nitin-gadkar.jpg
1min5160

નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

ટૉઈલેટ ફ્લશ કર્યા બાદ ગટરમાં વહી જતું કહેવાતું ગંદુ પાણી ઘણું અત્યંત ઉપયોગી છે. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી બાયો સીએનજી ગેસ બનાવીને તેનાથી પરિવહન નિગમની બસ દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને હવે દેશભરમાં સંડાસના ગંદા પાણીમાંથી ગેસ પેદા કરીને એ બળતણથી બસો દોડાવવાનો પ્રયોગ શરૂ કરાઇ રહ્યો હોવાનું રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

Union Minister of Drinking water and Sanitation Nitin Gadkari addressing a press conference on the achievements of the NDA government during the last six months at YB Chavan on Thursday. Express Photo by Prashant Nadkar. 01.01.2015. Mumbai.

આપણે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં વહાવી દેઇએ છીએ એ ગંદા ગટરના પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. એટલું જ નહીં પણ નાગપુરની ગટરમાંથી વહેતા ગંદા પાણી માંથી ઉત્પન કરાયેલા ગેસમાંથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.

ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ

ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.

કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી

ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.

August 28, 2018
Indian-Railways-Solar-Train-866x487.jpg
1min6770

લાંબી મુસાફરીનો કંટાળો આવે છે? જરાય ગભરાવાની જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો છો. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વૉચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત ૧૨૦૦ કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવતાં ઉપરોક્ત ચીજ વસ્તુઓના સેલથી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.

સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ રેલવે વેચાણકર્તાઓના ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન દુરન્તોના એ.સી. કૉચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારે છે.

રેલવેના અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેન્ડરો આવકાર્ય છે અને સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલવેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

વસ્તુઓની ગુણવત્તા પર વિશેેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો એ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.

August 27, 2018
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min13020

વોટ્સએટ્સ દ્વારા તેના વપરાશકર્તાઓને સૂચિત કરવામાં આવે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કે જે વ્હોટ્સએપ એપ્લિકેશન પર મેસેજીસ અને મીડિયા ફક્ત બે પક્ષકારો પૂરતા સિમીત રાખે છે પરંતુ, જો વ્હોટ્સ એપ પરના ડેટા Google ના સર્વર્સ પર બૅકઅપ તરીકે સંગ્રહિત કરવામાં આવશે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની કોઇ ખાતરી વ્હોટ્સએપ આપી શકે નહીં. Google ડ્રાઇવમાં વૉટ્સએટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત નથી.

 

વોટ્સએપ મેનેજમેન્ટે તેની સાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું કે 16 મી ઓગસ્ટના રોજ ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગૂગલ સાથે કરાર કર્યો છે, જે યુઝર્સને ઇન્ટરનેટ કંપનીના મેગા સ્ટોરેજ ઓફર પર સંદેશા સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે. ગૂગલ (Google) ડ્રાઇવ પર જુદા જુદા હેતુઓના ડેટાને ફક્ત 15 જીબી સુધી સંગ્રહિત કરી શકાય છે.

ભૂતકાળમાં (2017) વપરાશકર્તાઓને સમજાવ્યું હતું કે Google ડ્રાઇવ પર સંગ્રહિત મેસેજિંગ એપ્લિકેશનનો ડેટા એનક્રિપ્ટ થયેલ નથી. જો કે, વોટ્સએટ્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સત્તાવાળાઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સરકારે એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશાઓની ટ્રેસબિલિટી પ્રદાન કરવા મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોન કર્યો છે.

