CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 136 of 142 - CIA Live

October 1, 2018
cable_stayed-1280x720.jpg
1min43280

રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજને મંગળવાર તા.2 ઓક્ટોબર 2018ને ગાંધી જયંતિના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુલ્લો મૂકશે એ પછી પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી અવર-જવર કરશે એવી ગણતરી સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ માંડી છે. પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સુરતીઓ ઉમટી પડશે. સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાથી લઇને ટહેલવા આવનારા સુરતીઓ બ્રિજ પર વાહન પાર્ક કરીને ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જે તેવી ગણતરીને પગલે ટ્રાફિક પોલીસે પણ લો એન્ડ ઓર્ડર જાળવવા માટે કવાયત કરી દીધી છે.

લાખો લોકોની કાયમી અવરજવરનો રસ્તો બદલાય જશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ સુરતના અડાજણ (નદીપાર) માં રહેતા લોકો તેમજ અડાજણ (નદી પાર) માં નહીં રહેતા હોય પણ ત્યાં કામ-ધંધો-નોકરી ધરાવતા લાખો લોકોનો કાયમી માર્ગ બદલાય જશે. હાલમાં સરદાર બ્રિજ એકમાત્ર વિકલ્પ હતો, હવે કેબલ સ્ટેઇડ તેમજ થોડા મહિનામાં ઉમરા પાલનો બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યારે વધુ લોકોના કાયમી અવરજવરના રસ્તા બદલાય જશે.

લોકો સેલ્ફી લેવા, ફોટા પડાવવા ઉમટી પડશે

કેબલ સ્ટેઇડ બ્રિજ એવું નજરાણું સુરતીઓ માટે છે કે તેની કાગડોળે રાહ જોઇ રહેલા સુરતીઓ જેવો બ્રિજ ખુલ્લો મૂકાશે કે તરત જ તેના પરથી પસાર થવા, સેલ્ફી લેવા કે ફોટોગ્રાફ લેવા માટે પડાપડી કરશે. સાંજથી લઇને મોડી રાત્રે પરિવાર, મિત્રો સાથે ટહેલવા જનારા લોકો પણ થોડા દિવસો રોજેરોજ કેબલ સ્ટેઇડ બ્રિજની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસે આ બ્રિજને સેલ્ફી પોઇન્ટ કે ફોટોગ્રાફી સેન્ટર બનતો અટકાવવા માટે દિવાળી સુધી તો પરસેવો પાડવો પડશે.

શું છે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજની લાક્ષણિકતાઓ, સુરતના માહિતી ખાતાની ટીમે તૈયાર કરેલો રિપોર્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.

બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:
દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.

 લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:
કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

  • અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
     કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ 
     દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
     બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન 
     બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર 
     ૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
     ૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ 
     ૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
     બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
     પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ 
     અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
     બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’ 
     એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડે કનેક્ટેડ ફ્લાય ઓવર બ્રિજ)

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડેથી લેવાયેલી તસ્વીર)

(કેબલ સ્ટેઇડ બ્રિજ)

આપના કોઇપણ સમાચાર, ઇવેન્ટ કવરેજ માટે સંપર્ક કરો 98253 44944

September 29, 2018
adajanfly.jpg
1min171380

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાપર્ણ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ આપશે
  • એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી
  • પાલ-અડાજણમાં નવા ધંધા-રોજગાર આવશે, શોપિંગ સાઇટ્સ વધશે
  • 8-10 મહિનાના સમયમાં મિલક્તોના ભાવ 20 ટકા સુધી વધી જશે
  • શહેરભરમાંથી લોકો અડાજણ-પાલ આવશે, ડુમસ રોડનું ભારણ ઘટશે

હાલના અડાજણનો એરીયલ વ્યૂ, સરદાર બ્રિજથી શરૂ કરીને આખું અડાજણ ચિત્રમાં કંડારી લેવાયું છે

મંગળવાર તા.2જી ઓક્ટોબર 2018 ને ગાંધી જયંતિના દિવસે, શ્રાધ્ધ પક્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના અડાજણ અને અઠવાલાઇન્સને જોડતા તાપી નદી પરના કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ થવાના સમાચાર બધાએ સાંભળ્યા હશે પણ સીઆઇએ લાઇવ વેબ પોર્ટલ આપને એવા સમાચાર આપી રહી છે જે આપ પહેલી વખત જાણી રહ્યા છે.

