CIA ALERT

બ્લોગ Archives - Page 4 of 10 - CIA Live

April 7, 2021
mask_physical.jpg
1min459

કોઈ ઓરડામાં કોવિડ-19નાં હવાનાં માધ્યમથી થતાં પ્રસારને રોકવા માટે શારીરિક અંતરથી વધુ મહત્ત્વપૂર્ણ માસ્ક અને બહેતર વેન્ટીલેશન વ્યવસ્થા પુરવાર થાય છે.

એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈપણ ખંડની અંદર હવાથી પ્રસરતા કોરોના વાયરસને રોકવામાં માસ્ક અને હવાઉજાસની ભૂમિકા ચાવીરૂપ સાબિત થાય છે. ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ પત્રિકામાં પ્રકાશિત આ સંશોધનમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સાથે એક કક્ષાનું કોમ્પ્યુટર મોડેલ તૈયાર કર્યુ હતું. ત્યારબાદ સંશોધકોએ હવાનાં પ્રવાહ અને બીમારનાં પ્રસાર સંબંધિત મોડેલ બનાવ્યું અને પછી હવાથી સંક્રમણ ફેલાવાનાં ખતરાને માપ્યો હતો.

જે વર્ગખંડનું મોડેલ બનાવવામાં આવ્યું હતું એ 709 વર્ગ ફૂટનું હતું અને તેની છતની ઉંચાઈ નવ ફૂટ રાખવામાં આવી હતી. આ મોડેલમાં કોઈપણ સંક્રમિત થઈ શકે તેવી રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓને માસ્ક લગાવીને ગોઠવવામાં આવ્યા હતાં.’ અમેરિકાની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડામાં સહાયક પ્રાધ્યાપક માઈકલ કિનજેલનાં કહેવા અનુસાર આ સંશોધન મહત્ત્વનું છે કારણ કે આમાં મકાનની ભીતરનાં વાતાવરણમાં સુરક્ષા કેવી રીતે થઈ શકે તેનું માર્ગદર્શન મળે છે. આ અધ્યયનમાં જોવા મળ્યું હતું કે, માસ્ક પહેરેલું હોય તો છ ફૂટ કરતાં ઓછા અંતરેથી પણ ખતરો ઘટી જાય છે. તેનાથી વિપરિત માસ્ક ધારણ ન કરેલું હોય તો છ ફૂટનાં અંતરથી જોખમ ઘટી જાય તેવું પણ ધારી લઈ શકાય તેમ નથી. એટલે કે શાળા સહિતનાં એવા સ્થાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય ત્યાં શારીરિક અંતર કરતાં પણ વધુ મહત્ત્વનું માસ્ક બની જાય છે.

