CIA ALERT

બિઝનેસ Archives - Page 33 of 90 - CIA Live

June 19, 2021
petrol-diesel-1.jpg
1min366

એક દિવસના વિરામ બાદ તા.18મી જૂન 2021ને શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ધીમા ઝેર જેવો વધારો આગળ ધપ્યો હતો.

ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવાર તા.18મી જૂને પેટ્રોલનાં ભાવમાં 28થી 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 26થી 27 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં’ 6.પ7 રૂપિયા અને ડીઝલમાં 6.96 રૂપિયાનો કુલ ડામ આવી ગયો છે.

તા.18મી જૂને દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 96.93 અને ડીઝલનો ભાવ 87.69 રૂપિયા નોંધાયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.08 અને ડીઝલનો ભાવ 9પ.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતો.

છેલ્લા 50 દિવસમાં વાહન ઈંધણનાં ભાવમાં કુલ 27 વખત વધારો થયો છે અને ભાવ સર્વકાલીન ઉંચાઈઓ સર કરી ગયો છે.’ દેશનાં કુલ મળીને 12 રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભાવ હવે 100 રૂપિયા થઈ ગયો છે. તો બિહાર, તેલંગણ, કર્ણાટક, જમ્મ-કાશ્મીર, મણિપુર, ઓરિસ્સા, તામિળનાડુ અને લદ્દાખનાં અનેક ભાગોમાં ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે.

June 17, 2021
CIA_Live_Logo_New2.jpg
1min403

હોલમાર્કિંગથી પણ ઉંચા સ્ટાન્ડર્ડ વિદેશો તથા ત્યાંના ગ્રાહકોએ સેટ કરેલા હોય છે

ભારતમાં 276 જિલ્લાઓમાં આજરોજ તા.16મી જૂન 2021થી સોના ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવાયું છે, સોનાના ઘરેણા પર ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવાના ગણતરીના કલાકોમાં કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયેલે નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતા જ સુરતના જ્વેલરી એક્સપોર્ટર્સમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. જ્વેલરી એક્સપોર્ટર્સ આમેય હોલમાર્કિંગ કરતા પણ હાઇ સ્ટાન્ડર્ડ તથા જે તે દેશના કાયદા કાનૂનને પાળતા હોઇ, તેમના માટે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું. જો જ્વેલરી એક્સપોર્ટર્સ પર ભારતમાં હોલમાર્કિંગની ફરજ પાડવામા આવી હોત તો આ પગલું તેમના માટે સમયની બરબાદી, પળોજણ અને ખર્ચમાં વધારાની નોબત લાવત.

જ્વેલરી નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે કોરોના પેન્ડેમિક અને તે પછીની પરિસ્થિતિમાં પણ ભારતનું જ્વેલરી એક્સપોર્ટ 15 ટકાનો ગ્રોથ કરી શક્યું છે. જો આજથી જે રીતે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવ્યું છે એ જ્વેલરી નિકાસકારો પર લાગૂ કરવામાં આવ્યું હોત તો એ બિનજરૂરી લેખાયું હોત. કેમકે સુરતમાંથી જ્યાં જ્યાં જ્વેલરી એક્સપોર્ટ થાય છે એ અમેરીકા, યુરોપ અને મિડલઇસ્ટના દેશોમાં તેમના નીતિ નિયમો હાઇસ્ટેન્ડર્ડના હોય છે.

સલીમભાઇએ કહ્યું કે અમેરીકામાં તો માત્ર 9 અને 10 કેરેટના દાગીનાનું ચલણ છે, એના પર હોલમાર્કિંગની જોગવાઇ હજુ ભારતમાં છે જ નહીં, આમ દરેક બાબતોથી જોઇએ તો જ્વેલરી નિકાસકારો પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું જ. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પણ ગત મે માસમાં આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી જ હતી.

(બોક્સ)

એક્સક્લ્યુસિવ અને અલ્ટ્રા ડિઝાઇનની ગુપ્તતા જળવાશે

જ્વેલરી એક્સપોર્ટર્સને ઓર્ડર એટલા માટે જ મળે છે કે તેઓ અલ્ટ્રા અને એક્સક્લ્યુસિવ ડિઝાઇનના ઘરેણા તૈયાર કરીને તેના ગ્રાહકોને તેમના દેશમાં મોકલે. આ સમગ્ર ઉદ્યોગમાં આજે ડિઝાઇન જ મેઇન ટ્રેડ કન્સેપ્ટ છે, આવી સ્થિતિમાં જો નિકાસકારો ઘરેણા તૈયાર કર્યા બાદ તેને હોલમાર્કિંગ માટે મોકલે તો એ ગમે ત્યાં ડિઝાઇનનો એક ફોટો ક્લીક થઇને ફરતો થઇ જાય તો નિકાસકારને મોટો આર્થિક ફટકો  સહન કરવાની નોબત આવે. જ્વેલરી એક્સપોર્ટર્સ માટે અલ્ટ્રાફાઇન ડિઝાઇન અને તેનું મેકિંગની ગુપ્તતા જાળવવાનું ભારે પ્રેશર હોય છે.

