પોપ્યુલર ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું વહેલી સવારે હાર્ટ અટેકના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂકીને ગયો છે.
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે ‘બિગ બોસ’ની 13મી સીઝન જીતી હતી. આ સિવાય ‘ખતરોં કે ખિલાડી 7’નો પણ વિજેતા રહી ચૂક્યો છે. સીરિયલ ‘બાલિકા વધૂ’ દ્વારા સિદ્ધાર્થે ઓળખ બનાવી હતી. જોકે, બિગ ‘બોસ 13’માં ભાગ લીધા પછી સિદ્ધાર્થની પ્રસિદ્ધિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં એક્ટ્રેસ-સિંગર શહેનાઝ ગિલ સાથેની તેની કેમેસ્ટ્રી ચર્ચામાં રહી હતી. ફેન્સને ‘સિદ્ધનાઝ’ની જોડી ખૂબ પસંદ હતી. થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક મ્યૂઝિક વિડીયો આવ્યા હતા. જે પોપ્યુલર થયા હતા.
સિદ્ધાર્થના મોતની ખબર સાંભળીને આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટર ગૌતમ રોડેએ લખ્યું, “જિંદગી અણધારી છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. વર્ણવી ના શકું એટલું દુઃખ થાય છે. તેના પરિવાર, મિત્રો અને ફેન્સને મારી સાંત્વના. તારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.”
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની Dt.19/07/2021 સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે Dt.20/07/2021 કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23/07/2021 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે Dt.19/07/2021 સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં રાજ કુંદ્રા અને તેના પાર્ટનર્સ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.
બીજી તરફ, આ કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે આ કોઈ પોર્ન ફિલ્મો નહોતી. એકતા કપૂર, અનુરાગ કશ્યપ, વીભુ અગ્રવાલ સહિતના અનેક ફિલ્મ મેકર્સ બનાવે છે તેવી જ બોલ્ડ ફિલ્મો હતી. નેટફ્લિક્સ અને એમેઝોનની માફક અન્ય એપ્સમાં પણ આ ફિલ્મોને અપલોડ કરવામાં આવી હતી. તેણે આ કેસમાં કોઈપણ કૉમેન્ટ કરતા પહેલા લોકોને તે ફિલ્મો જોવા અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ તેનો ખોટો મતલબ કાઢી રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી 2021માં નોંધાયેલી અશ્લિલ ફિલ્મોના પ્રોડક્શન અને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાની એક ફરિયાદની તપાસ કરી રહી છે. આ સંદર્ભે જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજ કુન્દ્રા પર ઠગાઈ ઉપરાંત અશ્લિલ સામગ્રીનું પ્રોડક્શન અને વિતરણ કરવાના આરોપ લગાવ્યા છે.
અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. આ પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.
ફેબ્રુઆરીમાં આ કેસની ઈન્ક્વાયરી શરુ થઈ ત્યારે પણ રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. જોકે, રાજ કુન્દ્રાએ આ મામલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આખરે, પોલીસને તેની સામે પુરાવા પ્રાપ્ત થતાં ગઈકાલે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવાયો અને રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ તેને જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં તેને આખી રાત ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રખાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.
રાજ કુન્દ્રા સાથે આ કેસમાં કુલ નવ આરોપી છે. જેમાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠનો પણ સમાવેશ થાય છે, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ કાંડમાં યુકે સ્થિત પ્રોડક્શન કંપની કેનરિનની સંડોવણી બહાર આવી હતી, જેના થકી રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કંપનીના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, જે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે ને તે જ અશ્લીલ સામગ્રી જુદા-જુદા પ્લેટફોર્મ પર પબ્લિશ કરતો હતો.
જે અશ્લીલ વિડીયોને ઓનલાઈન મૂકાતા હતા, તેમનું શૂટિંગ ગહેના વશિષ્ઠ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસને એ વાતની પણ શંકા છે કે રાજ કુન્દ્રા કેનરિન નામના પ્રોડક્શન હાઉસમાં હિસ્સો ધરાવતો હોય તો પણ નવાઈ નહીં. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, આ કાંડમાં રાજ કુન્દ્રા મુખ્ય કાવતરાખોર હોવાની શંકા છે.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે, હાલ તેના શૂટિંગનું કોઈ રિશિડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું.
નેશનલ અવોર્ડ વિજેતા એક્ટ્રેસ સુરેખા સિક્રીનું 75 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે હાર્ટ અટેક આવતાં સુરેખા સિક્રીનું અવસાન થયું છે. સુરેખા સિક્રી છેલ્લા થોડા સમયથી બીમાર બતા અને 2020માં તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. અગાઉ 2018માં પેરાલિટિક સ્ટ્રોક પણ આવ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં જન્મેલા સુરેખા 1971માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયા હતા. 1989માં તેમને સંગીત નાટક અકાદમી અવોર્ડ પણ મળ્યો હતો. સુરેખાનાં પિતા એર ફોર્સમાં હતા અને તેમના માતા શિક્ષિકા હતા. સુરેખાએ હેમંત રેગે સાથે લગ્ન કર્યા હતા અને તેમના દીકરાનું નામ રાહુલ સિક્રી છે.
સુરેખા સિક્રીના મેનેજરે આ વાતની પુષ્ટિ કરતાં મીડિયાને જણાવ્યું કે, “ત્રણવાર નેશનલ અવોર્ડ વિજેતા રહી ચૂકેલા સુરેખા સિક્રીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. બીજા બ્રેન સ્ટ્રોક પછી ઊભા થયેલા કેટલાક કોમ્પ્લિકેશનથી તેઓ પીડાઈ રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર અને દેખરેખ કરનારાઓની હાજરીમાં અવસાન પામ્યા છે. પરિવાર આ સમયે પ્રાઈવસીની અપેક્ષા રાખે છે. ઓમ સાંઈ રામ.”
સુરેખા સિક્રીએ અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યું હતું. જોકે, સીરિયલ ‘બાલિકા વધૂ’માં ‘દાદીસા’નો રોલ કરીને તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. સુરેખા સિક્રી 2008માં આ સીરિયલ શરૂ થઈ ત્યારથી લઈને 2016માં પૂરી થઈ ત્યાં સુધી કલ્યાણી દેવી ઉર્ફે દાદીસાના રોલમાં જોવા મળ્યા હતા. સુરેખાએ 1978માં પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’થી ડેબ્યૂ કર્યું હતું. સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ત્રણવાર નેશનલ અવોર્ડ મળ્યો છે. જેમાં ફિલ્મ ‘તમસ’ (1988), ‘મમ્મો’ (1995) અને ‘બધાઈ હો’ (2018)નો સમાવેશ થાય છે.
સુરેખા સિક્રી છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ (2020)માં જોવા મળ્યા હતા. ચાર વાર્તાઓ દર્શાવતી આ ફિલ્મમાંથી ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સુરેખા જોવા મળ્યા હતા.
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. તે છેલ્લા એક મહિનાથી શ્વાચ્છોશ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 98 વર્ષિય દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે. દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.
દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિલીપ કુમારને 6 જૂને શ્વાસની તકલીફના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેના ફેફસાંની બહાર એકઠા થયેલા ફ્લુઇડને ડૉક્ટર્સે દૂર કર્યું અને પાંચ દિવસ બાદ તે ઘરે પાછા ફર્યા.
ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓ અસલમ ખાન (88) અને એહસાન ખાન (90) ને કોરોનાવાયરસમાં ગુમાવ્યા હતા. આ પછી તેમણે પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ઉજવ્યા ન હતાં. જોકે, સાયરા બાનુએ કહ્યું હતું કે, બંને ભાઈઓના મૃત્યુના સમાચાર દિલીપ સહબને આપવામાં નહોતા આવ્યા.
દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું મૂળ નામ યુસુફ ખાન હતું. ત્યાર પછી તેમને દિલીપકુમાર તરીકે સિનેમાને પડદે ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું. દિલીપકુમારનું પ્રારંભિક શિક્ષણ નાસિકમાં થયું હતું. બાદમાં તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું અને 1944 ની ફિલ્મ જવારભાટાથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. પ્રારંભિક ફિલ્મોમાં સફળતા ન મળી પણ બાદમાં અભિનેત્રી નૂરજહાં સાથે તેની જોડી હિટ બની હતી. ફિલ્મ જુગ્નુ દિલીપકુમારની પહેલી હિટ ફિલ્મ બની હતી. દિલીપ સાહેબે અનેક એક પછી એક સફળ હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ મુગલ-એ-આઝમ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઑગસ્ટ 1960 માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયે બનાવવામાં આવેલી સૌથી મોંઘી ફિલ્મ હતી.
દિલીપકુમારને આઠ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારનું નામ સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. દિલીપકુમારને 1991 માં પદ્મ ભૂષણ અને 2015 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1994 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 2000 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1998 માં તેમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન, નિશાન-એ-ઇમ્તિયાઝ એવોર્ડ પણ મળ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.
જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.
ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ અને સલમાન ખાન ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ `રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai) દ્વારા થનારા નફાથી દેશમાં કોવિડ-19 રાહત કાર્ય માટે મદદ કરવા બુધવારે સંકલ્પ લીધો. સલમાન ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ 13 મેના રિલીઝ થશે અને સાથે જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઓટીટી અને ડીટીએચ સેવાઓ સહિત અનેક પ્લેટફૉર્મ પર કરવામાં આવશે.
પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ `રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai)પે-પર-વ્યૂ પ્રસારણ પ્લેટફૉર્મ `ઝી પ્લેક્સ` પર પણ રિલીઝ થશે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ Salman Khanએ રાહત સહાયતા આપવા માટે દાન સ્ટેજ `ગિવ ઇન્ડિયા`ની સાથે ભાગીદારી કરી છે. આમાં ઑક્સીજન સિલેન્ડર, સાંદ્રક અને વેન્ટિલેટરથી લઈને જરૂરી ચિકિત્સા ઉપકરણોનું દાન પણ સામેલ છે.
બન્ને કંપનીઓએ શ્રમિકોના પરિવારોને પણ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે આ મહામારીથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સ (Salman Khan)ના એક પ્રવક્તાએ કહ્યું, “અમને આ મહાન કાર્યનો ભાગ બનીને ખુશ છીએ જેથી અમે કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઇમાં પોતાનું થોડુંક યોગદાન આપી શકશું. ગયા વર્ષથી અમે કોવિડ-19થી લડવાના પ્રયત્નોમાં સતત લાગેલા છીએ. એમાંય ખાસ વાત એ છે કે અમે એ પણ અનુભવ્યું છે કે એવી ફિલ્મની રિલીઝને અટકાવવાથી કોઇપણ પ્રકારની મદદ નહીં મળે જેની શૂટિંગ થઇ ચૂક્યપં છે. પણ આથી મળતા નફાનો ઉપયોગ મહામારીથી લડવાની દિશામાં કરવાથી જરૂર લાભ થશે.”
૯૩માં અકાદમી એવૉર્ડ્સમાં નોમેડલેન્ડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ઑસ્કાર એવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. આજ ફિલ્મના ડિરેકટર ક્લો ઝાઓને સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જ ફિલ્મ માટે ફ્રાન્સીસ મેકડોર્માન્ડ ‘બેસ્ટ એસ્ટ્રેસ એવૉર્ડ’ જીત્યા છે. મેકડોર્માન્ડનો ફાર્ગો અને ‘થ્રી બીલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૂરી’ પછી આ ત્રીજો એવૉર્ડ મળ્યો છે.
પીઢ અભિનેતા એન્થની હોપિક્ધસને ‘ધ ફાધર’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. હોપક્ધિસે ઓસ્કાર એવૉર્ડ સમારંભમાં હાજરી આપી ન હતી.
ભારતીય અભિનેતા ઈરફાન ખાન અને કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ‘ઈન મેમોરિયમ’ સેગમેન્ટમાં સન્માન આપવામાં આાવ્યું હતું.
ગત એક વર્ષમાં દુનિયામાંથી એક્ઝિટ કરી ગયેલા ઈરફાન ખાન, ભાનુ અથૈયા, ચાડવિક બોઝમેન, સીન કોનોરી, ક્રિસ્ટોફર પ્લમર, ઓલિવિયા હેવિલેન્ડ, કર્ક ડગ્લાસ, જ્યોર્જ સેગલ, ડિરેકટર કોમ-કી-ડક, મેક્સ વૉન, લિડો વિગેરેને અંજલિ આપવામાં આવી હતી.
ભારતીય ફિલ્મ નિર્માત્રી સ્વાતિ થ્યાગરાજનની ‘માઈ ઓક્ટોપસ ટીચર’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી હતી. થ્યાગરાજન આ ડોક્યુમેન્ટરીના એસોસિયેટ પ્રોડ્યુસર અને પ્રોડ્કશન મેનેજર તરીકે સંકળાયેલા હતા.
ચીનથી કિશોર વયે અમેરિકા આવેલા બેસ્ટ ડિરેક્ટર કલો ઝાઓએ પોતાની સ્પીચમાં કહ્યું કે ‘વિકટ સંજોગામાં પણ ખુદની અંદર સારા ગુણો જાળવી રાખવા ભરોસો અને હિંમત ધરાવે છે અને અન્યોમાં પણ સારા ગુણો છે તેવું માનનારાઓ માટે આ એવૉર્ડ છે. હું વિશ્ર્વમાં જ્યાં પણ ગઈ હતી ત્યાં મને લોકોમાં સદ્ગુણો જ નજર આવ્યા છે.’
ડેનિયલ કાલુયાને ‘જ્યુડાસ એન્ડ ધ બ્લેક મસિહા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યા છે.
ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.
અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”
કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.
રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.
સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.