2 જી ઓક્ટોબર 2018ને મંગળવાર ગાંધીજયંતિથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ખુલ્લો મૂકાશે

અડાજણ અઠવાલાઇન્સને જોડતો તાપી નદી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાતાની સાથે જ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ મળશે. પાલ અને અડાજણમાં ડેવલપમેન્ટ પૂરજોશમાં શરૂ થઇ જશે. પાલ અડાજણમાં બિઝનેસ ફર્મ્સ મોટા પાયે શરૂ થશે. સુરતના અનેક લોકો, નિષ્ણાંતો સાથે થયેલી વાતચીતના નિષ્કર્ષમાં એ વાત સામે આવી કે કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનને પગલે તાત્કાલિક જમીન-મકાનના ભાવ કે ભાડા વધશે નહીં પણ 8થી 10 મહિનાના સમયગાળામાં જમીન મકાનના ભાવમાં 20થી 25 ટકા જેટલો ઉછાળો જોવા મળશે.

હાલમાં હોટેલ રેસ્તરાં છે, હવે પછી બીજા ધંધા રોજગાર આવશે પાલ-અડાજણમાં

એક્સપર્ટસ કહે છે કે કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થયા બાદ અડાજણ-પાલ તરફના લોકોને ફાયદો થશે એ વાત સ્વાભાવિક છે પણ અડાજણ-પાલમાં આવેલા ધંધા રોજગારને મોટી ઘરાકી મળશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા નવા વિકસી રહેલા વિસ્તારના ધંધા રોજગારને મોટી ઘરાકી મળવાની સંભાવના છે. હાલમાં એલ.પી.સવાણી સ્કૂલ રોડ ફૂડ ઝોન તરીકે વિકસી રહ્યો છે, અહીં હાલમાં મોટા ભાગની બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ હોટેલ, રેસ્તરાં સ્થપાઇ ચૂકી છે પણ  નવો બ્રિજ શરૂ થયા પછીના 3-4 મહિના દરમ્યાનમાં અડાજણ અને પાલમાં અનેક બિઝનેસ ફર્મ્સ, દુકાનો, ફ્રેન્ચાઇઝી, એજન્સીઝ વગેરે નવા બિઝનેશ શરૂ કરશે. નિષ્ણાંતો કહે છે ખાસ કરીને હોમ એપ્લાઇયન્સીઝ, મોબાઇલ શોપ્સ, કમ્પ્યૂટર શોપ્સ, રિટેઇલ માર્કેટ, ગારમેન્ટસ જેવા રિટેલ બિઝનેસની નવી નવી ફર્મ્સ પાલ અને અડાજણ વિસ્તારમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ શરૂ થશે.

અડાજણ-પાલમાં પ્રોપર્ટી રેટ્સ વધશે

શહેરના જાણીતા બિલ્ડર્સ અને પાલ અડાજણમાં પ્રોજેક્ટ કરી રહેલા બિલ્ડર્સનું માનવું છે કે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેક્ટ મૂકાયો ત્યારે ઓલરેડી અડાજણ પાલમાં જમીન મકાનના ભાવો અને ભાડાં વધી ચૂક્યા હતા, એટલે પ્રારંભિક પ્રોજેક્ટ ઇફેક્ટ હાલના રેટમાં સામેલ થઇ ચૂકી છે. સંજોગોવસાત્ કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણમાં વિલંબ થયો એટલે માર્કેટ સ્લેક થયું. હવે તાત્કાલિક બ્રિજ ખુલે એટલે પ્રોપર્ટીના ભાવો વધી જશે કે ભાડાં વધી જાય તેવું નથી પણ હાલ 8થી 10 મહિના કે વર્ષના સમયગાળામાં પાલ અડાજણની પ્રોપર્ટીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવાશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા વિસ્તારમાં પ્રોપર્ટી આખા સુરતમાં સૌથી ઉંચા દરે લે-વેચ થશે. ખાસ કરીને પાલ, ભાઠા, પાલનપોર, જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ આવશે.

