CIA ALERT

બિઝનેસ Archives - Page 41 of 90 - CIA Live

November 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min638

છેલ્લા ૯ મહિનાથી ચાલતા કરોના અને lockdown ના સંદર્ભમાં વેડિંગ, ઈવેન્ટ અને એક્ઝિબિશનના સેક્ટરમાં કામ કરતા હજારો લોકોની કફોડી હાલત કફોડી થઇ ગઇ છે. આર્થિક રીતે પાયમાલ થવા આવ્યા છે. અનેક પરિવારોને ઘર ચલાવવા માટે કામચલાઉ રીતે બીજા કામકાજ કરવા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચે એ માટે સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજરોજ તા.26 નવેમ્બર 2020 ના ગુરૂવારના સાંજે ચાર વાગે કલેકટર ઓફિસ (સુરત) યોજવામાં આવ્યો છે. જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો ઉપસ્થિત રહેશે.

આ માટે સાઉથ ગુજરાત સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રી (વેડિંગ, એક્ઝિબિશન અને ઇવેન્ટ) ના પ્રતિનિધિઓ સરકાર શ્રીને રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર કલેકટરશ્રી ને આપશે.

November 26, 2020
laxmidbs.png
1min394

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લક્ષ્મી વિલાસ બેન્ક લિમિટેડ (એલવીબી)નાં ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ(ડીબીઆઈએલ) સાથે એકીકરણની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.

થાપણદારોનાં હિતની રક્ષા અને આર્થિક અને નાણાકીય બેન્કિંગ સ્થિરતા માટે 17-11-2020નાં રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 4પ હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની અરજી ઉપર એલવીબી 30 દિવસનાં મોરેટોરિયમ પીરિયડમાં હતી. આની સાથોસાથ સરકાર સાથે પરામર્શ કરીને આરબીઆઈએ એલવીબીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ સુપરસીડ કરીને વહીવટદારની નિયુક્તિ કરી દીધી હતી.

હિસ્સેદારો અને જાહેર જનતાનાં સૂચનો અને વાંધાઓ મગાવ્યા બાદ આરબીઆઈએ બેન્કનાં એકીકરણ માટે સરકાર સમક્ષ યોજનાને મંજૂરી અર્થે રજૂ કરી હતી. આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, બેન્કનાં કોઈ કર્મચારીની છટણી નહીં થાય. આવી ઘટનાઓને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કને પણ કહેવામાં આવ્યું છે કે દોષિતોને સજા થવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ચાંપતી દેખરેખ રાખવી.

એલવીબીનાં ડીબીએસમાં વિલય ઉપરાંત એટીસી ટેલીકોમ ઈન્ફ્રામાં 2480 કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)ને પણ મંજૂરી આપવામાં આવી છે.

November 13, 2020
AffordableHousing.png
1min7960

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટી રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રોજગારી વધારવાના પગલાં અને કોરોનાની રસીના સંશોધન માટે રૂપિયા ૯૦૦ કરોડની ફાળવણીની પણ જાણકારી આપી હતી. ખેડૂતોને ખાતર સબસિડી પેટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાયા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયા ૩૦૦૦ કરોડ ફાળવાશે.

રૂપિયા બે કરોડ સુધીના ઘર (પ્રાઇમરી રેસિડેન્શિયલ યુનિટ)ના સર્કલ રેટથી ઓછી કિંમતે વેચાણ માટે આવકવેરાના કાયદા હળવા બનાવાયા છે. અત્યાર સુધીમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના માત્ર ૧૦ ટકા તફાવતની પરવાનગી હતી. હવે રૂપિયા બે કરોડ સુધીની કિંમતના રેસિડેન્શિયલ યુનિટ્સના પ્રાઇમરી સેલ માટે આ ગાળો ૨૦૨૧ની ૩૦મી જૂન સુધી વીસ ટકા કરાયો છે. સરકારના આ પગલાંથી ઘર ખરીદનારા લોકો અને ડેવલપર્સ, એમ બન્નેને લાભ થશે.

