રાજ્યની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તાતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે તેવા સંજોગોમાં મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં આઇસીયુ(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.

સરકારે જારી કરેલા એક પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આઇસીયુ સાથેના વોર્ડના ભાવ રૂ.6000, એચડીયુના રૂ. 8500, આઇસોલેશન તેમજ આઇસીયુના ભાવ રૂ. 14,500 અને વેન્ટિલેટર, આઇસોલેશન અને આઇસીયુ વોર્ડના ભાવ રૂ. 19000 રહેશે.
નિર્ધારિત કરાયેલા ચાર્જમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો, ઙઙઊ કિટની કિંમત અને ગ-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ, સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચ, સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જ, ડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ઈંઈઞના ડાયાલિસિસ માટે)નો સમાવેશ કરાયો નથી.
ઠરાવમાં જોકે એમ પણ જણાવ્યું હતું કે આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા એમઓયુ કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો તેને લાગું પડશે નહીં.
રાજ્યની લોકપ્રિય “મા’ અને “મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ (યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગું પડશે. આ ઠરાવનો ચૂસ્ત અને અચૂક અમલ થાય તે જોવાની જવાબદારી સંબંધિત જિલ્લા/કોર્પોરેશનના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારી/મ્યુનિસિપલ કમિશનર/મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની રહેશે.