April 1, 2021
IPL_cia.jpg
9min405
DateFixtureTime in ISTCity
April 9, FridayMumbai Indians vs Royal Challengers Bangalore7:30 PMChennai
April 10, SaturdayChennai Super Kings vs Delhi Capitals7:30 PMMumbai
April 11, SundaySunrisers Hyderabad vs Kolkata Knight Riders7:30 PMChennai
April 12, MondayRajasthan Royals vs Punjab Kings7:30 PMMumbai
April 13, TuesdayKolkata Knight Riders vs Mumbai Indians7:30 PMChennai
April 14, WednesdaySunrisers Hyderabad vs Royal Challengers Bangalore7:30 PMChennai
April 15, ThursdayRajasthan Royals vs Delhi Capitals7:30 PMMumbai
April 16, FridayPunjab Kings vs Chennai Super Kings7:30 PMMumbai
April 17, SaturdayMumbai Indians vs Sunrisers Hyderabad7:30 PMChennai
April 18, SundayRoyal Challengers Bangalore vs Kolkata Knight Riders3:30 PMChennai
April 18, SundayDelhi Capitals vs Punjab Kings7:30 PMMumbai
April 19, MondayChennai Super Kings vs Rajasthan Royals7:30 PMMumbai
April 20, TuesdayDelhi Capitals vs Mumbai Indians7:30 PMChennai
April 21, WednesdayPunjab Kings vs Sunrisers Hyderabad3:30 PMChennai
April 21, WednesdayKolkata Knight Riders vs Chennai Super Kings7:30 PMMumbai
April 22, ThursdayRoyal Challengers Bangalore vs Rajasthan Royals7:30 PMMumbai
April 23, FridayPunjab Kings vs Mumbai Indians7:30 PMChennai
April 24, SaturdayRajasthan Royals vs Kolkata Knight Riders7:30 PMMumbai
April 25, SundayChennai Super Kings vs Royal Challengers Bangalore3:30 PMMumbai
April 25, SundaySunrisers Hyderabad vs Delhi Capitals7:30 PMChennai
April 26, MondayPunjab Kings vs Kolkata Knight Riders7:30 PMAhmedabad
April 27, TuesdayDelhi Capitals vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
April 28, WednesdayChennai Super Kings vs Sunrisers Hyderabad7:30 PMDelhi
April 29, ThursdayMumbai Indians vs Rajasthan Royals3:30 PMDelhi
April 29, ThursdayDelhi Capitals vs Kolkata Knight Riders7:30 PMAhmedabad
April 30, FridayPunjab Kings vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
May 1, SaturdayMumbai Indians vs Chennai Super Kings7:30 PMDelhi
May 2, SundayRajasthan Royals vs Sunrisers Hyderabad3:30 PMDelhi
May 2, SundayPunjab Kings Vs Delhi Capitals7:30 PMAhmedabad
May 3, MondayKolkata Knight Riders vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
May 4, TuesdaySunrisers Hyderabad vs Mumbai Indians7.30 PMDelhi
May 5, WednesdayRajasthan Royals vs Chennai Super Kings7.30 PMDelhi
May 6, ThursdayRoyal Challengers Bangalore vs Punjab Kings7.30 PMAhmedabad
May 7, FridaySunrisers Hyderabad v Chennai Super Kings7.30 PMDelhi
May 8, SaturdayKolkata Knight Riders v Delhi Capitals3.30 PMAhmedabad
May 8, SaturdayRajasthan Royals v Mumbai Indians7.30 PMDelhi
May 9, SundayChennai Super Kings v Punjab Kings3.30 PMBengaluru
May 9, SundayRoyal Challengers Bangalore v Sunrisers Hyderabad7.30 PMKolkata
May 10, MondayMumbai Indians v Kolkata Knight Riders7.30 PMBengaluru
May 11, TuesdayDelhi Capitals v Rajasthan Royals7.30 PMKolkata
May 12, WednesdayChennai Super Kings v Kolkata Knight Riders7.30 PMBengaluru
May 13, ThursdayMumbai Indians v Punjab Kings3.30 PMBengaluru
May 13, ThursdaySunrisers Hyderabad v Rajasthan Royals7.30 PMKolkata
May 14, FridayRoyal Challengers Bangalore v Delhi Capitals7.30 PMKolkata
May 15, SaturdayKolkata Knight Riders v Punjab Kings7.30 PMBengaluru
May 16, SundayRajasthan Royals v Royal Challengers Bangalore3.30 PMKolkata
May 16, SundayChennai Super Kings v Mumbai Indians7.30 PMBengaluru
May 17, MondayDelhi Capitals v Sunrisers Hyderabad7.30 PMKolkata
May 18, TuesdayKolkata Knight Riders v Rajasthan Royals3.30 PMBengaluru
May 19, WednesdaySunrisers Hyderabad v Punjab Kings3.30 PMBengaluru
May 20, ThursdayRoyal Challengers Bangalore v Mumbai Indians7.30 PMKolkata
May 21, FridayKolkata Knight Riders v Sunrisers Hyderabad3.30 PMBengaluru
May 21, FridayDelhi Capitals v Chennai Super Kings7.30 PMKolkata
May 22, SaturdayPunjab Kings v Rajasthan Royals7.30 PMBengaluru
May 23, SundayMumbai Indians v Delhi Capitals3.30 PMKolkata
May 23, SundayRoyal Challengers Bangalore v Chennai Super Kings7.30 PMKolkata
May 25, TuesdayQUALIFIER 17.30 PMAhmedabad
May 26, WednesdayELIMINATOR7.30 PMAhmedabad
May 28, FridayQUALIFIER 27.30 PMAhmedabad
May 30, SundayFINAL7.30 PMAhmedabad
February 27, 2021
vaccine-1.jpg
1min1367

કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:

  • પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
  • બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
  • ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે

રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.

February 2, 2021
taxpay.jpg
5min550

Here are the 10 things individual taxpayers should know:

  1. Interest on employee’s share of contribution to EPF on or after April 1, 2021 will be taxable at the stage of withdrawal if it exceeds Rs 2.5 lakh in any year. This will lead to additional tax liability, especially for HNIs, who make higher contributions, and will also discourage voluntary EPF contributions. Coupled with taxation of aggregate employer’s contributions in excess of Rs 7.5 lakh to EPF, NPS and superannuation fund and interest thereon introduced last year, this may make EPF an even less attractive retirement scheme.
  2. Taxpayers will not be required to estimate their dividend income while making advance tax payments. Advance tax will now be payable only when dividend is declared or paid by the company. This will save payment of interest by taxpayer due to underestimation while paying advance taxes.
  3.  HNI taxation juggernaut rolls on! Proceeds from ULIPs issued on or after February 1, 2021 will be taxable as capital gains if the amount of premium exceeds Rs 2.5 lakh in any year (except when received on death). Where a taxpayer pays premium for more than one ULIP (issued after February 1, 2021) exemption shall apply to thoseULIPs where aggregate premium does not exceed Rs 2.5 lakh.
  4.  Senior citizens get some relief ! Resident senior citizens, aged 75 or above, earning only pension and bank interest income (from the same bank where pension is credited) are not required to file income tax return. On the basis of declaration submitted by such a taxpayer, bank has to compute taxable income and deduct tax thereon
  5. More is better! In addition to salary income, bank accounts, tax payments and TDS details, pre-filled income-tax returns will now also include details of capital gains from listed securities, dividend income, interest from banks, post office etc.
  6. Affordable housing — extension on extension! Tax exemption for affordable housing further extended by 1 year. It will benefit middle-class first-time home buyers who will get enhanced deduction of Rs 1.5 lakh (over and above the existing deduction of Rs 2 lakh) for interest on housing loan for a house valued up to Rs 45 lakh if the loan is taken before March 31, 2022 (earlier March 31, 2021).
  7. Good news for individuals with overseas retirement funds! Central government will announce rules to determine the manner and year of taxability of income from overseas retirement funds opened by a resident taxpayer while he was a residing in a foreign country. This will provide relief from hardship faced on account of double taxation due to mismatch in timing of taxation in different countries
  8. Time limit for filing delayed (belated) / revised income-tax return is reduced by 3 months: last date to file income-tax return now stands at December 31 after the close of tax year. Similarly, timeline for completion of assessment has been reduced by 3 months. While this will reduce the overall tax compliance timelines, it may create practical difficulties for taxpayers with overseas income in claiming tax exemption or relief where such benefit is dependent on tax filing in the other country.
  9. Dispute Resolution Committee (DRC) to be set up to help taxpayers with taxable income of up to Rs 50 lakh, and disputed income up to Rs 10 lakh. All proceedings before DRC to be faceless and jurisdiction-less. This will reduce litigation and provide impetus to small and medium taxpayers to settle disputes at initial stages.
  10. National Faceless Income-tax Appellate Tribunal Centre proposed to be set up for all second-level appeal cases.

