ભાવનગરના અનુભવી તબીબ’ ડો.દિપકભાઇ ગોલવાલકર કોરોનાના દર્દીને સસ્તી, સરળ અને અસરકારક દવા (ખયાવું હયક્ષય બહીય) મિથીલીન બ્લૂના પ્રયોગથી સાજા કરી રહ્યાં છે. આ સારવાર અને તેની’ ઉપયોગીતા વિશે તેની પૂર્વ ભૂમિકા અંગે જાણીએ.
ડો. દિપક ગોલવાલકર કહે છે’
મિથીલીન બ્લ્યૂ દવા નવી નથી. બીજા વિશ્વ યુધ્ધ પહેલાં પણ વપરાતી પરંતુ તેનો ઉપયોગ અને પ્રયોગ નવો છે. ટીબીની ભાવનગર જિલ્લામાં આવેલ કે.જે. મહેતા હોસ્પિટલમાં મેં 12 વર્ષ આ દવાનો પ્રયોગ કરી ટીબીના દર્દીમાં સારા રીઝલ્ટ મળેલા. ત્યાર બાદ માર્ચ 2020માં કોરોનાની શરૂઆત થયેલી તે વખતે આ દવાને ઉપયોગમાં લેતા ઘણા સારા રીઝલ્ટ મળ્યા.
દવા લેવામાં અર્ધી ચમચી જીભ નીચે રાખવાની જેથી તે કોરોનાના ઇન્ફેકશનને દૂર કરશે. શ્વાસ વાટે દવા લેવાથી શ્વાસ નળી શ્વસત તંત્ર, ફેફસામાં જઇને પોતાનું કામ કરશે. સામાન્ય રીતે બીજી દવા લેતા શરીરમાંથી’ કફ છુટો પાડી બહાર કાઢે છે.’ જ્યારે આ દવા સુકી કણીના રૂપમાં ફેરવે છે.
આજે લોકોનું મનોબળ વધારી વ્યાપેલા ડરને મીટાવવાનું કામ જરૂરી છે. સાવચેતી અને નિયમ પાલનની જરૂર છે. આ દવા અને આ પ્રયોગથી વધુને વધુ’ દર્દીઓ લાભાન્વિત કરાય તથા બીજા દર્દીઓ નવા અને તે દિશામાં’ કાર્ય થાય તે બહુ ‘જરૂરી છે.
ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલા ડો. દિપકભાઇ ગોલવાલકરના ક્લિનિકમાં રોજના દોઢસોથી બસ્સો દર્દીઓ આવે છે. જેમાં મોટા ભાગના તો કોરોનાના પીડીત હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સેવા ભાવના અને સદ્કર્મના ઉદ્દેશયથી આ ડોકટર હજુ રોજ અપીલ કરે છે કે આ દવા અને તેની સારવાર પધ્ધતિનો લાભ વધુમાં વધુ લોકો તેવુ એ ઇચ્છે છે. સરકાર અને તંત્ર સાથે મળીને એવુ ગોઠવે કે તેનો લાભ તુરંત અને મોટા પાયે મળે.
કેટલીક જાણીતી હસ્તીઓ, નેતાઓએ આના પ્રયોગ કર્યા છે, ફાયદા મેળવ્યા છે. પણ આ મુદ્દે હજુ વૈજ્ઞાનિક રીતે કોઇ કંઇ કહેતું નથી. આ પ્રયોગની ચકાસણી જરૂર થવી જોઇએ.
આથી સાદી, સસ્તી દવા જો અસરકારક હોય તો સરકાર એને ગંભીરતાથી લે અને લોકોને માર્ગદર્શન આપે. આવા પ્રયોગ’ ડોકટરના નિર્દેશન નીચે થવા જોઇએ.
દિહોરના યુવાન અને અભ્યાસી વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પણ આજે પ્રશંસનીય આરોગ્ય સેવા કરી રહ્યા છે. આયુર્વેદિક વનસ્પતિ ગળો સહિતની દવાનો ઉકાળો, નાસ લેવાનું સુચવે છે. આ દવાના પડીકા ભાવનગર શહેર, દિહોર, સિહોર વગેરે ઘરે ઘરે જઇ મફત આપેલ છે. આ માટે બીલકુલ ન ગભરાવા અને આ દવાથી સાજા થઇ થવાની હિંમત આપી રહ્યા છે.
‘આવા જ ભાવનગર એાપ્થેલમોલોજીસ્ટ આંખના ડો. જગદીપભાઇ કાકડીઆએ ગયા વર્ષના માર્ચ મહિનામાં કોરોનાની સાદી સરળ સારવારના પ્રયોગ કરી બતાવેલ. પરંતુ લોકોને તેનો લાભ ન મળ્યો. પરંતુ આ જ ડોકટરના પ્રયોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલાક તબીબોએ રસ દાખવી પ્રયોગ કરેલ.

કોરોનાની મીથેલીન બ્લુથી સારા રીઝલ્ટ બાદ રશીયાના તબીબે જાણકારી મેળવી 45 જેટલા દર્દી પર પ્રયોગ અને પરીક્ષણ કરી સારા પરિણામ મળેલા. વિશેષ માહિતી, માર્ગદર્શન અને પૂછપરછ માટે ડો. દિપક ગોલવાલકર ફોન નં. (0278) 2424448, મો.63528 17323.
મિથીલીન બ્લ્યૂને WHOની માન્યતા નથી
કોરોનાની સારવારમાં મિથિલીન બ્લ્યૂ કારગત રહેતી હોવાના દાવા સાથે એક દાવો એવો પણ કરવામાં આવે છે કે આ દવાને કોવિડ-19ના ઉપચાર માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ની પણ મંજૂરી મળી છે. જો કે હુ દ્વારા આવી કોઈ જ સત્તાવાર ઘોષણા હજી સુધી થયેલી નથી. જો કે હુ દ્વારા દુનિયા માટે આવશ્યક દવાઓની એક યાદી આપવામાં આવે છે તેમાં મિથિલીન બ્લ્યૂ સમાવિષ્ટ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે હુ દ્વારા કોરોના માટે તે સૂચવાયેલી દવા છે. હા, અમેરિકા સહિતના કેટલાક દેશોમાં આ દવાનો કોરોનાના ઈલાજમાં ઉપયોગ કરવાં માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. તેનાં પરિણામો વિશે હજી સુધી કોઈ ચોક્કસ જાણકારીઓ મળી નથી.