શહેરભરમાંથી લોકો ડુમસ રોડની જગ્યાએ પાલ-અડાજણમાં આવશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ શનિ-રવિ કે રજાના દિવસોમાં સુરત ડુમસ રોડ તરફ જતા લોકો અડાજણ તરફ વળશે. ડુમસ રોડ કરતા અડાજણ પાલમાં ખાણીપીણીથી લઇને મલ્ટી પ્લેક્સ, શોપિંગ સાઇટ્સ, મોલ્સ વગેરે વિકસી રહ્યા હોઇ શહેરભરમાંથી લોકો કેબલ સ્ટેઇડ બ્રિજ મારફતે અડાજણ પાલમાં ટાઇમ સ્પેન્ડ કરવા માટે આવશે. રજાના દિવસોમાં ડુમસ ગૌરવપથ પર ટ્રાફિકનું ભારણ ઘટશે જ્યારે એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી. પાલ અડાજણમાં ટ્રાફિક સિગ્નલ્સ મૂકવા પડશે.

ડુમસરોડ-વીઆઇપી રોડ અને અડાજણ વચ્ચેની વસતિનો ફરક વિકાસને વેગ આપશે

હાલમાં વેસુના વીઆઇપી રોડ તેમજ ડુમસ રોડ પર શોપિંગ મોલ્સ, ખાણીપાણી તેમજ પ્રોજેક્ટ આવ્યા છે. સુરતી માટે અત્યાર સુધી આ વિસ્તાર પોશ હતો અને લોકો હેંગ આઉટ માટે ત્યાં જઇ રહ્યા છે. પણ હવે હેંગ આઉટ સેન્ટર બદલાઇને પાલ અડાજણ બનશે. પાલ અડાજણમાં ધંધા રોજગાર વિકસવાનું કારણ ઘરાકી છે અને ઘરાકી ત્યાં વધારે થાય જ્યાં લોકો વસવાટ કરતા હોય. વેસુ વીઆઇપી રોડ કે ડુમસ રોડ કરતા સ્વાભાવિક છે કે અડાજણ અને પાલ વસતિની દ્રષ્ટીએ ગીચ છે અને હજુ વધુ ગીચ થશે. આ વિસ્તારમાં ધંધા રોજગાર સ્થાપનારને વેસુ કે ડુમસ રોડ કરતા વધુ ગ્રાહકો મળશે એમાં બે મત નથી. વેસુ, ડુમસ રોડ પર ઇન્વેસ્ટમેન્ટ માથે પડી રહ્યા છે જ્યારે પાલ અડાજણમાં એવું એટલા માટે નહીં બને કે વસતિ ગીચ હોવાને કારણે કોઇપણ ધંધા રોજગાર વેપાર હોય તેને ઘરાકીની સમસ્યા નહીં નડે. આ વિસ્તાર કરન્ટ બની જશે.

રિંગ રોડ કે ઉધના મગદલ્લા જનારાઓ માટે સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે

કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થવાથી સુરતના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોને સવલત જરૂર મળશે. ખાસ કરીને અઠવાલાઇન્સ શાળા કોલેજો કે ધંધા રોજગાર પર જતા લોકોને ફાયદો થશે એમાં બે મત નથી. પણ સુરતની લાઇફ લાઇનસમા રિંગ રોડ, ઉધના, ઉધના મગદલ્લા રોડ વગેરે જતા લોકો માટે તો સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે. કેમકે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અઠવાલાઇન્સ ઉતાર્યા બાદ ઉમરા પોલીસ મથકની ગલીમાંથી ઘોડદોડ રોડ થઇને કેનાલ કોરીડોર બીઆરટીએસ સુધી પહોંચતા ભારે ટ્રાફિક હશે એનાથી બેટર વિકલ્પ સરદાર બ્રિજથી રિંગ રોડ કે ઉધના વિસ્તારમાં જવું સહેલું રહેશે.

