CIA ALERT

બિઝનેસ Archives - Page 28 of 90 - CIA Live

October 18, 2021
e_shram.jpg
1min590

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min532

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
sumul.jpg
1min1066
Ghari

આ વખતે સુરતીઓ વિક્રમી ઘારી ઝાપટશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતીઓના પોતિકી તહેવાર ચંદની પડવા પર્વે આ વખતે સુરતીઓ ઘારી ખાવાના તમામ રેકોર્ડ તોડી નાંખશે. મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરી એકલા હાથે જ 100 ટન (અંદાજે 90 હજાર કિલો) જેટલી ઘારી બનાવીને સુરતીઓની ઘારીની ડિમાંડ પૂરી કરશે. આટલા મોટા જથ્થામાં સુમુલ ડેરીએ અગાઉ ક્યારેય કોઇ એક સિઝન માટે ઘારી બનાવી નથી. ગયા વર્ષ સુધી સુમુલડેરી દ્વારા 70થી 80 ટન જેટલી ઘારી બનાવવામાં આવતી હતી પરંતુ, આ વખતે સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રો જણાવે છે કે 100 ટન ઘારી બનાવીને ચંદી પડવા પહેલા સુમુલ ડેરીએ પોતે જ વિકસાવેલી સપ્લાય ચેઇન દ્વારા સુરત શહેર, જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં પણ સ્વાદના શોખીન લોકો સુધી પહોંચતી કરશે.

સુમુલ ડેરી સિવાય શહેરના મીઠાઇ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંગઠનો, સંસ્થાઓ પણ એડવાન્સ ઓર્ડર લઇને હજારો કિલો ઘારી તૈયાર કરી રહી છે

ચંદી પડવો તહેવાર ફક્ત સુરત કે દક્ષિણ ગુજરાતના કેલેન્ડરમાં જ જોવા મળે તેવો પર્વ છે. સમગ્ર ભારતમાં શરદ પૂર્ણિમાની ધૂમ હોય છે પરંતુ, સુરતમાં શરદપૂર્ણિમા પછીના દિવસે આવતા ચંદી પડવાની ધૂમ વધુ હોય છે.

ચંદી પડવાએ સુરતવાસીઓ ઘારી અને ભૂસું અને સાથે વેજ નોનવેજ પોતાની પસંદ અનુસાર જયાફત ઉડાવતા હોય છે.

મૂળ સુરતવાસીઓ ઉપરાંત સુરત આવીને વસેલા હિન્દીભાષીઓ, પરપ્રાંતીયો પણ ઘારીના શોખીન બની ગયા હોઇ, ચંદી પડવાએ દર વર્ષે સુરતની ઘારીની ડિમાંડ વધતી જ જાય છે. આ વખતે તો સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ એકલી સુમુલ ડેરી જ એકલા હાથે 100 ટન જેટલી ઘારી બનાવીને બજારમાં મૂકવા જઇ રહી છે.

ઘારીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.40નો વધારો

સુમુલ ડેરીની ઘારીના ભાવમાં આ વખતે રૂ.40 પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ રૂ.560 હતો જે આ વખતે રો મટિરિયલના ભાવ વધારાને ધ્યાને રાખીને રૂ.600 પ્રતિ કિલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન પણ મળશે સુમુલની ઘારી

આ વખતે સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તેવી પ્રતીતિ જે રીતે સુરતમાં ઘારીનું પ્રોડકશન થઇ રહ્યું છે તેના પરથી થઇને રહે છે. કેમકે સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને વેચશે. તદુપરાંત સુરતમાં મીઠાઇ વિક્રેતાઓ, જુદી જુદી સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને બધુ મળીને બીજી 100 ટન ઘારી સુમુલ સિવાયના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થાય તેવો અંદાજ છે. આમ, સુરતી આ વખતે વિક્રમસર્જક જથ્થામાં ચંદી પડવાએ ઘારી ઝાપટી જશે.