સરકારે નવી રોજગારી પૂરી પાડનારી કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ સબસિડીમાં રિટાયરમેન્ટ ફંડમાંના ફાળાને બે વર્ષ માટે આવરી લેવાશે. નવા કર્મચારીને નોકરીમાં રાખનારી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધાયેલી કંપનીને આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ સબસિડી અપાશે.

નિકાસને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંકને રૂપિયા ૩,૦૦૦ કરોડ ફાળવાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આંકડાઓ જોઈએ તો જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૩૫.૩૭ અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે રૂ. ૧૮૦૦૦ કરોડ વાપરશે જેનાથી ૧૨ લાખ નવા ઘરો બનાવવામાં મદદ મળશે.

નાણાં પ્રધાને દેશમાં કોવિડ-૧૯ની રિકવરીને પહોંચી વળવા માટે મદદ કરવા નવી રાહત અને પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. મે, ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાહત આપવામાં આવી છે, તે રાહતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

સીતારામને કહ્યું હતું કે વિદેશી હુંડિયામણની અનામત ૫૬૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એફડીઆઇ ૩૫.૩૭ અબજ ડોલર રહ્યું હતું જે વાર્ષિક ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મુખ્ય અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું હતું કે રિકવરી માત્ર માંગથી જ નહીં, પણ મજબૂત આર્થિક વૃદ્ધિમાંથી પણ આવશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં પીએમઆઇ ૫૮.૯ ઉપર પહોંચી ગયો. જે સપ્ટેમ્બરમાં ૫૪.૬ ની સપાટીએ હતો.

વીજ વપરાશમાં વધારો અને બજારનું મજબૂત પ્રદર્શન સુધારણાના કેટલાક સંકેતો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી આર્થિક સુધારા દેખાય છે.

સ્વનિર્ભર ભારત અભિયાન-૧ અંતર્ગત કેટલીક બાબતોમાં પર પ્રગતિ જોવા મળી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ આમાં અગ્રણી છે. તેનો અમલ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬૮.૬ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

ઇન્ટ્રા સ્ટેટ પોર્ટેબિલીટી હેઠળ ૧.૫ કરોડ માસિક વ્યવહારો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ યોજના હેઠળ ૨૬.૬૨ લાખ લોનની અરજીઓ મળી છે. તેમાંથી ૧૩.૭૮ લાખ એપ્લિકેશન હેઠળ ૩૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧,૩૭૩.૨૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં ૧૮૩ લાખ અરજીઓ આવી છે. બેંકોએ આ અંતર્ગત ૧૫૦ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેંકે બે તબક્કામાં ૧,૪૩,૨૬૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૨૧ રાજ્યો દ્વારા કુલ ૧,૬૮૧.૩૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાબાર્ડ દ્વારા ૨૫ હજાર કરોડનું વધારાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે. આ ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ છે.

અહેવાલો અનુસાર સરકાર મુશ્કેલીમાં હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના માધ્યમથી તે અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરશે. કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ)ના અમલીકરણને મંજૂરી આપી છે. પીએલઆઇ હેઠળ આવતા પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૭ હજાર કરોડની મહત્તમ પ્રોત્સાહન પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ઓટો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર હોઈ શકે છે.

આ સિવાય જે ક્ષેત્રોને લાભ થશે તેમાં એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરીઓ, ફાર્મા, ફૂડ પ્રોડકટ્સ અને વ્હાઇટ ગુડ્સ સામેલ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વધારાના ઉત્પાદન પર કંપનીઓને પ્રોત્સાહન આપશે અને તેમને નિકાસ પણ કરશે. ગયા મહિને, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે સરકાર ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન લાવશે.

રાહત પેકેજ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ તે છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી તેના ઉપર રાહત પેકેજમાં મહત્ત્વની જાહેરાત હોઈ શકે છે. આ માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં ૧૦ ટકા સબસિડીની જાહેરાત કરી શકે છે.

