નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે.
એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે.’
લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જે લોકોએ રૂ.2 કરોડ સુધીની લોન લીધી છે તેમનું વ્યાજનું વ્યાજ માફ કરવાની ઔપચારિકતાઓ ક્યારે પૂર્ણ કરાશે? સરકારે જવાબમાં જણાવ્યું કે, રાહત આપવાની મર્યાદા 15 નવેમ્બર છે. સરકાર એક મોટો બોજ વહન કરી રહી છે, પરંતુ અમે આ આંકડાનો ઉલ્લેખ નથી કરી શકતા. સરકાર દ્વારા જે રાહત આપવામાં આવશે તે લાગુ થઈ જશે.
સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા એક માસનો સમય માંગતા સુપ્રીમે પૂછ્યું કે શા માટે આટલો સમય જોઈએ છે. અમે સરકારની વાત સાથે સહમત નથી. જો કેન્દ્રે નિર્ણય લઈ લીધો છે તો પછી અમલ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. સરકાર તરફથી આ ઉચીત નથી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિલંબ કરવો સામાન્ય વ્યક્તિના હિતમાં નથી. સામાન્ય વ્યક્તિની દુર્દશા પર નજર કરો. અમે ઓર્ડર પારિત નથી કરી રહ્યા. સામાન્ય લોકોની દુર્દશા પર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી એક આવકાર્ય નિર્ણય છે. પરંતુ તેનો ઠોસ અમલ પણ જરૂરી છે.
આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારીથી સંબંધિત રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત માત્ર એ જ લોન રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે 1 માર્ચે સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયું નહીં હોય. આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક 6 ઓગસ્ટે બહાર પડાયું હતું. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
આરબીઆઈએ કહ્યું હતું કે 1 માર્ચ 2020ના રોજ જે લોન એકાઉન્ટમાં 30 દિવસથી વધુ સમયથી પેમેન્ટ થયું નથી, એને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવે, તે કોવિડ-19 રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશન યોગ્ય હશે નહિ, કારણ કે રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક માત્ર યોગ્ય બોરોઅરો પર જ લાગુ થશે, જે 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જોકે આવા અકાઉન્ટ 7 જૂન 2019ના રોજ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે.
નિયમનકારના મતે અમલીકરણ હેઠળની પ્રોજેક્ટ લોનના પુર્નગઠનના મુદ્દે જે પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની તારીખ મુલતવી રખાઈ હોય તેમને રિઝોલ્યુશન માળખામાંથી બાકાત રાખવામાં આવે છે. આવા એકાઉન્ટ્સનું 7 ફેબ્રુઆરી 2020થી અને ધિરાણ સંસ્થાઓની ચોક્કસ શ્રેણી માટે લાગુ પુડતી અન્ય સુચનાઓ મુજબ નિયમન કરવામાં આવશે.
વિશ્વપ્રસિદ્ધ એપલ કંપનીએ તા.13મી ઓક્ટોબર 2020ના રોજ iPhone 12 શ્રેણીના ચાર મોબાઇલ મોડેલ્સનું ઇ-લૉંચિંગ કર્યું હતું. જબરદસ્ત નવા ફિચર હોવાનો દાવો કરતા કંપનીએ કહ્યું કે આ ફોન વિશ્વનો સૌથી વધુ સ્માર્ટ ફોન બન્યો છે. વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
iPhone 12ના બેઝિક મોડેલ iPhone 12 મિનીની અમેરિકામાં બજાર કિંમત રૂ.58,000 છે, જ્યારે ભારતમાં આ જ મોડેલ માટે ગ્રાહકોએ રૂ.79,900 ચૂકવવા પડશે. એપલ કંપની ભારતમાં તેમના ડિવાઇશ બનાવતી નથી અને તેના તૈયાર પાર્ટસ, યુનિટ્સ ઇમ્પોર્ટ કરીને ભારતમાં એનું વેચાણ કરે છે. તેના કારણે ભારતની સિસ્ટમમાં ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટીનું ભારણ દરેક યુનિટ પર લાગૂ થાય છે. એ સિવાય પણ કેટલાક અન્ય ખર્ચાઓ, ચાર્જિસ લાગૂ થતા હોઇ, ભારતમાં એપલ કંપનીના ફોનની કિંમત અમેરિકાની કિંમત કરતા વધુ હોય છે.
અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ એપલ કંપનીએ ભારતમાં કેટલાક ડિવાઇસનું પ્રોડકશન શરૂ કર્યું છે. પરંતુ, આ ડિવાઇસની શ્રેણીમાં iPhone 12 આવતા નથી.
Know iPhone 12 Models & Prices in India
iPhone 12 Mini
सबसे छोटो 5G आईफोन के 64GB मॉडल की कीमत 69,900 रुपये और 128GB मॉडल की कीमत 74,900 रुपये रखी गई है। इसका 256GB मॉडल 84,900 रुपये में खरीदा जा सकेगा। डिवाइस वाइट, ब्लैक, ब्लू, ग्रीन और PRODUCT रेड कलर्स में उतारा गया है। वहीं, US में iPhone 12 Mini की शुरुआती कीमत 699 डॉलर (करीब 51,300 रुपये) रखी गई है।
iPhone 12
स्टैंडर्ड iPhone 12 के 64GB स्टोरेज मॉडल की कीमत 79,900 रुपये और 128GB मॉडल की कीमत 84,900 रुपये रखी गई है। इसका टॉप-ऑफ-द-लाइन 256GB मॉडल 94,900 रुपये का मिलेगा। iPhone 12 को ब्लैक, ब्लू, ग्रीन, वाइट और PRODUCT रेड कलर में उतारा गया है। बात US मार्केट की करें तो यहां iPhone 12 को 799 डॉलर (करीब 58,600 रुपये) की शुरुआती कीमत पर उतारा गया है।
iPhone 12 Pro
नए iPhone 12 Pro के 128GB मॉडल को भारत में 1,19,900 रुपये में और 256GB मॉडल को 1,29,900 रुपये में खरीदा जा सकेगा। iPhone 12 Pro का 512GB मॉडल 1,49,900 रुपये में खरीदा जा सकेगा। यह डिवाइस ग्रेफाइट, सिल्वर, गोल्ड और पैसिफिक ब्लू कलर्स में मिलेगा। यही डिवाइस US मार्केट में 999 डॉलर (करीब 73,300 रुपये) की शुरुआती कीमत पर मिलेगा।
iPhone 12 Pro Max
भारत में iPhone 12 Pro Max के 128GB मॉडल की कीमत 1,29,900 रुपये और 256GB मॉडल की कीमत 1,39,000 रुपये रखी गई है। वहीं, 512GB मॉडल को बायर्स 1,59,000 रुपये में खरीद पाएंगे। सबसे पावरफुल iPhone 12 Pro Max को US में कंपनी 1,099 डॉलर (करीब 80,600 रुपये) की शुरुआती कीमत पर लेकर आई है।
તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા 1પમી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. દેશ અનલોક થવા સાથે જ રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માંડી છે. જેમાં હવે તહેવારોમાં મુસાફરોનો ધસારો ધ્યાને લેતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માગે છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.
ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.
જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.
કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.
ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.
કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.
એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.
‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.
‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.
બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.
કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.
આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.
જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.
આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.
આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.
કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.
સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.
આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ
પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.
મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.
જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
માર્ચ 2020 કોવીડ-19 પેન્ડેમિક પછી ગુજરાતમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સુરત નજીક તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ડોસવાડા ખાતે સ્થાપવા માટે દેશની જાણિતી કંપની વેદાંતા રિસોર્સિસએ ચક્રો ગતિમાન કરી દીધા છે. વેદાંતા રિસોર્સિસનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ હશે જે સુરત નજીક તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનગઢ ડોસવાડા ખાતે આવી રહેલા આ પ્રોજેક્ટને કારણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે.
મળતી માહિતી મુજબ સોનગઢ નજીક ડોસવાડા ખાતે કુલ રૂ.4700 કરોડનો સ્મેલ્ટર પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં વેદાંતા રિસોર્સિસના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વેદાંતા લિ.ની સબસિડ્યરી કંપની વેદાંતા રિસોર્સિસના નેજા હેઠળ આ પ્રપોઝ્ડ પ્રોજેક્ટ ઝીંક લેડ સિલ્વર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે. કંપનીના ફાઉન્ડર ચેરમેન અનિલ અગ્રવાલ રાજ્ય સરકાર સાથે થોડા દિવસોમાં જ એમ.ઓ.યુ. સાઇન કરશે.
સોનગઢ નજીક ડોસવાડા ખાતે 415 એકરની જમીન પણ પ્રોજેક્ટ સાઇટ માટે ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા રિસોર્સસ સોનગઢ ડોસવાડા ખાતે 24 મહિનામાં જ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.