 

You Can Find us on Google Play store too

September 29, 2018
st2.png
1min18960

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ટેક્સટાઇલ બિઝનેસમાં હિન્દીભાષીઓનું વર્ચસ્વ ઘટાડવા માટે નવી ધરી બની, નામ છે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન

કેન્દ્રીય મંત્રી અને સુરતને કર્મભૂમિ બનાવનાર લાખો સૌરાષ્ટ્રવાસીઓના હામી એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે તા.29મી સપ્ટેમ્બર 2018ના રોજ સુરત આવ્યા છે અને સાંજે 4 વાગ્યે એક એવા સંગઠનને લોંચ કરી રહ્યા છે જે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ધરી ઉભી કરશે. હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટેભાગે હિન્દીભાષી, ઉત્તરભારતીયો, રાજસ્થાની વેપારીઓના હાથમાં છે. સ્થાનિક સુરતીઓ તો પહેલેથી જ આ ઉદ્યોગમાં લઘુમતિમાં છે, સ્થાનિક સુરતીઓ કરતા વધુ સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી વ્યાપારીઓ, વિવર્સ વગેરે છે. આવી સ્થિતિમાં હવે સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતીઓના નેજા હેઠળ એક અલગ ચોકો બનાવ્યો છે અને તેનું ઉદઘાટન મનસુખ માંડવીયા કરવાના છે.

સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચનાને ભાજપી નેતાઓ તેમજ ભાજપા સંગઠનના છૂપા આશીર્વાદ પણ છે. ભાજપાના કેટલાક હિન્દી ભાષી નેતાઓ ફક્તને ફક્ત ટેક્સટાઇલ ઉદ્યોગના જોરે, ટેક્સટાઇલ વ્યાપારીઓની સંખ્યાના આધારે પોલિટીકલ માઇલેજ મેળવી જતા હોય છે. આ બાબતને કટટુ સાઇઝ કરવા માટે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલમાં ટેક્સટાઇલ વ્યાપારીઓ, વિવર્સના અનેક સંગઠનોમાં વરાછાવાસીઓને પ્રતિનિધિત્વ નહીં મળતું હોવા ઉપરાંત જ્યારે પ્રશ્નો સર્જાય રહ્યા છે ત્યારે હિન્દીભાષીઓ એકત્રિત થઇ જતા હોવાના કિસ્સાઓને પગલે સ્થાનિક સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ટ્રેડર્સનો અલગ ચોકો ઉભો કરવાની જરૂરીયાત પર અમલ કરીને નવું એસોસીએશન જ બનાવી દીધું છે.

આ રહ્યું ઉદઘાટનનું આમંત્રણ કાર્ડ

 

 

 

 

September 27, 2018
adhar-pan-card1.jpg
1min5150

અત્યાર સુધીમાં 21.08 કરોડ પરમેનેન્ટ અકાઉન્ટ નંબર (પેન)નું જોડાણ આધાર કાર્ડ સાથે કરવામાં આવ્યું હોવાની માહિતી સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી. સત્તાવાર આકડાં પ્રમાણે તા.25મી સપ્ટેમ્બર 2018 સુધીમાં આવક વેરા વિભાગે ઇસ્યુ કરેલા કુલ 21,08,16,676 પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યાં હતાં. આ સમયગાળામાં કુલ ઇસ્યુ કરેલા અથવા કાર્યરત 41.02 કરોડ (41,02,66,969) પેન કાર્ડ છે.