વોટ્સએટ્સએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેના સંદેશાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે ટ્રેસબિલિટીની ઓફર કરી શકતું નથી. એક સ્વતંત્ર સુરક્ષા સંશોધક, સાઈ ક્રિષ્ના કોઠાપલ્લીએ જણાવ્યું હતું કે, “એક વોટ્સએટ યુઝર તરીકે, તમારી પાસે ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ લેવાનો વિકલ્પ નથી.” “તેઓ તમને બૅકઅપ લેવાની ફરજ પાડતા નથી. તે એક લક્ષણ છે તેથી, જો તમે Google પર ભરોસો રાખો છો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે ઉમેર્યું હતું કે,” જો કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્કસ વપરાશકર્તા ડેટા માટે Google ને વિનંતી કરે છે, ગૂગલ દ્વારા તમારો ડેટા સરકારી એજન્સીઓને આપી શકાય એમ છે. ”

વૉટ્સએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જેનો અર્થ થાય છે કે જે વપરાશકર્તા મોકલે છે તે મેસેજ ફક્ત પ્રાપ્તકર્તા અને મોકલનાર એમ બે વ્યક્તિ દ્વારા વાંચી શકાય છે. કોઇપણ ત્રીજા પક્ષકાર દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં કોઇપણ પ્રકારે મેસેજિસ કે ઇમેજીસ ટ્રેસ કરી શકાતા નથી.

 

August 23, 2018
socialmedia1-900px.jpg
1min6040

Jayesh Brahmbhatt   98253 44944

સોશ્યલ મિડીયા પર પોસ્ટિંગ અંગે કોઇ ધારોધોરણો તો ઠીક પણ નીતિ-નિયમો ન હોવાથી કેટલાક લોકો તેને બેફામ દૂરુપયોગ કરીને લોકોને રંજાડી તો રહ્યા છે પરંતુ, તેની સાથોસાથ અફવાઓ ફેલાવીને સામૂહિક હિંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોઇ, ભારત સરકારે આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થાય તે રીતે સોશ્યલ મિડીયા પર કાનુની લગામ કસવાની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે. ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી ગાઇડલાઇન્સ દાખલ કરશે. ગાઇડલાઇન્સની રૂપરેખા તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં રહેલી એક અત્યંત મહત્વની જોગવાઇએ છે કે ફેસબુક કે વ્હોટ્સ એપ પર ખોટા સમાચારો, ઉત્તેજક સમાચારો, અફવાઓ, નિંદા કરતી પોસ્ટ્સ વગેરે મોકલનારના મૂળ સુધી કંપનીઓએ પહોંચવું પડશે એટલું જ નહીં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે. વાંધાનજક પોસ્ટ માટે સ્થાનિક સ્તરે ફરીયાદ થઇ શકે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી પડશે

કેન્દ્ર સરકારની ગતિવિધિઓ જોતા એવું જણાય આવે છે કે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સ એપ સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ 79 હેઠળ આવશે. વોટ્સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે.

સંભવતઃ સપ્ટેમ્બર 2018થી દાખલ થઇ શકે નિમ્નલિખિત જોગવાઇઓ

(1) બોગસ, ખોટો, ઉત્તેજક મેસેજ ફેલાવનારા સુધી પહોંચવું પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(2) અફવાઓ ફેલાવનારા, ખોટા મેસેજ કરનારા સુધી પહોંચ્યા પછી તેમની સામે ફોજદારી દાખલ કરવી પડશે

(3) સ્થાનિક રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અધિકારીઓની નિમણૂંક કરવી પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(4) વાંધાજનક કન્ટેન્ટ ચોક્કસ સમય મર્યાદામાં દૂર કરવું પડશે કંપનીઓએ

સૂચિત સોશ્યલ મિડીયા રેગ્યુલેશન્સ ગાઇડલાન્સમાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિ કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ 2011માં નોટિફાય કરવામાં આવી હતી.

કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા 36 કલાકનો સમય આપવાની જોગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો.

ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી. હવે અમારે IT એક્ટની કલમ 79 હેઠળ માર્ગરેખા જાહેર કરવાની છે. ત્યાર પછી અમે વોટ્સએપ (કે અન્ય ઇન્ટરનેટ કંપની)ને કાયદાનું પાલન નહીં કરવા બદલ જવાબદાર ઠેરવી શકીએ. કાયદો અમને કડક પગલાંના અમલમાં મદદ કરશે. અત્યારે કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી મેસેજનું મૂળ શોધી શકાતું નથી.

