CIA ALERT

બિઝનેસ Archives - Page 51 of 90 - CIA Live

March 12, 2020
SBI.jpg
1min7810

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.

March 9, 2020
sensex_down.jpg
1min4240

કોરોના ઈફેક્ટથી શેરબજાર બોટમઆઉટ થવાની આશંકા સાચી પડતી હોય તેમ સોમવારે સવારે પણ ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ 1300 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

કોરોનાની વિશ્વભરના અર્થતંત્ર પર અસર પડવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.

સોમવારે સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1352.07 પોઈન્ટ્સ અથવા 3.60 ટકાના જંગી કડાકા સાથે 36,224.55 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 426.35 પોઈન્ટ્સ અથવા 3.88 ટકા ઘટીને 10,563.10 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.22 ટકા અને 3.29 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે મેટલ, પાવર, ટેકનો, રિયલ્ટી, એનર્જી, FMCG, IT, ફાઈનાન્સ અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે BSEમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC 12 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 8.19 ટકા, LT 7.62 ટકા, રિલાયન્સ 7.49 ટકા, ટાટા સ્ટીલ 6.92 ટકા, પાવરગ્રીડ 5.93 ટકા અને SBI 5.51 ટકાનો સમાવેશ થાય છે.

March 6, 2020
phone-pay-image-1.jpg
1min6000

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર લાદેલા કડક નિયંત્રણો બાદ ફાઇનાન્સિયલ ટેક્નલોજી કંપની PhonePe ની સેવાઓ પણ ભારત તેમજ વિદેશોમાં ખોરવાઇ જવાના અહેવાલો અને ફરીયાદો ઉપસ્થિત થઇ છે. પેમેન્ટ રીસીવ અને પેમેન્ટ કરવા માટે PhonePe ની સેવાઓ નિયમિત લેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોટા ભાગના ગ્રાહકોને એ વાતની ખબર ન હતી કે યસ બેંક એ PhonePe ની પાર્ટનર કંપની છે અને તેના પર લદાયેલા નિયંત્રણોને કારણે PhonePe ની સેવાઓને ભારે અસર પહોંચી છે.

યસ બેન્ક પર લાગેલ રોક બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારિત લેવડદેવડ અટકી ગઈ છે અને તેનાથી બેન્કનાં સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર PhonePe ખરાબ રીતે સંકટમાં ફસાઈ છે. 

PhonePeના CEO સમીર નિગમે ટ્વિટર પર ગ્રાહકોને જણાવ્યું છે કે લાંબી અડચણ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમારી પાર્ટનર બેન્ક પર RBIએ પ્રતિબંધ લગાડી દીધા છે. તેઓએ કહ્યું હતું કે અમારી સમગ્ર ટીમે રાત દરમિયાન સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.

એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે કંઈપણ હોય, આ એક લેવડદેવડ કરે છે જેને કારણે બેંકે કામ બંધ કરવું પડ્યું છે. 

https://twitter.com/_sameernigam/status/1235735713166942208

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાંકીય કટોકટીને પગલે ખાનગી બેન્ક, યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

March 6, 2020
Sensex-down_.jpg
1min5670

કોરોનાના હાઉ વચ્ચે આજે તા.6 માર્ચ 2020ને શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે સવારે મોર્નિંગ બેલ વાગતાની સાથે જ ઉઘડતા બજારે ભારતીય શેરબજારો જમીનદોસ્ત જોવા મળ્યા હતા. સેન્સેક્સ 1400 પ્લસ ડાઉન રેન્જમાં જોઇને કેટલાક તો બોલી ઉઠ્યા હતા કે સેન્સેક્સ હવે લોકોને નવડાવવાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ છેલ્લા સપ્તાહમાં લાખો કરોડ રૂપિયા સેન્સેક્સે ભારતીયોના ધોઇ નાંખ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે સપ્તાહના આખરી કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે.

સવારે 9 વાગીને 15 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 1441.82 અંકોના ઘટાડા બાદ 37,028.79 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 403.15 અંક કમજોર થઈને 10,865.85 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી સેન્સેક્સ 1162.30 અંક (3.02%) ઘટીને 37,308.11 અને નિફ્ટી 351.10 (3.12%) અંક તૂટીને 10,917.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 1 શૅર લીલા નિશાન પર અને 49 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

શૅર બજારના સેન્સેક્સે ગુરૂવારે પોતાનો શરૂઆતનો વધારે લાભ ગુમાવી દીધો અને આ 61 અંકના નુકસાન સાથે બંધ થયું. બૉમ્બે શૅર બજરાના 30 શૅરોવાળા સેન્સેક્સ દિવસમાં કારોબાર દરમિયાન 478 અંક સુધી ચઢ્યા બાદ અંતમાં 61.13 અંક એટલે 0.16%ના લાભ સાથે 38,470.61 અંક પર બંધ થયું. આવી જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 અંક એટલે 0.16%ના મામૂલી વધારા સાથે 11,269 અંક પર બંધ થયું.

