CIA ALERT

બિઝનેસ Archives - Page 64 of 90 - CIA Live

July 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14620

સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી 10થી ઘટાડી 4 ટકા કરવા માગ હતી, મોદી સરકારે 12.5 ટકા કરી દીધી

હીરા ઉદ્યોગ માટે સુરત વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત છે, અહીં હીરા ઉદ્યોગની સાથે ઝવેરાત ઉદ્યોગ પણ ખાસ્સો વિકસ્યો છે, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બ્રાન્ડની ઝવેરાત સુરતમાં બની રહી છે. મોટા ભાગે હીરા ઝવેરાતમાં સોનું તેમજ અન્ય કિંમતી ધાતુઓનો વપરાશ થાય છે અને એ વિદેશથી આયાત કરવામાં આવે છે.

આજે મોદી સરકાર 02ના નાણા મંત્રી નિર્મલા સીતારમન યુનિયન બજેટ રજૂ કરે એ પૂર્વે સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોએ રૂબરૂ તેમજ અપ્રત્યક્ષ રીતે એવી રજૂઆત કરી હતી કે હાલમાં સોનાની આયાત ડ્યૂટી જે 10 ટકા છે તે ઉદ્યોગના હિતમાં ઘટાડીને 4 ટકા કરવામાં આવે. સ્થાનિક ઉદ્યોગકારોને એમ હતું કે 10 ટકાની ડ્યૂટી 4 ટકા ઘટાડવાની માંગ કરવામાં આવે તેના પ્રતિસાદમાં કેન્દ્ર સરકાર સંભવ છે કે 5થી 7 ટકા કરે તો પણ ઉદ્યોગને થોડી ઘણી રાહત મળશે.

પરંતુ, આજના બજેટમાં સાવ ઉલ્ટું થયું. નિર્મલા સીતારમને પોતાની બજેટ સ્પીટમાં સાફ શબ્દોમાં ઘોષણા કરી કે સોનામાં હાલ 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી છે તે વધારીને 12.5 ટકા કરવામાં આવી છે.

સોના પર ડ્યૂટી વધારવાનું વલણ નિરાશાજનક ઃ દિનેશ નાવડીયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આ જોગવાઇ ઘાતક પુરવાર થશે. તેમણે આ વલણ નિરાશાવાદી ગણાવ્યું હતું. દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે ઉદ્યોગ વતી એવી માગણી હતી કે હાલની 10 ટકા ડ્યૂટી વધુ પડતી છે, ઉધોગના વિશાળ હિતમાં એ 4 ટકા કરવામાં આવે.

 

આ ઘોષણા સાંભળતાની સાથે જ સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોને હોશકોંશ ઉડી ગયા હતા. આમેય વિદેશો કરતા અહીં સ્થાનિક ઝવેરાતની પડતર મોંઘી પડતી હોઇ, ઝવેરાત ઉદ્યોગ મંદીમાં ધકેલાયો હતો, હવે અઢી ટકા ડ્યૂટી વધી જવાથી બિઝનેસને વધુ મોટો ફટકો પડશે.

July 5, 2019
cia_budget.jpg
1min4650
કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નવું ઘર તેમજ ઈલેક્ટ્રીક કાર ખરીદનારા લોકોને લોન પર ચૂકવવા પડતા વ્યાજ પર ઈન્કમ ટેક્સની છૂટ વધારાઈ છે. પેટ્રોલ ડીઝલ પર નાણાંમંત્રીએ વધારાની એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણામંત્રીએ બેંક અકાઉન્ટમાંથી 1 કરોડ રુપિયાથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ કાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈનકમ ટેક્સ ભરવા માટે હવે પાનકાર્ડને બદલે આધાર કાર્ડ પણ ચાલશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને હવે આધાર કાર્ડ આપવાનું સરકારે જણાવ્યું છે. અગાઉ NRIને 180 દિવસનો સ્ટે બતાવવો પડતો હતો, જે હવે દૂર કરી દેવાયો છે.

