બિઝનેસ Archives - Page 32 of 90 - CIA Live

July 20, 2021
pulses.jpg
1min624

સરકારે કઠોળના આયાતકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપી હતી. મિલરો અને હોલસેલરો માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી ઑકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે તેવું સરકારે સોમવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના વેબપોર્ટલ પર સ્ટોક જણાવવાનો રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

‘કઠોળના આયાતકારોને સ્ટોકલિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના પોર્ટલ પર કઠોળનો સ્ટોક જાહેર કરવાનું ચાલુ રાખવાનું રહેશે.’

હોલસેલરો માટેની સ્ટોકલિમિટ ૫૦૦ ટન રહેશે, પણ કોઈ એક કઠોળનો ૨૦૦ ટનથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં. મિલરો છ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ક્ષમતાના પચાસ ટકા (જે પણ વધુ હોય) તેટલો સ્ટોક રાખી શકશે.

રિટેલરો માટેની સ્ટોકલિમિટ યથાવત્ પાંચ ટન રાખવામાં આવી છે.

બીજી જૂને સરકારે મગ સિવાયના તમામ કઠોળ પર સ્ટોક લિમિટ જાહેર કરી હતી. આયાતકારો અને હોલસેલરો પર ૨૦૦ ટનની અને રિટેલરો પર પાંચ ટનની સ્ટોકલિમિટ જાહેર કરવામાં આવી હતી. મિલરો પર છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા (જે પણ વધુ હોય) તેટલી સ્ટોકલિમિટ રાખવામાં આવી હતી.

July 20, 2021
Gautam_Adani.jpg
1min488

ગૌતમ અદાણીની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે કેટલાક એફપીઆઈના ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે, જેમણે અદાણીની કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. તે સમાચાર પછી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘણા દિવસો સુધી ઘટાડો જોવા મળ્યો હતો. બસ, હવે તેની કંપનીના શેરની હાલત થોડીક સ્થિર હતી કે ઇડી દ્વારા આ કંપનીઓની તપાસના સમાચાર આવવા લાગ્યા. સરકારે સ્પષ્ટ કર્યું કે આ કંપનીઓની તપાસ ઇડી દ્વારા નહીં પરંતુ સેબી અને ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમાચાર પછી અદાણીની કંપનીઓમાં ઘટાડાનો સમય ફરી શરૂ થયો છે.

6માંથી 4 કંપનીઓમાં લાગી લોઅર સર્કિટ

મંગળવારે શેર બજાર ખુલતાંની સાથે જ અદાણીની 6 માંથી 3 કંપનીઓ લોઅર સર્કિટમાં આવી ગઈ. થોડીવાર પછી, બીજી કંપની નીચલી સર્કિટને સ્પર્શી. અન્ય બે કંપનીઓ પણ સતત ઘટતી રહી. મંગળવારે બજાર ખુલતાંની સાથે જ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેર લોઅર સર્કિટ મળ્યા અને થોડા સમય પછી અદાણી પાવર પણ લોઅર સર્કિટને સ્પર્શી ગયો.

બજાર નિયમનકાર સેબી (સેબી) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અદાણી જૂથની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. નાણામંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ વાત જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું નથી કે અદાણી જૂથની કઈ કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. સેબીએ આ તપાસ ક્યારે શરૂ કરી તે હજુ જાણી શકાયું નથી. પંકજ ચૌધરીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. આ નિવેદન બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.

આ મોટા ઘટાડા પાછળનું કારણ એનએસડીએલ દ્વારા લેવામાં આવતી કાર્યવાહી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ભંડોળ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના ખાતા ફ્રીઝ કરી દીધા છે. અદાણી ગ્રૂપની 4 કંપનીમાં તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુના શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. જો કે, ગૌતમ અદાણીએ કોઈપણ એકાઉન્ટ ફ્રીઝ થવાના સમાચારને નકારી દીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે, પરંતુ જો ભંડોળ આનો જવાબ નહીં આપે અથવા તેનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ કરી શકાય છે. ખાતું ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અથવા નવી ખરીદી શકશે નહીં. આ સંદર્ભે એનએસડીએલ, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સંપર્ક કરી શકાયો નહીં. આ ત્રણ ભંડોળ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય લોકો પોર્ટ લૂઇસમાં સમાન સરનામાં પર નોંધાયેલા છે અને તેમની વેબસાઇટ નથી.