June 17, 2021
direct_tax.jpg
1min401

ચાલુ નાણાકીય વર્ષમાં નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ઍડવાન્સ ટૅક્સ અને ટીડીએસ) બમણો વધીને રૂ.૧.૮૫ લાખ કરોડથી વધ્યો હોવાની હકીકત પરથી કોવિડ-૧૯ની બીજી લહેરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાનો અંદાજ લગાવી શકાય છે.

૧ એપ્રિલથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં રૂ. ૧,૮૫,૮૭૧ લાખ કરોડ નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ગ્રોસ કલેક્શનમાંથી રિફન્ડ બાદ કર્યા બાદ બચતો કર)ની આવક થઇ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૯૨,૭૬૨ કરોડ કરતા લગભગ બમણી થઇ હોવાની માહિતી સીબીડીટીએ આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૩૦,૭૩૧ કરોડનું રિફન્ડ કરાયું હતું.

ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૧.૩૭ લાખ કરોડ કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫૭ ટકા વધારા સાથે રૂ. ૨.૧૬ લાખ કરોડ ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સની આવક થઇ હતી.

ઍડવાન્સ ટૅક્સ તરીકે રૂ. ૨૮,૭૮૦ કરોડ, રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુ ટીડીએસ, સૅલ્ફ અસેસમેન્ટ ટૅક્સ રૂ. ૧૫.૩૪૩ કરોડ અને રૅગ્યુલર અસૅસમેન્ટ કર તરીકે રૂ. ૧૪૦૭૯ કરોડ મળ્યા હતા.

ગત વર્ષના સમાન ગાળાના રૂ. ૧૧,૭૧૪ કરોડના ઍડવાન્સ ટૅક્સ કલૅક્શન સામે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના કેટલાક મહિના અત્યંત પડકારરૂપ રહ્યા હોવા છતાં ૧૪૬ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૨૮,૭૮૦ કરોડની આવક થઇ હતી.

June 16, 2021
breaking_CIA-1280x831.jpg
2min435

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.

જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.

Image

જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.

અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.

Earlier …

K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.

June 16, 2021
gujarat_map-1280x1023.png
1min465

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે ગુજરાત બાદ દિલ્હી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.

૨૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું મૂલ્યાંકન શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વાતાવરણ, વહીવટ અને રાજકીય સ્થિરતા એ પરિબળોના આધારે કરવામાં આવ્યું હતું.

વહીવટ અને રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચે રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વાતાવરણ વધારે સાનુકૂળ મનાયું છે. કેરળમાં કામદાર સંબંધી બાબતે સરળતા છે.

અહેવાલમાં કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડે પોતાની સ્થિતિ સુધારવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડશે.

કાઉન્સિલના સિનિયર ફેલો ઇન્દિરા ઐયરે જણાવ્યા મુજબ આ અહેવાલ વર્લ્ડ બૅન્કના અહેવાલ કરતાં અલગ છે. ગયા વર્ષે બહાર પડેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં કાર્યપદ્ધતિઓ અને વ્યવહારો પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાઉન્સિલના અહેવાલમાં નીતિવિષયક અને માળખાકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

June 15, 2021
Gautam_Adani.jpg
1min396

ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નેતૃત્વ વાળી કંપની અદાણી ગ્રુપ માટે એક માઠા સમાચાર છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા ત્રણ વિદેશી ફંડ્સ અલ્બુલા, ક્રેસ્ટા અને એપીએમએસ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. તેમની પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યના શેર છે.

એનએસડીએલની વેબસાઈટ અનુસાર, આ અકાઉન્ટને 31 મે અથવા તે પહેલા ફ્રીઝ કરાયા હતા.

આ ત્રણ ફંડની અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. કસ્ટોડિયન બેન્કો અને વિદેશી રોકાણકારોને હેન્ડલ કરતી લો ફર્મ્સ અનુસાર, આ વિદેશી ફંડ્સને બેનિફિશિયલ ઓનરશિપ વિષે પૂરતી જાણકારી નહીં હોય, માટે તેમના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ કસ્ટોડિયન પોતાના ક્લાયન્ટ્સને આ પ્રકારની કાર્યવાહી વિશે જાણકારી આપે છે, પરંતુ જો ફંડ આ બાબતે જવાબ નથી આપતા અથવા તેનું પાલન નથી કરતા તો તેમના અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ છે કે, ફંડ વર્તમાન સિક્યોરિટી વેચી નથી શકતા અને નવી સિક્યોરિટી ખરીદી નથી શકતા. આ બાબતે એનએસડીએલ, સેબી અને અદાણી ગ્રુપને મોકલવામાં આવેલા ઈમેઈલનો કોઈ જવાબ નથી મળ્યો. ફાંડિંગ કંપનીઓ સાથે સંપર્ક સાધી નથી શકાયો.’