  • પેટ્રોલડીઝલ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી અને 1 રુપિયો પ્રતિ લિટર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાખવાનો પ્રસ્તાવ
  • ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 5 ટકા કરાઈ
  • 45 લાખ રુપિયા સુધીનું અફોર્ડેબલ હાઉસ ખરીદનારાને મળશે મોટી રાહત. હોમ લોનના વ્યાજ પર ઈન્કમ ટેક્સમાં મળતી છૂટ 2 લાખ રુપિયાથી વધારી 5 લાખ કરવાનો પ્રસ્તાવ. અત્યાર સુધી હોમ લોનના 2 લાખ રુપિયા સુધીના વ્યાજ પર મળે છે છૂટ, જે હવે વધારીને 3.5 લાખ કરવાનો બજેટમાં પ્રસ્તાવ.
  • બેંક અકાઉન્ટમાંથી 1 કરોડથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાવવાનો બજેટમાં પ્રસ્તાવ
  • પાન કાર્ડને બદલે હવે આધાર કાર્ડ પણ ચાલશે. જ્યાં પણ પાન કાર્ડની જરુર છે, ત્યાં આધાર કાર્ડનો નંબર આપી શકાશે.
  • કોર્પોરેટ ટેક્સ: હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ 25 ટકા ટેક્સના દાયરામાં આવશે. અગાઉ આ મર્યાદા 250 કરોડ રુપિયા હતી. દેશની 3 ટકા કંપનીઓને તેનો સીધો લાભ થશે.
  • ઈલેક્ટ્રીક કાર ખરીદનારાને લોનના વ્યાજ પર દોઢ લાખ રુપિયાની ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે
  • છેલ્લા પાંચ વર્ષમાં સરકારની પ્રત્યક્ષ કરની આવક વધીને 37 લાખ કરોડ પર પહોંચી
  • આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1 લાખ કરોડ રુપિયા ઉભા કરવાનો સરકારનો ટાર્ગેટ
  • મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ઓને સરળતાથી ધીરાણ મળી રહે તે સુનિશ્ચિત કરાશે.
  • ખાતાધારકની જાણ બહાર તેના અકાઉન્ટમાં રુપિયા જમા કરાવવા અંગે નિયમ બનાવાશે.
  • સરકારી બેંકોને 70,000 કરોડ રુપિયા ઉપલબ્ધ કરાવાશે
  • ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને આધાર કાર્ડ અપાશે, હવે તેના માટે 180 દિવસના રોકાણની પણ જરુર નથી
  • જે દેશોમાં ભારતનું કોઈ ડિપ્લોમેટિક મિશન નથી, ત્યાં એલચી કચેરીઓ અને હાઈ કમિશન્શ શરુ કરાશે. 18 આફ્રિકન દેશોમાં નવા ડિપ્લોમેટિક મિશન શરુ કરાશે
  • ઉજ્જવલા યોજના હેઠળ 35 કરોડ LED બલ્બ વેચાયા, જેનાથી વાર્ષિક 18,341 કરોડ રુપિયાની બચત થઈ.
  • આ વર્ષથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનો પ્રોજેક્ટ શરુ કરાશે
  • ભારતને હાયર એજ્યુકેશનનું હબ બનાવાશે. ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ કાર્યક્રમ શરુ કરાશે.
  • લેબર લૉનું સરળીકરણ કરાશે, ચાર પાયાના લેબર કોડ્સ બનાવાશે
  • NRI માટે શેરબજારમાં રોકાણ કરવાના નિયમો હળવા બનાવાશે
  • ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર દેશને ઓપન ડેફિકેશન (ખુલ્લામાં હાજત) મુક્ત બનાવાશે. અત્યારસુધીમાં 95 ટકા શહેરો ઓપન ડેફિકેશન ફ્રી જાહેર થઈ ચૂક્યા છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં 80 લાખ ઘરો બનાવવાની મંજૂરી મળી
  • હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના તમામ ઘરોને પાણી પૂરું પડાશે. જળ મંત્રાલય લોકોને પૂરતું સ્વચ્છ પીવાનું પાણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • 25 લાખ કિલોમીટરના રસ્તા અપગ્રેડ કરવામાં આવશે
  • PMAY ગ્રામીણ યોજના હેઠળ 2021 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 95 કરોડ આવાસ બનાવાશે.
  • 2022 સુધીમાં તમામ ઘરોમાં વીજળી અને LPG પહોંચાડી દેવાશે
  • રેલવેમાં ઝડપથી સુધારા કરવા અને પેસેન્જરોને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ થશે: સિતારમણ
  • સરકારના તમામ પ્રયાસોમાં ગામ, ગરીબ અને ખેડૂત કેન્દ્ર સ્થાને: સિતારમણ
  • પ્રધાનમંત્રી કર્મયોગી મનધન યોજના હેઠળ વાર્ષિક 5 કરોડ રુપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા 3 કરોડ વેપારીઓ, દુકાનદારોને અપાશે પેન્શનનો લાભ.
  • વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાની દરખાસ્ત
  • 201819માં નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. 2019માં 210 કિમીની મેટ્રો લાઈન કાર્યરત થઈ
  • રેલવેમાં 20182030 દરમિયાન 50 લાખ કરોડ રુપિયાના રોકાણની જરુર.
  • વન નેશન વન ગ્રીડ: રાજ્યોને વાજબી કિંમતે વીજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર કરશે કામ
  • સરકાર MSMEs માટે પેમેન્ટ પ્લેટફોર્મ ઉભું કરશે, આ પ્લેટફોર્મ પર તેઓ બિલ્સ અને પેમેન્ટની ચૂકવણી કરી શકશે
  • ભારતમાલા મહત્વકાંક્ષી પ્રોગ્રામ છે, જેનાથી દેશના માર્ગો અને હાઈવેના વિકાસમાં મદદ મળશે, જ્યારે સાગરમાલાથી બંદરોનો વિકાસ થશેઃ FM
  • ઉડાન યોજનાથી સામાન્ય વ્યક્તિને પણ એર કનેક્ટિવિટી સાથે જોડાવાની તક આપી છે. આ તમામ પ્રોગ્રામના લીધે ગામડા અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છેઃ FM