August 22, 2018
DRI-Rahul_d.jpg
1min5240

મુંબઈથી દેશભરની બ્લૅકમાર્કેટમાં સપ્લાય કરવા માટે વિવિધ વિદેશી બ્રૅન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ સપ્લાય કરતા ગોડાઉનમાં DRIએ રેઇડ પાડીને ૧.૦૭ કરોડ રૂપિયાનો માલ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. દિલ્હીથી આ બિઝનસ ઑપરેટ કરતો માસ્ટર માઇન્ડ દેશભરમાં માર્લબોરોસ બેન્સન, રોથમૅન્સ જેવી જાણીતી બ્રૅન્ડની સિગારેટ સપ્લાય કરતો હતો.

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉન પર રેઇડ પાડવામાં આવી, દિલ્હીથી ઑપરેટ કરતા માસ્ટર માઇન્ડનું હતું આ ગોડાઉન

raid1

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉનમાંથી ઝડપાયેલો સિગારેટ્સનો જ્થ્થો

raid

આ બિઝનસનું મુખ્ય હબ મુંબઈ હતું એમ જણાવીને DRIએ આપેલી માહિતી મુજબ અહીંની માર્કેટમાંથી દેશભરમાં ડિમાન્ડ મુજબ માલની સપ્લાય કરવામાં આવતી હતી. મુંબઈની ધમધમતી મુસાફિરખાનાની માર્કેટમાં મુંબઇના બે મોટા ડિસ્ટ્રિબ્યુટર્સનાં પાંચથી છ ગોડાઉનમાં વિદેશી સિગારેટ રાખવામાં આવતી હોવાની માહિતી મળી હતી. મુસાફિરખાનામાં આવેલાં કેટલાંક ગોડાઉનમાં રેઇડ પાડવામાં આવી હતી. એમાંથી વિવિધ બ્રૅન્ડની ૧.૦૭ કરોડ રૂપિયાની સિગારેટનાં બૉક્સ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

August 22, 2018
gst.jpg
1min4260

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.

August 21, 2018
doll.jpg
1min6160

અમેરિકન ડોલર રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને બીજા વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે, પરંતુ આ ચિંતાને તમે મૂડીરોકાણની તક ગણીને ફાયદો ઉઠાવી શકો છો. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે આવકનો મુખ્ય સ્રોત નિકાસ હોય અથવા તો જેમનો વ્યવસાય યુએસ ચલણમાં મોટું રોકાણ ધરાવતો હોય એવા ક્ષેત્રને વધારે ફાયદો થાય છે.

ઇન્ફર્મેશન ટેક્‌નોલોજી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટો બિઝનેસ ધરાવે છે, જેથી તેમને સૌથી વધુ લાભ થશે. આંકડાકીય માહિતી મુજબ આઇટી સેક્ટરની નિકાસ કુલ વેચાણના 88.6 ટકા છે અને ત્યાર બાદ નોન-ફેરસ ધાતુ અને હેલ્થકેર સેક્ટરની નિકાસ તેમના કુલ વેચાણના આશરે અનુક્રમે બાવન ટકા અને 51 ટકા છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતીય અર્થતંત્રએ હરણફાળ ભરી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના વેચાણ થકી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. વેપારખાધ અને સતત વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં રૂપિયાની કટોકટીભરી અવસ્થામાં જે સ્ટોક સારો દેખાવ કરે અને સંબંધિત બેંચમાર્ક કરતાં વધારે વળતર આપે તેવા સ્ટોકને મહત્ત્વ આપવું જોઈએ.

ફાર્માસ્યુટિકલ્સનું બજાર સતત વધી રહ્યું છે. વર્તમાન માર્કેટના અહેવાલ અનુસાર 2021 સુધીમાં દુનિયાભરમાં દવાઓનો ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. આ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર તબીબી ખર્ચના ચારથી સાત ટકા અથવા ડોઝિસના 3 ટકા જેટલો છે. રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં જનરલ હેલ્થકેરમાં યુએસ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવશે જ્યારે ફાર્મા ક્ષેત્રનું ઊભરતું બજાર સમગ્ર દવાના વોલ્યુમના આશરે બે તૃતીયાંશની જરૂર પડશે.