સીબીડીટીએ 30મી જૂન, 2018ના દિવસે જાહેર કરેલા આદેશમાં પેન-આધાર જોડાણ માટેની મુદત 31મી માર્ચ, 2019 સુધી લંબાવી હતી. તાજેતરની માહિતી પ્રમાણે ઇસ્યુ કરાયેલ 41.02 કરોડ પેન કાર્ડમાંથી 40.01 કરોડથી વધુ પેન કાર્ડ નાગરિકોને ઇસ્યુ કરાયા છે. બાકીના પેન કાર્ડ કંપનીઓ અને અન્ય કેટેગરીના કરદાતાને ઇસ્યુ કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ કહી શકાય કે ઇસ્યુ કરાયેલ પેનમાંથી લગભગ પચાસ ટકા કાર્ડ આધાર સાથે જોડવામાં આવ્યાં છે.

બાયોમેટ્રિક યોજના અને કાયદાને પડકારતી અરજીઓનો નિકાલ પાંચ જજની ખંડપીઠ ન કરે ત્યાર સુધી બંને કાર્ડના જોડાણની ડેડલાઇન લંબાવતા રહેવાના સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અત્યાર સુધીમાં પાંચ વખત ડેડલાઇન લંબાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલે આપેલા ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી.

September 18, 2018
robo1.jpg
1min17770

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ૨૦૨૫ સુધીમાં માણસ કરતા મશીન વધુ માત્રામાં કાર્યરત હશે. ૨૦૨૫ સુધીમાં માણસનું બાવન ટકા કામ રૉબૉ દ્વારા થતું હશે એમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અભ્યાસમાં બહાર આવ્યું છે.માણસે મશીન સાથે કામ કરવા તેના કૌશલ્યની ગતિ પણ તેજ કરવી પડશે. મશીન તથા કમ્પ્યુટર પ્રોગ્રામ અનુસાર ચાલતી સિસ્ટમને સંચાલિત કરવા માણસે શીખવું પડશે. સ્વિટ્ઝર્લેન્ડના બિનનફાકારક સંગઠને જણાવ્યા મુજબ હાલમાં ૨૯ ટકા મશીન માણસનું કાર્યક્ષેત્ર સંભાળી રહ્યું છે જે ૨૦૨૫ સુધીમાં બાવન ટકાએ પહોંચશે. જ્યારે કમ્પ્યુટરની બદલાઈ રહેલી શૈલી, સિસ્ટમ, અલ્ગોરિધમ અને પ્રોસેસ અંગેની ટેકનિક અને સમસ્યાના નિવારણ માટે ૧૩.૩ કરોડ કાર્યકુશળ લોકોની જરૂર ઊભી થશે જે લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂરો કરવાની જરૂરિયાત હોવાનું પણ સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે. જિનિવા સ્થિત ડબલ્યુઈએફ સંસ્થા સાથે વિશ્ર્વની મહાન હસ્તિઓ સંકળાયેલી છે. ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ સેક્રેટરિયલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ક્ષેત્રે, ક્લાયન્ટ મેનેજમેન્ટ તથા અકાઉન્ટિંગ ક્ષેત્રે માણસની જગ્યાએ રોબો ગોઠવાશે. જ્યારે વેચાણ, માર્કેટિંગ, કસ્ટમર સર્વિસ તથા ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે માનવીય કૌશલ્યની જરૂરિયાત રહેશે.ક્રિયેટીવિટી, ક્રિટીકલ થિકિંગ અને પર્સ્યુએશન ક્ષેત્રે માણસે સતત અપડેટ રહેવાની જરૂર ઊભી થશે.

 

 

ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ અત્યારથી શરૂ કરી ૨૦૨૨ સુધીમાં એવિયેશન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં પ્રવ્ાૃત્ત માનવીય કૌશલ્યએ તેમની શીખવાની અને ગ્રહણ કરવાની આવડતને જાળવી રાખવી પડશે. ઉપરાંત સતત માહિતગાર પણ રહેવું પડશે.