2019 માં કેપિટલ બજારના નિયમનકારે પીએમએલએ મુજબ એફપીઆઇ માટે કેવાયસી દસ્તાવેજો બનાવ્યા. 2020 સુધીના નવા નિયમોનું પાલન કરવા માટે ભંડોળને સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ભંડોળના ખાતા સ્થિર કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. આમાં સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં છેડછાડની પણ તપાસ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શેરમાં 200 થી 1000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ મામલાના નિષ્ણાંતે જણાવ્યું હતું કે સેબીએ આ મામલે 2020 માં તપાસ શરૂ કરી હતી જે હજી ચાલુ છે. સેબીએ આ મામલે તેને મોકલેલા પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.

July 15, 2021
diamond.png
1min410

કટ એન્ડ પોલિશ્ડ હીરા તથા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડનું સૌથી વધુ ટર્ન ઓવર ધરાવતા સુરત શહેરના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે તેની પ્રતીતિ આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જાહેર કરેલા આંકડાઓ પરથી થઇને રહે છે. જીજેઇપીસીના જણાવ્યા અનુસાર એપ્રિલ-21થી જૂન-21ના ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં જ ભારતમાંથી કટએન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસમાં અગાઉના બન્ને વર્ષોની તુલનામાં કુલ 26.45 ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રૂ.45741 કરોડની નિકાસ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની થઇ છે. આ પરિસ્થિતિ બે વર્ષ અગાઉ જ્યારે કોવીડ-19 અને તેની અસરો શરૂ થઇ ન હતી એ સમયગાળા કરતા પણ બહેતર છે. એટલે કે સુરત સમેત દેશનો હીરા ઉદ્યોગ પ્રી-કોવીડ પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે અને હાલમાં કામકાજ જબરદસ્ત ચાલી રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં તેજી અંગેનું કારણ આપતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે હીરા-ઝવેરાત નિકાસમાં વૃદ્ધિમાં મુખ્ય કારણ અમેરીકામાં ઉઠેલી માગ છે. કાઉન્સિલ દ્વારા વર્ચ્યુઅલ બાયર સેલર મીટ યોજવામાં આવી હતી જેમાં ભારતના અનેક પ્રદર્શનકર્તા વિક્રેતાઓ દ્વારા મોટી સંખ્યામાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા. 

એપ્રિલથી જૂન 21 દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો ઘટાડો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળાના સરવૈયામાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2021થી જૂન 2021ના સમયગાળામાં અગાઉના વર્ષની તુલના કરતા ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રૂપિયામાં આનું મૂલ્ય 4608.91 કરોડ જેટલું થાય છે. કોવીડ-19ની બીજી લહેરનો આ સમય હતો. આવું થવા પાછળ કેટલાક સ્થાનિક પ્રશ્નો, ગોલ્ડની પ્રાપ્તિ, ડ્યૂટી ડ્રો બેક વગેરેના પ્રશ્નો હોવાનું જણાય આવે છે.

લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો ઉછાળો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળાના સરવૈયા પર નજર કરીએ તો પોલીશ્ડ લેબગ્રોન સિંથેટિંક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો જંગી ઉછાળો થયો હોવાનું જણાવાયું છે. 2019ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસ 86.36 મિલિનય ડોલર હતી, બીજા વર્ષે 2020માં એ જ સમયગાળામાં 38.99 મિલિયન અને ચાલુ વર્ષ 2021ના આ જ સમયગાળામાં આ નિકાસ વધીને 261.05 મિલિયન ડોલર જેટલી થઇ છે. આમ, કુલ 202 ટકાનો ઉછાળો પોલિશ્ડ લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં થયો છે.

July 15, 2021
master_card.png
1min434

 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર હાલ નવા ક્રેડિટ, ડેબિટ કે પ્રીપેડ કાર્ડ આપવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશનો અમલ ૨૨ જુલાઇથી થશે.

A MasterCard credit card logo is seen on a store window in Washington. (AFP)

માસ્ટરકાર્ડે ડેટા સંગ્રહ અંગેના જે નિયમો હતા એનું પાલન કર્યું નહિ હોવાનો આક્ષેપ છે. આમ છતાં, હાલના ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઇ અસર નહીં થાય. 

ઘણો સમય અને તક આપ્યા છતાં માસ્ટર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરવા માટેના જે નિયમો છે તે પાળી નહિ શક્યું હોવાનું કહેવાય છે.આરબીઆઇ દ્વારા ૬ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં ૬ મહિનાની અંદર જ પેમેન્ટ સિસ્ટમને લગતા તમામ ડેટાનો ભારતની અંદર સંગ્રહ કરવા માટે જણાવાયું હતું. 

