CIA ALERT

બિઝનેસ Archives - Page 63 of 90 - CIA Live

July 26, 2019
india_aviation.jpg
1min6440

સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઓની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે. 

એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.

છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા. 

સરકારે ૨૦૧૮માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો. 

હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા ૩૪૫ મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યો છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે.

July 23, 2019
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min8680

ગયા વર્ષે પણ સોનાએ નિફ્ટી કરતાં ઊંચું રિટર્ન આપ્યું હતું. એવી જ રીતે ચાલુ કેલેન્ડરમાં સોનું (Gold) નિફ્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિટર્ન આપવામાં આગળ નીકળી ગયું છે. સોનામાં તેજી જળવાય રહેવાની શક્યતા ઊંચી છે. 

એ વાત નોંધપાત્ર છે કે ચાલુ કેલન્ડરમાં રૂપિયો સાધારણ મજબૂતી દર્શાવી રહ્યો છે અને તેમ છતાં શેરબજાર કરતાં સોનામાં રિટર્ન ઊંચું જોવા મળી રહ્યું છે. કેમ કે વૈશ્વિક બજારમાં સોનામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

કેલેન્ડર 2019માં અત્યાર સુધીમાં એમ.સી.એક્સ ખાતે સોનામાં 12 ટકાનું રિટર્ન નોંધાયું છે. જ્યારે તેની સામે સોમવારના બંધ ભાવે નિફ્ટી 4.37 ટકાનો સુધારો સૂચવે છે.

બજેટ બાદ એક તબક્કે 12000ને પાર કરી ગયેલો બેન્ચમાર્ક સોમવારે એક ટકાથી સહેજ ઓછા ઘટાડે 11346ના સ્તરે બંધ રહ્યો હતો.  

“સોનાના ફંડામેન્ટલ્સ પોઝીટીવ બન્યાં છે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. જીઓપોલિટીકલ રિસ્ક વધ્યાં છે અને ફેડ રેટ કટની અપેક્ષાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.

નિષ્ણાંતો જણાવે છે કે સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળી શકે છે. રોકાણકારો હવે ડોલર અને ઈક્વિટીઝમાંથી સોના તરફ વળે તેવી શક્યતા છે.

વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેંક્સ પણ સોનામાં તેમની ખરીદી વધારી રહી છે.

તેમના મતે વૈશ્વિક બજારમાં સોનું વર્તમાન સપાટીએથી વધુ 100 ડોલરનો ઉછાળો દર્શાવી શકે છે. જે તેને 1520 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તર સુધી લઇ જઇ શકે છે. 
હાલમાં વૈશ્વિક બજારમાં સોનુ 1426 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 

સોનું 2012માં 1900 ડોલરની તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યા બાદ લાંબા સમયથી 1100-1300 ડોલરની રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું અને પીળી ધાતુમાં રોકાણ કરનારાઓ વળતરથી વંચિત રહ્યાં હતાં. ભારતીય રોકાણકારોને જોકે ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં નેગેટિવ રિટર્નનો સામનો કરવાનું બન્યું નહોતું. 

છેલ્લા આઠ કેલેન્ડરમાંથી ત્રણ દરમિયાન તેઓને નિફ્ટીની સરખામણીમાં ઊંચું વળતર મળ્યું હતું. જેમાં કેલેન્ડર 2016માં(9.98 ટકા), 2018(7.71 ટકા) અને ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 11.81 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટીએ આઠમાંથી પાંચ કેલેન્ડર દરમિયાન પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં 2012(27.70 ટકા), 2014(31.39 ટકા) અને 2017(28.65 ટકા) જેટલું ઊંચું વળતર દર્શાવ્યું હતું. 

July 17, 2019
bangladesh.jpg
1min5240

બાંગ્લાદેશથી થતી વસ્ત્રોની આયાતમાં પાછલા વર્ષ સામે 82 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 36.50 કરોડ ડોલરના સ્તરે પહોંચી છે.

