Alert Archives - Page 91 of 509 - CIA Live

September 19, 2022
Cia_business_news-1280x936.jpg
3min468

કાપડ મંત્રાલયે ગઇ તા.14મી સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં વિશેષતા મળેલી વિશેષ મિટીંગમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ ક્ષેત્રમાં ફાઇબર, ટકાઉ કાપડ, જીઓ-ટેક્સટાઇલ, મોબિલટેક અને સ્પોર્ટ્સ ટેક્સટાઇલના ક્ષેત્રોમાં આશરે રૂ.60 કરોડના મૂલ્યના 23 સ્ટ્રેટેજિક રીસર્ચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ સ્ટ્રેટેજિક રિસર્ચ પ્રોજેક્ટ ‘નેશનલ ટેકનિકલ ટેક્સટાઈલ્સ મિશન (NTTM)ના ફ્લેગશિપ પ્રોગ્રામમાં સમાવિષ્ટ છે.

કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રાલયે મંજૂર કરેલા 23 રિસર્ચ પ્રોજેક્ટ્સમાં, કૃષિ, સ્માર્ટ ટેક્સટાઇલ, હેલ્થકેર, સ્ટ્રેટેજિક એપ્લિકેશન અને રક્ષણાત્મક ગિયર્સમાં એપ્લિકેશન ક્ષેત્રો ધરાવતા સ્પેશિયાલિટી ફાઇબર્સના 12 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. કૃષિ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં એપ્લિકેશન ક્ષેત્રો ધરાવતા સસ્ટેનેબલ ટેક્સટાઈલના 4 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, જીઓટેક્સટાઇલના પાંચ પ્રોજેક્ટ, મોબિલટેકના એક અને સ્પોર્ટટેકના એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

નીતિ આયોગ (સાયન્સ એન્ડ ટેક)ના સભ્યો અને પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર (પીએસએ)એ સંબંધિત મિનિસ્ટ્રીઝ સાથે મીટિંગ માટે ટેકનિકલ ટેક્સટાઈલને લગતા ઈનપુટ્સ આપ્યા હતા. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે સ્ટ્રેટેજિક પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને હેલ્થકેર, ઔદ્યોગિક અને રક્ષણાત્મક ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં એક કદમ આગેકૂચ કરી છે તેવું પ્રતિપાદિત થયું છે. ઉક્ત મિટીંગમાં IIT, સરકારી સંસ્થાઓ અને એનર્જી સ્ટોરેજ, એગ્રીકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિઓ સહિત ભારતીય સંસ્થાઓના વિવિધ અગ્રણીઓએ ભાગ લીધો હતો. ,.

વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટેકનોલોજિસ્ટ્સના આદરણીય જૂથને સંબોધિત કરતી વખતે કેન્દ્રના કપડા મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ અને એકેડેમિયા ભારતમાં ટેકનિકલ ટેક્સટાઈલના એપ્લિકેશન ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસના વિકાસ માટે જરૂરી જોડાણ કરે છે. શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સંકલનનું નિર્માણ જરૂરી છે.”

પીયૂષ ગોયલે ભારતના ટેક્નિકલ ટેક્સટાઈલના ભાવિ વિકાસમાં ટેક્નોલોજી અને સેગમેન્ટના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોના યોગદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ટેક્સટાઇલ મંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં દેશમાં ટેક્નોલોજીકલ ગેપને દૂર કરવાની જરૂર છે. દેશમાં ટેકનિકલ કાપડના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને નિકાસમાં વધારો કરવા માટે ઔદ્યોગિક ક્રિયાપ્રતિક્રિયા અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ જેવી કે પરિષદો, પ્રદર્શનો અને ખરીદનાર-વિક્રેતા મીટિંગો સાથે તકનીકી કાપડમાં સંશોધનના ક્ષેત્રની ઓળખ બની રહેવી જોઇએ.

In English

The Ministry of Textiles cleared 23 strategic research projects worth around INR 60 crores in the areas of Specialty fibres, Sustainable Textiles, Geotextiles, Mobiltech and Sports textiles under the chairmanship of Union Minister of Textiles, Shri Piyush Goyal, on 14th of September 2022. These strategic research projects fall under the Flagship Programme ‘National Technical Textiles Mission.’

Among these 23 Research projects, 12 Projects of Speciality Fibres having application areas in Agriculture, Smart Textiles, Healthcare, Strategic Application and Protective gears were cleared. 4 Projects from Sustainable Textiles having application area in Agriculture and Healthcare Sector were cleared. Also, 5 projects from Geotextile, 1 from Mobiltech and 1 from Sportech were cleared.

