CIA ALERT

બિઝનેસ Archives - Page 55 of 90 - CIA Live

January 2, 2020
patidar.jpg
2min10060

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

January 2, 2020
lpg_cylinder.jpg
1min4540

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો થવાને પગલે સબ્સિડી વગરના કુકિંગ ગૅસ એલપીજીમાં પ્રતિ સિલિન્ડર ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને વિમાનનું બળતણ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં ૨.૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

એટીએફનો ભાવ પ્રતિ કિલો લિટર ૧૬૩૭.૨૫ રૂપિયા વધારી ૬૪,૩૨૩.૭૬ રૂપિયા થયો છે. આ અગાઉ પહેલી ડિસેમ્બરે તેમાં ૧૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૧૯ પછી એટીએફની આ સૌથી વધુ કિંમત છે. ઍરલાઇન્સ કંપનીઓ જે તીવ્ર સ્પર્ધાના દબાણમાં છે તેમને એટીએફની કિંમત વધવાથી ફટકો પડશે.

જોકે, દિલ્હીમાં એટીએફની પ્રતિ લિટર કિંમત ૬૪.૩૨ રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત ૭૫.૧૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૭.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉ ૬૯૫ રૂપિયા હતી તે વધારીને ૭૧૪ રૂપિયા કરવામાં આવી છે.

સપ્ટેમ્બર, ૨૦૧૯ પછી એલપીજી સિલિન્ડરની કિંમત પાંચ મહિનાથી સતત વધી રહી છે અને કુલ ૧૩૯.૫૦ રૂપિયા વધ્યા છે. સબ્સિડી ધરાવતું સિલિન્ડર ૪૯૫.૮૬ રૂપિયાની કિંમત છે, પણ ૧૨ સિલિન્ડરનો ક્વૉટા પૂરો થયા બાદ સબ્સિડી વગરના સિલિન્ડર લેવા પડે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા વેચવામાં આવતા કેરોસીનની કિંમત મુંબઇમાં ૩૫.૫૮ રૂપિયા છે. દિલ્હીને કેરોસીનમુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં પીડીએસ કેરોસીનનું વેચાણ થતું નથી.

January 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5410

કેલેન્ડર વર્ષ 2020ના પહેલા દિવસ તા.1લી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.40,310 પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ડોલરના ભાવમાં વધઘટને પગલે સોનાનો ભાવ ઉછળી રહ્યો હતો, જે આજે તા.1લી જાન્યુઆરીના રોજ ફરીથી 40,000ની વિક્રમી સપાટી વટાવી ગયો છે.

તા.1લી જાન્યુઆરી 2020માં સોનાનો હાઇએસ્ટ ભાવ બપોરે 12 વાગ્યા સુધીમાં તો 44,435 સુધી સ્પર્શી ગયો હતો. આ ભાવમાં પણ અમદાવાદ સમેત ગુજરાતમાં અનેક સોદા થયા હતા. સોનાના આ ભાવમાં 3 ટકા જીએસટી સામેલ હોવાનું બુલિયન એક્સપર્ટસ જણાવી રહ્યા છે.

અગાઉ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સોનાનો ભાવ 40 હજારની સપાટીને પાર કરીને ત્યાં સ્થિર થયાનું નોંધાયું હતું. એ પછી આજે 2020ના પહેલા જ દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 40 હજાર ઉપરાંતની સપાટી જાળવી રાખે તેવું હાલ તુરત દેખાય રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે 40 હજારની સપાટી પર ટ્રેડ થઇ રહેલા સોનાના આ ઉંચા ભાવને કારણે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ઝવેરાત બજારમાં 6થી 8 ટકાનો ડાઉન ફોલ થશે. જાણકારો કહે છે કે સોનાના આટલા ઉંચા ભાવને કારણે દાગીનાની માગમાં સતત ઘટાડો જોવાય રહ્યો છે. જે 2020 કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ મહિનામાં અસાધારણ રીતે જોવા મળશે.

Continuing its week long rally, the price of gold crossed Rs 40,000 per 10g again, settling at Rs 40,435 including 3% goods and services tax (GST) in the Ahmedabad market. The last time it settled above Rs 40,000 was on August 28, 2019. Analysts said gold prices have risen due to the weakened US dollar.

The US dollar has weakened and usually gold prices remain on the higher side at this time as it is the financial year-end in other countries. Moreover, the quarter-end economic indicators do not look promising and as a result, gold prices have risen.