October 31, 2020
coronaupdate.jpg
1min673

કોરોના વાયરસના દર્દીઓ એકવાર સાજા થયા પછી બીજીવાર સંક્રમિત થયાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રિકવરી દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

એક વખત કોરોના થઇ ગયા બાદ ફરીથી કોરોના ઇન્ફેકશન થયાના અનેક દર્દીઓ ભારત મળી આવી રહ્યા છે. બીજી વખતનું કોરોના ઇન્ફેકશન જીવલેણ નિવડી શકે તેમ છે. આવી સ્થિતિમાં કોરોના જેમને થઇ ચૂક્યો છે, અથવા જેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમને ખાસ એક્સપર્ટસ જણાવી રહ્યા છે કે વેક્સિન ના આવે ત્યાં સુધી તો જાતે તકેદારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કોરોના રિકવરી બાદ ગાફેલ રહ્યા હતો, પરિસ્થિતિ વધુ વિકટ બની શકે એમ છે.

કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં રિકવરી પછી એન્ટીબોડી વિકસે છે પરંતુ તે ક્યાં સુધી શરીરમાં રહે છે તેની ચોક્કસ માહિતી નથી. એવામાં પોતાની તકેદારી રાખવામાં નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ લોકોને સાવધાની રાખવાની અને રિકવરીને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

કોવિડ-19થી ફરીવાર સંક્રમિત થવાના ક્લિનિકલ પુરાવા મર્યાદિત છે તેમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ફરી સંક્રમિત થવાના વિવિધ અર્થ છે અને આ શા માટે થાય છે તે સમજવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજો થાય છે ત્યારે શરીરમાં વાયરલ લોડ નષ્ટ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીના શરીરમાં ખૂબ નિમ્ન સ્તરે વાયરલ રહે છે અને ફરીથી તેમનામાં લક્ષણો દેખાય છે અને સંક્રમિત કરે છે. જો કે, આ ફરી સંક્રમિત થવાનું સંભવિત કારણ છે.

બીજું સંભવિત કારણ છે કે, શરીરમાં એન્ટીબોડી વિકસે તો પણ તેઓ કાયમી ઈમ્યૂનિટી બનાવતા નથી. સ્ટડી પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી 3-9 અઠવાડિયાના સમયગાળામાં ઓછા થવા માંડે છે.

ICMRના મતે, 100 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ ઘટવા માંડે છે. જો કે, જરૂરી નથી કે કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીમાં એક સરખા પ્રમાણમાં એન્ટીબોડી બને. ઈન્ફેક્શન જેટલું માઈલ્ડ હોય એન્ટીબોડીનો રિસપોન્સ પણ તેટલો ઓછો હોઈ શકે છે. માટે જ કોરોનાથી સાજા થયા પછી પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પરિબળો જણાવીશું જેના કારણે ફરીથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.

તમે એકવાર કોરોનાનો શિકાર બની ગયા છો તેનો અર્થ એ નથી તમને માસ્ક વિના બહાર મુક્તપણે ફરવાનું લાઈસન્સ મળી ગયું છે. લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી મૂંઝારો થતો હોય તેવું લાગે છે પરંતુ તે રેસ્પિરેટરી ડ્રોપ્સ દ્વારા ફેલાતા વાયરસ અને સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવાથી માત્ર કોરોના વાયરસ સામે જ નહીં શિયાળાના મહિનાઓમાં થતાં શ્વાચ્છોશ્વાસના ઈન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે. આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પહેલાની જેમ જ પાલન કરવું. કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ 10 દિવસ સુધી ઘરની બહાર ના નીકળો. હોમ આઈસોલેશન પૂરું થાય પછી પણ થોડો સમય રાહ જુઓ અને પછી જ બીજા લોકો સાથે હળવામળવાનું રાખો.

કોરોના સામે લડ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસે છે પરંતુ માત્ર તેના પર જ નિર્ભર રહેવાથી સુરક્ષિત નહીં રહી શકાય. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરવું, સંતુલિત આહાર લેવો અને સ્ટેમિના વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને કોઈ દવા પ્રિસ્ક્રાઈબ કરી હોય તો તે પણ લેવાની ચાલુ રાખવી. આ બધું કરવાથી કોવિડ-19થી સાજા થયા પછી જોવા મળતાં કેટલાક લક્ષણો સામે લડવામાં મદદ મળશે સાથે જ વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ શરીરના અવયવોને સારી રીતે કાર્યરત રાખવામાં ઉપયોગી બનશે. કેટલીકવાર કોરોનાની સારવાર બે મહિના સુધી ચાલુ રહી શકે છે એવામાં તમે તેને બરાબર પાળો તે જરૂરી છે.