બજારમાં ઘટાડાના કારણે શૅર બજારને લઈને રોકાણકારોની કમજોરી ધારણા, યસ બૅન્કથી પૈસા નીકાળવાને લઈને આરબીઆઈની અધિસૂચના પ્રમુખ રહી. એ સિવાય દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમ પણ ઘટાડાનું કારણ બન્યા.

બજાર ખુલતાની સાથે મોટા ઘટાડાથી 5 લાખ રોકાણકારોના ઘણા પૈસા સ્વાહા થઈ ગયા. શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો પણ ઘટીને 74ના સ્તર પર પહોંચી ગયા.

March 6, 2020
yes-bank.jpg
1min5180

ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.

બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં

નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.

આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.

કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.

નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.

એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.

૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

March 4, 2020
crypto.jpg
2min15020

ભારતના અર્થતંત્રને ક્રિપ્ટો કરન્સીનો વેપાર મોટી અસર કરી શકે, રિઝર્વ બેંકના 2018નો સરક્યુલર રદ

આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી અંગે થયેલી એક રિટ પીટીશનની સુનવણી દરમિયાન ભારતમાં બેંકોને ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરવા દેવા સંદર્ભની છૂટ આપી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2018માં જારી કરવામાં આવેલા એક સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો.

આજે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં થયેલા હિયરિંગ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના વેપારને મંજૂરી આપવામાં આવે છે.

રિઝર્વ બેંક દ્વારા 2018માં ક્રિપ્ટો કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) સંદર્ભે એવો સરક્યુલર જારી કરવામાં આવ્યો હતે કે આ કરન્સીના કારોબારમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ, માર્કેટ ઇન્ટેગ્રિટી તેમજ મની લોન્ડરીંગ જેવા દુષણો પ્રવર્તી રહ્યા હોઇ, ક્રિપ્ટો કરન્સીનો વેપાર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મતલબના સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેના હિયરીંગમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને એલાવ કરતું રૂલિંગ આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે યોજાયેલી સુનવણી દરમિયાન આપ્યું હોવાનું વિશ્વસનીય મિડીયા સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.

SC allows crypto currency trading

The Supreme Court on Wednesday allowed a plea challenging the Reserve Bank of India’s (RBI’s) 2018 circular which barred banks from trading in cryptocurrencies. “Trading in cryptocurrencies now will be allowed,” the top court noted.

In April 2018, the RBI had issued a circular barring banking and financial services from dealing in virtual currency or cryptocurrency such as Bitcoin, most valued crypto currency in the world.

Cryptocurrencies are digital currencies in which encryption techniques are used to regulate the generation of currency units and verify the transfer of funds, operating independently of a central bank.

The RBI had stated that virtual currencies (VCs) (cryptocurrencies and crypto assets) “raise concerns of consumer protection, market integrity and money laundering.” In view of the associated risks, banks were asked not to deal with crypto-related businesses.

This circular was challenged by an industry group Internet and Mobile Association of India (IMAI) before the SC.

March 3, 2020
sbii-1.jpg
1min4940

એસબીઆઇ કાર્ડઝના આઇપીઓમાં ભરણું ખૂલવાના પહેલા જ દિવસે ૮.૫૨ લાખ એપ્લીકેશન્સનો નવો વિક્રમ સ્થપાયો છે. આમ લગભગ ૩૯ ટકા સબ્સક્રિપ્શન સાથે પહેલા જ દિવસે રૂ. ૩૦૦૦ કરોડ એકત્ર થયા છે. રીટેલ પોર્શન ૬૨ ટકા, શેરહોલ્ડર્સનો હિસ્સો ૬૯ ટકા ભરાયો છે. કિવ્બ્સ માટે બિડ ચોથી માર્ચે અને રીટેલ, એચએનઆઇ અને અન્ય વર્ગ માટેની બિડ પાંચમી માર્ચે બંધ થશે. ભારતમાં બ્રોસ જૂથ પાંચ વર્ષમાં ઓટો ક્ષેત્રે ૧૭ મિલિયન યુરોનું મૂડીરોકાણ કરશે

March 1, 2020
bank-strike.jpg
1min5280

બેન્ક કર્મચારીઓના અલગ-અલગ સંગઠનોએ બોલાવેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલને રદ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયિઝ એસોસિએશને તેના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે શનિવારે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન સાથે થયેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા પછી હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ બેઠકમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્ક ચાલુ રાખવા અને પગારમાં 15% વધારા મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી.  

આ પહેલા 11થી 13 માર્ચ સુધી સતત ત્રણ દિવસ માટે બેન્ક હડતાલની આશંકા હતી. બેન્ક કર્મચારીઓએ પગાર વધારા માટે માંગ કરતા ત્રણ દિવસની હડતાલ બોલાવી હતી. 

February 29, 2020
gst.jpg
1min7180

GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.

GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk

GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.

GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.

GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786

નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.

  • GSTNએ GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
  • આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
  • આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી શકાશે.
  • આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
  • હવે બંગાળી, મરાઠી, તેલેગુ, તમિળ, ગુજરાતી, કન્નડ, ઓડિશા, મલયાલમ, પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
February 29, 2020
sweetbox.png
1min6940

નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવ્યું હતું.

કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે.

ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.