બીજા પગલાં તરીકે સરકાર કે.વી. કામત સમિતિ દ્વારા દબાણ અને મુશ્કેલી હેઠળ તમામ ૨૬ ક્ષેત્રો માટે ઇમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. વિવિધ ક્ષેત્ર માટે વિવિધ રાહત આપી શકાય છે.

November 6, 2020
whasapppay.jpg
4min8350

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature

November 4, 2020
banks-1280x592.jpg
2min621

98253 44944

વિદેશમાં ફરવા જનારાઓ, વિદેશમાં અભ્યાસાર્થે જનારાઓ, વિદેશમાં બિઝનેસ અર્થે જનારાઓની સંખ્યા વધતી જાય છે. વિદેશ જનારાઓએ એક વાતની ખાસ તકેદારી રાખવી પડે છે કે તેઓ જો રૂપિયાનું આયોજન નહીં કરે તો વિદેશમાં અટવાય શકે છે. એક સામટી કેશ લઇને વિદેશ જવામાં પણ જોખમ હોય છે. આવી સ્થિતિમાં જો ભારતીય બેંકો જ વિદેશમાં ઉપલબ્ધ બની શકે તો તેનાથી સારી સુવિધા શું હોઇ શકે.

અહીં ભારતીય બેંકોની વિદેશોમાં કયાં ક્યાં બ્રાન્ચીસ આવી છે તેની વિગતો રજૂ કરી છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

November 2, 2020
ril-1280x721.jpg
1min5070

Reliance Industries Ltd દ્વારા 30/10/2020 શુક્રવારે જાહેર કરવામાં આવેલા Q2ના પરિણામો બાદ આજે 2/11/2020 તેના શેરમાં લગભગ 7 ટકાનો જંગી કડાકો બોલાયો છે. આજે કંપનીનો શેર 2,27 રુપિયાના ભાવે ખૂલ્યો હતો, જે ઈન્ટ્રા ડે 1859 રુપિયાનો લો બનાવી આખરે 1876 રુપિયાના ભાવ પર બંધ આવ્યો હતો.

આ વર્ષે માર્ચ મહિનામાં શેરબજારમાં જોરદાર કડાકો બોલાયો ત્યારે રિલાયન્સના શેરે 867 રુપિયાનો 52 સપ્તાહનો લૉ બનાવ્યો હતો. જોકે, રિલાયન્સના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં ફેસબુક, ગુગલ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ હિસ્સો ખરીદતા તેને જંગી આવક થઈ હતી.

પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે રિલાયન્સે જંગી ફંડ એકત્ર કરતા તેના શેરમાં પણ આગઝરતી તેજી જોવા મળી હતી, અને 867 રુપિયાનો લૉ બનાવનારો તેનો શેર ગણતરીના સમયમાં જ 2,369 રુપિયાની 52 વીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આમ, માત્ર છ-સાત મહિનાના ગાળામાં જ રિલાયન્સના શેરે રોકાણકારોને દોઢ ગણાથી પણ વધુ વળતર આપ્યું હતું. જોકે, તેના 2020-21ના Q2ના પરિમામ બાદ તેમાં અત્યારસુધીનું સૌથી તીવ્ર કરેક્શન જોવા મળ્યું છે.

એક જ દિવસમાં RILના શેરમાં બોલાયેલા જંગી કડાકાથી રોકાણકારોના એક લાખ કરોડ રુપિયા ધોવાયા છે. RILમાં તેના પ્રમોટર્સનો 50.49 ટકા ભાગ છે. આમ, મુકેશ અંબાણીની સંપત્તિમાં જ એક દિવસમાં 50,000 કરોડ રુપિયાનું ધોવાણ થયું છે.

