બિઝનેસ Archives - Page 50 of 90 - CIA Live

April 19, 2020
FDI.jpg
1min4800

ચાઈનીઝ સેન્ટ્રલ બેંકે HDFCના કરોડો શેર ખરીદ્યા હતા. જેના કારણે કંપનીમાં તેમનો ભાગ 1 ટકાને પાર કરી ગયો. તે સમયે એવા રિપોર્ટ આવ્યા હતા કે સમગ્ર દુનિયામાં ચીન તેનું રોકાણ ઝડપથી વધારી રહી છે. કોરોના વાયરસના કારણે આખી દુનિયાનું શેર માર્કેટ ક્રેશ થઈ ગયું છે અને શેરના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. ચીન તેને એક તક તરીકે જોઈ રહ્યું છે અને ઝડપથી રોકાણ વધારી રહ્યું છે.

કોરોના વાયરસની મહામારીના સંકટ દરમિયાન કેન્દ્ર સરકારે FDI (Foreign direct investment)ના નિયમમાં બદલાવ કર્યો છે. જે હેઠળ ભારતની સરહદ જે 3 દેશો સાથે જોડાયેલી છે તેના રોકાણકાર સરકારની પરવાનગી વિના અહીં રોકાણ કરી શકશે નહીં. મતલબ કે ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રોકાણકારો અથવા કંપનીઓને જો ભારતમાં રોકાણ કરવું હશે તો સરકારની પરવાનગી લેવી પડશે. આ જાણકારી DPIITએ આપી છે. સરકારના આ નિર્ણયની અસર ચીનના રોકાણકારો પર થશે. અત્યાર સુધી માત્ર બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવનાર FDI માટે સરકારની પરવાનગી લેવી પડતી હતી.

April 17, 2020
gold2.jpg
1min5910

સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે. પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200 રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

April 13, 2020
hdfcbank-1280x720.jpg
1min5470

હાઉસિંગ ફાયનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી ધિરાણકર્તા કંપની એચડીએફસી લિમિટેડના ચીનની સેન્ટ્રલ બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ ૧.૭૫ કરોડ શેર્સની ખરીદી કરી છે. આ સાથે જ એચડીએફસીમાં પીપલ્સ બેન્કની હિસ્સેદારી વધીને એક ટકાની ઉપર થઇ છે. સ્ટોક એક્સચેન્જમાં જાહેર કરેેલી જાણકારી મુજબ આ શેર્સની ખરીદી મોટાભાગે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કરવામાં આવી છે. આ સમય ગાળામાં એચડીએફસીના શેરના ભાવ ઘણા તૂટ્યા હતા. એ જોતાં શેરની ખરીદીનો સમય નોંધપાત્ર છે.

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી અત્યાર સુધીમાં શેરમાં ૪૧ ટકાનો ઘટાડો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમા ંએચડીએફસી લિમિટેડના વાઇસ ચેરમેન અને સીઇઓ કેકી મિસ્ત્રીએ કહ્યું કે, પીપલ્સ બેન્ક ઓફ ચાઇના માર્ચ ૨૦૧૯ સુધીમાં ૦.૮૦ ટકા હિસ્સો ધરાવતી હતી જે માર્ચ ૨૦૨૦ સુધીમાં તે ૦.૨૦%થી વધીને ૧.૦૧ ટકા થઈ ગયો છે.

શેરબજારમાં મંદીની સ્થિતિ વચ્ચે એશિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં ચીન નાણાકીય સંસ્થામાં મોટા પ્રમાણમાં હિસ્સેદારી ખરીદી રહ્યું છે. ચીને તાજેતરમાં મુખ્યત્વે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી કંપનીઓમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત એશિયન દેશોમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.

April 2, 2020
banks.jpg
1min6260

રાજ્યની માલિકીની પંજાબ નેશનલ બૅંકે બુધવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સની રાષ્ટ્રવ્યાપી શાખાઓ હવે પંજાબ નેશનલ બૅંકની શાખા તરીકે કાર્યરત થઇ ગઇ છે.