October 15, 2021
Cia_business_news-1280x936.jpg
1min448

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના વીવીંગ કારખાનેદારો ક્વોલિટી ફેબ્રિકના ઉત્પાદન માટે જે યાર્નનો મહત્તમ વપરાશ કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્પીનરોએ કરેલી અરજીના અનુસંધાને ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની સિફારિશ કરી દેવાતા હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સુરતના વીવર્સને મોઘી પડવાની છે.

સુરતના વીવીંગ ઉદ્યોગના અગ્રણી મયુરભાઇ ગોળવાળા તથા અન્યોએ જણાવ્યું હતું કે આ બાબતનો ગેરફાયદો ઉઠાવતા સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદક સ્પીનર્સે સ્પન યાર્નના ભાવો વધારવા માંડ્યા છે અને એક સમયે બે મહિના અગાઉ રૂ.160 પ્રતિ કિલોએ મળતું સ્પન યાર્ન ઓક્ટોબરના નવા પડેલા ભાવ અનુસાર રૂ.198ના દરે વેચાવા માંડ્યું છે.

ઉપરોક્ત દરો પોલીએસ્ટર સ્પન ફાઇબર અને પોલીએસ્ટર સ્પન યાર્નના જુલાઇ માસથી ઓક્ટોબર માસના બિલના છે.

તાજેતરમાં જાહેર થયેલા ઓક્ટોબરના આંકડામાં એ વાત પુરવાર થઇ છે કે પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નંખાવીને વિદેથી આયાત મોંઘી થતાં જ સ્થાનિક સ્પીનર્સે જુલાઇમાં પોલીએસ્ટર સ્પન યાર્નનો પ્રતિ કિલોનો રૂ.160નો ભાવ ઓક્ટોબરમાં 198 રૂ.પ્રતિ કિલોએ પહોંચાડી દીધો છે અને હજુ તો દિવાળી પહેલા ભાવ વધારો તોળાય રહ્યો હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.

મયુર ગોળવાલાનું કહેવું છે કે સુરતના વીવીંગ ઉદ્યોગના કારખાનેદારો સામી દિવાળીએ જબરદસ્ત ભીંસ અનુભવી રહ્યા છે. સુરતના કપડા ઉત્પાદક વીવીંગ કારખાનેદારો જેમાંથી ક્વોલિટી ફેબ્રિકનું ઉત્પાદન કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી દીધા બાદ હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સ્થાનિક વીવર્સને મોંઘી પડવાની છે. સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના ઉત્પાદકોએ આ યાર્નની આયાત મોંઘી પડવાની છે એ જાણતાની સાથે જ ભાવ વધારો કર્યો હતો, જે હવે બે જ મહિનાના સમયગાળામાં વીસ ટકા સુધી કરી દેવામાં આવ્યો છે.

ચાલુ ઓક્ટોબર માસમાં સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના બિલો પ્રતિ કિલોના રૂ.198ના ઇશ્યુ થવા માંડતા વીવર્સો પણ અકળાયા છે કે આયાત મોંઘી થવાની છે એની આડમાં જ જે બે મહિનામાં વીસેક ટકાનો ભાવ વધારો કરી દેવાયો તો જ્યારથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ થશે ત્યારથી શું પરિસ્થિતિ ઉદભવશે.

  • પીએસએફ એટલે પોલીએસ્ટર સ્પન ફાઇબર
  • પીએસવાય એટલે પોલીએસ્ટર સ્પન યાર્ન

કેન્દ્ર સરકારે હજુ સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વસૂલ કરવા કે નહીં કરવા અંગેની કોઇ જ સ્પષ્ટતા કરી નથી. એક તરફ સ્પષ્ટતા નથીને બીજી તરફ સ્પન યાર્નની આયાત મોંઘી થવાની છે તેવી ધારણાએ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદકો ભાવ વધારો કરવા માંડ્યા હોઇ, સુરતના સ્પન યાર્નના વપરાશકાર કારખાનેદારો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મૌખિક રીતે બાંયધરી આપી છે કે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં થાય પરંતુ, હજુ સુધી તે સંદર્ભનું કોઇ નોટિફિકેશન કે જાહેરાત કરવામાં આવી નથી.

