બિઝનેસ Archives - Page 45 of 90 - CIA Live

July 29, 2020
private_hospital.jpg
1min6270

રાજ્યની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તાતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે તેવા સંજોગોમાં મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં આઇસીયુ(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.

સરકારે જારી કરેલા એક પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આઇસીયુ સાથેના વોર્ડના ભાવ રૂ.6000, એચડીયુના રૂ. 8500, આઇસોલેશન તેમજ આઇસીયુના ભાવ રૂ. 14,500 અને વેન્ટિલેટર, આઇસોલેશન અને આઇસીયુ વોર્ડના ભાવ રૂ. 19000 રહેશે.

નિર્ધારિત કરાયેલા ચાર્જમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો, ઙઙઊ કિટની કિંમત અને ગ-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ, સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચ, સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જ, ડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ઈંઈઞના ડાયાલિસિસ માટે)નો સમાવેશ કરાયો નથી.

ઠરાવમાં જોકે એમ પણ જણાવ્યું હતું કે આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા એમઓયુ કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો તેને લાગું પડશે નહીં.

રાજ્યની લોકપ્રિય “મા’ અને “મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ (યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગું પડશે. આ ઠરાવનો ચૂસ્ત અને અચૂક અમલ થાય તે જોવાની જવાબદારી સંબંધિત જિલ્લા/કોર્પોરેશનના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારી/મ્યુનિસિપલ કમિશનર/મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની રહેશે.

July 26, 2020
mobile-data-icon-2.png
1min6070

કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં ૨૧ ટકા વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ ૧૯,૦૦૦ ટેરા બાઈટ (ટીબી) મોબાઈલ ફોર-જી ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો ૪૦૦૦ ટીબી વધીને ૨૩,૦૦૦ ટીબી (૨.૩૦ કરોડ જીબી) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી.

વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાના વપરાશમાં આખા વર્ષમાં જેટલી વૃદ્ધિ થાય છે તેના કરતા પણ વધારે ગ્રોથ લોકડાઉન લાગ્યાના એક સપ્તાહમાં જોવા મળ્યો હતો.

વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારત સહિત દેશના દરેક ભાગમાંથી ઇન્ટરનેટ માંગમાં વધારો જોયો છે. અગાઉ દિવસ દરમિયાન કમર્શિયલ અથવા તો ઓફિસ વિસ્તારમાં ડેટા ક્ધઝમ્પશન વધારે રહેતું હતું, પરંતુ પરિસ્થિતિ બદલાતા રહેણાંકમાંથી ટ્રાફિક વધુ રહે છે, કારણ કે લોકો ઘરની અંદર રહે છે અને વધુ ડેટાનો ઉપયોગ કરે છે.

ટેલીકોમ ક્ષેત્રના જાણકારોના મતે, આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરે હતા. વર્કિંગ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી ગયો છે. ઓફિસનું કામ, મિટિંગ જેવી બાબતો આમાં મુખ્ય છે.

ટેલીકોમ એક્સપર્ટ જણાવે છે કે, ટીવીમાં મનોરંજન ચેનલોમાં સિરીયલો બંધ થઇ જવાથી ઘણી મહિલાઓ, મોટા ભાગે હાઉસ વાઈફ અને યુવાનો ઓવર ધી ટોપ પ્લેટફોર્મ તરફ વળ્યા છે જેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ એપ્રિલ-જુન દરમિયાન સરેરાશ રોજનો ૨૨,૮૦૦-૨૩,૦૦૦ ટીબી પર પહોચી ગયો હતો. પરિવાર સાથે જોડવા માટે વિડીયો કોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ડેટાનો વપરાશ વધ્યો છે.

July 25, 2020
iphone11-1280x960.jpg
1min5780

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે. 

જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા  iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11  બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે. 

Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી. 

July 24, 2020
kavach_CR-1-1280x960.jpg
6min9330

રાજકીય રેલીની એસેસરીઝ બદલાઇ ખેસ અને ટોપીની જગ્યા માસ્ક એ લીધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અત્યાર સુધી રાજકીય નેતાઓ કે પાર્ટીઓની રેલીઓ યોજાઇ ત્યારે ત્યારે તેમના સિમ્બોલ ધરાવતા ખેસ કે ટોપીઓ જોવા મળતા, પણ હવે કોવીડ-19માં રાજકીય રેલીઓની એસેસરીઝમાં બદલાવ થયો છે.