પંજાબ નેશનલ બૅંક, યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સનું પહેલી એપ્રિલ, ૨૦૨૦થી જોડાણ થઇ ગયું છે. આ મર્જરથી દેશની બીજી સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બૅંક બનશે. આ જોડાણથી વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક નેક્સ્ટ જનરેશન બૅંક પીએનબી ૨.૦ બનાવાશે અને થાપણદારો સહિતના બધા ગ્રાહકોને પીએનબીના ગ્રાહક માનવામાં આવશે.

પીએનબી તેની તમામ શાખાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ બૅંકિંગ સહિતના તમામ પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરઓપરેબલ સેવા પ્રદાન કરશે. આ નવી સંયુક્ત બૅંકની ૧૧,૦૦૦થી વધુ શાખા, ૧૩,૦૦૦થી વધુ એટીએમ, એક લાખ કર્મચારી અને ૧૮ લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મિશ્રણની વિશાલ ભૌગોલિક પહોંચ હશે.

April 1, 2020
banking-services-1.jpg
1min6360

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને ૨૧ દિવસના લૉકડાઉનના સમયગાળા દરમિયાન બૅન્કોના કામકાજ રાબેતામુજબ રહે અને તમામ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સામાન્ય સ્થિતિમાં રહે એની તકેદારી રાખવાનો આદેશ મંગળવારે આપ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનમાંથી બૅન્કોને, એટીએમને, બૅન્કોના કામકાજ સંબંધિત આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) વેન્ડર્સને, બૅન્ક કૉરસપૉન્ડ્ન્ટસને તેમ જ કૅશ મૅનેજમેન્ટ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ ૨૭,૫૦૦ કરોડ રૂપિયાના જે આર્થિક પૅકેજની જાહેરાત કરાઈ છે એ સંબંધિત વહેંચણી આવનારા દિવસોમાં થવાની હોવાથી બૅન્કો તથા બધા એટીએમને સામાન્ય સ્થિતિમાં લાવવાની કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે.

વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-’૨૦) નિર્ધારિત સમય મુજબ ગઈ કાલે (મંગળવારે) પૂરું થયું હતું. સામાન્ય રીતે ઘણી કંપનીઓ તેમ જ પેઢીઓ દ્વારા એમના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર-વેતનની ચૂકવણી થતી હોય છે અને એ બાબતમાં તેમ જ એટીએમમાંથી પૈસા ઉપાડવા સંદર્ભમાં સામાન્ય પ્રજાને ૨૧ દિવસના લૉકડાઉનના વર્તમાન સમયગાળામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ હેતુથી પણ કેન્દ્ર સરકારે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના સામાન્ય કામકાજ વિશેની સૂચના આપી છે.

કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે ‘ઘણી રાજ્ય સરકારોએ બૅન્કોના કામકાજના ઘટાડેલા કલાકો વિશે, મર્યાદિત સંખ્યામાં શાખાઓ કાર્યરત્ રાખવા સંબંધમાં, એટીએમમાં રોકડા ભરવા સંબંધિત કર્મચારીઓની અવરજવર પર નિયંત્રણ અંગે તેમ જ અન્ય કેટલાક કારણો બાબતમાં સૂચનાઓ બહાર પાડી છે.’

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ૨૭,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક યોજનાની જાહેરાત કરાઈ છે એ હેઠળ વહેંચણી આ અઠવાડિયા અને આવનારા અઠવાડિયાઓમાં બૅન્કો તથા એટીએમ અને બિઝનેસ કૉરસપૉન્ડન્ટ્સ (બીસીએસ) મારફત થવાની છે. આ સમગ્ર બાબતને લક્ષમાં રાખીને જ ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના કામકાજ રાબેતામુજબના રહે એની તકેદારી રાખવાની સૂચના આપી છે.

તેમણે સોમવારે એક પત્રમાં જણાવ્યું હતું કે ‘પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્વયે જે લોકોને આવરી લેવામાં આવ્યા છે તેમને રકમની થનારી વહેંચણી દરમિયાન બૅન્કો સાથે સંકલન જાળવવાની તૈયારી સ્થાનિક જિલ્લા/રાજ્ય/પોલીસ તંત્રએ બતાવી છે.’

