બિઝનેસ Archives - Page 42 of 90 - CIA Live

October 13, 2020
train-1.jpg
1min4940

તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા 1પમી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. દેશ અનલોક થવા સાથે જ રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માંડી છે. જેમાં હવે તહેવારોમાં મુસાફરોનો ધસારો ધ્યાને લેતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માગે છે.

October 12, 2020
m2.jpg
1min5120
Peanut

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.

October 12, 2020
gst.jpg
1min4850

જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં સતત ત્રીજી વખત જીએસટી વળતરનો મુદ્દો ચર્ચાશે.

ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.

જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.

કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.

ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.

October 8, 2020
home.png
1min5000

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.

‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.

બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.

October 4, 2020
HOME-LOAN-HIKE.jpg
1min4620

કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.  

આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.

જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.

આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.

આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.

કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.

October 1, 2020
gst.jpg
1min6490

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.

આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ

પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.

મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.

જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.

September 30, 2020
breaking_CIA-1280x831.jpg
1min10260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્ચ 2020 કોવીડ-19 પેન્ડેમિક પછી ગુજરાતમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સુરત નજીક તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ડોસવાડા ખાતે સ્થાપવા માટે દેશની જાણિતી કંપની વેદાંતા રિસોર્સિસએ ચક્રો ગતિમાન કરી દીધા છે. વેદાંતા રિસોર્સિસનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ હશે જે સુરત નજીક તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનગઢ ડોસવાડા ખાતે આવી રહેલા આ પ્રોજેક્ટને કારણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે.

મળતી માહિતી મુજબ સોનગઢ નજીક ડોસવાડા ખાતે કુલ રૂ.4700 કરોડનો સ્મેલ્ટર પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં વેદાંતા રિસોર્સિસના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વેદાંતા લિ.ની સબસિડ્યરી કંપની વેદાંતા રિસોર્સિસના નેજા હેઠળ આ પ્રપોઝ્ડ પ્રોજેક્ટ ઝીંક લેડ સિલ્વર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે. કંપનીના ફાઉન્ડર ચેરમેન અનિલ અગ્રવાલ રાજ્ય સરકાર સાથે થોડા દિવસોમાં જ એમ.ઓ.યુ. સાઇન કરશે.

સોનગઢ નજીક ડોસવાડા ખાતે 415 એકરની જમીન પણ પ્રોજેક્ટ સાઇટ માટે ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા રિસોર્સસ સોનગઢ ડોસવાડા ખાતે 24 મહિનામાં જ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

September 29, 2020
bankholiday.jpg
1min8600

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી 48 કલાકમાં બેસતો મહિનો ઓક્ટોબર 2020 શરૂ થશે. હિન્દુ સંસ્કૃતિ મુજબ ઓક્ટોબર મહિનો એટલે તહેવારોના દિવસો. આ વખતે અધિક માસના કારણે ઓક્ટોબર માસમાં દિવાળી નૂતનવર્ષના તહેવારો નથી આવતા આમ છતાં બેંકોમાં અઢળક હોલીડેઝ ઓક્ટોબર મહિનામાં આવી રહ્યા છે. લૉકડાઉન પછી હજુ સુધી ધંધા રોજગારો પૂર્ણ ક્ષમતાએ શરૂ થઇ શક્યા નથી અને અધૂરામાં પૂરું નવરાત્રી, દશેરાના તહેવારો આવી રહ્યા છે ત્યારે વાચકોને અગાઉથી નાણાકીય વ્યવસ્થા કરી રાખવામાં સુગમતા પડે એ હેતુથી અહીં એડવાન્સમાં ઓક્ટોબર માસની બેંક હોલિડેઝની ડિટેઇલ રજૂ કરવામાં આવી છે.

નિમ્નદર્શિત બેંક હોલિડીઝ દેશના જુદા જુદા રાજ્યો અને અને તેમાં પ્રચિલત તહેવારો પર આધારિત છે. જે રાજ્યોમાં લોકલ હોલીડે હશે એ સિવાયના અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.

ઓક્ટોબર માં આવનારી બેંક હોલીડેઝની યાદી

  • 02 ઓક્ટોબર શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
  • 04 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 08 ઓક્ટોબર ગુરુવારે સ્થાનિક રજા
  • 10 ઓક્ટોબર શનિવાર બીજા શનિવારની રજા
  • 11 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 17 ઓક્ટોબર શનિવાર સ્થાનિક રજા
  • 18 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 23 ઓક્ટોબર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્થાનિક રજા
  • 24 ઓક્ટોબર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્થાનિક રજા
  • 25 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 26 ઓક્ટોબર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્સેશન ડે ગેઝેટેડ રજા
  • 29 ઓક્ટોબર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
  • 30 ઓક્ટોબર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
  • 31 ઓક્ટોબર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સત્તાવાર માહિતી મુજબ ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્‍મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.

આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.

September 29, 2020
ahmedabad.jpg
1min12370

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.

આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

  1. પ્રહલાદનગર રોડ
  2. YMCAથી કાકે કા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
  3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
  4. બૂટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
  5. એસજી હાઈવે
  6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ
  7. સિંધુ ભવન રોડ
  8. બોપલ-આંબલી રોડ
  9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
  10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
  11. સાયન્સ સિટી રોડ
  12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
  13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર
  14. સીજી રોડ
  15. લૉ ગાર્ડન (ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ
  16. વસ્ત્રાપુર તળાવને ફરતે
  17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
  18. ડ્રાઈવ-ઈન રોડ
  19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
  20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
  21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
  22. આઈ.આઈ.એમ રોડ
  23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
  24. રોયલ અકબર ટાવર પાસે
  25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
  26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ- ઉજાલા સર્કલ
  27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

September 28, 2020
balikavadhu_director.jpg
1min8090

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.