યાદ રાખો કે, કોરોના કઠિન બીમારી છે અને સાજા થઈને નોર્મલ લાઈફમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. કોરોનાના દર્દીને સાજા થયા બાદ પહેલાની જેમ બધું કામ કરવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ભાગદોડમાં રિકવરીને હળવાશમાં ના લેવી. તમને આરામ લાગતો હોય અને રિકવરી પછીના કોરોનાના લક્ષણ ના દેખાતા હોય તો પણ સતર્ક રહેવું હિતાવહ છે. સાજા થયા પછી તરત જ શરીરને વધુ પડતો શ્રમ આપવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તમારા શરીરને રિકવર થવાનો પૂરતો સમય આપો નહીં તો ફરીથી સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.

October 25, 2020
sharadpurnima.jpg
1min833

વર્ષમાં ૧૨ પૂર્ણિમા આવે, તેમાં કાર્તિક, પોષીપૂર્ણિમા, ફાગણ મહિનાની હુતાસનીની પૂર્ણિમા, ચૈત્રીપૂર્ણિમા, વૈશાખીપૂર્ણિમા, શ્રાવણની રક્ષાબંધનની પૂર્ણિમા અને શરદઋતુની શરદપૂર્ણિમા મોટી પૂર્ણિમાઓ છે.

શરદપૂર્ણિમા શરદસંપાત પછી આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં થોડા જ દિવસ પહેલા પ્રવેશ્યો છે, તેમ છતાં આ વખતે સૂર્ય ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે અને ચંદ્ર પણ ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે. તેથી ક્ષિતિજ પર તે બંન્ને થોડા મોટા અને વધુ તેજસ્વી દેખાય છે. તેથી બધી જ પૂર્ણિમાઓમાં શરદપૂર્ણિમા મહારાણી ગણાય છે.

sharad purnima 2020 date and time sharad purnima date and time importance  puja vidhi and story hisd | Sharad Purnima 2020 Date And Time : शरद  पूर्णिमा 2020 में कब है, जानिए

ચોમાસા પછી પૂર્ણપણે સ્વચ્છ આકાશમાં ચંદ્ર પોતાની ચાંદની ફેલાવે છે. માટે આ પૂર્ણિમા વિશિષ્ટ બને છે. ચાંદીના ઢોળ જેવી ચાંદની પૃથ્વી પર પથરાય છે આ કારણે માનવીઓનાં હૈયા હિલોળે ચઢે છે. સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાસાગરોમાં પણ મોટી મોટી ભરતી આવે છે. સૂર્યથી પૃથ્વીનું અંતર વધારે હોતું નથી, અને પૃથ્વીથી ચંદ્રનું અંતર પણ વધારે હોતું નથી. તેથી ચંદ્ર ખૂબ જ પ્રકાશિત લાગે છે. ચોમાસુ ગયા પછી આકાશમાંના ઘણાખરા ધૂલિકણો વરસાદના પાણી સાથે પૃથ્વી પર આવી ગયા હોય છે. માટે આકાશ ક્રિસ્ટલ ક્લીઅર થઇ જાય છે, જેથી ચંદ્ર વધુ દેદીપ્યમાન લાગે છે.

શરદપૂર્ણિમાની બીજી એક વિશિષ્ટતા એ હોય છે કે ચોમાસુ સમાપ્તિના આરે હોવાથી વરસાદની રંગમાં ભંગ પડવાની શક્યતા બહુ ઓછી હોય છે અને હજુ શિયાળો બેઠો નથી હોતો, તેથી રાતે ઠંડીનો ચમકારો પણ હોતો નથી. ઑક્ટોબરના દિવસની ગરમી પછી રાત અતિ સુંદર અને ઠંડી હોય છે. ધીરે ધીરે પવનની લેરખીઓ આવે છે.

ખેતરોમાં પાક સારો થવાનો હોવાથી અને ઉપર દિવાળીનું પર્વ આવવાનું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો હોય છે પછી શિયાળો બેસવાનો હોવાથી શિયાળાના દિવસોમાં પૂર્ણિમા માણી શકાય તેમ હોતું નથી. આ બધા કારણોસર શરદપૂર્ણિમા વિશિષ્ટ પૂર્ણિમા બને છે, અને હિંદુ કૅલેન્ડર પ્રમાણે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા હોય છે. જેમ શરદપૂર્ણિમાની રાત સ્વચ્છ અને ચાંદીના ઢોળે મઢેલી લાગે છે તેમ ૧૫ દિવસ પછી આવનારી દિવાળીની અમાસ તેટલી જ સ્વચ્છ અને કાળી ડિબાંગ લાગે છે. તેમાં ચમકતા તારા અમાસની નવી જ આભા ઉત્પન્ન કરે છે અને તેને દિવ્યતા અને ભવ્યતા અર્પે છે. આસો મહિનાની શરદપૂર્ણિમા અને દિવાળીની અમાસ કુદરતની બે બાજુઓને સ્પષ્ટ કરે છે આ વિરોધાભાસી હોવા છતાં તાર્કિક અને અર્થપૂર્ણ છે. શરદપૂર્ણિમાની રાતે દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. દૂધ, ચાંદની રાત જેવું સફેદ, પૌઆ પણ સફેદ, તેમાં પડતી સાકર પણ સફેદ અને તેમાં પડતી ચાંદની પણ સફેદ આ બધું દૂધ-પૌઆને દૂધામૃત બનાવે છે.

