બિઝનેસ Archives - Page 71 of 90 - CIA Live

March 22, 2019
gst.jpg
1min14250
  • નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક
  • અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી

નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.

અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.

સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.

March 21, 2019
mumbai_indian.png
1min11690

ફોર્બ્સે ના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સની કુલ માર્કેટ વેલ્યુ 50 બિલિયન ડોલર

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

 

13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો

ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે

ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોપ સ્પોર્ટ્સ ટીમ માલિક

ટીમના માલિક     
                  ટીમ                રમત                             નેટવર્થ

મુકેશ અંબાણી                  મુંબઇ ઇન્ડિયન્સ     આઇપીએલ           50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર                   લોસ એન્જલિસ      એમબીએ             41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ         રેડ બુલ                   ઓટો રેસિંગ          18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી    સાન જોસ શાર્ક      આઇસ હોકી          13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ           ચેલ્સી ક્લબ            ફુટબોલ                 12.4 બિલિયન ડોલર

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min15860

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 20, 2019
jet-1280x720.jpg
1min5920

ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.

  • 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
  • નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે

ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.

સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.

March 15, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min7820

ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં નરેન્દ્ર મોદી સુપર હિરોની ઇમેજ ધરાવી રહ્યા છે, મોદીના નામ પર આજે ભારતમાં કંઇપણ વેચાય જાય છે, કેટલાક ધંધાદારીઓએ ફેસબુક પર મોદીના ફોટા અને નામ પર ધંધા શરૂ કરી દીધા હતા

ફેસબુકની એડ લાઇબ્રેરી પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી મોદીની ઇમેજ એન્કેશ કરવાનો ધંધો કરી રહ્યા છે

ભારતમાં નરેન્દ્ર મોદીની ઇમેજ કોઇ કાલ્પનિક સુપર હીરો કરતા પણ વધી ગઇ છે, લોકો નરેન્દ્ર મોદીને રોબિનહુડ, સુપરમેનથી લઇને ભગવાનનું માનવીય સ્વરૂપ માનવા લાગ્યા છે, સારી બાબતોની સાથે કેટલીક નરસી બાબતો પણ જોડાયેલી છે એમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેણમાં પોતાની બ્રાન્ડ વહાવીને રોકડી કરવા માંગતો તત્વો પણ મોદીની ઇમેજને બેરોકટોક પણે એન્કેશ કરી રહ્યા હતા. જેને ફેસબુકે બંધ કરાવ્યા છે.

સોશિયલ મીડિયામાં મોદીના ફોટાની આડમાં કમાણી કરવા માંગતી નાની બ્રાન્ડ્સ અને કેટલાક સ્માર્ટ કૌભાંડીઓ મોદીની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. ફેસબુકની એડ પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી તેમની લોકપ્રિયતામાંથી રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્ માટે મોદીના ફોટાનો ઉપયોગ કરનારી અન્ય ફર્મ્સમાં ફ્રેશર્સ ગ્રૂપ, ટુડે વોકિન્સ, ગવર્મેન્ટ જોબ્સિફાય, ઓમ નૌકરી અને પ્રાઇવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલ્સ સામેલ છે.

મોદીના ફોટાનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરાતો હોવાની ફરીયાદો મળતા જ ફેસબુકે આખરે આ તમામ ફેક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડ્ મુકાયા પછી જાણ થઈ હતી કે, વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય મહત્ત્વના વ્યક્તિ સાથે સંકળાયેલી છે. ફેસબુક પરની એક એડ્માં બે હાથમાં પિસ્તોલ અને પીઠ પર મોટી બંદૂક સાથેના વ્યક્તિના ચહેરા પર મોદીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાંથી બહાર નીકળતા એ વ્યક્તિએ કાઉબોય હેટ અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આ ₹799ના ‘PubG વાળાં ચશ્માં’ની એડ્ હતી, જેમાં મોદીનો ઉપયોગ કરાયો હતો.

ઓનલાઇન પેરેન્ટિંગ પ્લેટફોર્મ્સ બેબીચક્ર અને હેલોફીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અને ગર્ભવતી મહિલાની બાજુમાં વડાપ્રધાન મોદીનો ફોટો દર્શાવ્યો હતો. વાસ્તવમાં તો હેલોફીની સોશિયલ મીડિયા એડ્માં દાવો કરાયો હતો કે, તે ભારત સરકારની પ્રેગનન્સી એપ્લિકેશન હતી.

બેબીચક્ર અને હેલોફીને અનુક્રમે ઇક્વાનિમિટી વેન્ચર્સ અને ઓમિડ્યાર નેટવર્ક જેવા રોકાણકારોની છાયામાં રહીને બંને કંપનીએ કુલ 25 જેટલી જાહેરાતો પાછળ ₹15 લાખ જેટલો ખર્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ, 1950 મુજબ વ્યાવસાયિક હેતુ માટે વડાપ્રધાન મોદીના નામ અને તસવીરના ઉપયોગ પર પ્રતિબંધ છે. 2016માં એડ્ માટે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવા PayTM અને રિલાયન્સ જિયોને કડક ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ભાજપના અમિત માલવિયાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. બેબીચક્ર અને હેલોફીએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોદીના ફોટાનો ઉપયોગ કરતી કેટલીક એડ્ શંકાસ્પદ અને છેતરપિંડીવાળી હતી. જેમ કે, ડિજિટલ ઇન્ડિયા મોબાઇલ્સ નામના એક ફેસબુક પેજ પર વડાપ્રધાને લોન્ચ કરેલી યોજનાના નામે ₹499માં સ્માર્ટફોનનું વેચાણ થતું હતું. 