October 13, 2021
flight-1.jpg
1min356

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોની સંખ્યા પરના નિયંત્રણો ૧૮મીથી હટાવી લેવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. ૧૮મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૮૫% પ્રવાસીઓને જ છૂટ આપવામાં આવી હતી.

પહેલી જૂન અને પાંચમી જુલાઈ વચ્ચે ૫૦ ટકા, પાંચ જુલાઈ અને ૧૨ ઑગસ્ટ વચ્ચે ૬૫ ટકા અને ૧૨ ઑગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૭૨.૫ ટકા ક્ષમતા ભરવાની છૂટ આપવામાં આવી હતી. વિમાની પ્રવાસ માટે પ્રવાસીઓની માગમાં વધારો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંત્રાલયે બહાર પાડેલા ઓર્ડરમાં કહ્યું છે.

બે મહિનાના બ્રેક પછી ૨૫ મે ૨૦૨૦ના દિવસે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પુન: શરૂ કરી હતી તે વખતે કુલ ક્ષમતાના ૩૩% જેટલા પ્રવાસીઓને લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦થી પહેલી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૦ ટકા ક્ષમતા ભરવાની પરવાનગી આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ના કેસ દેશભરમાં વધી જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પ્રવાસીઓની સંખ્યા પરના નિયંત્રણ ૮૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવી હતી. જેનો અમલ પહેલી જૂન ૨૦૨૧થી શરૂ થયો હતો.

October 12, 2021
zoon.jpeg
1min349

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ ક્લાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિય આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

October 11, 2021
ril-1280x721.jpg
1min395

ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ)નું આરઈસી સોલર હોલ્ડિંગ એએસ (આરઈસી ગ્રુપ) હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું થઈ ગયું છે. આરઆઈએલની સંપૂર્ણ માલિકીની સહાયક સંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (આરએનઈએસએલ)એ ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) પાસેથી આરઈસી ગ્રુપની 100 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. સોદો 77.1 કરોડ યુએસ ડોલર એટલે કે લગભગ 5792.64 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ મૂલ્ય પર નક્કી થયો છે.

રિલાયન્સ આરઈસીની ઉત્કૃષ્ઠ ટેકનિકસનો ઉપયોગ, જામનગરમાં બનનારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં કરશે, જેની ક્ષમતા 4 GW પ્રતિ વર્ષથી શરૂ કરી 10 GW પ્રતિ વર્ષ સુધી વધારવાની યોજના છે. આરઈસીની પાસે ઉત્કૃષ્ઠ સોલર ટેકનીક છે, તો રિલાયન્સ પાસે મોટા પ્રમાણમાં પરિયોજના લગાવવાનો અને તેને સારી રીતે ચલાવવાનો દાયકાઓનો અનુભવ છે. બંને સાથે મળીને ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન સંપૂર્ણ રીતે એકીકૃત પીવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાવશે અને બાદમાં દુનિયાભરમાં એ જ પ્રકારની મોટી નિર્માણ સુવિધાઓ ઊભી કરવામાં આવી શકે છે. આરઈસીને હસ્તગત કરવાથી રિલાયન્સની પહોંચ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાની સાથે દુનિયાભરના સૌર ઊર્જા બજારોમાં થઈ જશે.

