CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 121 of 142 - CIA Live

May 19, 2019
Highway.jpg
1min7000

વડોદરા- અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે. વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી ૧૧૦થી વધીને ૧૨૦ રૂપિયા કરવામાં આવી, જ્યારે એલસીવી ફી ૧૭૫થી વધીને ૧૮૫ રૂપિયા, બસ-ટ્રકનો ટોલ ટેક્સ ૩૮૫ કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી.

એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી ૧૧૦ રૂ., એલસીવીની ફી રૂ.૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂ.૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં ૨૦ રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે ૧લી એપ્રિલથી વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.

May 18, 2019
modi_kedardham.jpg
1min10000

આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.

વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’

અમિત શાહ પરિવાર સમેત સોમનાથ પહોંચ્યા

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સમેત ગુજરાતના જ્યોતિર્રલિંગ સોમના મહાદેવ પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.

શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.

શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.

May 17, 2019
shastri.jpg
1min7680
ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કપ્તાનીમાં આઇસીસી વર્લ્ડ કપનો તેનો ત્રીજો ખિતાબ જીતવા 22મીએ અહીંથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતનો પહેલો મેચ તા.પ જૂને દ. આફ્રિકા સામે સાઉથમ્પટનમાં છે. એ પહેલા ભારતીય ટીમ બંગલાદેશ અને ન્યુઝિલેન્ડ સામે અભ્યાસ મેચ રમશે.
આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયાના પસંદ થયેલા 1પ ખેલાડીનો કોઇ કન્ડિશનિંગ કેમ્પ યોજાયો નથી. બધા ખેલાડી 21મીએ મુંબઈમાં ભેગા થશે. 21મીએ સાંજે બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની પત્રકાર પરિષદ યોજાશે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઇજાગ્રસ્ત કેદાર જાધવ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે કે નહીં ?
ભારતને વિશ્વ કપમાં જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કેદાર જાધવની ફિટનેસ સમસ્યા એકમાત્ર ટીમનું ચિંતાનું કારણ છે. જો તે ઇજામાંથી બહાર આવી જશે તો ટીમ સાથે જ ઇંગ્લેન્ડ રવાના થશે. તેના વિકલ્પે રીષભ પંતને સ્થાન મળી શકે છે.
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.
May 17, 2019
gujarat_map-1280x1023.png
1min5520

ગુજરાતમાં ચોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્ય નિયામકે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થતો હોય છે. ત્યારે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થતા ચોમાસુ સારું રહેવાની હવામાન ખાતએ અગાહી કરી હતી. બેઠકમા ઇસરો દ્વારા ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનો લાભ આ વખતે લેવાશે, તેમ જણાવવવામાં આવ્યું હતું. બેઠકમાં એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં ૪૭ જવાનો ધરાવતી કુલ ૧૫ ટીમો વડોદરા અને ગાંધીનગર ખાતે સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમ જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

May 16, 2019
indo_pak-1280x720.jpg
1min9030

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.

ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.

આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.

પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.

ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

May 15, 2019
world_cup_logo.png
1min9770

ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યં હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.
આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.
May 15, 2019
monsoon.png
1min6010

ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.

May 15, 2019
weather-forecast.jpg
1min9770

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.

May 13, 2019
ahmedabad_metro1.jpg
1min13670

મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.

જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.

May 13, 2019
turkheda.jpg
1min7150

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.