CiA Live ન્યુઝ વ્હોટ્સએપ પર મેળવવા માટે અહીં ક્લીક કરો

https://chat.whatsapp.com/Khqw6CLkjZdAUbXA0do8mb

October 23, 2020
onion.jpg
1min5630

દેશના અનેક રાજ્યોમાં ડુંગળી (કાંદા)ના ભાવો ભડકે બળી રહ્યા હોઇ, સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે જેમાં એક પગલું કાંદાના સ્ટોકમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા લાદવામાં આવી છે.

કન્ઝ્યુમર અફેર્સના સચિવે આપેલી માહિતી મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી દેશમાં કાંદાનો સ્ટોક રિટેલર વેપારી 2 ટન અને વ્હોલસેલર વેપારી 25 ટનથી વધુ જથ્થો રાખી શકશે નહીં.

October 19, 2020
ATMindia.jpg
1min5450

નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે.

એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે.’

October 15, 2020
nirbhayasuprem.png
1min4960

લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જે લોકોએ રૂ.2 કરોડ સુધીની લોન લીધી છે તેમનું વ્યાજનું વ્યાજ માફ કરવાની ઔપચારિકતાઓ ક્યારે પૂર્ણ કરાશે? સરકારે જવાબમાં જણાવ્યું કે, રાહત આપવાની મર્યાદા 15 નવેમ્બર છે. સરકાર એક મોટો બોજ વહન કરી રહી છે, પરંતુ અમે આ આંકડાનો ઉલ્લેખ નથી કરી શકતા. સરકાર દ્વારા જે રાહત આપવામાં આવશે તે લાગુ થઈ જશે.

સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા એક માસનો સમય માંગતા સુપ્રીમે પૂછ્યું કે શા માટે આટલો સમય જોઈએ છે. અમે સરકારની વાત સાથે સહમત નથી. જો કેન્દ્રે નિર્ણય લઈ લીધો છે તો પછી અમલ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. સરકાર તરફથી આ ઉચીત નથી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિલંબ કરવો સામાન્ય વ્યક્તિના હિતમાં નથી. સામાન્ય વ્યક્તિની દુર્દશા પર નજર કરો. અમે ઓર્ડર પારિત નથી કરી રહ્યા. સામાન્ય લોકોની દુર્દશા પર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી એક આવકાર્ય નિર્ણય છે. પરંતુ તેનો ઠોસ અમલ પણ જરૂરી છે.

આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારીથી સંબંધિત રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત માત્ર એ જ લોન રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે 1 માર્ચે સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયું નહીં હોય. આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક 6 ઓગસ્ટે બહાર પડાયું હતું. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

આરબીઆઈએ કહ્યું હતું કે 1 માર્ચ 2020ના રોજ જે લોન એકાઉન્ટમાં 30 દિવસથી વધુ સમયથી પેમેન્ટ થયું નથી, એને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવે, તે કોવિડ-19 રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશન યોગ્ય હશે નહિ, કારણ કે રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક માત્ર યોગ્ય બોરોઅરો પર જ લાગુ થશે, જે 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જોકે આવા અકાઉન્ટ 7 જૂન 2019ના રોજ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે.

નિયમનકારના મતે અમલીકરણ હેઠળની પ્રોજેક્ટ લોનના પુર્નગઠનના મુદ્દે જે પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની તારીખ મુલતવી રખાઈ હોય તેમને રિઝોલ્યુશન માળખામાંથી બાકાત રાખવામાં આવે છે. આવા એકાઉન્ટ્સનું 7 ફેબ્રુઆરી 2020થી અને ધિરાણ સંસ્થાઓની ચોક્કસ શ્રેણી માટે લાગુ પુડતી અન્ય સુચનાઓ મુજબ નિયમન કરવામાં આવશે.    