 

 

July 5, 2019
budget19.jpg
1min5080
આર્થિક મંદી સાથે જોડાયેલી ચર્ચા 2.0 સરકાર આજે ગૃહમાં પોતાનું પહેલું બજેટ નિર્મલા સીતારમણની આગેવાનીમાં રજૂ કરાશે. બજેટ પહેલા સામે આવેલા આર્થિક સર્વેમાં સંકેત મળ્યો છે કે નવા બજેટમાં પ્રાઈવેટ રોકાણની મદદથી રોજગાર પેદા કરવાની સાથે જ શ્રમ સંબંધી કાયદામાં જરુરી ફેરફાર, સારી ટેક્સ વ્યવસ્થા અને ઓછા વ્યાજ જેવા મુદ્દા પર ફોકસ કરીને સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઉપરના સ્તરે લઈ જવા માગે છે. નાણામંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે જ્યારે ઓછો વિકાસ દર, રોજગારીમાં ઘટાડો, ખરાબ ચોમાસાની શરુઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોર જેવા પડકારો સામે છે.
હાલના નાણાંકીય વર્ષ માટે સર્વેમાં આર્થિક વિકાસ દરનું લક્ષ્ય 7 ટકા રાખવામાં આવ્યું છે, જે પાંચ વર્ષમાં સૌથી ઓછા રહેલા વિકાસ દર (6.8%)થી વધારે છે. સુબ્રમણ્યને હાલના નાણાંકીય વર્ષમાં વિકાસ દરમાં વધારાને લઈને કોઈ ખાસ ક્યાસ નથી લગાવ્યો, પણ એટલું જરુર કહ્યું છે કે આવનારા સમયમાં આર્થિક બદલાવો માટે ચાલતા વિકાસ દરમાં બદલાવ જોવા મળતો રહેશે. હમણાં જોવા મળ્યું છે કે આર્થિક મંદીને જોતા કેટલાક મુદ્દા પર ખાસ ધ્યાન આપીને આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. નિકાસમાં વધારો કરીને, નાની અને સીમિત સંસાધનોવાળી કંપનીઓને રોજગાર તૈયાર કરવા, નિયમોને સ્પષ્ટ કરવા અને રોકાણ વધારવા જેવા પગલા આ દિશામાં સફળ સાબિત થઈ શકે છે.
પાછલા આર્થિક સલાહકારોની જેમ જ સુબ્રમણ્યને પણ વ્યવહારિક સ્તર પર અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા બદલાવોના સમર્થનમાં છે અને તેમનું માનવું છે કે તેની મદદથી સામાજિક બદલાવ કરી શકાય છે. ટેક્સ વ્યવસ્થાને સારી બનાવવા માટે સર્વેમાં ઈમિગ્રેશન કાઉન્ટર પર અલગ ડિપ્લોમેટિક ટાઈપ લેનથી લઈને વધારે ટેક્સ ચૂકવતા લોકોને બોર્ડિંગમાં વિશેષ સુવિધા આપવા જેવા પગલા ઉઠાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, ઘણી મહત્વપૂર્ણ ઈમારતો, ઐતિહાસિક સ્થળો, રસ્તાઓ, ટ્રેન્સ, અભિયાનો, સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીના નામે પણ આવા મહત્વપૂર્ણ ચહેરાના નામ રાખવામાં આવી શકે છે. સુબ્રમણ્યનનું કહેવું છે કે તેની અસર સામાન્ય જનતાને એ સંદેશ આપવામાં થશે કે “પ્રામાણિક રીતે ટેક્સ ચૂકવવો ગર્વની વાત છે.”
nirmala sitharaman budget માટે છબી પરિણામ

પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થાના કેટલાક ઉદાહરણલઈને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને કહ્યું કે સરકારને રોકાણ વધારવાની સાથે, રોજગાર પેદા કરવાની કોશિશ કરવી જોઈએ. તેમણે ચીનની શહેરી અને ગ્રામીણ કંપનીઓ વચ્ચે બેલેન્સને છડપથી થતા વિકાસનો આધાર ગણાવીને આશા કરી કે નાના રોકાણકારો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ જલદી રોજગાર આપવાવાળી સ્થિતિમાં આવી જશે. તેના માટે નક્કી કરવું પડશે કે રોકાને પ્રેરિત કરી શકાય. ચીનના ઉદાહરણ સાથે જ સુબ્રમણ્યને એ પણ કહ્યું કે હંમેશા વધારે રોકાણનો અર્થ રોજગાર નથી હોતો.

બજેટમાં નોકરી કરતા લોકો માટે ટેક્સના સ્લેબમાં બદલાવની આશા રખાઈ રહી છે. 2019-20 અંતર્ગત બજેટમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમાં અંગત ક્ષેત્રમાં રોકાણ, માંગ અને નિકાસ વધારવા પર ખાસ ભાર હશે. ઉદ્યોગ જગતની કંપનીઓ માટે કોર્પોરેટ કરનો દર 25 ટકા પર લાવવાની માંગ છે. અત્યારે 250 કરોડ રુપિયાથી વધારે ઉદ્યોગોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. સાથે જ બજેટમાં અનુસૂચિત જાતિ/જનજાતિ, અન્ય પછાત વર્ગો કે આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા શરુ કરાયેલા સ્ટાર્ટઅપના સાહસને સહાય આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

July 3, 2019
guj_budget.jpg
1min4770
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
2018_5large_gujarat_map.jpg
1min6260

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.

આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.

July 2, 2019
sebi.png
1min10340

શેરો ખરીદવા માટે ક્લાયન્ટને નાણાં ઉછીને આપવા સહિતની સંખ્યાબંધ સર્વિસિસ પૂરી પાડતા અને અસ્તિત્વની લડાઈ લડી રહેલા કેટલાક સ્ટોક બ્રોકર્સ માટે સેબીના નવા નિયમોને કારણે નવી મુસીબતો ઊભી થઇ રહી છે. સેબીના નવા નિયમો મુજબ સ્ટોક બ્રોકર્સ ભંડોળ એકત્ર કરવા બેન્કો અને એનબીએફસીઝને ક્લાયન્ટના શેર ગીરવે મૂકી શકશે નહીં. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બ્રોકર એક ક્લાયન્ટને ફંડ આપવા બીજા ક્લાયન્ટની સિક્યોરિટીઝનો દુરૂપયોગ ન કરે તે નવા નિયમોનો હેતુ છે, પરંતુ આ ફેરફારથી બ્રોકર્સની કાર્યકારી મૂડી અને તેમના બિઝનેસ પર મોટી અસર થશે, કારણ કે ફંડિંગ માટેની સુવિધા બંધ થશે.