માસ્ટર કાર્ડ ત્રીજી એવી કંપની છે જેની ઉપર આવો પ્રતિબંધ મુકાયો છે. અગાઉ આવા જ કારણસર પહેલી મે થી અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને ડાઇનર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પણ આવો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

૨૦૧૮ના એપ્રિલ મહિનામાં જ બધી પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પૂરી પાડતી બૅન્કોને છ મહિનાની અંદર તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતી, તે બાબતને લગતા સંદેશા કે સૂચનોનો સંગ્રહ કરીને તે અંગે રિઝર્વ બૅન્કને સૂચિત કરવાનું અને અધિકૃત ઑડિટ રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.

July 14, 2021
edible_oil.jpg
1min464

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હિન્દુ તહેવારો શરૂ થશે પરંતુ આ તહેવારો પહેલા જ દર વર્ષની જેમ ખાદ્ય તેલના ભાવમાં પરંપરાગ રીતે ભાવમાં વધારો શરૂ થવા લાગ્યો છે. આ વખતે કાચા માલની અછતના નામે સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

 

કાચા માલની અછતના નામે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચાડવામાં આવ્યો  છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા.

July 8, 2021
amazon-digital-kendra-in-su.jpg
1min736

आठ जुलाई (भाषा) अमेजन इंडिया ने गुरुवार को गुजरात के सूरत में अपना पहला डिजिटल केंद्र शुरू किया, जो कंपनी द्वारा 2025 तक भारत के एक करोड़ छोटे और मझोले उद्योगों को डिजिटल बनाने की पहल का हिस्सा है।

कंपनी द्वारा जारी विज्ञप्ति के मुताबिक गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने आभासी रूप से इस डिजिटल केंद्र का उद्घाटन किया।

सूरत शहर में सक्रिय लगभग 41,000 एमएसएमई के लिए फायदेमंद साबित होगा।

अमेजन डिजिटल केंद्र एमएसएमई को ई-कॉमर्स से होने वाले फायदों की जानकारी देगा और उन्हें माल भेजने, डिजिटल मार्केटिंग सेवाओं, जीएसटी और कराधान जैसी सेवाओं के लिए भी सहायता देगा।

इस मौके पर अमेजन इंडिया के वरिष्ठ उपाध्यक्ष और कंट्री हेड अमित अग्रवाल ने कहा कि कंपनी ने जब 2013 में देश में अपना परिचालन शुरू किया था, तब ई-कॉमर्स आमतौर पर शहरों से संबंधित था।

उन्होंने आगे कहा कि कंपनी ने विक्रेताओं को पूरे भारत और विश्व स्तर पर ग्राहकों तक पहुंचने में सक्षम बनाने पर ध्यान केंद्रित किया है, और इसके लिए प्रौद्योगिकी, लॉजिस्टिक्स, वितरण बुनियादी ढांचे और डिजिटल भुगतान में उल्लेखनीय निवेश किया है।

अमेज़न इंडिया पर कुल 8,50,000 विक्रेता मौजूद है, जिनमें से इस ई-कॉमर्स दिग्गज़ ने अकेले जनवरी 2020 से अब तक क़रीब 3,00,000 से अधिक विक्रेताओं को प्लेटफ़ॉर्म पर ऑनबोर्ड किया है। फ़िलहाल Amazon पर अकेले गुजरात से ही 1,00,000 से अधिक विक्रेता जुड़े हुए हैं।

कंपनी ने साफ़ किया है कि सूरत में खुले अपने पहले ‘डिजिटल केंद्र’ (Digital Kendra) पर मिलने वाली प्रतिक्रिया को देखते हुए Amazon India जल्द ही देश के अन्य शहरों में भी इनका विस्तार करती नज़र आएगी।

इस बीच गुजरात के सूरत में इस डिजिटल केंद्र के उद्घाटन के दौरान मुख्यमंत्री विजय रूपानी ने अपने वर्चूअल संबोधन में कहा;

“ये काफ़ी अहम क़दम है क्योंकि इसके ज़रिए MSMEs को हालिया चुनौतियों से निपटनें, अपने व्यवसायों को पुनर्जीवित करने और उनके पुनर्निर्माण को लेकर मदद मिलेगी। इस तरह की पहल का के ज़रिए देश का MSME क्षेत्र भारत को $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने के लक्ष्य में अहम योगदान दे सकता है।”