October 14, 2020
iphone12.jpg
2min5710
iPhone 12 mini, iPhone 12, iPhone 12 Professional, iPhone 12 Professional  Max Launched: Value in India, Specs - NewsRaiser

વિશ્વપ્રસિદ્ધ એપલ કંપનીએ તા.13મી ઓક્ટોબર 2020ના રોજ iPhone 12 શ્રેણીના ચાર મોબાઇલ મોડેલ્સનું ઇ-લૉંચિંગ કર્યું હતું. જબરદસ્ત નવા ફિચર હોવાનો દાવો કરતા કંપનીએ કહ્યું કે આ ફોન વિશ્વનો સૌથી વધુ સ્માર્ટ ફોન બન્યો છે. વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

iPhone 12ના બેઝિક મોડેલ iPhone 12 મિનીની અમેરિકામાં બજાર કિંમત રૂ.58,000 છે, જ્યારે ભારતમાં આ જ મોડેલ માટે ગ્રાહકોએ રૂ.79,900 ચૂકવવા પડશે. એપલ કંપની ભારતમાં તેમના ડિવાઇશ બનાવતી નથી અને તેના તૈયાર પાર્ટસ, યુનિટ્સ ઇમ્પોર્ટ કરીને ભારતમાં એનું વેચાણ કરે છે. તેના કારણે ભારતની સિસ્ટમમાં ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટીનું ભારણ દરેક યુનિટ પર લાગૂ થાય છે. એ સિવાય પણ કેટલાક અન્ય ખર્ચાઓ, ચાર્જિસ લાગૂ થતા હોઇ, ભારતમાં એપલ કંપનીના ફોનની કિંમત અમેરિકાની કિંમત કરતા વધુ હોય છે.

અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ એપલ કંપનીએ ભારતમાં કેટલાક ડિવાઇસનું પ્રોડકશન શરૂ કર્યું છે. પરંતુ, આ ડિવાઇસની શ્રેણીમાં iPhone 12 આવતા નથી.

Know iPhone 12 Models & Prices in India

iPhone 12 Mini

सबसे छोटो 5G आईफोन के 64GB मॉडल की कीमत 69,900 रुपये और 128GB मॉडल की कीमत 74,900 रुपये रखी गई है। इसका 256GB मॉडल 84,900 रुपये में खरीदा जा सकेगा। डिवाइस वाइट, ब्लैक, ब्लू, ग्रीन और PRODUCT रेड कलर्स में उतारा गया है। वहीं, US में iPhone 12 Mini की शुरुआती कीमत 699 डॉलर (करीब 51,300 रुपये) रखी गई है।

iPhone 12

स्टैंडर्ड iPhone 12 के 64GB स्टोरेज मॉडल की कीमत 79,900 रुपये और 128GB मॉडल की कीमत 84,900 रुपये रखी गई है। इसका टॉप-ऑफ-द-लाइन 256GB मॉडल 94,900 रुपये का मिलेगा। iPhone 12 को ब्लैक, ब्लू, ग्रीन, वाइट और PRODUCT रेड कलर में उतारा गया है। बात US मार्केट की करें तो यहां iPhone 12 को 799 डॉलर (करीब 58,600 रुपये) की शुरुआती कीमत पर उतारा गया है।

iPhone 12 Pro

नए iPhone 12 Pro के 128GB मॉडल को भारत में 1,19,900 रुपये में और 256GB मॉडल को 1,29,900 रुपये में खरीदा जा सकेगा। iPhone 12 Pro का 512GB मॉडल 1,49,900 रुपये में खरीदा जा सकेगा। यह डिवाइस ग्रेफाइट, सिल्वर, गोल्ड और पैसिफिक ब्लू कलर्स में मिलेगा। यही डिवाइस US मार्केट में 999 डॉलर (करीब 73,300 रुपये) की शुरुआती कीमत पर मिलेगा।

iPhone 12 Pro Max

भारत में iPhone 12 Pro Max के 128GB मॉडल की कीमत 1,29,900 रुपये और 256GB मॉडल की कीमत 1,39,000 रुपये रखी गई है। वहीं, 512GB मॉडल को बायर्स 1,59,000 रुपये में खरीद पाएंगे। सबसे पावरफुल iPhone 12 Pro Max को US में कंपनी 1,099 डॉलर (करीब 80,600 रुपये) की शुरुआती कीमत पर लेकर आई है।