જો આ રીતે આયાત ચાલુ રહેશે તો 2024-25 સુધીમાં તે 3.6 અબજ ડોલર સુધી પહોંચી જશે એવી આશંકા ક્લોધીંગ મેન્યુફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ દેશના સૌથી મોટા બિઝનેસ ટુ બિઝનેસ નેશનલ ગાર્મેન્ટ ફેર અંગે માહિતી આપતી વખતે વ્યક્ત કરી હતી,

દેશભરના 50,000 રિટેલર્સ અને મુલાકાતી એકત્ર થવાની અને ચાર દિવસમાં અંદાજે રૂ. 800 કરોડના બિઝનેસની અપેક્ષા છે. પ્રવકતા અનુસાર બાંગ્લાદેશ સાથે કરાર હોવાથી ત્યાંથી જકાતમુક્ત આયાત થાય છે જ્યારે ભારતને ત્યાં નિકાસ માટે 125 ટકા જેટલી જકાત ચૂકવવી પડે છે. દેશના વસ્ત્રોદ્યોગ માટે આ મોટી સમસ્યા છે.

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min7540

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 10, 2019
generics_brands_abandonment_1-1280x693.png
1min6590

જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. 2000 કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી.

શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.

આ પ્રસંગે એમણે 1000થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ 50-90 ટકા ઓછા ભાવે વેચાય છે.

એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી.

પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 5028 કેન્દ્ર શરૂ કરાયા હતા.

આ યોજના હેઠળ 900 દવા અને 154 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં 714 દવા અને 53 સર્જિકલ સાધનો વેચાય છે.

July 10, 2019
naresh_goyal.jpg
1min4710

naresh goyal માટે છબી પરિણામ

દિલ્હી હાઈ કોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયેલને ભારત છોડવાની પરવાનગી આપી ન હતી. નરેશ ગોયેલ સામે કેન્દ્રે બહાર પાડેલો લૂક-આઉટ સર્ક્યૂલર પાછો ખેંચવા ગોયેલે કરેલી અરજી બાબતમાં કેન્દ્ર સરકારનો પ્રતિભાવ માગવામાં આવ્યો હતો. 25 મેના દિવસે ગોયેલને દુબઈ જતી ફલાઈટ પરથી ઊતારી મૂકવામાં આવ્યો હતો તે પછી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી ન હતી તેવું ગોયેલે પોતાની અરજીમાં કહ્યું હતું.

દિલ્હી હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ સુરેશ કૈટે કહ્યું હતું કે, હાલના તબક્કે અરજદાર ગોયેલને કોઈ રાહત આપી શકાય નહીં. તેમને વિદેશ જવું હોય તો ગેરંટી તરીકે

18000 કરોડ રૂપિયા જમા કરીને જઈ શકે છે, તેવું ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

જેટ એરવેઝમાં ખૂબ મોટા પાયા પર છેતરપિંડી થઈ છે, તેવું એક ઈન્સ્પેકશન પછી ખબર પડી છે તેવું કોર્પોરેટ અર્ફેસ મંત્રાલયે જણાવ્યું હતું. સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઈઓ) નરેશ ગોયેલને 10મી જુલાઈએ હાજર રહેવા છઠ્ઠી જુલાઈએ સમન્સ આપ્યા હતા.

23મી ઑગસ્ટે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે, તેવું દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું.ઉ

July 8, 2019
sensex_down.jpg
1min12850

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેસીસ સેન્સેક્સમાં આજે 800 પોઇન્ટનો તોતિંગ ઘટાડો થતા શેરબજારમાં કામ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. એમા પણ છેલ્લા બે સેશનમાં જ રોકાણકારોની ₹5 લાખ કરોડની સંપત્તિનું જંગી ધોવાણ થઈ ગયો હોવાથી હવે શેરબજારની આ ચાલ અનેક લોકો માટે મરણતોલ ફટકા સમાન નિવડે એમ મનાય છે.

મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,476.38 અને નીચામાં 38,605.48 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 792.82 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 38,720.57 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,771.90અને નીચામાં 11,523.30 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 252.55 પોઈન્ટ્સ અથવા 2.14 ટકાના ધોવાણ સાથે 11558.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.99 ટકા અને 2.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે કેપિટલ ગૂડ્ઝ, રિયલટી, પાવર, ઓટો, બેન્ક તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