March 31, 2020
fiscalyear2020-1.png
1min9230

31st માર્ચ સૂમસામ, સ્ટેટમેન્ટસ, સ્ટોક, રિટર્ન ફાઇલિંગ કશી દોડધામ નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના ન હોત તો આજે તા.31મી માર્ચ એટલે હિસાબી વર્ષનો અંતિમ દિવસ. વિશ્વમાં ભલે કેલેન્ડર વર્ષ અને હિસાબી વર્ષ એક હોય પરંતુ, ભારતમાં પરંપરાગત રીતે હિસાબી વર્ષ અને કેલેન્ડર વર્ષ અલગ અલગ છે. ભારતમાં હિસાબી વર્ષનો છેલ્લો દિવસ એટલે 31મી માર્ચ અને આજે તા.31મી માર્ચ 2020. આજના દિવસે ધંધો, રોજગાર, વ્યવસાયિકો તમામનું નાણાંકીય વર્ષ પૂર્ણ થાય અને હિસાબો સેટલ થાય. આજે બેંકોમાં પણ સેટલમેન્ટનો દિવસ. પરંતુ, કોરોનાના કારણે ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વના ગણાતા હિસાબી વર્ષના અંતિમ દિવસે કચેરીઓ સૂમસામ ભાસે છે.

નાણાંકીય વર્ષ લંબાવવાની વાત બેબૂનિયાદ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે એવી સ્પષ્ટતા કરી છે કે નાણાંકીય વર્ષ લંબાવાયું હોવાની કોઇ જ વાત નથી કે ચર્ચા પણ નથી. આવી વાતો ફેક છે. કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક રીતે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

કોરોનાનો સ્પ્રેડ રોકવા માટે લૉકડાઇનની સ્થિતિમાં –

  • હિસાબી વર્ષના અંતિમ દિવસે નથી કોઇ દોડધામ
  • બેંકો ખાલીખમ
  • કોઇ સ્ટેટમેન્ટસ લેવા માટે પડાપડી નથી
  • સી.એ.ની કચેરીઓ બિલકુલ બંધ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની કોઇ દોડધામ નથી
  • સરકારી કચેરીઓ બિલકુલ ખાલી
  • હિસાબ સેટલમેન્ટના કોઇ ઉજાગરા નહીં કે કોઇ ઉતાવળ નહીં
  • હિસાબી વર્ષની નાણાંકીય લેવડદેવડને અંજામ આપવાનો બાકી
  • સ્ટોક ગણતરીની કામગીરી બિલકુલ બંધ
  • બધી જ નાણાંકીય અને હિસાબી બાબતો છેલ્લા એક સપ્તાહથી બંધ

કાલથી 20/20 વર્ષ

આવતીકાલ તા.1લી એપ્રિલ 2020 એટલે ભારતમાં નવા નાણાંકીય વર્ષનો સૂર્યોદય હશે. નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં લૉકડાઉનની સ્થિતિ ભારત આઝાદ થયું એ પહેલાથી પહેલી એપ્રિલ 2020ના રોજ એવી સ્થિતિ ન હતી જેવી આવતીકાલ તા.1લી એપ્રિલ 2020ના રોજ થવાની છે.

कोरोना की वजह से वित्त वर्ष 2019—20 के टलकर जून 2020 तक कर देने की की चर्चा और भ्रम पैदा हुई. यह भ्रम सरकार के एक नोटिफिकेशन की वजह से हुआ. भारत में ​वित्त वर्ष की ब्रिटिश प्रणाली अपनाई गई है जो हर साल 1 अप्रैल से अगले साल के 31 मार्च तक होती है. इस तरह वित्त वर्ष 2019—20 का समय 1 अप्रैल 2019 से 31 मार्च 2020 तक है.

इस बारे में काफी चर्चा के बाद आखिर सरकार को सफाई देनी पड़ी. सरकार की तरफ से बयान जारी कर उस खबर को नकारा गया है जिसमें दावा किया जा रहा था कि वित्त वर्ष को 30 जून तक बढ़ाने का फैसला किया गया है. वित्त मंत्रालय की तरफ से जारी बयान में कहा गया कि इंडियन स्टाम्प ऐक्ट की तारीख में बदलाव को वित्त वर्ष में बदलाव कहा जा रहा जो गलत रिपोर्ट है.