બધી જ પૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો અને શરદપૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો, આપણને પોતાને જ તેની દિવ્યતાની ખબર પડશે. આપણું હૈયું પ્રકાશમય થયેલું જણાશે. શરદપૂર્ણિમાની સાંજે પૂર્વમાં ઉદય પામતા ચંદ્રને જોવાનો આનંદ તદ્ન અનેરો હોય છે. તે હકીકતમાં થોડો મોટો દેખાય છે. એક તો તે ક્ષિતિજ પાસે છે માટે મોટો દેખાય છે, બીજું તે પૃથ્વીની નજીક હોવાથી થોડો મોટો દેખાય છે અને પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ચંદ્ર વધુ પ્રકાશમય અને થોડો મોટો દેખાય છે. કોઇ પણ પૂર્ણિમાએ ચંદ્ર પૂરી રાત સાંજથી સવાર સુધી આકાશમાં રહે છે. સૂર્ય પૃથ્વીનો આત્મા છે તો ચંદ્ર તેનું હૃદય છે. પૂર્ણિમાની રાતે કુદરતની નજાકત અને કરિશ્મા માણવાનો લ્હાવો લેવો જ જોઇએ તે મસ્તિસ્કને તરોતાજા કરે છે, અને મગજને દિવ્ય વિચારો કરવાની ક્ષમતા આપે છે.

આજના જમાનામાં કેટલાક યુવાનો શરદપૂર્ણિમાને આધ્યાત્મિક અને સાત્ત્વિક રીતે માણવાને બદલે મહાસાગર, પહાડો, નદીઓ પૃથ્વી પર પડતી ચાંદનીને નિરખવાને બદલે માદક પદાર્થ પીને અને ખાઇને છાકટા બનેલાં દેખાય છે. આ સમાજની અધોગતિ દેખાડે છે અને દિવ્યતામાં વિકૃતિ દેખાડે છે.

જૂના જમાનામાં કે થોડા દશકા પહેલાંની દેશની નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ-ગરબા જુઓ અને હાલની કોમર્શિયલ નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ જુઓ. હાલ શક્તિની ઉપાસના કરવાને બદલે તેની અવહેલના થતી દેખાય છે. માત્ર દૂષિત મનોરંજનની રાત્રિ દેખાય છે. નવરાત્રિના કે શરદપૂનમના રાસ-ગરબાનો હેતુ જ ખલાસ થઈ ગયો છે. આ કાર્ય થોડા ધંધાર્થીઓએ કર્યું છે અને ઉત્સવ બગાડી નાંખ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રમવા શરદપૂર્ણિમાને પસંદ કરી તે ખૂબ જ બુદ્ધિમત્તાનું કાર્ય કર્યું છે. ગોપીઓને ઘરમાંથી બહાર કાઢી સ્ત્રી-સશક્તિકરણનો દાખલો બેસાડ્યો. શ્રીકૃષ્ણની રાસલીલા દ્વૈતમાંથી અદ્વૈતતાનું રહસ્ય સમજાવે છે. સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. બધાં જ આત્મા છે. આ આત્મા અને પરમાત્માનું મિલન છે. આ બ્રહ્માંડમાં બધે જ રાસ-ગરબા ચાલે છે તે રાસ-લીલા કરી શ્રીકૃષ્ણ ભગવાને આપણને દર્શાવ્યું. દેવાધિ દેવ શંકર ભગવાને પણ તાંડવ નૃત્ય કરી નાદબ્રહ્મ, શબ્દબ્રહ્મ, નૃત્યબ્રહ્મનો આપણને અહેસાસ કરાવ્યો છે. ગ્રહો, સૂર્ય ફરતે રાસ લે છે, ઉપગ્રહો ગ્રહોની ફરતે રાસ લે છે, ઇલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ લે છે. આપણે પણ એકબીજાની ફરતે રાસ જ લઇએ છીએ. આપણી જીભ મુખમાં રાસ લે છે, આપણે ચાલીએ છીએ, તે પણ એક રાસ જ છે. બ્રહ્માંડમાં બધે રાસ જ નજર આવે છે તે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી આપણને દેખાડ્યું છે.

October 23, 2020
siting-1280x720.jpg
1min594
Ladies, avoid sitting for long hours to prevent cancer - health and fitness  - Hindustan Times

પહેલા લોકો મોટાભાગના કામ જાતે કરતા હતા. ખેતી કરવાથી લઇને ભારે સામાન ઉઠાવવાનું કામ લોકો ભેગા મળીને કરી લેતા હતા. આજની લાઇફસ્ટાઇલમાં દરેક કામ કરવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. આનાથી કામ તો સરળ થયું છે, પણ લોકોની શારીરિક કસરત ઓછી થઇ ગઇ છે. બજારમાંથી સામાન ખરીદવો હોય તો હોમ ડિલિવરીનો વિકલ્પ છે. ઘરની નજીક કયાંક જવું હોય તો પણ આપણે ચાલવાને બદલે વાહનમાં જવાનું પસંદ કરીએ છીએ. કોરોનાના સંકટ વચ્ચે હવે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવતા લોકો ઘરે બેસીને ઑફિસનું કામ કરી રહ્યા છે. લોકો ચેર, સોફા અથવા બેડ પર બેસીને કલાકો સુધી કામ કરતા રહે છે. જોકે, તેને કારણે કમર, ખભા વગેરે દુ:ખવા લાગે છે. રાહત મેળવવા માટે તમે નેક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, શોલ્ડર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, લોઅર બેક સ્ટ્રેચિંગ, હિપ સ્ટ્રેચિંગ જેવી કસરત કરી શકો છો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરને નુકસાન થાય છે. એક અભ્યાસ અનુસાર જે લોકો સ્ક્રીનની સામે રોજ ચાર કલાકથી વધુ સમય વિતાવે છે તેમનું મૃત્યુ સામાન્ય લોકોની સરખામણીમાં જલદી થવાનું જોખમ હોય છે.