January 1, 2020
n_sitaraman.jpg
1min4340

નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2019ના અંતિમ દિવસ, તા.31મી ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર ₹102 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરશે. પગલાનો હેતુ પ્રોજેક્ટ્સની પ્રગિતને ઝડપી બનાવવાનો છે. તેમણે કોર્પોરેટ બોન્ડ માર્કેટ સેગમેન્ટમાં વધુ પગલાંનું વચન આપ્યું હતું. ઉપરાંત, યોજનાને ટેકો આપવા માટે કોન્ટ્રાક્ટને લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

સીતારામને કહ્યું હતું કે, “અમે આગામી પાંચ વર્ષ માટે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ માટે કટિબદ્ધ છીએ. ટૂંક સમયમાં વધુ ₹3 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ઉમેરાશે.” નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર વીજ, રેલવે, શહેરી સિંચાઈ, મોબિલિટી, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ₹100 લાખ કરોડના રોકાણનું વચન આપ્યું હતું. જેના અમલ માટે સીતારામને આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીની દેખરેખ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવાની દિશામાં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટેની યોજના તૈયાર કરશે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા ઓનલાઇન ડેશબોર્ડ અને ડેટા રૂમ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક રોકાણકારોની બેઠક બોલાવાશે. જેમાં તમામ હિસ્સેદારોને એક સ્થાને એકત્ર કરવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સમયસર અમલ માટે મોનટરિંગનું વિસ્તૃત માળખું તૈયાર થઈ રહ્યું છે. પ્રોજેક્ટ્સને અમલીકરણની ઝડપના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવશે અથવા પડતા મુકાશે.”

સીતારામને જણાવ્યું હતું કે, “ચાર મહિનાના ટૂંકા ગાળામાં 70 હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી ટાસ્ક ફોર્સે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ અલગ તારવ્યા છે. આગામી કેટલાક દિવસમાં વધુ પ્રોજેક્ટ્સ ઉમેરાયા પછી આંકડો ₹105 લાખ કરોડે પહોંચશે.” ટાસ્ક ફોર્સે વિસ્તૃત અહેવાલમાં વિવિધ સેક્ટર્સ અંગેની ચાવીરૂપ પોલિસીમાં જરૂરી ફેરફાર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલમાં આવનારા અન્ય આર્થિક સુધારા અંગે ભલામણો કરાઈ છે. આ સુધારામાં FDI નીતિને વધુ ઉદાર બનાવવી, કરારો લાગુ કરવાના માળખામાં સુધારો, વિવાદનું ઝડપી રિઝોલ્યુશન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “નાગરિકોનું જીવન વધુ સરળ બનાવવા તેમજ ઉદ્યોગજગત માટે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ની દિશામાં પગલાં લેવાશે. ₹102 લાખ કરોડના અંદાજિત મૂડી ખર્ચમાંથી ₹42.7 લાખ કરોડ (42 ટકા)ના પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાં છે. ₹32.7 લાખ કરોડ (32 ટકા)ના પ્રોજેક્ટ્સના કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે. જ્યારે બાકીના પ્રોજેક્ટ્સ વિકાસના તબક્કામાં છે.

January 1, 2020
5g.jpg
1min5150

સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.

દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.

દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.

ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.

અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.

દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.

December 30, 2019
johnson.jpg
1min4730

નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી એ જોનસન એન્ડ જોનસનને ૨૩૦.૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મૂકવામાં આવેલા કાપનો યોગ્ય ફાયદો ગ્રાહકોને ન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોનસન એન્ડ જોનસને ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવાની ગણતરી ખોટી રીતે કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ કેટલીક વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો ન હતો.

જોનસન એન્ડ જોનસનને ત્રણ મહિનામાં દંડની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપની પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સ ન હોવાના કારણે કંપનીએ પોતાની રીતે ગણતરી કરી હતી. ઓથોરિટીએ જોકે કંપની પાસેથી મળેલી માહિતી અને આંકડાઓને અધૂરા હોવાનું જણાવીને આ દાવાને નકાર્યો હતો.

December 29, 2019
itc-1.jpg
1min5100

કેન્દ્ર સરકારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સમાં ફેરફારની જાહેરાત કરી છે અને જો ઇન્વોઇસ કે ડેબીટ નોટ ફાઈલીંગમાં રીફલેક્ટ ન થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટ 20% થી ઘટાડીને 10% કરી છે. આ ઘટાડો માન્ય ક્રેડિટને લાગુ પડશે. આની સાથોસાથ કમિશનર સુધીના સ્તરના અધિકારીઓને જો ક્રેડિટ ખોટી રીતે પ્રાપ્ત કરી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવાની સત્તા આપી છે. જીએસટી કાઉન્સીલે તેની 18 ડીસેમ્બરની બેઠકમાં કરચોરી અટકાવવા અને બનાવટી પગલાં ટાળવા માટે આ અંગેની દરખાસ્તો મંજૂર કરી હતી.

આ નવા નિયમ 1લી જાન્યુઆરી 2020થી અમલી બનશે. જો કમિશનરને વાજબીપણે લાગે કે ઇનપુટ ટેક્સની ક્રેડીટ ખોટી રીતે લેવામાં આવી છે તો કોઇ જાતની ડેબીટના ડીસ્ચાર્જની છૂટ નહીં આપે કે કોઇ જાતના રીફંડને મંજૂર નહીં કરે.