March 28, 2020
rbi.jpeg
2min5860

કોરોના કારમુ સ્વરૂપ ધરવા આગળ વધી રહ્યો છે, તેને હંફાવવા સરકાર વિવિધ અન્ય પગલાં સાથે દેશવાસીઓને નાણાકીય રાહત પણ આપી રહી છે જેથી કોરોના સામેની લડાઇમાં કોઈ કચાશ ન રહી જાય.

દેશની બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના વાઈરસના પગલે આપવામાં આવેલા લોકડાઉનથી લોકોને મુશ્કેલી ન થાય તેના માટે લોનની ચૂકવણીમાં રાહત આપવા અને લોન સસ્તી કરવાનો નિર્ણય કર્યો છે.

એ જ સાથે, ટર્મ લોનના હપ્તાની ચુકવણીમાં ત્રણ મહિનાની રાહત આપવાની જાહેરાત પણ કરી છે.

એક મહત્વના પગલામાં રેપો રેટમાં પણ ૦.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને પરિણામે તમામ પ્રકારની લોન સસ્તી થશે.

રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસેથી લોન મળે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તેઓ ગ્રાહરો માટે રેટ ઘટાડશે.

રેપો રેટ પહેલા ૫.૧૫ ટકા હતો, હવે તે ઘટીને ૪.૪૦ ટકા થઈ ગયો છે. આ ફેરફારને પગલે વિવિધ પ્રકારની લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે.

*રિઝર્વ બેન્કે પાંચ મહત્વની જાહેરાત કરી છે, જે આ પ્રમાણે છે:*

૧. રેપો રેટમાં ૦.૭૫ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, જેને પરિણામે લોન સસ્તી થશે

૨. ટર્મ લોનનો હપ્તો ભરવામાં ત્રણ મહિનાની છુટ આપવામાં આવી છે, જેને પરિણામે ગ્રાહકો અને બેન્કોને રાહત મળશે.

૩.વર્કિંગ કેપિટલ પર વ્યાજની ચુકવણી ત્રણ મહિના ટળી હોવાથી કોર્પોરેટ સેક્ટરમાં રાહત મળશે.

૪.કેશ રિઝર્વ રેશ્યો ૧ ટકા ઘટાડવામાં આવ્યો હોવાથી બેન્કોની પાસે વધુ રોકડ રહેશે.

૫. રિઝર્વ બેન્કના આં નિર્ણયની અસરથી બેન્કિંગ સિસ્ટમમાં ૩.૭૪ લાખ કરોડ રૂપિયાની રોકડ વધશે.

આરબીઆઈએ બેન્કોની સાથે લોન લેવા વાળા ગ્રાહકોને પણ રાહત આપી છે. બેન્ક ૩ મહીના સુધી ઈએમઆઈ ટાળી શકશે. ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન એનપીએમાં નહીં ઉમેરાશે. નેટ ફંડિંગ રેશ્યો નિયમને પણ ૬ મહીના માટે ટાળવામાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યુ છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા એમપીસીએ નિર્ધારિત સમયથી પહેલા બેઠક કરી છે. ૨૪-૨૭ માર્ચ સુધી એમપીસીની બેઠક થઈ જેમાં એમપીસીએ ૪:૨ ના રેશિયોમાં રેટ કપાતનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ વ્યાજ દરો એટલે કે રેપો રેટમાં ૦.૭૫ ટકાની કપાત કરતા ૪.૪૦ ટકા કરી દીધા છે. તેની સાથે જ એલએએફમાં પણ ૦.૯ ટકાની કપાત કરતા તેને ૪ ટકા કરી દેવામાં આવી છે.

રિવર્સ રેપો રેટ દર પણ ૦.૯ ટકાથી ઘટાડીને ૪ ટકા કરી દેવમાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે અમારો ફોક્સ ફાઈનાન્શિયલ સ્થિરતા પર છે. એચ૨માં ૪.૪ ટકા ગ્રોથ હાસિલ કરવો ચૂનોતિપૂર્ણ રહેશે.