માનવ કૌશલ્ય પર રોબોની તરાપ અંગેની સમસ્યાને પહોંચી વળવા અને માનવ સમુદાયની સલામતી અને આજીવિકા અંગે પગલા ભરવા સરકારને કટિબદ્ધ થવા પણ અનુરોધ કરવામાં આવ્યો હોવાનું ડબલ્યુઈએફના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

September 13, 2018
ranjangogoi.jpg
1min6550

જસ્ટીસ શ્રી રંજન ગોગોઇને ગુરુવારે ભારતના 46માં ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા તરીકેનો નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા જારી કરી દેવામાં આવ્યું હતું. ભારતના નવા ચીફ જસ્ટીસ તરીકે શ્રી રંજન ગોગોઇ આગામી તા.3 ઓક્ટોબર 2018ના રોજ શપથ ગ્રહણ કરશે અને તેઓ વર્તમાન ચીફ જસ્ટીશ શ્રી દિપક મિશ્રાના અનુગામ તરીકેનો કાર્યકાળ સંભાળી લેશે.

જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકેનો કાર્યકાળ નવેમ્બર 2019 સુધીનો રહેશે.

ભારતના નવા ચીફ જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો જન્મ તા.18મી નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ 1978માં વકીલ બન્યા હતા. તેઓ ગોહાત્તી હાઇકોર્ટમાં બંધારણ, ટેક્સેશન તેમજ કંપની મેટર્સના મુદ્દાઓ પર વકીલાત કરી ચૂક્યા છે. તા.28મી ફેબ્રુઆરી 2001ના રોજ તેમને ગોહાત્તી હાઇકોર્ટના કાયમી જડ્જ શ્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.9મી સપ્ટેમ્બર 2-10ના રોજ તેમની બદલી પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તા.12મી ફેબ્રુઆરી 2011ના રોજ શ્રી રંજન ગોગોઇ પંજાબ અને હરીયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા હતા. અંતે શ્રી ગોગોઇ 23મી એપ્રિલ 2012માં સુપ્રીમ કોર્ટમાં જડ્જ નિમાયા હતા.

 

September 12, 2018
jet.jpg
1min5380

જેટ એરવેઝના 30 પાઇલટ્સનાં રાજીનામાં

જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે છેલ્લા એક મહિના દરમિયાનમાં જ રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને ₹36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં. આ અંગે જેટ એરવેઝને 7 સપ્ટેમ્બર 2018ના રોજ ઇ-મેઇલ મોકલ્યો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી.

કંપની પાસે 18 ATR વિમાનનો કાફલો છે જેમાંથી સાત વિમાન રિજનલ એરલાઇન ટ્રુજેટને વેટ લીઝ પર આપવાનાં છે. “લગભગ 30 ATR કમાન્ડર્સે રાજીનામાં આપી દીધાં છે. તેઓ એવી એરલાઇન્સમાં જોડાયા છે જ્યાં તેમને કારકિર્દીમાં આગળ વધવાની અને એરબસ 320 જેવાં મોટાં વિમાનો ઉડાવવાની તક મળતી હોય.” એમ જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

આ પાઇલટ્સ એવી એરલાઇન્સમાં લાગ્યા છે જે એરલાઇન્સે તેમને ઊંચા પગારની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની ઓફર કરી હોય. કમાન્ડરે ઉમેર્યું હતું કે, આ ATR કમાન્ડર્સનાં રાજીનામાંને કારણે દક્ષિણ ભારત સ્થિત રિજનલ એરલાઇન ટ્રુજેટને ATR વિમાન ભાડે આપવાની જેટ એરવેઝની યોજના પર અસર પડી શકે છે. ટ્રુજેટ દ્વારા ક્રૂ સાથે સાત વિમાન ભાડે લેવાના છે. જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે જણાવ્યું હતું કે, “ટ્રુજેટ સાથેના કરારમાં ક્રૂ સહિતનાં વિમાનો આપવાની શરત છે. જો આ કમાન્ડર્સ જ નહીં હોય તો ક્રૂ વગર વિમાન કેવી રીતે આપી શકાશે?”