હૃદય સંબંધિત બીમારી: લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. છાતીમાં દુ:ખાવો અથવા હૃદયનો હુમલો આવવાની શકયતા રહે છે.

શરીરમાં દુ:ખાવો: કલાકો સુધી બેસીને કામ કરવાથી ખભા, કમર, પીઠમાં દુ:ખાવાની સમસ્યા થાય છે. તેનાથી રાહત મેળવવા માટે દરરોજ બોડી સ્ટ્રેચિંગ કરવી જોઇએ.

વજન વધે: કલાકો સુધી ટીવી અથવા લેપટોપ સામે બેસી રહેવાથી શારીરિક શ્રમ ઘટી જાય છે. શ્રમના અભાવે વજન વધી જાય છે

દિમાગમાં ક્ષતિ: એક જ જગ્યા પર બેસીને લાંબો સમય સુધી કામ કરવાથી શરીરની સાથે મસ્તિષ્કને પણ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરવાવાળાઓની મેમરી (યાદશક્તિ) પ્રભાવિત થઇ શકે છે.

ડાયાબિટીઝનું જોખમ: સક્રિય જીવનશૈલીની સરખામણીમાં સુસ્ત જીવન જીવતા લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધુ હોય છે. એક રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી બેઠા રહેનાર લોકોને ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.

પગની નસો ફૂલી જવી: લાંબા સમય સુધી બેસી રહેવાથી પગ પર દબાવ વધી જાય છે, પરિણામે પગની નસો ફૂલી જાય છે. તેને કારણે પગમાં દુ:ખાવાની સમસ્યા થાય છે.

રાહત મેળવવાનો ઉપાય: લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને રહેવાથી થતા નુકસાનથી બચવાનો ઉપાય એ છે કે તમે વચ વચમાં શારીરિક કસરત કરવાનું ચાલુ રાખો. કામ દરમિયાન ૪૦-૪૫ મિનિટ બાદ પાંચ મિનિટનો બ્રેક લઇને થોડું ચાલવાનું રાખો. જો ફોન પર વાત કરવાની હોય તો બેસીને કરવાને બદલે ઊભા થઇને આંટાફેરા મારતા કરો. ઑફિસના કામ કરતી વખતે થોડા થોડા સમયાંતરે બોડી સ્ટ્રેચ કરતા રહો. .

October 23, 2020
navratri.jpg
2min745

ગુજરાતના રાસ-ગરબા, તો દિલ્હીમાં રાવણદહન, બંગાળમાંદુર્ગાપૂજા, દક્ષિણ ભારતમાં શાહી સવારી

વિવિધતામાં એક્તાથી ભરેલા આપણા દેશમાં લોકોની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, પોશાક અલગ અલગ છે, રીતરિવાજો અલગ અલગ છે, પૂજા પ્રાર્થનાની રીત અલગ છે પણ લોકભાવના એક છે. દેશના દરેક તહેવારોનો એક વિશિષ્ટ અને અનન્ય પ્રાદેશિક સ્પર્શ છે અને એની ઉજવણીના અલગ અલગ સ્વરૂપ છે.

વિવિધતાની ઉજવણીનું નવલું ઉદાહરણ છે નવરાત્રી, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે નવ રાત. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન જગતજનની અને શક્તિની દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે વિવિધ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશભરમાં અને વિદેશમાં પણ નવરાત્રીની ઉજવણી જુદી જુદી રીતે ખુશી, ઉર્જા અને ઉત્સાહપૂર્વક ભાતીગળ રીતે કરવામાં આવે છે. દેશના જુદા જુદા રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે એના વિશે જાણીએ.

રાજસ્થાન

નવરાત્રિદરમિયાન દશેરાના મેળા રાજસ્થાનની મુખ્ય ઉજવણી ગણવામાં આવે છે, જ્યાં દરેક ક્ષેત્રના લોકો એકસાથે ઉજવણી કરે છે.

પશ્ર્ચિમ બંગાળ, આસામ અને બિહાર

આ રાજ્યોમાં, નવરાત્રીનો તહેવાર દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે. આ પશ્ર્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર છે. સપ્તમી, અષ્ટમી, નવમી અને દશમ એ નવરાત્રિના અંતિમ ચાર દિવસ છે, જે પૂર્વીય ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાથમાં વિવિધ શસ્ત્રો સાથે દેવી દુર્ગા સિંહ પર સવાર થયેલી દર્શાવવામાં આવે છે. મહિષાસુરની હત્યાને બતાવતા દર્શાવતી દેવી દુર્ગાની ઉત્કૃષ્ટ રચના અને શણગારેલી આકારની માટીની મૂર્તિઓ મંદિર અને અન્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવે છે. આ મૂર્તિઓની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેમનેનદીમાં લીન કરવામાં આવે છે. રાજ્યભરમાં દુર્ગાપૂજા ભવ્ય ધોરણે ઉજવવામાં આવે છે, જેમાં કેટલીક વિશેષ વિધિ કરવામાં આવે છે અને મા દુર્ગાની પ્રાર્થના કરવામાં આવે છે.