આજે તા.24મી જુલાઇ એ દેશના કોરોના હોટસ્પોટ સિટી, કોરોનાગ્રસ્ત સુરત શહેરમાં કોરોના કાળ શરૂ થયા બાદ પહેલી જાહેર ઉજવણી થઇ રહી છે, અને આ જાહેર ઉજવણી ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટેની છે. ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી સી.આર. પાટીલ હવે એક બ્રાન્ડ નેમ ફેમ બની ચૂક્યા છે.

તેમને સત્કારવા માટે કવચ હેલ્થકેર નામની કંપનીએ હાલ કોવીડ-19 પેન્ડેમિકમાં વિશ્વમાં જેનો સૌથી વધુ પ્રચાર થઇ રહ્યો છે એ ફેસ માસ્ક તૈયાર કયા છે.

કવચ હેલ્થકેર નામની કંપનીએ સી.આર. પાટીલના આગમન પૂર્વે ફેસમાસ્ક બજારમાં મૂક્યા

કવચ હેલ્થકેરના અમિત કનેરીયાએ કહ્યું

સુરતના કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાની કંપની કવચ હેલ્થકેર પ્રોડ્ક્ટસએ ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલના આગમન રેલી માટે ખાસ ફેસમાસ્ક તૈયાર કર્યા

સુરતમાં કવચ હેલ્થકેર પ્રોડ્કટ્સના અમિત કનેરીયાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ગુજરાત ભાજપના પ્રમુખ પદે વરાયા પછી પહેલી વખત સી.આર. પાટીલ સુરત આવી રહ્યા છે અને તેના ઉપલક્ષમાં જ કંપનીને હાલ 300 જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

અમિત કનેરીયાએ કહ્યું કે આ ટુ લેયર કોટન બેઝ ફેબ્રિક માસ્ક છે. હાલમાં કોવીડ-19 પેન્ડેમિક સિચુએશનમાં માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે ત્યારે કંપની દ્વારા કોરોના પ્રોટેકશન માટે આ પ્રકારના માર્ક સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત આગમન રેલી માટે બનાવવામાં આવ્યા છે.

કંપનીઓ, સંસ્થાઓ પોતાની બ્રાન્ડ લોગો સાથે માસ્ક બનાવવા સંપર્ક કરે

કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાએ જણાવ્યું કે તેઓ કોઇપણ સંસ્થા કે કંપની માટે તેમના નામ, લોગો, ડિઝાઇન અનુસાર ટુ લેયર, થ્રી લેયર ફેસ્કમાસ્ક તૈયાર કરી આપે છે. કોઇપણ સંસ્થા કે કંપની તેમનો સંપર્ક કરી શકે છે.

કવચ હેલ્થકેરની ફેસબુક પોસ્ટ

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@…

Kavach Healthcare Products यांनी वर पोस्ट केले गुरुवार, २३ जुलै, २०२०

કવચ હેલ્થકેરે ફેસબુક પોસ્ટમાં આ રીતે લખ્યું છે

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@crpaatil).

Welcome home sir!
We are proud of your achievements, keep making Surat proud with your incredible work.
#customizedmask#crpatil#bjp4gujarat#bjp4india#bjp#newpresident#surat#suratcity#suratlove#surti#kavachhealthcareproducts

July 23, 2020
mukesh_ambani.jpg
1min6500

વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે. 

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે. 

July 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5210

ઍક્સિસ બૅંક, બૅંક ઑફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બૅંક, આરબીએલ સહિતની દેશની કેટલીક બૅંકોમાં આગામી તા. 1લી ઑગસ્ટથી બૅંકના વ્યવહાર અંગેના નિયમો તેમજ તેની ફી, ચાર્જિસ, પેનલ્ટી વગેરેમાં ધરખમ વધારો અમલમાં મૂકવામાં આવશે. આ બૅંકો ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.

આ બૅંકોમાંથી અમુક બૅંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બૅંકો મીનીમમ બૅલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બૅંક ઑફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બૅલેન્સ રાખવું પડશે.

બૅંક ઑફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બૅલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ. ૧૫૦૦ હતું.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ. ૭૫ દંડ લાગશે.

અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.

ઍક્સિસ બૅંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.

હવે બૅંકે એક કરતા વધુ લૉકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બૅંક પ્રતિ બંડલ કૅશ હૅન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.