શેરદલાલોના સંગઠનના પ્રવકતાએ જણાવ્યું હતું કે ક્લાયન્ટની પોઝિશન માટે બ્રોકર્સ નાણાની વ્યવસ્થા કરે તે સુવિધ હવે બંધ થશે. હવે બ્રોકર્સે તેમના ખિસ્સામાંથી ક્લાયન્ટને ફંડ આપવું પડશે અથવા બ્રોકરે ક્રેડિટ ફેસિલિટી આપી શકશે નહીં. ક્લાયન્ટે બેન્ક કે ગઇઋઈત જેવા બીજા સ્રોત પાસેથી સીધું ભંડોળ મેળવવું પડશે. સેબીએ નવી માર્ગરેખાનો અમલ પહેલી સપ્ટેમ્બરથી થશે. ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટી એકાઉન્ટ અથવા ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં પડેલા શેરનો મેમ્બર્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા બેન્ક કે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી શકાશે નહીં અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં.

શેરદલાલો અને એક્સચેન્જના સંગઠનોના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગીરવે માટે ક્લાન્ટની સિક્યોરિટીઝ ઉપલબ્ધ ન રહેતાં શેરબજારમાં લિક્વિડિટીમાં ઘટાડો થશે. તેથી લો કોસ્ટ કસ્ટોડિયન જેવી વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર પડશે. ખરીદેલા શેર માટે આંશિક ચુકવણી કરી હોય તેવા ક્લાયન્ટ માટે અલગ ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટ રાખવા સેબીએ ટ્રેડિંગ મેમ્બરને સૂચના આપી છે. સંપૂર્ણ પેમેન્ટ બાદ જ આ એકાઉન્ટમાં રાખવામાં આવેલા શેર ક્લાન્ટ ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જો ક્લાયન્ટ સંપૂર્ણ પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહે તો આ શેરનો સેટલમેન્ટ ડેટના પાંચ દિવસમાં મેમ્બરે બજારમાં નિકાલ કરવાનો રહેશે.

ટી પ્લસ ફાઇવમાં અનપેઇડ ક્લાન્ટ સિક્યોરિટીઝનો ફરજિયાત નિકાલ કરવાના નિયમને કારણે બજારમાં તીવ્ર ઘટાડાના કિસ્સામાં જંગી નુકસાન થશે. સેબીએ જણાવ્યું છે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી હેઠળ ખરીદવામાં આવેલા શેરને ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં રાખવા પડશે. પુલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટ અને ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ સિવાયના હાલના ક્લાયન્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ 31 ઓગસ્ટ પહેલા બંધ કરવાના રહેશે. ક્લાન્ટની સિક્યોરિટીઝના દેખરેખ માટે વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની શેરબજારો અને ક્લિરિંગ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે.