પંજાબ

પંજાબમાં નવરાત્રીની ઉજવણી કરવાની એક અલગ રીત છે. નવરાત્રી દરમિયાન, પંજાબની મહિલાઓ તહેવારના પહેલા સાત દિવસ માટે વ્રત રાખે છે, દેવીની પૂજા કરે છે અને જાગરણ (પરંપરાગત વિધિ)માં ભાગ લે છે, જેમાં રાતભર ભજન અને ભક્તિગીતો ગવાય છે. આઠમા દિવસે વ્રત પૂરું થાય છે અને એની ઉજવણી કરવામાં આવે છે, જેમાં નવ કુમારિકાને આમંત્રિત કરી ભોજન કરાવવામાં આવે છે અને એમને દુર્ગા માતાના રૂપમાં પૂજવામાં આવે છે. એને ક્ધયાપૂજન અથવા કંજક કહેવાય છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં દસમા દિવસે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેને કુલુ દશેરા તરીકે ઓળખવામાં આવે છે. એને ભગવાન રામના અયોધ્યામાં પાછા ફરવાનું પ્રતિક માનવામાં આવે છે. તે ઉત્તરમાં નવરાત્રીની ઉજવણીનો એક ભાગ છે અને કુલુ ખીણમાં પ્રખ્યાત છે. આ સમય દરમિયાન ખીણ તેજસ્વી રંગથી દીપી ઉઠે છે. ત્યાં દેવીની મૂર્તિઓ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બિયાસ નદીના કાંઠે લંકાદહનના પ્રખ્યાત પ્રદર્શન પછી કેટલાક નૃત્ય અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે.

દક્ષિણ ભારત

દક્ષિણ ભારતમાં નવરાત્રિ મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને આમંત્રણ આપવાનો સમય છે, જેઓ કોલુને જોવા માટે ભેગા થાય છે, જેમાં વિવિધ ઢીંગલીઓ અને પૂતળાંનું પ્રદર્શન થાય છે. કન્નડમાં આ પ્રદર્શનને બૉમ્બે હબ્બા, તમિલમાં બૉમ્માઇ કોલુ, મલયાલમમાં બૉમ્મા ગુલ્લુ, અને તેલુગુમાં બૉમ્માલા કોલુવુ કહેવામાં આવે છે. નવરાત્રીને કર્ણાટકમાં દશરા તરીકે ઓળખવામાં આવે છે. યક્ષગણ, પુરાણોમાંથી મહાકાવ્યની નાટકોના રૂપમાં પ્રસ્તુતિ કરી નૃત્ય કરવામાં આવે છે. મૈસુરમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મૈસુરના રાજવી પરિવાર દ્વારા શાહી સવારી કાઢવામાં આવે છે અને આ તહેવારને રાજ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. નવમીના દિવસે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ધામધૂમથી આયુધ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને સાથે કૃષિ સાધનો, તમામ પ્રકારના સાધનો, પુસ્તકો, સંગીતનાં સાધનો, મશીનરી અને ઓટોમોબાઈલ્સનેપણ શણગારવામાં આવે છે અને પૂજવામાં આવે છે. દસમો દિવસ ‘વિજયા દશમી’ તરીકે ઉજવવામાં આવે છે. તે કેરળમાં વિદ્યારંભનો દિવસ ગણાય છે, જ્યાં નાના બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવે છે.

આ નવ દિવસ આપણને આરામ કરવા, કાયાકલ્પ કરવા અને આપણા પ્રિયજનો સાથે વધુ સારી રીતે જોડાવા અને જીવનની ઉજવણી કરવામાં મદદ કરે છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં નવરાત્રી સમારોહ નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મહિલાઓ તાંબા અથવા પિત્તળના વાસણ (ઘડા)માં પાણી ભરે છે અને તેને ચોખાના ઢગલા પર મૂકે છે. જે લાકડાના ટેબલ પર મૂકવામાં આવે છે અને તેની બાજુમાં દીવો મૂકવામાં આવે છે. જે જ્ઞાન અને સમૃદ્ધિનો સંકેત આપે છે. ઘડો એ કૃષિ કલ્યાણનું પ્રતીક છે.

ગુજરાત

નવરાત્રીમાં ગરબા અને દાંડિયા તો ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભક્તો માટીના પ્રતિકાત્મક નાના ઘડા (ગરબો)ની ઉપાસના કરે છે. આ ગરબાને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. તેને મધ્યમાં રાખવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. એની આસપાસ ગરબા અને દાંડિયા રમવામાં આવે છે. દાંડિયા એ લોકનૃત્ય છે, જેમાં સ્ત્રીઓ અને પુરુષો બધા હાથમાં બે નાની લાકડીઓ લઇ ગીત-સંગીતના તાલે જૂથમાં પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરે છે.

નવી દિલ્હી

રાજધાનીના શહેર દિલ્હીમાં દુષ્ટ રાવણ પર ભગવાન રામની જીત તરીકે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામલીલા ઉજવવામાં આવે છે અને તેમાં કુંભકર્ણ અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દુષ્ટ અને અસુરી શક્તિ ઉપર સારાઇની જીત તરીકે વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ઉપરાંત, આ નવ દિવસ દરમિયાન વિશેષ પૂજાઓ, ઉપવાસ, ધ્યાન, ગીત અને નૃત્ય થાય છે. અહીં નવરાત્રી પર ભેટો આપવાનો સામાન્ય રિવાજ છે. લોકો મિઠાઇ, કપડાં અને ઉપયોગી વસ્તુઓની ભેટ આપે છે.