કોટક મહિન્દ્રા બૅંકના બચત ખાતા અને કૉર્પોરેટ સેલેરી અકાઉન્ટ હૉલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કૅશ વિડ્રોઅલ માટે ડૅબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.

એ જ પ્રમાણે પ્રત્યેક નૉન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.

ખાતામાં મીનીમમ બૅલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલૅટ આ વૅબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.

કોટક મહિન્દ્રા બૅક ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારક પાસેથી દંડ વસૂલશે.

આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બૅંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.

July 15, 2020
googleforindia.jpg
1min6200

ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેની ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગૂગલ પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ટોચની ઇન્ટરનેટ કંપનીઓ ભારતમાં પ્રભુત્વ જમાવવા માટે ટક્કરમાં ઊતરી રહી છે.

આલ્ફાબેટની માલિકીની ગૂગલે ભારત માટે યોજના તૈયાર કરી છે. તેની હરીફ કંપની ફેસબૂકે રિલાયન્સ જિયોમાં માર્ચમાં 5.7અબજ ડોલરનું રોકાણ કર્યું હતું અને ગૂગલ તેનાથી બમણું રોકાણ કરવા માંગે છે. તેમાં નાણાં અને પાર્ટનરશિપનું મિશ્રણ હશે તેમ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ સોમવારે ઇટીને આપેલી એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે વિડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત જે સ્થિતિમાં છે તેમાં આ એક વિશિષ્ટ તક છે. અમે ભારતમાં તમામ કદના બિઝનેસ સાથે કામ કરવાની તક જોઈ રહ્યા છીએ.

જિયો પ્લેટફોર્મમાં ગૂગલને રસ છે કે નહીં, અથવા તે વોડાફોન આઇડિયામાં હિસ્સો ખરીદશે કે નહીં તે વાતનો પિચાઈએ સ્વીકાર પણ નહોતો કર્યો અને નકારી પણ ન હતી. તેમણે કહ્યું કે ફંડની સાઇઝ જોતાં તે મોટું રોકાણ કરવા માટેની સીધી તક આપશે.

ગૂગલ અત્યારે ભારતમાં સર્ચ, વિડિયો, મેપ અને ઇ-મેઇલ ક્ષેત્રે અગ્રેસર છે. દેશમાં વેચાતા 90 ટકા સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.

ભારતમાં ઇ-કોમર્સ અને સોફ્ટવેર ટ્રાન્ઝેક્શન પર છ ટકા જેટલો ટેક્સ લાગે છે જેને કથિત ‘ગૂગલ ટેક્સ’ પણ કહેવામાં આવે છે. તેના પર ટિપ્પણી કરતાં પિચાઈએ કહ્યું કે વિદેશી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના ફ્રેમવર્કને લાગુ કરવાની તેઓ હિમાયત કરે છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરવું એ લાંબા ગાળે સમસ્યાના ઉકેલમાં વધારે ઉપયોગી બને છે.”

પિચાઈ એ અમેરિકામાં સૌથી વધારે સફળ ભારતીય ઇમિગ્રન્ટ પૈકી એક છે. તેમણે એચ-1બી વિઝા રદ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંની ટીકા કરી છે. 2019માં ગૂગલે સૌથી વધારે એચ-1બી વિઝા મેળવ્યા હતા તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના આંકડા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, “વિચારો અને લોકોના મુક્ત પ્રવાહથી અમેરિકાને ચોક્કસ ફાયદો થયો છે. લાંબા ગાળે તેનાથી દેશો વધારે નજીક આવશે.” તેમણે કહ્યું કે, “ટેલેન્ટ બંને દિશામાં જાય છે. તેનાથી લાંબા ગાળે દેશો અને અર્થતંત્રોને મદદ મળે છે.”

ગૂગલ એવી કંપનીઓની શોધમાં છે જે ભારતમાં તમામ ભાષાઓમાં અત્યંત ઝડપથી સ્કેલ વધારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ગૂગલને ભારે રસ છે.

July 10, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min5160

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.

ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.

ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.

ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે. 

July 7, 2020
Govind_dholakia.jpg
1min10710

Jayesh Brahmbhatt 98253 44944

સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.

સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.

સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.

ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો

શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.

અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી

તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.

સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે

ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel यांनी वर पोस्ट केले सोमवार, ६ जुलै, २०२०
July 7, 2020
moratorium.jpg
1min7030

બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.

એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.

જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.

બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.

જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.

એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.

મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.

વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.

છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.