CIA ALERT

બિઝનેસ Archives - Page 40 of 90 - CIA Live

December 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min684

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.

સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.

આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.

December 18, 2020
tollplaza-1280x715.jpg
1min500

દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.

આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.

જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે.
સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.

December 14, 2020
epf.jpg
1min418

દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.

December 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min796

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.

GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી

GJEPC Welcomes Measures Announced by Finance Minister to Boost Exports

GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.

December 9, 2020
serum.jpg
1min513

દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.

December 4, 2020
sugar.jpg
1min454

દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.

રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

December 4, 2020
gst.jpg
1min384

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.

નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.

આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.

December 3, 2020
transporters-strike-072118.jpg
1min445

ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. 

આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.  

AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે. 

December 1, 2020
bank_holidays.png
1min389

ડિસેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો બંધ રહેશે. ફક્ત અલગ અલગ રાજ્યમાં આ રજાઓ અલગ અલગ દિવસે હશે. સ્થાનિક તહેવારને આધારે બેંકોમાં રજા જાહેર કરવામાં આવશે.

બેંકોની રજા ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે. ત્રીજી ડિસેમ્બરે કર્ણાટક રાજ્યમાં કનકદાસ જયંતી અને ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની રજા છે. ત્રીજી ડિસેમ્બર પછી છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા હશે. ત્યાર બાદ ૧૨મી ડિસેમ્બરે બીજા શનિવારની અને ૧૩મી ડિસેમ્બરે રવિવારની રજા હશે.

ગોવામાં ૧૭મી ડિસેમ્બરે લોસોંગ પર્વ, ૧૮મી ડિસેમ્બરે પુણ્યતિથિ યુ સો સો થમ અને ૧૯મીએ ગોવામુક્તિ દિનની રજા હશે. ત્યાર બાદ વીસ તારીખે રવિવારની રજા હશે.

ક્રિસમસને કારણે ૨૪મી અને ૨૫મી એ બેંકો બંધ રહેશે, જ્યારે ૨૬મીએ ચોથા શનિવારની અને ૨૭મીએ રવિવારની રજા આવશે. ૩૦મી ડિસેમ્બરે યુ કિઅંગ નંગબાહની અને ૩૧મી ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની કેટલાક રાજ્યમાં રજા રહેશે.

November 29, 2020
RTGS.jpg
1min496

આગામી મંગળવાર તા1લી ડિસેમ્બર 2020થી ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં થઇ રહેલા એક નોંધપાત્ર સુધારામાં ભારતમાં ઇ-પેમેન્ટના સૌથી વધુ વ્યવહારો જેમાં થઇ રહ્યા છે એ RTGS (Real time gross settlement) 24 કલાક ઉપલબ્ધ બનશે.

રિઝર્વ બેંકેના સૂત્રોના જણાવ્યા અનુસાર RTGS (Real time gross settlement) આરટીજીએસ ટ્રાંઝેક્શન સુવિધા 1 ડિસેમ્બર 2020થી 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના યુગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. અગાઉ આરબીઆઈએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. હાલના નિયમો મુજબ બીજા અને ચોથા શનિવાર સિવાય મહિનાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજનાં 6 સુધી આરટીજીએસની સહાયથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

  • NEFT is used for fund transfers of up to ₹2 lakh.
  • NEFT and Immediate Payment Service (IMPS) are already available 24×7.
  • RTGS fund transfer happens on a real-time basis. Every transaction is settled individually in case of RTGS.
  • NEFT was made available 24×7 last year. But these fund transfer modes are generally used by individuals.