July 1, 2019
gst.jpg
1min4700
જીએસટીની અમલવારીને બે વર્ષ થવાનાં અવસરે સરકાર નવી રીટર્ન સીસ્ટમ શરૂ કરી શકે છે. નાણા મંત્રાલય આવતીકાલ સોમવારે આ કરમાળખામાં સુધારાની જાહેરાત કરે તેવી સંભાવના છે. જેમાં નવી રીટર્ન સીસ્ટમ, કેશ લેજર સીસ્ટમ (રોકડ ખાતા પ્રણાલી)ને તર્કસંગત બનાવવા અને સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમ સહિતની બાબતો સામેલ થઈ શકે છે.
કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આવતીકાલે જીએસટી સંબંધિત કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળશે અને તેમની સાથે આમાં વિભિન્ન વિભાગોના મુખ્ય સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નાણા મંત્રાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્રમાં જીએસટીનું આગમન બાજી પલટાવનારું બની રહ્યું છે. તેનાથી બહુસ્તરીય જટિલ કરમાળખું સરળ અને પારદર્શી બન્યું છે. 1 જુલાઈથી પ્રાયોગિક ધોરણે નવી રીટર્ન સીસ્ટમ લાગુ કરી દેવામાં આવશે અને 1 ઓક્ટોબરથી તે ફરજિયાત બની જશે.
એક રોકડ ખાતાના સંદર્ભમાં સરકારે તેને તર્કસંગત બનાવતા 20 બાબતોને પાંચ મુખ્ય વર્ગમાં સામેલ કરશે. ટેક્સ, વ્યાજ, પેનલ્ટી, ફી અને અન્ય આવી બાબતો માટે એક જ રોકડ ખાતુ રહેશે. આ ઉપરાંત સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમમાં તમામ ચાર મુખ્ય બાબત એટલે કે સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને સેસ માટે રીફન્ડની એક જ વ્યવસ્થા અમલી બનશે.
June 29, 2019
diamond.png
1min4500
વૈશ્વિક સ્તરે ફેલાયેલી મંદીની અસર હીરા-ઝવેરાત ઉદ્યોગને થઇ છે. ગત વર્ષે ભારતીય મૂળની ટોચની હીરાની પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવી હતી. ચાલુ વર્ષે ભારતીય મૂળની વધુ એક ટોચની જ્વલેરી પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવતાં હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લગભગ  60 મીલીયન ડોલરની નાદારી નોંધાવે તેમ છે.
2006માં પાર્ટનરશીપથી ધંધાની શરૂઆત કરનાર હીરાનાં આ ધંધાર્થીએ જોત-જોતમાં મોટું સાહસ ખેડયું હતું. આ કંપનીએ મુંબઈ, સુરત ઉપરાંત હોંગકોગ અને ન્યુયોર્કમાં મોટી ઓફિસો ઉભી કરી હતી. ભારતીય મૂળની અમેરિકા સ્થિત કંપની લૂઝ ડાયમંડ, જેમ સ્ટોન અને બ્રાન્ડેડ જ્વેલરીનું મોટું કામ કરતી હતી.
થોડા જ વખતમાં આ કંપનીનાં માથે દેવું વધી જતાં ધ સધર્ન ન્યૂયોર્ક કોર્ટમાં નાદારી નોંધાવવા માટે અરજી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કંપની 60 મિલીયન ડોલરમાં નાદારી નોંધાવશે. કંપનીએ નાદારી નોંધાવવા માટે અરજી કરતાં સુરત અને મુંબઈનાં હીરાબજારમાં સોપો પડી ગયો છે.
ભારતીય મૂળની કંપનીની અમેરિકામાં નાદારીની ઘટનાનાં પડઘા સુરત અને મુંબઈમાં પડયા છે. પરંતુ, વર્ષે દહાડે હીરાઉદ્યોગમાં નાની-મોટી થઈને કેટલીય કંપનીઓ અંદાજે રૂા. 1 હજાર કરોડનાં ઉઠમણાં કરે છે.
પીએનબી બેન્કનાં લોન કૌભાંડ બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગને બેન્કો તરફથી મળતી સુવિધાઓમાં મોટી કપાત આવી છે. જેનાં કારણે કંપનીઓની મૂડીનું ધોવાણ સતત થઈ રહ્યું છે. ટોચની હીરાની પેઢીઓને ટકી રહેવા માટે દબાણનો અનુભવ થઈ રહ્યો છે.
June 29, 2019
sebi.png
1min12550

તાજેતરની ક્રેડિટ કટોકટીમાં અનેક ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને ફટકો લાગ્યા બાદ સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત પ્રમોટર્સના શેર પ્લેજિંગ માટે ડિસ્ક્લોઝરના નિયમો ચુસ્ત બનાવવા, ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ સાથેના શેર ઇશ્યૂ કરવાના નિયમોમાં સરળતા અને ઊંચી રોયલ્ટી પેમેન્ટ માટે શેરહોલ્ડરની મંજૂરી લેવા સહિતના નિયમો સેબીના બોર્ડ દ્વારા લેવાયા હતા.