June 11, 2021
atm.jpg
1min402
ATM cash withdrawal charges: What RBI's new rule means for you

૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધુ વ્યવહાર માટે વધુ નાણાં ચૂકવવા પડશે

રિઝર્વ બૅંકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધારાના વ્યવહાર માટે વધુ નાણાં ચાર્જ કરવાની બૅંકોને પરવાનગી આપી છે.

આરબીઆઇના સકર્યુલરમાં જણાવ્યા અનુસાર બૅંકો હાલ ફ્રિ ટ્રાંઝક્શન લિમિટ કરતા વધારે ટ્રાંઝકશન માટે રૂ. ૨૦નો ચાર્જ લે છે, પણ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી એ માટે રૂ. ૨૧નો ચાર્જ લઇ શકશે.

જોકે, ગ્રાહકો અત્યારની જેમ જ દર મહિને પોતાની બૅંકના એટીએમમાંથી પાંચ વખત મફત ટ્રાંઝક્શન (નાણાકીય અથવા બીનનાણાકીય)નો લાભ મેળવી શકશે. તેઓ અન્ય બૅંકના એટીએમમાંથી મેટ્રો સેંટર્સમાં ત્રણ વખત અને નોન-મેટ્રો સેંટર્સમાં પાંચ મફત ટ્રાંઝક્શન મફત ટ્રાંઝક્શનનો લાભ મેળવી શકશે.

આ સાથે બૅંકોને ૧લી ઑગસ્ટ, ૨૦૨૧થી નાણાંકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૧૫થી વધારીને રૂ. ૧૭ કરવાની અને બીનનાણાકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૫થી વધારીને રૂ. ૬ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

June 10, 2021
farmers.jpg
1min477

કેન્દ્રના પ્રધાનમંડળે ભારતીય રેલવેના સંદેશવ્યવહાર અને સિગ્નલિંગની સુવિધા સુધારવા માટે ૭૦૦ મેગાહર્ટઝ બૅન્ડમાં પાંચ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની ફાળવણીને બુધવારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો.

પાકની ૨૦૨૧-૨૦૨૨ની મોસમ (જુલાઇ-જૂન) માટે ડાંગર (કૉમન વૅરાઇટી)નો લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૬૮થી રૂપિયા ૭૨ વધારીને રૂપિયા ૧,૯૪૦ કરાયો હતો.

દરમિયાન, બાજરાના લઘુતમ ટેકાના ભાવને ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૧૫૦થી વધારીને રૂપિયા ૨,૨૫૦ કરાયો હતો.

ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાંના વધારાને લીધે ખેડૂતોને ઘણો લાભ મળશે. ડાંગર મુખ્ય ખરીફ પાક ગણાય છે. નૈર્ઋત્યનું ચોમાસું બેસે તે પછી તેની વાવણી શરૂ થાય છે.

કૉટન (રૂ)ની મીડિયમ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૧૧ વધારીને રૂપિયા ૫,૭૨૬ કરાયો હતો, જ્યારે કૉટનની લૉન્ગ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૦૦ વધારીને રૂપિયા ૬,૦૨૫ કરાયો હતો.

મકાઇનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૫૦થી રૂપિયા ૨૦ વધારીને રૂપિયા ૧,૮૭૦ કરાયો હતો. જુવાર (હાઇબ્રિડ)નો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૬૨૦થી રૂપિયા ૧૧૮ વધારીને રૂપિયા ૨,૭૩૮ કરાયો હતો.

રાગીનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩,૨૯૫થી રૂપિયા ૮૨ વધારીને રૂપિયા ૩,૩૭૭ કરાયો હતો.

કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે દાવો કર્યો હતો કે રેલવેને આ સ્પેક્ટ્રમની ફાળવણીને લીધે રેલવેને મુસાફરોની સલામતી વધારવામાં સહાય મળશે.

રેલવેનો આ પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે પૂરો થશે.

રેલવે હાલમાં પોતાના સંદેશવ્યવહાર માટે ઑપ્ટિકલ ફાઇબર પર આધાર રાખે છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણીથી તે હાઇ-સ્પીડ રેડિયોનો પણ વપરાશ કરી શકશે.

June 8, 2021
Gujarat-map.jpg
1min639

ગુજરાતમાં કોરોનાવાઈરસને લોકડાઉન અને મીની લૉકડાઉન સહિતના નિયમોને લીધે સતત સતત બીજા વર્ષે પણ હૉટેલો, રેસ્ટોરન્ટ, વોટરપાર્ક અને રિસોર્ટના માલિકોને ભારે નુકસાન કોરોનાને કારણે મનોરંજન પૂરું પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા હોવાથી આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

June 5, 2021
bankholiday.jpg
1min464

RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે

બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.

એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.