इस मौक़े पर Amazon India के कंट्री हेड अमित अग्रवाल ने बताया कि कंपनी पहले से ही देश में क़रीब 25 लाख MSMEs यूनिट को डिजिटाइज़ कर चुकी है और अब तक भारत में लगभग 10 लाख रोजगार के अवसर पैदा करने में सहयोग प्रदान कर चुकी है।

July 8, 2021
cng.png
1min449

સામાન્ય લોકો પર મોંઘાવરીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલની કમરતોડ ભાવ વધારાથી લોકો પહેલા જ પરેશાન છે અને હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 44.30 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે ઘરેલુ ઉપયોગમાં લેવાતા પીએનજીની કિંમત પણ વધીને 29.66 એસસીએમ થઈ ગયા છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ)એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે કે દિલ્હી ઉપરાંત ગ્રેટર નોયડા, નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા કિલો થઈ ગઈ છે. અહીં પર પીએનજીની કિંમત 29.61 રૂપિયા પ્રતિ એસસેમ હશે. આ કંપની દિલ્હી અને એનસીએમાં નેચરલ ગેસ ઉપલબ્ધ કરાવે છે. સીએનજી પીએનજીના નવા દર આજ 8-7-21થી લાગુ થઈ ગયા છે.

રાજ્યમાં આજે 8-7-21 ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે. આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે. તો રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે. જ્યારે વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે. તેમજ જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે.

તેવી જ રીતે સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.98 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.10 રૂપિયા પર પહોંચી છે.

July 6, 2021
rbi.jpeg
1min479

મુંબઇ: રિઝર્વ બૅંકે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)/ટર્મ ડિપોઝિટ (ટીડી)ના નિયમમાં બદલાવ કર્યો છે. 
નવા નિયમ પ્રમાણે જો એફડીની મુદત પૂરી થયા બાદ ગ્રાહક એ ક્લૅઇમ નહીં કરે તો એણે નુકસાન વેઠવું પડશે. 

એક નિવેદનમાં રિઝર્વ બૅંકે જણાવ્યું હતું કે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ટર્મ ડિપોઝિટની મુદત પાકી જાય અને એની રકમ અનપેઇડ હોય તો બૅંક પાસે પડેલી એફડી પાકયા બાદની રકમ પર બચત ખાતાના વ્યાજ અથવા એફડીના વ્યાજમાંથી જે વ્યાજ ઓછું હશે એ વ્યાજ આપવામાં આવશે. 

The Reserve Bank of India (RBI) has changed the rules for Fixed Deposits as it said that if a customer has not claimed FD even after maturity, then he/she will have to bear the loss in terms of interest in savings. The bank further stated that customers can still earn interest after Term Deposit (TD) matures and proceeds are unpaid.

“It has been decided that if a Term Deposit (TD) matures and proceeds are unpaid, the amount left unclaimed with the bank shall attract rate of interest as applicable to savings account or the contracted rate of interest on the matured TD, whichever is lower,” the RBI stated in statement.

July 3, 2021
msme.jpg
1min442

કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી’ લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.

ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.

July 3, 2021
beans.jpg
1min494

મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી દીધી છે. જથ્થાબંધ વેપારીઓ, રિટેઇલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે અને ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.

સરકારે ગયા વર્ષે જ ત્રણ મોટાં કૃષિ સુધારા પસાર કરાવ્યા હતા. એમાં સ્ટોક મર્યાદામાંથી આવશ્યક ચીજોને કાઢી નાખવામાં આવી હતી. જોકે સરકારે ફરીથી ભાવને કાબૂમાં કરવા આ કાયદો લાગુ કરવો પડયો છે. કઠોળના વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્ટોક મર્યાદાને લીધે ભાવમાં કડાકો બોલી જશે તો વાવેતર પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

સરકારી પરિપત્ર પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઇ છે. જથ્થાબંધ વેપારીઓ 200 ટન કરતા વધારે સ્ટોક કોઇપણ એક અથવા બધા કઠોળનો રાખી શકશે નહીં. રિટેઇલ વેપારીઓ માટે આ મર્યાદા પાંચ ટનની રાખવામાં આવી છે.

મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લાં ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઇન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો છે. આયાતકારો માટે સ્ટોક મર્યાદા 15મી મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15મી મે પછી આયાત કરેલા કઠોળનો નિકાલ 45 દિવસમાં કરી નાખવાનો છે.