એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.
ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.
ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.
ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે.
સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.
સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.
સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.
ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો
શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.
અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.
સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે
ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો
બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.
એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.
જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.
બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.
એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.
મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.
વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.
છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.
કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.
બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.
આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.
ટાટા સ્ટીલે 29 June 2020 સોમવારે માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જેમાં તેણે ₹1,615.35 કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ₹2,295.25 કરોડનો નફો નોંધાવ્યો હતો તેમ તેણે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.
કંપનીની સંગઠિત આવક જાન્યુઆરી-માર્ચ 2019 ગાળામાં ઘટીને ₹35,085.86 કરોડ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹42,913.73 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ આ ગાળામાં ₹33,272.29 કરોડ નોંધાયો હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹38,728.87 કરોડ હતો. કંપનીનો શેર બીએસઇ પર 0.82 ટકા ઘટીને ₹321.25 બંધ આવ્યો હતો.
ટાટા સ્ટીલે 2019-’20ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹2,719.58 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 73.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્ટીલ કંપનીએ 2018-’19ના નાણાકીય વર્ષમાં ₹10,283.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
નાણાકીય વર્ષ 2020ના સમગ્ર ગાળા દરમિયાન કંપનીની સંગઠિત આવક ઘટીને ₹1.41 લાખ કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 1.59 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં સંગઠિત ચોખ્ખી ખોટ ₹1,095.68 કરોડ હતી જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹2,430 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
નોન કરન્ટ એસેટ માટે ₹3,141 કરોડના ઇમ્પેરમેન્ટના કારણે કંપનીની નફામાં ગાબડું પડ્યું હતું. કંપનીની સંગઠિત આવક 20.40 ટકા ઘટીને ₹33,769.95 કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં ₹42,423.86 કરોડ હતી.
ટાટા સ્ટીલના બોર્ડે ₹10ના ઓર્ડિનરી શેર દીઠ ₹10ના ડિવિડન્ડની (100 ટકા) જાહેરાત કરી હતી અને ₹10ના પાર્ટલી પેઇડ ઓર્ડિનરી શેર દીઠ ₹2.504ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કોવિડ-19ના કારણે તમામ કંપનીઓને અસર થઈ છે જેમાં ટાટા સ્ટીલ પણ સામેલ છે. લોકડાઉનના કારણે કંપનીના સેલ્સ વોલ્યુમ, મિક્સ અને મળતરમાં ઘટાડો થયો છે.
હાલના ક્વાર્ટરમાં આ અસર માર્ચ 2020ના પાછલા ભાગ પૂરતી મર્યાદિત હતી. કંપનીની યુરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને કેનેડા ખાતેની કામગીરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને જ્યાં મંજૂરી મળી છે ત્યાં સ્થાનિક માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી થાય છે.
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
file photo diamond factory
આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તા.29મી જુન 2020ને ઉઘડતા અઠવાડીયાના પહેલા દિવસ, સોમવારે વૈશ્વિક લાઇન અને અપેક્ષા મુજબ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ ડાઉન ગેપમાં ખૂલ્યો હતો અને એ પછી વધુ ગગડ્યો હતો. શેરબજાર સવા નવ કલાકે શરૂ થયાની ગણતરીની મિનિટો બાદ સેન્સેક્સ 330 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. વીકલી ઓપ્શન ડેટામાંથી શેરબજાર નીચે ગેપમાં ખૂલવાનો સંકેત મળ્યો હતો.
આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, IT,ટેકનો અને પાવર શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે FMCG, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.
સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 255.92 પોઈન્ટ્સ અથવા 0.73 ટકા ગગડીને 34,915.35 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 69.20 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા ગગડીને 10,313.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
શુક્રવારે પુટની સરખામણીમાં કોલનું વધુ સંખ્યામાં વેચાણ થયું હતું. આ ઉપરાંત એફઆઇઆઇ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેટ શોર્ટ છે, જે ઇન્ડેક્સમાં નજીકના ગાળામાં દબાણનો સંકેત આપે છે.
અમેરિકામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસોથી આર્થિક રિકવરીની પ્રક્રિયા અટકી જવાની શક્યતાને કારણે શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ત્રણ ટકા કરેક્શન આવ્યું હતું.
કોરોના અગાઉ તેમની કુલ ક્ષમતાના ૪૫ ટકા જેટલી પ્રવાસી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરવાની સરકારે ઍરલાઈન્સને શુક્રવારે પરવાનગી આપી હતી.
કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના બે મહિના બાદ પચીસ મેથી ઉડ્ડયન ખાતાએ ૩૦ ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક પ્રવાસી ફ્લાઈટ્સ શરૂ કરવાની પરવાનગી આપી હતી.
નવા આદેશમાં આ ક્ષમતા ૩૦ ટકાથી વધારીને ૪૫ ટકા સુધી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
જોકે, ૨૩ માર્ચથી બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા આગામી આદેશ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રના પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં ૧૪૮૨ શહેરી કૉ-ઓપરેટિવ બૅન્ક અને ૫૮ આંતરરાજ્ય કો-ઓપરેટિવ બૅન્ક સહિત સરકારી બૅન્કોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.
આ બૅન્કોમાં અંદાજે ૮.૬ કરોડ જેટલા ડિપોઝિટર છે, એમ તેમણે કહ્યું હતું.
પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડને પગલે લાખો ડિપોઝિટરો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા વચ્ચે પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
અગાઉ, પ્રધાનમંડળે પીએમસી બૅન્ક જેવી કટોકટીનું પુનરાવર્તન ટાળવા અને કો-ઓપરેટિવ બૅન્કોને વધુ મજબૂત બનાવવા બૅન્કિંગ રૅગ્યૂલેશન ઍક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી.
ડિપોઝિટરના નાણાં સલામત હોવાની બાંયધરી પણ તેમણે આપી હતી અને કહ્યું હતું કે એ અંગેનો વટહુકમ ઘડી કાઢવામાં આવશે.
પ્રસારમાધ્યમને સંબોધન કરતા કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિયમિત બૅન્કોને લાગુ પડતા આરબીઆઈના તમામ નિયમો હવે કો-ઓપરેટિવ બૅન્કોને પણ લાગુ પડશે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શીશુ લૉન શ્રેણીના લેણદારને વ્યાજમાં બે ટકા રાહત આપવાનો પણ પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
અન્ય પછાતજાતિમાં પેટા વર્ગીકરણના મુદ્દાને ચકાસવા બંધારણની કલમ ૩૪૦ હેઠળ રચવામાં આવેલા પંચની મુદત છ મહિના લંબાવીને આવતા વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધી કરવાના પ્રસ્તાવને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ડેરી, મરઘાંબતકાં ઉછેર કેન્દ્ર અને માંસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંડળે રૂ. ૧૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી.
અવકાશી પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે નવું જ રચવામાં આવેલું ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઈઝેશન સેન્ટર ખાનગી કંપનીઓને પણ ભારતીય અવકાશના માળખાનો ઉપયોગ કરવાની સમાન તક આપશે.
મત્સ્ય, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગીરીરાજસિંહે કહ્યું હતું કે પશુસંવર્ધન માળખા માટે વિકાસ ભંડોળ સ્થાપવાને પણ પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. પાત્ર લાભાર્થીને સરકાર વ્યાજમાં ત્રણ ટકા રાહત આપશે, એમ તેમણે કહ્યું હતું.
મ્યાનમારસ્થિત બ્લૉક એ-૧ અને એ-૩ના વિકાસ માટે ઓએનજીસી વિદેશ લિ. દ્વારા કરવામાં આવનારા વધારાના રોકાણને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.
મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.
કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.
સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.
પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.