CIA ALERT
24. April 2024

Related Articles



8/11/22: મંગળવારે કાર્તિક પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ

Share On :
Print Friendly, PDF & Email

આ વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. ભારતના ઘણા શહેરોમાં આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે જ્યારે કેટલાક શહેરોમાં આંશિક ગ્રહણ હશે. 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ સાંજે 5:10 થી શરૂ થશે અને સાંજે 6.11 સુધી ચાલશે. આ પહેલા ગ્રહણનો સુતક સમય સવારે લગભગ 8:10 વાગ્યાથી શરૂ થશે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાનો શુભ સમય 4 વાગ્યાથી સૂર્યોદય સુધીનો છે. જો કે, પૂર્ણ ચંદ્ર સ્નાન સમગ્ર દિવસ દરમિયાન કરી શકાય છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ચંદ્રગ્રહણના કારણે દેવ દિવાળીની તારીખ બદલાઈ રહી છે. ચાલો જાણીએ કે, આ વર્ષે 7 કે 8 નવેમ્બરે કયા દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવશે.

પંચાંગ પ્રમાણે કારતક માસની પૂર્ણિમા 8 નવેમ્બર 2022ના રોજ છે. જો કે, આ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પંડિતોનું કહેવું છે કે, આ વર્ષે દેવ દિવાળી 7 નવેમ્બર એટલે કે, આજે જ ઉજવવામાં આવે તો સારું. કારતક મહિનાની પૂર્ણિમાની તિથિ 7 નવેમ્બરથી એટલે કે આજે સાંજે 4:15 કલાકે શરૂ થઈ રહી છે. પૂર્ણિમા તિથિ 8 નવેમ્બરે સાંજે 4:31 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણના કારણે આજે એટલે કે 7 નવેમ્બરે દેવ દિવાળી મનાવવામાં આવી રહી છે. આ દિવસે દીપ દાનનું વિશેષ મહત્વ છે. આજે દીપદાનનો સમય સાંજે 5.14 થી 7:49 સુધીનો છે.

– કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને નદી કે, તળાવમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. જો ગંગામાં સ્નાન કરવું શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. પુણ્ય સમાન જ મળશે. 

– કારતક પૂર્ણિમાના દિવસે પ્રદોષ કાળમાં નદી, તળાવમાં દીપકનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્તના દિવસે સવારે નદી કે તળાવમાં દીવો પ્રગટાવો અને તેને પ્રવાહિત કરવો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે દીપ દાન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

– કારતક પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવું શુભ ગણાય છે. વાસ્તવમાં જ્યોતિષમાં ચોખાનો સંબંધ ચંદ્ર સાથે જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ ચોખાનું દાન કરવામાં આવે છે.

– કારતક પૂર્ણિમાના દિવસે દીવા પ્રગટાવવા, પૂજા-અર્ચના અને દાન આપવાનું અલગ જ મહત્વ છે. આ દિવસે સવારે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પણ પરમ સુખ મળે છે. આ સિવાય આ દિવસે ઘરના મુખ્ય દ્વાર અને દરવાજા પર આંબાના પાનના તોરણ અને રંગોળી બનાવી શકાય છે.

– દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે પીપળાની પૂજા કરવી અને તેની આસપાસ દીવો પ્રગટાવો. પીપળામાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

– કારતક પૂર્ણિમાના દિવસે ક્યારેય ગરીબ અને અસહાય લોકોનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે મહેમાન અને ભિખારીને ભોજન અને પાણી આપીને જ વિદાય કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :