CIA ALERT
19. May 2024

બોલીવુડ Archives - Page 4 of 12 - CIA Live

March 3, 2021
it_raid.jpg
1min285

બોલીવુડ સ્ટાર્સ ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના ઘરે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે.

ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની પતી ગઈ અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નૂ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત 22 સ્થળોએ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂણેમાં પણ ઘણાં સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.

February 22, 2021
saif.jpg
1min399
Image result for karina saif new born baby

કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે નવો મહેમાન આવ્યો છે. આજે રવિવારે કરિના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતાં જ કરિના કપૂરના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરિના બીજા સંતાનની માતા બની છે. 

આ સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ પણ કરિના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરિના કપૂરે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેણે સૈફ સાથેના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમને એ જણાવતાં ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. તમામ શુભચિંતકોની શુભેચ્છા અને સહયોગ માટે આભાર.

બીજા વખત ગર્વભતી હોવાની સમાચાર સામે આવ્યા બાદ કરિના કપૂરની સતત લેટેસ્ટ તસવીરો ચર્ચામાં રહી હતી. તેણે વર્ષ ૨૦૧૬માં પુત્ર તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. જ્યારે સૈફ અને કરિનાના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. પ્રેગ્નેન્સી દરમિયાન કરિના કપૂર લોકોને ફેશન ગોલ્સ આપતી જોવા મળી. શરૂઆતમાં કરિના કપૂર જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળતી હતી. જ્યારે તે બાદ કરિના કફ્તાન, મેક્સી ડ્રેસ અને કુર્તા અને પલાજો જેવા આઉટફિટ્સમાં જોવા મળી હતી.

ઉપરાંત કરિનાએ આ વખતે પણ પ્રેગ્નેન્સી દરમિયાન કામ ચાલુ રાખ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કરિનાએ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીમાં મહિલાઓ કામ કેમ કરી શકતી નથી? મને આ વાત સમજાતી નથી. મેં મારી પૂરી પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કામ કરતી રહીશ. એક્ટિવ રહેવું લાભદાયી હોય છે. તેનાથી બાળકની હેલ્થ પણ સારી રહે છે. 

January 13, 2021
sonusood.jpg
1min300

લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.

Sonu Sood in Difficulty: BMC's accusation on actor- Ignoring the notice  made the residential building a hotel; Police complaint - Global Rumour

પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.

તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.

શરદ પવારને મળ્યો

Amid tussle with BMC, Sonu Sood meets NCP chief Sharad Pawar

દરમિયાન મંગળવારે 12 January 2021 સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

December 28, 2020
rahman_mother.jpg
1min288

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.

કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.

December 9, 2020
breakdance-olympics-copy.jpg
1min418

બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.

Break Dance - Top 10 Tale

આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.

November 26, 2020
jallikattu-indian-movie-poster.jpg
1min527

ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.

November 22, 2020
bharti.jpg
1min363

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

October 27, 2020
naresh_kanodia.jpg
1min3210

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

October 16, 2020
shahid.jpeg
1min3130

કોરોના લૉકડાઉન દરમિયાન જે વસ્તુમાં તેજી આવી છે, એ છે દેશના ઓટીટી પ્લેટફોર્મના યુઝર્સ. સિનેમાઘરો બંધ થવાથી ઓટીટી પ્લેટફોર્મ્સને ચાંદી જ થઇ ગઇ. અને એટલે જ જે કલાકારો પોતાને વૅબસીરિઝ થી દૂર રાખી રહ્યા હતા એ બધા હવે વૅબસીરિઝ અને ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળવા માંડ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં શાહિદ કપૂર પણ એક વૅબસીરિઝમાં નજરે પડશે.

આ વૅબસીરિઝ શાહિદનો ડિજિટલ ડૅબ્યુ હશે. આ એક થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા સાંભળીને જ શાહિદે હા કહી દીધી. આ સીરિઝને રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની જોડી ડિરેક્ટ કરશે. બંનેની જોડીએ સીરિઝ ‘ધ ફેમિલી મેન’થી લોકપ્રિયતા હાંસલ કરી છે.

‘ધ ફેમિલી મેન’ની સફળતા પછી આ ડિરેક્ટરની જોડીને ઘણી ડિજિટલ ચેનલોએ વૅબસીરિઝ બનાવવાની ઓફર આપી હતી. હવે બંનેએ એક મોટા પ્લેટફોર્મ સાથે હાથ મેળવ્યો છે. ડિરેક્ટરની આ જોડીએ એક પ્રોજેક્ટ માટે હા પાડી છે. આ એક થ્રિલર વૅબ સીરીઝ છે, જેમાં હિન્દી ફિલ્મનો બધો જ મસાલો હશે.

બંને ડિરેક્ટરે આ સીરિઝ માટે શાહિદ સાથે વાત કરી અને શાહિદને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી અને એણે હા પાડી દીધી. આ વૅબસીરિઝથી શાહિદ ડૅબ્યુ કરશે. જોકે, આ વૅબસીરિઝનું શૂટિંગ ક્યારે શરૂ થશે એ અંગે હાલમાં કંઇ કહેવું મુશ્કેલ છે. શાહિદે તેની ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ પૂરું કરશે અને પછી આ વૅબસીરિઝનું શૂટિંગ ચાલુ કરી દેશે.

શાહિદ કપૂરની પહેલા મનોજ બાજપાઇ, ઇમરાન હાશમી, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી, અભિષેક બચ્ચન જેવા નામી કલાકારો વૅબસીરિઝમાં કામ કરી ચૂક્યા છે.

તાજેતરના ખબર મુજબ કોરોના લૉકડાઉનને કારણે ફિલ્મ ‘જર્સી’ના સર્જકો પર થયેલી અસરને ધ્યાનમાં લઇને શાહિદ કપૂરે વિશાળ દિલ રાખી પોતાની ફીસ ૩૩ કરોડ રૂપિયાથી ઘટાડી ૨૫ કરોડ રૂપિયા કરી નાખી છે. હાલમાં શાહિદ ‘જર્સી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાલ ૨૦૧૯માં આવેલી તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેક છે.

October 8, 2020
riya-chakravarthi.jpg
1min3150

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.