આ ઉપરાંત જે કરદાતાઓએ તેમના ફોર્મ જીએસટીઆર-1ને બે માસ માટે કે બે ક્વાર્ટર માટે ઇ-વે બીલ ફાઈલ નહીં કર્યા હોય તે બ્લોક કરી દેવામાં આવશે.

December 27, 2019
sg1.jpg
3min7080

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કેતન દેસાઇ અને દિનેશ નાવડીયાના નેતૃત્વવાળી વર્તમાન ટીમને આજરોજ તા.27મી ડિસેમ્બર 2019ના રોજ મોટી ઉપલબ્ધિ સાંપડી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની અપેક્ષા બહાર વડાપ્રધાન શ્રી મોદીએ તેમને ધીરગંભીરતાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો અને સૂરતની ચર્ચા કરી અને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ આપેલી માહિતી મુજબ આજે તા.27મી ડિસેમ્બરની સવારે 11.45 કલાકે તેઓ પી.એમ. હાઉસમાં કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા હતા. એ પછી વડાપ્રધાન શ્રી મોદીએ સૂરતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળને 20 મિનિટ સાંભળ્યા હતા. સૂરતના ઉદ્યોગો વતી થઇ રહેલી રજૂઆતોમાં પી.એમ.શ્રી મોદીએ કેટલાક સવાલો પણ કર્યા અને તેના સંતોષકારક ખુલાસા ચેમ્બરના પ્રતિનિધિમંડળે પણ કર્યા હતા. શ્રી મોદીએ સૂરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સાથે બિલકુલ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.

શ્રી મોદીનો રિસ્પોન્સ જોરદાર હતો એ વાતની પ્રતીતિ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનની મુલાકાત બાદ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી સોશ્યલ મિડીયા એક્ટિવિટી પરથી થઇ રહી હતી.

ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં આ લોકો સામેલ હતા

  • કેતન દેસાઇ પ્રેસિડેન્ટ
  • દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ
  • હેતલ મહેતા ઇમિડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ
  • પરેશભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ
  • શૈલેષ દેસાઇ
  • દેવેશ પટેલ, એક્ઝિબિશન કમિટી કન્વીનર
  • ધિરેન થરનારી
  • અતુલ પાઠક
  • મૃણાલ શુક્લ
  • રાકેશ જૈન
  • હેમંત દેસાઇ
  • અમિત શાહ

નીચેનું લખાણ ચેમ્બરની ફેસબુક પોસ્ટ પરથી લેવાયેલું છે.

આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઈના નેજા હેઠળ ૧૨ જણાના પ્રતિનિધિ મંડળ કે જેમાં અન્ય હોદેદારો, ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્બરના વિવિધ સેલ હેડે નવી દીલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત અને સાઉથ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં એરપોર્ટ, કાર્ગો, હજીરા પોર્ટ અને તેની સાથે રેલ્વેની કનેક્ટિવિટી તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ.એસ.એમ.ઈ, ફૂડ અને એગ્રિકલ્ચરના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચેમ્બરની વિવિધ પ્રવુત્તિ ઉપર ચર્ચા કરી ચેમ્બરમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સૂરતના કોઇ ઉદ્યોગપતિઓ ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વડાપ્રધાન, નાણા પ્રધાન કે અન્ય કોઇ મંત્રીઓ કે અધિકારીઓને મળવા, રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે દર્શના જરદોષ કે સી.આર. પાટીલ અવશ્ય હોય જ. આ એક ટ્રેડિશન કહો કે ટ્રેન્ડ સેટ થઇ ગયો હતો. સાંસદ વગર સૂરતના કોઇ મોટા માથા પી.એમ.ને મળી જ ન શકે તેવી સિસ્ટમ જાણે ગોઠવાય ગઇ હતી. એ આજે તૂટી હોવાનો આભાસ થયો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે પી.એમ. શ્રી મોદીની વીસ મિનિટ સુધીની ચર્ચામાં ક્યાંય દર્શના જરદોષ કે સી.આર. પાટીલ પીક્ચરમાં દેખાયા કે ચર્ચાયા ન હતા.

ચેમ્બર ઓફ કોમર્સની સત્તાવાર અખબારી યાદી

ચેમ્બરની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરની વધુ સવલતો આપવા રજૂઆત સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.

ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત….

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.

એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.

ડાયમંડ ક્ષેત્રે રજૂઆત….

ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત….

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિવિધ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા….

ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.

વડાપ્રધાનશ્રીને ચેમ્બરનું આમંત્રણ….

ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

December 27, 2019
nogst.jpg
1min4600

સેન્ટ્રલ જીએસટી વિંગ દ્વારા બોગસ બિલિંગ મામલે 20થી વધુ કંપનીઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 600 કરોડથી વધુનાં બોગસ બિલિંગ કૌભાંડના કેસો સામે આવ્યા છે. કાગળ ઉપર જ એક્સ્પોર્ટ કર્યાનું બતાવી ડ્રો બેકનો લાભ લેવા ઉપરાંત, બોગસ બિલિંગ કરનારા આ કૌભાંડમાં સંડોવાયેલા ગુલામ સલીમ ગોડીલે સમગ્ર કૌભાંડની કબૂલાત કરતા સીજીએસટીએ ધરપકડ કરી છે.

કૌભાંડીઓએ સસ્તુ કાપડ ખરીદીને તેને ઉંચા ભાવે બતાવીને વિદેશ મોકલવા ઉપરાંત કાગળ પર જ માલ મોકલીને આઇજીએસટીમાં કરોડો રૂપિયાની ખોટી રીતે આઇટીસી લીધી હતી. બોગસ બિલિંગની આશંકા હેઠળ છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તપાસમાં સ્ટાર ટ્રેડિંગ કંપનીએ જ રૂ. 133 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સીજીએસટીની ટીમે અલગ અલગ 20 જગ્યાઓ પર દરોડા પાડયા હતા. આ દરોડામાં સ્ટાર ટ્રેડિંગ દ્વારા જ સમગ્ર વેપલો કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગે બ્લ્યૂમૂન ટેક્સ્ટાઇલ, ક્લાસિક ઇન્ડસ્ટ્રિઝ અને એફ.એસ. ટેક્સ્ટાઇલમાંથી બોગસ ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ પકડાયા હતા. જેમાં કંપનીઓ સાથેનો વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની  કામગીરી હાથ  ધરવામાં આવી છે. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટરપ્રાઇઝ પર તપાસ કરવામાં આવી હતી.

જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી. તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટની વસૂલાતમાં રૂ. 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હેવાનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ જયંશકર દુબેએ 1 હજાર કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

December 26, 2019
npa.jpg
1min5000

સાત વર્ષ સુધી વધતી રહ્યા બાદ એનપીએ ઘટતી જતી હોવાનુ જોવા મળ્યાનું બેન્કો જણાવે છે. સાનુરૂપ નીતિવિષયક માહોલ અને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ (આઈબીસી) આમાં મદદરૂપ થયાનું રીઝર્વ બેન્કે દેશમાં બેન્કિંગના વહેણ અને પ્રગતિ વિશેના તેના રિપોર્ટમાં જણાવ્યું છે. આ ગતિવિધિએ આર્થિક સેકટરમાં અને બેડ લોન્સની સમસ્યા સાથે ઝઝૂમતા નીતિઘડવૈયાઓમાં કંઈક ખુશાલી ફેલાવી છે.

શાખમાંની વૃદ્ધિ ય દબાયેલી રહેવા પામી છે, જ્યારે સહકારી બેન્કોનું સ્વાસ્થ્ય પણ કથળતું રહેવાનું ચાલુ રહ્યું છે તેમાં પીએમસી બેન્કની કટોકટી ધ્યાનાર્હ રહી છે. કુલ એનપીએ માર્ચ ’18માં 11.2 ટકા રહેલી તે ઘટીને માર્ચ ’19માં 9.1 ટકા રહી હતી.

સ્લીપેજ’ ગુણોત્તરનો ઘટાડો અને બાકી કુલ એનપીએનો ઘટાડો કુલ એનપીએ ગુણોત્તર સુધારવામાં મદદરૂપ થયા છે. જ્યારે માંડવાળનો કેટલોક હિસ્સો લોનો ઘણી જૂની થવાના કારણે છે, જ્યારે રીકવરીને આઈબીસીમાંથી પુષ્ટી મળી છે.

રીપોર્ટમાં દર્શાવાયુ છે કે તમામ બેન્ક જૂથોએ એસેટ કવોલિટીમાં સુધારો થયાનું નોધ્યુ છે. તેમાંય જાહેર ક્ષેત્રની બેન્કોને કુલ એનપીએ અને ચોખ્ખા એનપીએ -બેઉના ગુણોત્તર નીચા ગયાનો અનુભવ થયો છે.

’18-’19 દરમિયાન સ્ટ્રેસ્ડ એસેટ્સની રીકવરીમાં સુધારો જોવા મળ્યો છે તે મુખ્યત્વે આઈબીસી હેઠળના ઉકેલના કારણે છે, રીકવર થયેલી કુલ રકમમાંથી અર્ધી તેના કારણે છે. જો કે ઉકેલના મોટા માળખા (લોક અદાલત સિવાય) દ્વારા મેળવાતા રીકવરી દરો ’18-’19માં ઘટયા છે.