ઘણા જ ઓછા કાર્બન ફુટપ્રિન્ટવાળી આરઈસી પાસે 600થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446 સ્વીકૃત છે અને બાકીનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરઈસી વિશ્વ સ્તર પર એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે, જે ઈનોવેશન માટે ઓળખાય છે. દુનિયાભરમાં આરઈસીમાં 1,300થી વધુ કર્મચારી કામ કરે છે. લેવડ-દેવડ પછી તે રિલાયન્સ પરિવારનો ભાગ બની જશે. રિલાયન્સના મહત્વકાંક્ષી ગ્રીન એનર્જી મિશનને ગતિ આપશે. આરઈસીની ફ્રાન્સ, અમેરિકા અને સિંગાપોરમાં વિસ્તરણ યોજનાઓને રિલાયન્સ પોતાનો પૂરો સપોર્ટ આપશે.

આ હસ્તાંતરણ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું આરઈસીના ટેકઓવરથી ઘણો ખુશ છું, કેમકે તે સૂર્ય દેવની અમર્યાદિત અને આખું વર્ષ મળતી સૌર શક્તિનું દોહન કરવામાં મદદ કરશે. આ હસ્તાંતરણ દાયકાન અંત પહેલા 100 ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવામાં રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી તેમજ એડવાન્સ્ડ ટેકનોલોજીસ અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષય 2030 સુધી ભારતમાં 450 ગીગાવોટ રિન્યુએબ ઉર્જાનું ઉત્પાદન છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એક જ કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. તે ભારતને જળવાયુ સંકટથી બચાવવામાં અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં મદદ કરશે.’

આગળ કહ્યું કે, ‘તાજેતરના રોકાણો સાથે રિલાયન્સ હવે વૈશ્વિક સ્તર પર એકીકૃત ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી સ્થાપિત કરવામાં અને ભારતને ઓછા ખર્ચ અને ઉચ્ચ ક્ષમતાવાળી સૌર પેનલોનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. અમે વૈશ્વિક કંપનીઓની સાથે રોકાણ, નિર્માણ અને સહયોગ કરવાનું ચાલુ રાખશે અને વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપી શકે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ રીતથી લાખો ગ્રીન રોજગારની તકો ઊભી થશે, આ તકોને લઈ હું ઘણો ઉત્સાહિત છું.’

આરઈસી એક મલ્ટીનેશનલ સોલર એનર્જી કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર નોર્વેમાં અને તેનું ઓપરેશન હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં કંપનીના ક્ષેત્રીય કેન્દ્રો છે. નોર્વેમાં બે અને સિંગાપોરમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપની પોતાની ટેકનિકલ ઈનોવેશન, ઉચ્ચ ક્ષમતાની સાથે સસ્તી સૌર ઉર્જા પેનલ્સના નિર્માણ માટે ઓળખાય છે. 25 વર્ષના અનુભવની સાથે તે દુનિયાની અગ્રણી અને સૌર સેલ/પેનલ અને પોલીસિલિકોન નિર્માણ કંપનીઓમાંથી એક છે.

October 9, 2021
tataairindia.jpg
1min465

ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.

Breaking: After 67 years, Air India heads back to founder Tata Sons -  BusinessToday

સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.

ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.

ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો.
ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.

રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.

October 5, 2021
pandora-1280x720.jpg
1min529

વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.

પાનામા પેપર્સ શું છે?

દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.

હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.

પેન્ડોરા પેપર્સ

હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.

આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.

આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.

ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ – લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.

હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.

પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

October 2, 2021
cia_gst.jpg
1min407

કોરોનાના કપરાકાળ બાદ અર્થતંત્ર વેગ પકડી રહ્યું હોવાની પ્રતીતિરૂપે જીએસટી વસૂલાત દેશમાં લગાતાર ત્રીજા મહિને એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

સપ્ટેમ્બર-2021માં જીએસટી વસૂલાત 1,17,010 કરોડ રૂપિયા થઈ છે, જેમાં કેન્દ્રીય ભાગ 20,578 કરોડ, રાજ્યોનો હિસ્સો 26,767 કરોડ, એકીકૃત જીએસટી 60,911 કરોડ અને સેસનો ભાગ 8754 કરોડ રૂપિયા છે.

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જીએસટીથી આવક સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર-2021માં 23 ટકા વધી છે.