કોરોનાના લીધેથી માંગમાં ઘણી પીછેહઠ આવી છે. કોરોનાથી ગ્રોથ અને મોંઘવારી અનુમાનોમાં ઘણા બદલાવ સંભવ છે.

વર્તમાન સમય જેવી અસ્થિરતા અત્યાર સુધીમાં નથી જોવા મળી. સ્થાનિક અર્થતંત્રની સુરક્ષા સમયની માંગ છે અને એ જ કારણે આ પગલાં લેવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખતા લોન-રી-પેમેંટના ઢીલ દેવામાં આવી રહી છે.

બધી બેન્કોના સીઆરઆરમાં ૧ ટકા સુધી કપાત કરવામાં આવી છે. બધી બેન્કોના સીઆરઆર ૧ ટકા ઘટાડીને ૩ ટકા કરવામાં આવી

રહ્યા છે.

હવે આપણે એકસમાન માસિક હપ્તા (ઈએમઆઈ) ત્રણ મહિનાની છુટ શું છે, એ પણ જાણી લઈએ.

બેન્કિંગ ક્ષેત્રના સાધનો અનુસાર ઊખઈં પેમેન્ટમાં છુટનો અર્થ એ નથી કે તમારે બાકી નીકળતા ઈએમઆઈને ચૂકવવા પડશે નહિ. માત્ર ત્રણ મહિના ટાળી શકો છો. પછીથી ચુકવણી કરવી પડશે.

આ પગલું એ હેતુથી ઉઠાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે જેની પાસે ખરેખર કેશની અછત છે તેને લોનની ચુકવણીમાં થોડો સમય મળી જાય.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે જેમની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ છે તેમણે ઊખઈં સમય પર જ ચુકવવો જોઈએ નહિતર તેમની પર પણ બોજો વધશે.

એ નોંધવું રહ્યું કે સરકારે ગુરુવારે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ગરીબ, ખેડૂત , મજૂર, મહિલા, વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વાઈરસના કારણે દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

March 23, 2020
sensex_down.jpg
1min17080

કોરોનાને કારણે વિશ્વભરમાં લોકડાઉનથી વૈશ્વિક મંદીના ભયે આજરોજ સોમવાર તા.23મી માર્ચ 2020ના રોજ સવારે BSE સેન્સેક્સ ખુલ્યાના એક કલાકમાં જ 3,000 પોઈન્ટ્સ ગગડી જતાં શેરબજારમાં લોઅર સર્કિટ લાગી હતી અને ટ્રેડિંગ 45 મિનિટ અટકાવી દેવામાં આવ્યું હતું. શેરબજારમાં નેશનલ સ્ટોક એક્ષચેન્જની નિફ્ટી પણ 842.45 પોઈન્ટ્સ અથવા 9.63 ટકા તૂટીને 7,903 પોઈન્ટ્સની સપાટીએ આવી ગયો હતો.

બજારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ફ્રી ફોલના કિસ્સામાં 10 ટકાના ઘટાડાનું ઓટોમેટિક મિકેનિઝમ છે જેમાં ટ્રેડિંગ 45 મિનિટ સુધી અટકાવી દેવામાં આવે છે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોગ અને સિઓલ શેરબજારો 4 ટકા સુધી ઘટીને જ્યારે જાપાનનું શેરબજાર વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બજારમાં ઊંચી વોલેટિલિટી ડામવા માટેના પ્રયાસમાં બજારની નિયમનકાર સેબીએ શુક્રવારે 23 માર્ચથી એક મહિના સુધી અમલી રહે તે રીતે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શેર માટેની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટમાં ફેરફાર, ડાયનામિક પ્રાઈસ બેન્ડ અને અન્ય પગલાં ભર્યા હતા. જેને કારણે બજારમાં શોર્ટ સેલિંગમાં તેમજ વોલેટિલિટી ઘટશે.

જોકે, સ્ટોક એક્સચેંજ અને નિયમનકારી અધિકારીઓએ કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે શેરબજારમાં ટ્રેડિંગના કલાકો ઘટાડવાની સૂચનને ફગાવી દેવામાં આવ્યું હતું.

