Jayesh Brahmbhatt 98253 44944
એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)
ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય
ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.
ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.
ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.
જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.