August 31, 2020
coronavirus-children.jpg
3min857

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો

MIS-C શું છે ? સમજો પહેલા

Multisystem inflammatory syndrome in children (MISC), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.

એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.

(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી

  • 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
  • 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
  • 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
  • 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
  • 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
  • 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.

વિસ્તારમાં સમજ

જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.

પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.

બીમારીના લક્ષણો શું છે?

  • બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
  • આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
  • આંખો લાલ થવી
  • શરીર પર ચકામા આવવા
  • નબળાઇ લાગવી
  • નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
  • ચીડિયો સ્વભાવ થવો
  • શરીરના ભાગમાં દુખાવો થવો
  • જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?

• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?

• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.

11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.

12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.

13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.

August 31, 2020
shradh-pakshajpg-1.jpg
1min693

પિતૃદોષના નિવારણ માટેનો ઉત્તમ સમય એટલે શ્રાદ્ધ… હિંદુ ધર્મમાં શ્રાદ્ધને બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાદ્રપદ પૂર્ણિમાથી સર્વપિતૃ અમાવાસ્યા સુધીનો ૧૬ દિવસનો સમયગાળો છે; જ્યારે હિન્દુઓ તેમના પૂર્વજને શ્રદ્ધાંજલિ આપે છે, જેને શ્રાદ્ધ કહેવાય છે. બ્રહ્મા વૈવર્ત પુરાણ અનુસાર ભગવાનને ખુશ કરતા પહેલા લોકોએ તેમના પૂર્વજોને પ્રસન્ન કરવા જોઈએ. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા વર્ષભર મળી રહે છે. ઋષિઓનાં મતાનુસાર કહીએ તો મૃત્યુ બાદ જીવાત્મા ચંદ્રલોક તરફ ગતિ કરે છે અને ત્યાંથી પણ આગળ પિતૃલોકમાં જાય છે. આ મૃતાત્માઓને તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવાની શક્તિ પ્રદાન કરવા માટે મરણોત્તર પિંડદાન અને શ્રાદ્ધની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘મહર્ષિ જાબાલિ મુજબ પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે,’ જ્યારે માર્કન્ડેય પુરાણમાં ઋષિ કહે છે ‘શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃઓ શ્રાદ્ધ કર્તાને દીર્ઘાયુ, સંતતિ, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે,’ જ્યારે મહાભારત અનુસાર ‘પિતૃઓની ભક્તિ કરનાર પુષ્ટિ, આયુ, વીર્ય અને લક્ષ્મી મેળવે છે.’ મહર્ષિ સુમન્તુનાં મત અનુસાર ‘સંસારમાં શ્રાદ્ધથી વધુ કલ્યાણકારી માર્ગ બીજો કોઈ નથી માટે બુદ્ધિમાન મનુષ્યે પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ.’ આ વર્ષે પૂર્ણિમા શ્રાદ્ધ ૨ સપ્ટેમ્બરના રોજ થશે, પરંતુ પિતૃપક્ષના તમામ શ્રાદ્ધ ૩જી સપ્ટેમ્બરથી શરૂ થશે જે ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્રાદ્ધ આપણા પૂર્વજોનો આદરનો ઉલ્લેખ કરે છે. આપણે શ્રાદ્ધ પક્ષને લગતી કેટલીક વાતો જાણીએ. જેનું કુટુંબ, પરિણીત હોય કે અપરિણીત, બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, મૃત્યુ પામ્યા છે, તેઓને પિતૃઓ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજો મૃત્યુથી પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. પૂર્વજોને તેમના આત્માની શાંતિ માટે પૂર્વજોને તર્પણ કરવામાં આવે છે. પિતા ખુશ હોય ત્યારે ઘરમાં સુખ શાંતિ આવે છે. પૂર્વજોના યોગ ક્યારે બને છે

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે. પિતૃપક્ષના ૧૫ દિવસ પિતૃઓને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ ભાદ્રપક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્ર્વિન મહિનાની નવી ચંદ્ર સુધી ચાલુ રહે છે. ભાદ્રપદ પૂર્ણિમા જેઓ વર્ષના કોઈપણ પૂર્ણ ચંદ્ર પર મૃત્યુ પામ્યા તેમના માટે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વર્ષની કોઈપણ તારીખે, પરિવારની મૃત્યુની તારીખ તે જ તારીખે કરવી જોઈએ.

જ્યારે શ્રાદ્ધની તારીખ યાદ ન આવે ત્યારે પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને તેમનું પૂજન કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. આપણા કુટુંબનું મૃત્યુ તે તિથીને શ્રાદ્ધની તિથી કહેવામાં આવે છે. ઘણા લોકોને તેમના પરિવારોની મૃત્યુની તારીખ યાદ નથી હોતી, આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈને તેમના પિતાની મૃત્યુની તારીખ ખબર ન હોય, તો આવી સ્થિતિમાં, અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકે છે. તેથી આ અમાવસ્યાને સર્વપિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે. આ સિવાય જો કોઈનું અકાળે અવસાન થયું હોય તો તેનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિ પર કરવામાં આવે છે. તેવી જ રીતે, એવું માનવામાં આવે છે કે પિતાનું શ્રાદ્ધ અષ્ટમી અને માતાનું શ્રાદ્ધ નવમી તિથિ પર કરવામાં આવે છે.