July 7, 2019
petrol.jpg
1min4850
મોદી સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલના નવો રોડ સેસ અને એક્સાઈઝ ડયૂટીમાં વધારો એમ બંને મળીને લગભગ બે રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો. મોદી સરકાર 2014માં સત્તામાં આવ્યા બાદથી પેટ્રોલ અને ડીઝલમાં માત્ર બે જ વાર એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો થયો છે જ્યારે દસ વાર એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો: પેટ્રોલમાં 2.45, ડીઝલમાં, 2.36 વધ્યા
નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈ કાલે બજેટમાં આમઆદમીને મોટા ઝટકામાં, પેટ્રોલ અને ડીઝલમાં એક રૂપિયાનો રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઉપરાંત એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંક્યા બાદ આજે આજે પેટ્રોલની કિંમતમાં લિટરે રૂા.2.4પ અને ડીઝલમાં લિટરે રૂા.2.36નો વધારો કરી દીધો હતો.
દરમ્યાન,રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ સ્થાનિક વેરામાં વધારો કરતાં આ બે રાજ્યમાં તો પેટ્રોલિયમની કિંમતમાં લગભગ પાંચ રૂપિયા જેટલો તોતીંગ વધારો થયો છે. રાજસ્થાનમાં સ્થાનિક લેવીને લીધે જયપુરમાં પેટ્રોલના ભાવ રૂા.71.1પથી વધીને રૂા.7પ.77 થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના મંત્રી જીતુ પતવારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બજેટમાં મ.પ્ર.નો હિસ્સો રૂા.2677 કરોડ જેટલો ઘટાડી નાખતાં ઈંધણમાં વધારાના વેરા નાખવાનો નિર્ણય લેવો પડયો છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ જારી કરેલા ભાવપત્રક મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.2.4પ વધીને રૂા.72.96 થયા છે મુંબઈમાં 2.42 વધીને રૂા.78.પ7 થયા છે. કોલકાતામાં’ રૂા.2.40નો અને ચેન્નાઈમાં રૂા.2.પ7નો વધારો થયો છે. મધ્યપ્રદેશના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ચારથી પાંચ રૂપિયાનો વધારો થયો છે.
July 6, 2019
bse.jpg
1min4470

બજેટમાં ઓપ્શન બાયર્સને મોટી રાહત આપવામાં આવી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) હવે કોન્ટ્રાક્ટના મૂલ્ય પર નહીં, પરંતુ સ્ટ્રાઇક પ્રાઇસ અને સેટલમેન્ટ પ્રાઇસ વચ્ચેની તફાવતની રકમ પર લાગુ પડશે. ભારતમાં 85થી 90 ટકા બિઝનેસ કામકાજ ઓપ્શન સેગમેન્ટમાં થાય છે અને આ દરખાસ્તથી ઓપ્શન બાયરને રાહત મળી શકે છે. ઓપ્શન બાયર્સને ઈન-ધ-મની એક્સપાયર થતાં કોન્ટ્રાક્ટમાં એસટીટીમાં મોટી રાહત થશે.

STT stock market માટે છબી પરિણામ

પરંતુ તેનાથી ઈન-ધ મની ઓપ્શન સેલર્સને ફટકો પડી શકે છે. જોકે આ દરખાસ્તથી ઓપ્શન સેગમેન્ટના વોલ્યુમ અને ભાગીદારીને વેગ મળશે. ઈન-ધ-મની એક્સપાયર થતાં ઓપ્શનના કિસ્સામાં ટ્રેડર્સને ટ્રેડિંગની છેલ્લા કલાકમાં પોઝિશન સુલટાવવાની ફરજ પડશે નહીં.

હાલમાં ખરીદીના કિસ્સામાં ઓપ્શનના ઈન-ધન મની સ્ટ્રાઇકના સમગ્ર લોટ વેલ્યૂ પર STT લાગુ પડે છે, જેનો રેટ હાલમાં 0.125 ટકા છે.

ઉદાહરણ તરીકે

11,800ના સ્ટ્રાઇક પ્રાઇસ સાથેનો નિફ્ટી ઓપ્શન, જે ₹11,900ના સ્પોટ પ્રાઇસટે એક્સપાયરીના દિવસે ઈન-ધ-મની એક્સપાયર થાય તો તેનો ખર્ચ લોટ દીઠ આશરે ₹1,116 (11900 x 75 x 0.125%) થાય છે. પરંતુ નવા ચાર્જ સાથે આ જ કોન્ટ્રાક્ટનો એસટીસી ખર્ચ લોટ દીઠ માત્ર ₹9.375 થશે. ઓપ્શન સેલિંગના કિસ્સામાં હાલમાં એસટીટીનો રેટ 0.017 ટકા છે, જે ઓપ્શન પ્રીમિયમ પર લાગે છે, તેથી સૂચિત ફેરફારથી તેને અસર થશે નહીં.