સેબીએ મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ સ્કીમ્સમાં ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો સરકારી સિક્યોરિટી અને રોકડ જેવી લિક્વિડ એસેટ્સમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. લિક્વિડ સ્કીમ્સના રોકાણકારો સાત દિવસની અંદર એક્ઝિટ કરે તો તેના પર એક્ઝિટ લોડ લાગુ થશે.

સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે તેમના રોકાણના ઓછામાં ઓછા ચાર ગણું સિક્યોરિટી કવર ફરજિયાત કર્યું છે જ્યારે હાલમાં આ નિયમ માત્ર 1.5 ગણાથી 1.7 ગણા કવરનો છે. રેગ્યુલેટરે લિક્વિડ અને ઓવરનાઇટ સ્કીમ્સને શોર્ટ ટર્મ ડિપોઝિટ અને સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન્સ હોય તેવી મની માર્કેટ સાધનોમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ માત્ર લિસ્ટેડ એનસીડીમાં રોકાણ કરી શકશે.

સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે, અમે કોઈ સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટને માન્ય રાખતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કો નથી તેથી તેમાં સ્ટેન્ડસ્ટીલ જેવું કંઈ હોતું નથી. તેઓ ધિરાણ કરવાના બદલે રોકાણ કરી રહ્યા છે. ઉદ્યોગમાં વધારે શિસ્ત લાવવા માટે આ કરવામાં આવ્યું છે.

June 28, 2019
instagram.jpg
1min5210
એમેઝોન, અલીબાબા સહિતની કંપનીઓને જોખમ : ઈન્સ્ટાગ્રામના પ્રમુખ મુસેરીએ કરી જાહેરાત
ઓનલાઈન બિઝનેસમાં વર્તમાન સમયે એમેઝોનનો દબદબો છે પરંતુ 10 લાખ વૈશ્વિક યુઝર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામના ઇ બિઝનેસમાં પ્રવેશની એમેઝોન ઉપર જોખમ આવી શકે છે. ઇન્સ્ટાગ્રામના નવા પ્રમુખ એડમ મૂસેરીએ કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામને ઇ કોમર્સ ક્ષેત્રે જોડવા માટેની વિચારણા ચાલી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કારભાર સંભાળનારા મૂસેરીએ સાર્વજનિક રીતે કહ્યું છે કે, તેમની યોજના ઇન્સ્ટાગ્રામને દુકાનદારો, વિક્રેતા અને યુઝર્સને મોટાપાયે જોડવાની છે.
મૂસેરી ઇન્સ્ટાગ્રામને ફોટો શેરિંગ પ્લેટફોર્મમાંથી સેલ્સ પોર્ટલમાં બદલવાની યોજના અંગે વિચારી રહ્યા છે. વર્તમાન સમયમાં ઇ કોમર્સનો વેપાર પ્રતિવર્ષ વૃદ્ધિ પામી રહ્યો છે અને ડિજિટલ કોમર્સ 360ના કહેવા પ્રમાણે 2018માં ઇ કોમર્સથી વૈશ્વિક વેચાણ વધીને 2.86 ટ્રિલિયન થઈ ગયું હતું.
જો કે હજી સુધી ઇ કોમર્સનાં ક્ષેત્રમાં માત્ર ગણીગાંઠી કંપનીઓનો જ દબદબો છે. જેમાં ચીનની અલીબાબા અને જેડી ડોટ કોમ, અમેરિકાની એમેઝોન, ઇબે અને વોલમાર્ટ છે. ઇન્સ્ટાગ્રામે ડાયરેક્ટ સેલ્સનો પાયલોટ પ્રોગ્રામ માર્ચ મહિનામાં શરૂ કર્યો હતો પણ ત્યારે માત્ર 20 બ્રાન્ડ સુધી જ સિમિત હતો. આ બ્રાન્ડમાં ઝારા, બરબેરી, મિશેલ કોર્સ, નાઈકી, એડિડાસ, પ્રાડા વગેરે હતી.