વાસ્તવમાં સરકારે આવી કોઈ સ્કીમ લોન્ચ કરી નથી. એવી રીતે ‘પ્રધાનમંત્રી યોજના’ અને ‘જનધન યોજના’ના અન્ય પેજમાં PayTM એકાઉન્ટમાં ₹99 ટ્રાન્સફર કરી સ્માર્ટફોન મેળવી શકાતો હોવાનો દાવો કરાયો હતો. આવા પેજ પર યુઝર્સને .TK ડોમેનવાળી વેબસાઇટ્સ પર લોગ-ઈન કરવાનું જણાવાય છે. ઘણા કિસ્સામાં આવી વેબસાઇટ્સનો ઉપયોગ કૌભાંડીઓ કરતા હોય છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min7440
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
income_tax-1280x853.jpg
1min6450

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 13, 2019
SGCCI.jpg
1min7660
  • SGCCI મેનેજિંગ કમિટીમાં 13 નવા ચહેરાઓને સ્થાન
  • સત્તાધારી પક્ષ તરફથી 7 નવા ચહેરા સમાવાશે
  • બીએસ અગ્રવાલ જૂથના 6 ચહેરાઓ અને એ નવા અને જેન્યુઇન વ્યવસાયિક કે ઉદ્યોગપતિ છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક તરફ આજના અખબારોમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી અંગેની નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી તો બીજી તરફ સાંજના સુમારે એવા સમાચાર આવ્યા હતા કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ચીફ પેટ્રનની 12, પેટ્રનની 6 અને લાઇફ મેમ્બરની કુલ 46 બેઠકો માટેની ચૂંટણી ટળી જવા પામી છે. માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલ કેમ્પ દ્વારા સમાધાનકારી વલણ અપનાવીને સત્તાધારી પેનલ સાથે સમાધાનની ફોર્મ્યુલા પર સંમતિ આપવામાં આવી હતી.

સાંજે 5 વાગ્યે ચેમ્બર કાર્યાલય ખાતે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે કંઇક નવીન કાર્ય કરવા જઇએ એટલે સ્વાભાવિક વિરોધ થાય. હું તો પ્રમુખ બની ચૂક્યો છું, આમ છતાં મેં કેમ મેનેજિંગ કમિટીની ચૂંટણી થાય તેવો અભિગમ અપનાવ્યો એ બાબતે મને લોકો સવાલો કરતા હતા. બી.એસ. અગ્રવાલે કહ્યું કે ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં નવા ચહેરાઓ ખાસ કરીને જેન્યુઇન બિઝનેસમેન, વ્યવસાયિકોને સ્થાન મળે તેવા પ્રયાસ માટે મેં આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતની મેનેજિંગ કમિટીમાં ઘણાં નવા ચહેરાઓ આપને જોવા મળશે.

સત્તાધારી પેનલ સાથે કેટલી બેઠકો પર સમાધાન થયું એ અંગે બીએસ અગ્રવાલે કોઇ ફોડ પાડ્યો ન હતો. પરંતુ, સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બી.એસ. અગ્રવાલ જૂથના 6 જેટલા પ્રતિનિધિઓને મેનેજિંગ કમિટીમાં સ્થાન મળશે એ નિશ્ચિત મનાય છે. આ વખતની ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં કુલ 13 નવા ચહેરાઓ જોવા મળશે. બીએસ જૂથ ઉપરાંત સત્તાધારી જૂથ દ્વારા પણ કેટલાક જૂના નેતાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

જોકે, ચૂંટણી ટળવાની આધિકારીક ઘોષણાં મોડી સાંજે કરવામાં આવશે એમ મનાય છે. તા.13મી માર્ચ 2019ને બુધવારે સાંજે 5.10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે ચેમ્બરની ચૂંટણી ટળી ગયાના પહેલા સમાચાર સી.આઇ.એ. લાઇવને મૌખિક રીતે મળ્યા હતા.

ટૂંકમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી હવે ટળી જવા પામી છે. હવે પછીનો જંગ વાઇસ પ્રેસિડેન્ટશીપ માટે લડાશે.