ઈન-ધ-મની ઓપ્શનમાં ઊંચા એસટીટીને કારણે કેટલાક સ્ટ્રાઇક પ્રાઇસ સામાન્ય રીતે એક્સપાયરી સેટલમેન્ટ ડેએ ડિસ્કાઉન્ટે ટ્રેડ થાય છે, કારણ કે બાયર્સ ઊંચા એસટીટીને ટાળવા માટે તુલનાત્મક રીતે નીચા પ્રીમિયમે ઓપ્શન વેચવાનો પ્રયાસ કરે છે. તેથી આ લાભ ઓપ્શન સેલર્સને મળતો હતો, કારણ કે બાયર્સ એટીસી ચાર્જ કરતાં વધુ લાભ ન મળે ત્યાં સુધી બાયર્સ ઓપ્શનનું વેચાણ કરતાં નથી.

July 6, 2019
budget2019.jpg
1min10450

વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના ગૃહ ખાતા માટે રૂ. 1,19,025 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વરસની સરખામણીએ રૂ. 5,858 કરોડ વધુ છે.

ગૃહ ખાતા માટે ફાળવવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે પોલીસ, સરહદી વિસ્તારનું માળખું સુધારવા ઉપરાંત પોલીસ દળનું આધુનિકીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમિત શાહ હાલ ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહ્યા હોવા છતાં વર્ષ 2018-19ના સુધારેલા રૂ. 1,13,167 કરોડ કરતાં માત્ર 5.17 ટકા જ વધુ રકમ ગૃહ ખાતા માટે ફાળવવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી દિલ્હી પોલીસ માટે રૂ. 7496.91 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ભારત-પાક, ભારત-ચીન તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પર માળખાકીય સુવિધા સુધારવા રૂ. 2129 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી તેમ જ ઈશાન ભારતમાં નક્સલવાદવિરોધી કાર્યવાહીમાં રોકાયેલા તેમ જ ક્યારેક આંતરિક સુરક્ષા માટે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) માટે રૂ. 23,963.66 કરોડ ફાળવવામાં આવ્યા છે જે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 22,646.63 કરોડ કરતા વધુ છે.

ભારત-પાક અને ભારત-બાંગલાદેશ સરહદની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-બીએસએફ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 18585.96 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 19,650.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ-સીઆરપીએફ, બૉર્ડર સિક્ટોરિટી ફૉર્સ-બીએસએફ, ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ-આઈટીબીપી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ-સીઆઈએસએફ, સશસ્ત્ર સીમા બલ-એસએસબી, આસામ રાઈફલ્સ-એઆર અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ-એનએસજી સહિતના સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફૉર્સ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 67779.75 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ.કુલ મળીને રૂ. 71,713.9 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંતરિક જાસૂસી માટે જવાબદાર ઈન્ટેલિજન્સ બ્યૂરો-આઈબી માટે અગાઉના વર્ષના રૂ. 2056.05 કરોડને બદલે આ વરસે રૂ. 2384.1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના નિકટના પરિવારજનોની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ-એસપીજી માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 411.68 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 535.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બૅરેક, નિવાસસ્થાન, વાહનો, શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી સહિત પોલીસ માળખામાં સુધારો કરવા રૂ. 4757 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસદળના અત્યાધુનિકીકરણ માટે વર્ષ 2018-19માં રૂ. 3462 કરોડ, સરહદી વિસ્તારમાં વિકાસના કાર્યક્રમ માટે રૂ. 825 કરોડ, જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા અને વતન પાછા ફરેલા લોકોનાં પુનર્વસન અને રાહત માટે રૂ. 842 કરોડ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શન માટે રૂ. 953 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટેની ‘નિર્ભયા’ યોજના માટે રૂ. 50 કરોડ, નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન માટે રૂ. 296 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વર્ષ 2021ની વસતિ ગણતરીને તૈયારી ચાલી રહી હોવા વચ્ચે એ માટે બજેટમાં રૂ. 621.33 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ ઉદ્યોગ માટે રૂ. 50 કરોડ, હિન્દી ભાષાના પ્રસાર-પ્રચાર માટે રૂ. 78.09 કરોડ, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાય માટે રૂ. 4,895.81 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે રૂ. 4,817.48 કરોડ, ચંડીગઢ માટે રૂ. 4,291.70 કરોડ, દાદરા નગર હવેલી માટે રૂ. 1177.99 કરોડ, દીવ અને દમણ માટે રૂ. 821.4 કરોડ અને લક્ષદ્વીપ માટે રૂ. 1276.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં દિલ્હી માટે રૂ. 1112 કરોડ અને પુડુચેરી માટે રૂ. 1601 કરોડ ફાળવવામાં આવ્યા છે.