March 17, 2020
sensex-l-express-photo.jpg
1min13660

વર્ષ ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીની સર્કિટ બાદ બાર વર્ષે પાછલા શુક્રવારે સર્કિટ લાગી હતી. સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત નીચલી સર્કિટ લાગી છે.

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે પણ ધારણાં મુજબ જ કડાકો નોંધાયો છે. જોકે, આ વખતે કડાકો દસ ટકા જેવો ન થયો હોવાથી સર્કિટ લાગુ પડી નહોતી. પાછલા સપ્તાહે શેરબજારમાં બાર વર્ષના વહાણા બાદ સર્કિટ લાગુ થઇ હતી, આ અગાઉ વર્ષ ૨૦૦૮ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે ૧૨ વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગી હતી. વૈશ્ર્વિક બજારોની જે દશા છે તે જોતાં આગાળના દિવસોમાં ફરી સર્કિટ જોવા મળે તો નવાઇ નહીં.

પાછલા સપ્તાહના અંતિમ સત્રમાં બેન્ચમાર્ક નીચલી સર્કિટને અથડાયા બાદ ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી. ભયંકર અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ આ દિવસે ૧૩૨૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં સવારે જ ૩૦૦૦ પોઇન્ટથી મોટા કડાકા સાથે નીચલી સર્કિટ લાગ્યા બાદ ૪૫ મિનિટ પછી ટ્રેડિંગ ફરી શરૂ થતાં જ ઝડપી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સે સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

અમેરિકાથી ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા પ્રવાહિતા વધારની તૈયારી અને અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજની આશા વચ્ચે વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક બેન્ચમાર્કે પણ ઘટાડો પચાવીને સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

જોકે, સોમવારે આપણે જોયું કે અમેરિકાની ફેડરલથી માંડીને જાપાન, કેનેડા, ન્યુઝિલેન્ડ, સ્વીસ, ઇંગ્લેન્ડ અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ ઘટાડવાથી માંડીને સ્ટિમ્યુલસની જાહેરાત કરી હોવા છતાં વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટોની ધ્રુજારી ઓછી થઇ નથી અને મોટાભાગના માર્કેટ

ગબડ્યાં છે.

પાછલા શુક્રવારની સર્કિટ અને રિકવરીની વાત તરફ પાછા વળીએ તો એ દિવસે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં આવેલો ઉછાળો પણ સેન્ટિમેન્ટ સુધારવામાં સહાયક બન્યો હતો. કોરોના વાઈરસના હાહાકારથી ભયભીત બજાર શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાની ૧૫ મિનિટમાં જ આ સ્થળે વ્યકત કરવામાં આવેલી ધારણાં મુજબ જ સેન્સેક્સમાં ૩,૩૦૦ પોઈન્ટ્સ અથવા ૧૦ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ૪૫ મિનિટ બાદ બજારમાં ફરી ટ્રેડિંગ શરૂ થયું ત્યારે રિવર્સ ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ૫,૦૦૦ પોઈન્ટ્સની ઉથલપાથલ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખૂલ્યૂ કે તરત જ શરૂ થયેલા પેનિક સેલિંગમાં બજાર ગગડી ગયું હતું અને નિફ્ટીમાં લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. પરિણામે બજારમાં સર્કિટના વિરામ બાદ ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. આજે સોમવારે પણ બજારમાં સવારના સત્રમાં ભારે કડાકો જોવા મળ્યો પરંતુ તે દસ ટકાથી ઓછો હોવાથી સર્કિટ પણ ન લાગી અને રિકવરી પણ જોવા મળી નહોતી.

હવે આપણે એ જોઇએ કે સર્કિટ શું છે અને ક્યારે લાગે છે. ભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે. સેબીએ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે.

આ માટે પણ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,૨૦૦૧માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.

સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત લોઅર સર્કિટ લાગી છે. સૌથી પહેલા ૨૧ ડિસેમ્બર, ૧૯૯૦માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૬.૧૯ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર ૧૦૩૪.૯૬ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો ૨૮ એપ્રિલ, ૧૯૯૨માં થયો હતો. ત્યારે સેન્સેક્સ ૧૨.૭૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર ૩૮૯૬.૯૦ પર બંધ રહ્યો હતો.