March 10, 2019
him_pm.jpg
1min189770

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 9, 2019
SGCCI.jpg
1min9870
  • 100 જેટલા લાઇફ મેમ્બર્સે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી નહીં થાય તે હેતુથી પોતાની ઉમેદવારીપત્ર પરત ખેંચવાના પત્ર પાઠવી દીધા છે
  • ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરેએ પોતાની ઉમેદવારીપત્રો પરત ખેંચવા અંગે ચેમ્બરને પત્રો પાઠવી દીધા છે
  • અનિલ સરાવગી, ભદ્રેશ શાહ અને બિલ્ડર્સ સાથે સંકળાયેલા કેટલાક સભ્યોએ હજુ સુધી ઉમેદવારીપત્રો પરત કર્યા નથી
  • આજે તા.9મી માર્ચ, શનિવારની સાંજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં મામલો નહીં ઉકેલાય તો ચેમ્બરમાં પહેલી વખત મેનેજિંગ કમિટીની ચૂંટણી કરવી પડેશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી એવી પરંપરા ચાલી આવી છે કે મેનેજિંગ કમિટીમાં સર્વસંમત નિર્ણય થકી પ્રતિનિધિઓ નિમાય છે. આ પરંપરા અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્શની એકતાની પ્રતીતિ કરાવતી હતી, પરંતુ, આ વખતે ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલની સત્તાભૂખને કારણે મેનેજિંગ કમિટીમાં પણ ચૂંટણી કરાવવી પડે તેવા સંજોગો ઉજળા થયા છે. મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આજે શનિવાર તા.9મી માર્ચ અંતિમ મુદત છે એવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં પરંપરાનો વિજય થાય છે કે સત્તાભૂખ હાવી થઇને ચૂંટણી કરાવવા તરફ ઢસડી જશે.

બી.એસ. અગ્રવાલની બધી જ ચાલબાજીઓનું બાળમરણ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે ધમપછાડા કરી રહેલા માજી પ્રમુખ બીએસ અગ્રવાલની ચાલબાજીને દરેક સ્તરેથી ધોબીપછાડ મળી રહી છે. દેવેશ પટેલ પાસેથી હિસાબો માંગવાના મુદ્દે બીએસ અગ્રવાલ પર સમગ્ર ચેમ્બરના સભ્યો દ્વારા પસ્તાળ પડ્યા બાદ હવે બીએસ અગ્રવાલે પોતાના બે-પાંચ મળતીયાઓને સાથે રાખીને ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે દરેક રીતે પેંતરા રચી જોયા પરંતુ, તા.6 માર્ચ 2019ની રાત સુધી બીએસ અગ્રવાલના એકેય પેંતરા સફળ થયા નથી.

દિનેશ નાવડીયા, વેલજી શેટા, ગીરધર ગોપાલ મુંદડા વગેરેએ ઉમેદવારીપત્રો પરત કરી દીધા

બીએસ અગ્રવાલ એન્ડ કંપની જે મોટા માથાઓના નામ લઇને દુષ્પ્રચાર કરી રહી હતી કે તેઓ અમારી સાથે છે અને આ વખતે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી થઇને જ રહેશે. સી.આઇ.એ.એ તપાસ કરતા જાણવા મળ્યું કે અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરે મળીને અંદાજે 100 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચેમ્બરમાં આપી દીધા છે, કે જેથી દાયકાઓથી ચાલી આવતી સર્વસંમતિની પરંપરા જળવાય રહે.

ઉલ્ટાનું ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની વિવિધ પોસ્ટ માટે ઉમેદવારીપત્રો ભરનારાઓ પૈકી લાઇફ મેમ્બર એવા 100 જેટલા ઉદ્યોગપતિઓએ ચૂંટણી નહીં થાય તેવા સંજોગોમાં પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો પાઠવી દીધા છે. જ્યારે બીએસ અગ્રવાલ એવી ડીંગ હાંકી રહ્યા હતા કે તેઓ સમગ્ર પેનલ બનાવીને મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. જોકે, સી.આઇ.એ.ની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે જે ઉદ્યોગપતિ સભ્યો પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો ચેમ્બરને આપી આવ્યા છે તેમને પણ બીએસ જૂથ તરફથી ફોન કરીને તેમની પેનલમાં નામ લખીને જાહેર કરવા માટે ઉકસાવી રહ્યા છે. બીએસ અગ્રવાલની એકેય કારી હજુ સુધી ચાલી શકી નથી.

માત્રને માત્ર પોતાના ઇગો પોષવા માટે સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સનું ડેકોરમ અને માહોલ બગાડી રહેલા બી.એસ. અગ્રવાલને આ વખતે બાંયો ચઢાવવાનું ભારી પડે તે રીતે ચેમ્બરમાં તમામ પાસ્ટ પ્રેસિડેન્ટસ તથા અગ્રણીઓ ભેગા થઇ રહ્યા છે.

તો આજે ચૂંટણી જાહેર કરવી પડશે

ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાનો હઠાગ્રહ લઇને ચાલી રહેલા બીએસ અગ્રવાલના સમર્થનમાં જો 12 પૈકીના સમર્થકો ઉમેદવારીપત્રો પરત નહીં કરે તો નિયમાનુસાર ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવી પડશે. આજે શનિવાર તા.9મી માર્ચે સાંજ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ છે. ચેમ્બર ઓફ કોમર્સના અનેક સિનિયર મેમ્બર્સ છેલ્લા ઘણાં દિવસથી સર્વસંમતિની પરંપરા જાળવી રાખવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.