જેટ એરવેઝે તેના કમાન્ડર્સને ટકાવી રાખવા માટે ₹36 લાખનું રિટેન્શન પેકેજ પણ ઓફર કર્યું હતું, જેની ચુકવણી 3 વર્ષમાં થવાની હતી પરંતુ મોટા ભાગના પાઇલટ્સને આ પેકેજ સ્વીકાર્ય નહોતું. કંપનીની ઓફર પ્રમાણે, પ્રથમ બે વર્ષ દરમિયાન ₹9 લાખ ચૂકવવામાં આવશે અને બાકીના ₹27 લાખ ત્રણ વર્ષ પૂરાં થયા પછી જ મળશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જેટ એરવેઝ તેની ગંભીર નાણાકીય મુશ્કેલીને કારણે સમાચારમાં ચમકી હતી. કંપનીએ ગયા સપ્તાહે જ તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે, તેમનો બાકીનો પગાર સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રણ મહિના દરમિયાન બે હપતામાં ચૂકવવામાં આવશે.

 

September 11, 2018
petrol-diesel-1.jpg
1min4940

રાજસ્થાન બાદ આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર વૅટમાં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલ પર ચાર રૂપિયા વેટ વસૂલે છે.

વિવિધ કર અને ડિવિન્ડ દ્વારા સારી કમાણી થતી હોવા છતાં પટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને કેન્દ્ર સરકાર લોકોના માથે બોઝો વધારી રહી છે. રાજ્યનું બજેટ ખોટમાં હોવા છતાં અમે કર ઘટાડીને લોકોનો બોજો થોડો ઓછો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે રાજ્ય સરકારને રૂ. 1120 કરોડની આવક જતી કરવી પડશે.

September 10, 2018
Vasundhara-Raje-k05E-621x414@LiveMint.jpg
1min7200
રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરથી બચવા માટે વસુંધરા રાજે સરકારે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડના બોજની પરવાહ કર્યા વગર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ એકંદરે અઢી રૂપિયા જેટલું સસ્તું કરી દેવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે. આવા સમયે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રજાના આક્રોશની અસર મતદાન પર ના પડે તે માટે ભાજપ સરકારે રાતોરાત આ નિર્ણય કર્યો છે
રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતાં વેટના દરોમાં 4-4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત રવિવારે તા.10મી સપ્ટેમ્બરના રોજ કરી હતી અને રવિવાર તા.10મી સપ્ટેમ્બર 2018ની મધરાતથી જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થઇ ગયા છે.
રાજ્યનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ એક કાર્યક્રમમાં પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા તથા ડીઝલ પરનો વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. પરંતુ, પ્રજાને લીટર દીઠ અઢી રૂપિયા જેટલો ફાયદો થશે.
એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર જે જે રાજ્યોમાં પોતાની સરકારો છે ત્યાં એક યુનિફોર્મ પોલીસી બનાવીને રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતા વેટ કે અન્ટ ટેક્સના દરોમાં ઘટાડો કરીને લોકસભાની ચૂંટણી પહેલા ભડકે બળી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવાનો પ્રયાસ આગામી દિવસોમાં હાથ ધરશે.

For Any news, event coverage please contact 98253 44944

Down load from Google Play store

September 8, 2018
suratairport1.jpg
1min23120

cialive@yahoo.com

સુરત એરપોર્ટ હવે 24 કલાક ધમધમતુ અને દેશનું મહત્વનું એરપોર્ટ બન્યું છે. થોડા મહિના અગાઉ ફક્ત એક જ ફ્લાઇટ સુરત આવતી અને સુરતથી ઉપડતી હતી. હવે 21 જેટલી ફ્લાઇટ્સ રોજેરોજ સુરત આવે છે અને સુરતથી ઉપડે છે.

ધંધાકીય શહેર હોવાથી સુરતમાં રોજેરોજ હજારો મુલાકાતીઓ સમગ્ર દેશ દુનિયામાંથી આવે છે એવી જ રીતે સ્થાનિક સુરતીઓ પણ રોજેરોજ હજારોની સંખ્યામાં સુરતથી દેશના અન્ય શહેરો, વિદેશોમાં જાય છે. આવી સ્થિતિમાં મુલાકાતીઓને સુરત એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટ્સની માહિતી માટે અત્રે ટાઇમ ટેબલ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં રજૂ કરી રહ્યા છીએ.