Member NITI Aayog (Science & Tech) & Principle Scientific Advisor (PSA) provided inputs pertaining to Technical Textile for the meeting along with Line Ministries. Various leading Indian Institutes including IITs, Government Organizations, and Eminent Industrialists, among others participated in the session which cleared projects strategic for the development of Indian economy and a step in the direction of Atmanirbhar Bharat, especially in the Healthcare, Industrial and Protective, Energy Storage, Agriculture and Infrastructure.

While addressing the esteemed group of Scientists and Technical Technologists, Shri Piyush Goyal said, “Industry and Academia connect is essential for the growth of research and development in the application areas of Technical Textiles in India. Building convergence with Academicians, Scientists and Researchers is the need of the hour.”

Shri Piyush Goyal emphasised on the importance of contributions of technology and segment experts, scientists and academicians to India’s technical textiles future growth.

Shri Piyush Goyal highlighted that the technological gap in the country needs to be addressed in the field of technical textiles. Identification of the area of research in technical textiles with industry interaction and promotional activities like conferences, exhibition, and buyer-seller meet to promote the use of Technical Textile in the country and to increase the exports to be the key focus areas.

September 19, 2022
generic.jpg
1min521

ભારતમાં જેનેરિક દવાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતે તે દવાઓનો એક સલામત અને પરવડે તેવો વિકલ્પ છે. ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઈલર મેડકાર્ટે તાજેતરમાં જ બે સમર્પિત ઓનલાઈન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યા છે, જેમાંથી એક પોર્ટલ છે અને એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે.

દેશમાં લાંબાગાળાની અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ કારણે પરિવારો પર તેનું આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જોકે તેમ છતાં ભારતીય દવાઓના કુલ વેચાણમાં જેનેરિક દવાઓનો માર્કેટ હિસ્સો ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો છે.

એક અભ્યાસ પ્રમાણે કોઈ પણ બીમારી પાછળ થતાં કુલ ખર્ચામાંથી 76% ખર્ચો દવાઓ પાછળ થાય છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 85% પ્રીસ્ક્રિપ્શનોમાં દવાઓના જેનેરિક્સના નામો લખવામાં આવે છે. જ્યારે ભારતમાં ડૉક્ટરો દ્વારા લખી આપવામાં આવતાં પ્રીસ્ક્રિપ્શનોમાંથી માંડ 1% પ્રીસ્ક્રિપ્શનમાં દવાઓના જેનેરિક નામ લખવામાં આવે છે. આ કારણે વિશેષ, સલામત અને પરવડે તેવા જેનેરિક વિકલ્પો અંગે જાગૃતિનો સર્વસામાન્ય અભાવ તેની લોકપ્રિયતા અને તેને મોટા પાયે અપનાવવાને આડે રહેલા મુખ્ય અવરોધોમાંથી એક છે. 

મેડકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2 ઓનલાઈન પ્લેટફૉર્મ ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે. ઉપયોગમાં સરળ એવા આ પ્લેટફૉર્મ પરથી જેનેરિક દવાઓ અંગેની માહિતી મળી રહેશે. તેની મદદથી ગ્રાહકો 99.9% સારવારની 4,000થી વધારે સલામત દવાઓના મોલેક્યુલ્સમાંથી સૌથી પરવડે તેવા વિકલ્પોને સમજીને પસંદ કરી શકશે.

મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તેમના પ્લેટફૉર્મ પરથી કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડના નામથી તેમજ મોલેક્યુલના નામથી પણ દવાઓ શોધી શકશે તથા ફક્ત ક્લિક અને સ્વાઈપ કરીને દરેક દવાની કિંમતો અને તેની સંરચનાની સરખામણી પણ કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ ડાયાબિટીસના દર્દીને સિટાગ્લિપ્ટિન લખી આપવામાં આવી હોય તો, તેઓ આ બ્રાન્ડના નામથી અથવા તેના મોલેક્યુલના નામથી સર્ચ કરી શકે છે તથા તેઓ તેના તમામ ઉપલબ્ધ વિકલ્પો અંગે જાણકારી મેળવી શકે છે અને તેની કિંમતોની સરખામણી પણ કરી શકે છે. તેનાથી ગ્રાહકો સૂચિત નિર્ણયો લઈ શકશે અને તેની ગુણવત્તા પ્રત્યે આશ્વસ્ત રહી શકશે, કારણ કે, મેડકાર્ટ પર રીટેઈલમાં વેચવામાં આવતી પ્રત્યેક જેનેરિક દવા ડબ્લ્યુએચઓ-જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી મેળવવામાં આવે છે.’

September 19, 2022
fakefb.jpg
1min501

વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો

ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.

પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.

ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.

તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.

September 17, 2022
govt-guj.jpeg
1min476

ગુજરાત સરકારે 16/9/22, શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે 17/9/22 શનિવારે સવારે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

September 17, 2022
PM_Modi.jpg
1min577

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાય રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે એ રીતે આજે પણ યોજવામાં આવ્યા છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.

દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે. 

September 15, 2022
Cia_business_news-1280x936.jpg
1min529

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં રેડીયો પર તેજીના ટકોરા, પબ્લિક પ્લેસીસના હોર્ડિંગ પર તેજીના ટકોરા, અખબારોમાં તેજીના ટકોરાની જાહેરાતો જોવા મળી. બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સનું સંગઠન ક્રેડાઇ, સુરત બ્રાન્ચે તેમના ચોથા સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી ફેસ્ટનું કાબિલેતારીફ પ્રમોશન કર્યું. આજે સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા જોવા મળી રહી છે.

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સિટી પ્રોપર્ટ ફેસ્ટ 2022ના ઉદઘાટન પૂર્વે ક્રેડાઇના ચેરમેન રવજીભાઇ મોણપરા, પ્રમુખ સંજયભાઇ માંગૂકીયા, ઉપપ્રમુખ વિજયભાઇ ધામેલિયા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમર રાવલ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

ક્રેડાઇ સુરત એ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના 900 જેટલા સક્રિય ઉદ્યોગપતિઓની બનેલી સંસ્થા છે અને સુરત ક્રેડાઇ તેના ચોથા પ્રોપર્ટી ફેસ્ટીવલનું ઉદઘાટન તા.16મી સપ્ટેમ્બર 2022ના રોજ કરી રહી છે. ક્રેડાઇ સુરતનો પ્રોપર્ટી ફેસ્ટીવલ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.16થી 18 ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના દરેક વિસ્તારોના મળીને અંદાજે 200 જેટલા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. રેસિડેન્સીયલ, કમર્શિયલ, ફાર્મ હાઉસ, ઓફિસ બિલ્ડીંગ, રો હાઉસ, બંગલોઝ વગેરે પ્રકારની પ્રોપર્ટી માટે એક જ છતની નીચે તમામ માહિતી મળી રહે તેવું આયોજન ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા ક્રેડાઇ સુરતના ચેરમેન રવજીભાઇ મોણપરા, સંજયભાઇ માંગુકીયા, વિજયભાઇ ધામેલિયા, અમરભાઇ રાવલ સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં આવનારા દરેક ગ્રાહકને કંઇકને કંઇક મળે તેવું આયોજન છે. પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિને 31મી ઓક્ટોબર સુધીની વેલિડીટી ધરાવતું રૂ.1લાખની કિંમતનું ગીફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. પ્રોપર્ટી ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારા મુલાકાતીઓ માટે છેલ્લા દિવસે આઇ-ટેન મોટરકારનો ઇનામો ડ્રો પણ રાખવામાં આવ્યો છે.

  • પ્રોપર્ટી ફેસ્ટમાં દર કલાકે 10 હજાર રૂપિયાનું ગીફ્ટ હેમ્પર
  • દરરોજ સાંજે 50 હજાર સુધીની ગીફ્ટ
  • મિલકત ખરીદનારને રૂ.1 લાખની રકમનું ગીફ્ટ વાઉચર
  • છેલ્લા દિવસે લકી ડ્રોમાં એક મોટરકારનું ઇનામ

ક્રેડાઇ સુરતના પ્રોપર્ટી ફેસ્ટમાં શું શું હશે

સુરતમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં 200થી વધુ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે. પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેશિફિકેશન, પ્રોજેક્ટ લે આઉટ, પ્રોજેક્ટ લોકેશન તમામ માહિતી ઉપલબ્ધ બનશે. અલગ અલગ જગ્યાની વિઝીટ કર્યા વગર જ એક જ સ્થળે, પ્રોપર્ટી ફેસ્ટમાં એક સાથે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટીંગ, ટેક્ષટાઇલ માર્કેટ વગેરેની માહિતી મળી શકશે.

  • બેંકો તરફથી લોન મળી શકે તે માટે બેંકોના પણ સ્ટોલ્સ
  • નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા
  • ફૂડ પ્લાઝા
September 15, 2022
vipul-chaudhari.jpeg
1min504

– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે. 

વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.

320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત

જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

September 15, 2022
mbbs.jpg
1min648

યુજી મેડિકલ અને પીજી મેડિકલ એમ બંને અભ્યાસક્રમોમાં હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડશે. અન્ય રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ લેવામા આવતા હોઈ ગુજરાતમાં અત્યાર સુધી ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ નીતિ લાગુ ન હતી ત્યારે આ બાબતે સરકારને રજૂઆત કરવામા આવી હતી.જેના પગલે સરકારે આ વર્ષથી બંને ક્વોટામાં સમાનપણે બોન્ડ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે રાજ્યમાં સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલેકે પીજી મેડિકલ કોર્સીસમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવેશ મેળવનાર ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પણ નિયત સમયગાળાની સેવા માટે બોન્ડ આપવાનો રહેશે. આ મુજબની માહિતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઈટ પર દરેક કોલેજો તાકીદે અપડેટ કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારને જાણ કરવાની રહેશે.

