cialive@yahoo.com
મોટા ઉદ્યોગપતિઓ એડવાન્સ ઇન્કમ ટેક્સ પેટે મસમોટી રકમ ભરાવડાવીને બાદમાં તેનું વ્યાજ સમેત રિફંડ લઇને સરકારની તિજોરી કેટલું નુકસાન કરાવે છે એ જાણવા વાંચો આર્ટિકલ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ રિફંડની વધતી જતી રકમ જ જાન્યુઆરી 2018 સુધીમાં રૂ.1.26 લાખ કરોડ પર પહોંચી જતા કેન્દ્ર સરકારની સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ ટેક્સ રિફંડના ટોચના 50 કેસોની માહિતી માંગી છે. પાર્લામેન્ટરી પેનલ એ બાબત પર આગળ વધી રહી છે કે ટેક્સ કલેકશનનો ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં અને એડવાન્સ ટેક્સના ભરણાને વાસ્તવિક માની લેવાની મનો સ્થિતિથી વિપરીત મસ મોટી રકમનું રિફંડ તો કરવું પડી રહ્યું છે અને એ પણ વ્યાજ સમેત. આ બાબત સરકારની તિજોરીને બેધારી તલવારની જેમ નુકસાન પહોંચાડે છે. સરકારની આવક વધતી નથી અને ઉલ્ટાનું એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમ રિફંડ પેટે વ્યાજ સહિત પરત કરવાનો વખત આવે છે.
લક્ષ્યાંક સિદ્ધિ માટે એડવાન્સ ટેક્સ પેટે મસમોટી રકમનું ભરણું અને બાદમાં મસમોટી રકમનું વ્યાજ સમેત રિફંડ (1) લક્ષ્યાંક સિદ્ધિમાં ખોટ અને બીજું બિનજરૂરી વ્યાજની ચૂકવણું એમ બેવડો માર મારે છે
ધ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સએ એવી ખતરાની ઘંટડી વગાડી છે કે ઇન્કમ ટેક્સ જેવા ડાયરેક્ટ ટેક્સમાં જાન્યુઆરી 2018ની સ્થિતિએ 2017-18ના હિસાબી વર્ષને ધ્યાનમાં રાખતા રૂ.1.26 લાખ કરોડની રકમ રિફંડ તરીકે ચૂકવી દેવામાં આવી છે. આ રકમમાં રૂ.10,312 કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવાયેલી છે. આ જ વ્યાજની રકમ અગાઉના વર્ષમાં રૂ.6,889 કરોડ હતું. આમ, એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમનું રિફંડ આપવામાં કેન્દ્ર સરકારની તિજોરીમાંથી રૂ.17 હજાર કરોડની જંગી રકમ તો વ્યાજ તરીકે ચૂકવવામાં આવી હતી. ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે. આ જ કારણથી સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસેથી એડવાન્સ્ ટેક્સ કેસીસની ડિટેઇલ્ડ માંગવામાં આવી છે.
દેશના મોટા શહેરોમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવતા ટાર્ગેટની રકમને સર કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા જ મોટા પાયે એડવાન્સ ટેક્સ ભરાવડાવવામાં આવે છે, એડવાન્સ ટેક્સ ભરપાઇ થતા પ્રારંભિક એવું ચિત્ર ઉપસે છે કે જે તે શહેરોમાં ઇન્કમ ટેક્સને આપવામાં આવેલો લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયો, પરંતુ, બાદમાં રિફંડની મસ મોટી રકમ અને તેમાં વ્યાજની રકમ કેન્દ્ર સરકારની તિજોરીને બેવડો માર મારી રહી હોવાથી ફાઇનાન્સની સ્ટેન્ડિંગ કમિટીએ એડવાન્સ ટેક્સ માટે થઇ રહેલા પ્રયાસોને અતિરેકપૂર્ણ ગણાવ્યા છે.
કેન્દ્ર સરકારના ડેટા અનુસાર પાછલા ચાર હિસાબી વર્ષમાં ટેક્સ રિફંડની રકમમાં સતત 13 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ ટકાવારીને રકમમાં તબદિલ કરીએ તો જાન્યુઆરી 2018 સુધીમાં કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિફંડ પેટે રૂ.1.26 લાખ કરોડ જેટલી જંગી રકમ ચૂકવી દીધી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિક દ્વારા રજૂ કરવામાં આવેલી કેટલીક ક્વેરીઝનો જવાબ આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલથી ઓગસ્ટ 2018ના સમયગાળા દરમિયાન ભારતમાં ટેક્સ પેયર્સને રૂ.94,904 કરોડ જેટલી જંગી રકમનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં આપવામાં આવેલા રિફંડ કરતા 28.1 ટકા વધુ છે. 2017-18ના હિસાબી વર્ષ માટે ચૂકવવામાં આવેલા જાન્યુઆરી 2018 સુધીમાં ચૂકવવામાં આવેલા રૂ.1.26 લાખ કરોડના રિફંડની રકમ સામે એપ્રિલથી ઓગસ્ટ 2018 સુધીમાં ચૂકવાયેલા રૂ.94,904 કરોડના રિફંડની રકમ 75 ટકા જેટલી થાય છે.
એવી જ રીતે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં પણ રૂ.47,218 કરોડની જંગી રકમનું રિફંડ ચૂકવણું ભારત સરકારની તિજોરી માટે એલાર્મિંગ છે.
| વર્ષ | આઇ.ટી. રિટર્ન | રિફંડ કેસ | રિફંડ રકમ કરોડરૂ. | રિફંડ ટકાવારી |
| 2014-15 | 4,24,80,486 | 1,35,78,605 | 1,12,198 | 31.96 |
| 2015-16 | 4,75,26,241 | 2,10,22,122 | 1,22,266 | 44.23 |
| 2016-17 | 5,49,37,217 | 1,75,66,508 | 1,19,293 | 31.97 |
| 2017-18 | 6,84,93,894 | 1,95,16,877 | 1,26,731 | 28.49 |





