ત્રીજી સ્થિતિ ૧૭ મે,૨૦૦૪માં આવી હતી. જ્યારે શેરબજારમાં ૧૧.૧૪ ટકાનો ઘટાડો થયો હતો, તે સમયે શેરબજારમાં ૪૫૦૫.૧૬ સ્તર પર બંધ રહ્યો હતો. ૨૪મી ઓક્ટોબર,૨૦૦૮માં સેન્સેક્સમાં ૧૦.૯૬ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર ૮૭૦૧.૦૭ પર બંધ રહ્યો હતો.

દરમિયાન શેબજારના પીઢ નિરિક્ષકોએ આ રિકવરી છતાં સાવધ રહેવાની સલાહ આપી છે.

સર્કિટ બાદ ઉછાળો આવ્યો હોવા છતાં બજારના સાધનોએ રોકાણકારોને હાલ તુરત બજારથી સાવધ રહેવાની સૂચના આપી છે, કારણ કે કોરોના મહામારીની નકારાત્મક અસરની તલવાર હજુ પણ લટકી રહી છે.

March 16, 2020
sbii-1.jpg
1min6360

Shares of SBI Cards & Payment Services (SBI Cards) listed at Rs 661, 12.45 per cent below its issue price of Rs 755 on the National Stock Exchange (NSE) on Monday. On the BSE, it opened at Rs 658, 13 per cent lower against issue price

ભારતના રોકાણકારોમાં બહુ જ ગાજેલા અને ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં બેંકને અંદાજે 10 હજાર કરોડનું ભંડોળ મળી ગયા બાદ આજે તા.16મી માર્ચે જ્યારે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ શેરનું લિસ્ટીંગ થયું ત્યારે કોરોના એસબીઆઇ કાર્ડના લિસ્ટીંગની હવા કાઢી નાંખી હતી. અપેક્ષા એવી હતી કે 750ના શેરનું લિસ્ટીંગ 950 સુધી તો થશે જ પરંતુ, એસબીઆઇ કાર્ડના શેરનું લિસ્ટીંગ 115 રૂપિયા down થયું અને પછી સાવ સામાન્ય ભાવે શેર બપોરે 12 વાગ્યા સુધી ટ્રેડ કરી રહ્યો હતો.

એક તબક્કે 12.45 ટકા ડિસ્કાઉન્ટમાં શેર મળતો થઇ ગયો

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કના ક્રેડિટ કાર્ડ એકમ SBI કાર્ડના શેર લિસ્ટીંગનો ફિયાસ્કો થયો હતો. કંપનીના શેરનું આજે સવારે ₹661ના ભાવે લિસ્ટિંગ થયું હતું જે ₹755ના ઓફર ભાવની સરખામણીમાં 12.45 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. જોકે, થોડા સમય બાદ કંપનીના શેરનું 7.2 ટકાના ઘટાડા સાથે ₹700ની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા SBI કાર્ડનો ઈશ્યૂ ભારે ચર્ચામાં રહ્યો હતો પણ કોરોના વાઈરસના ઓથાર હેઠળ આવી ગયેલા શેરબજારમાં મંદીના ભણકારા વચ્ચે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું.

SBI કાર્ડે ₹755ની અપર પ્રાઈસ સાથે ઈશ્યૂ જારી કરીને બજારમાંથી દસેક હજાર કરોડ રૂપિયાનું મૂડી ભંડોળ એકત્રિત કરી લીધું છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હતો. એસબીઆઇ કાર્ડનો આ આઇ.પી.ઓ. 22.45 ગણો છલકાયો હતો.

Yes Bank શેર 50 ટકા અપ

બીજી તરફ યસ બેંક પરથી નિયંત્રણો ઉઠાવી લેવાની ઘોષણાના બાદ આજે સોમવારે પ્રારંભિક ટ્રેડીંગમાં જ શેરબજારમાં યસ બેંકનો શેર છવાય ગયો હતો અને સીધો 50 ટકા અપ થઇને ટ્રેડ થઇ રહ્યો હતો.