મહત્વનું છે કે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા બેઠકો પર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લે છે. ગુજરાતમાં જ કોઈ પણ પ્રકારના બોન્ડની જોગવાઈ પીજી ઓલ ઈન્ડિયા ક્વોટા માટે કરવામા આવી નથી. જેથી ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં નહિવત ફીમાં ભણીને બોન્ડ ભર્યા વિના કે સરકારની હોસ્પિટલોમાં સેવા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યોમાં પરત જતા રહે છે.આ બાબતે કેન્દ્રિય આરોગ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા સરકારી બેઠકોમા પ્રવેશ લેનાર  દરેક વિદ્યાર્થી માટે બોન્ડ નીતિ લાગુ કરવાની માંગ કરવામા આવી હતી.

September 14, 2022
amba-1280x1700.jpg
1min592

શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આ વખતે નવરાત્રી પર એવા સંયોગ બની રહ્યા છે જેના લીધે નવ દિવસનો પર્વ રહેશે અને દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ હોય છે ઘટ સ્થાપના, જેને કુંભ મૂકવો અથવા કળશ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીના (Navratri 2022) પહેલા દિવસે અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ મૂકવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનાથી નવરાત્રી પર માતાની ઉપાસના સફળ અને સિદ્ધિદાયક થાય છે.

અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી શરૂઆત 26 ઓગસ્ટથી થશે. સવારે 3.23 મિનિટથી પ્રતિપદા તિથિ શરૂ થશે. સવારે 7.30 કલાકથી 9 વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. સવારે 6.11થી 7.41 સુધી અમૃત ચોઘડિયું છે. સવારે 9.12 કલાકથી લઈને 10.42 વાગ્યા સુધી શુભ ચોઘડિયું. તેવામાં સવારે 6.11 વાગ્યાથી 7.30 મિનિટની વચ્ચે અને પછી 9.12 વાગ્યાથી 10.42 કલાકની વચ્ચે કળશ સ્થાપના કરવું ખૂબ જ શુભ રહેશે. જો આ વિશેષ શુભ મુહુર્તમાં કળશ ન મૂકી શકો તો અભિજીત મુહૂર્તમાં 11.48 મિનિટથી લઈને 12.36 મિનિટની વચ્ચે ઘટ સ્થાપના કરી શકો છો.

આ વખતે નવરાત્રી પર અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી સવારે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ રહેશે. આ સાથે જ અમૃત સિદ્ધિ યોગ પણ પ્રભાવમાં રહેશે. સૌથી ઉત્તમ સંયોગ એ છે કે હસ્ત નક્ષત્ર આ દિવસે પૂરું થશે. માતા દુર્ગા હાથી પર પોતાના દિવ્ય લોકથી ધરતી પર આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. સ્કંદ માતાને સ્વામી કાર્તિકેયના માતા કહેવામાં આવે છે. તેવી માન્યતા છે કે જે પણ ભક્ત સ્કંદ માતાની પૂજા કરે છે તેમના સંતાનને હંમેશા સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવાથી તમારા સંતાનના તમામ કષ્ટ દૂર થશે અને કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળશે. 2 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જેમાં પૂજા કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાંથી અસુરરુપી ખરાબીઓનો અંત આવશે. પહેલી તેમજ ત્રીજી ઓક્ટોબરે રવિ યોગ થઈ રહ્યો છે. રવિ યોગનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે અને આ શુભ યોગમાં પૂજા કરવાથી તમારા જીવનમાંથી તમામ પ્રકારના અંધકાર દૂર થશે. રવિ યોગમાં મા ભગવતીની પૂજા આરાધના શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે રવિ યોગમાં મા કૂષ્ટામાંડા, મા કાત્યાયની અને મહાગૌરીની પૂજા ભક્તો માટે શુભ ફળદાયી થવાની છે. જો તમારા મનમાં કોઈ પણ મનોકામના બાકી છે તો તેને શુભ તિથિ પર મા ભગવતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો.

September 14, 2022
askre.jpg
1min556

-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. 

મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  • ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના 
  • એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના 
  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની 
  • સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત

મૃત્યુ પામનાર શ્રમિકો :

  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
  • સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​, ઉમર 20 વર્ષ
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ​​​​​​
  • મુકેશ ભરતભાઇ નાયક​​​​​​​,ઉમર 25 વર્ષ​
  • મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ​​​​​​​25 વર્ષ
  • રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ
  • પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