Alert Archives - Page 69 of 509 - CIA Live

January 4, 2024
cia_multi-1280x1045.jpg
3min1389

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Image

સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે. તદુપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાંથી તા.4 જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યા છે. જે અંગેની સૌથી પહેલી માહિતી સી.આઇ.એ. લાઇવ ચેનલ દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ

  • ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ (CiA Live)
  • જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ (CiA Live)
  • સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ (CiA Live)
  • લવજીભાઇ બાદશાહ – ઉધોગપતિ રિયલ એસ્ટેટ (CiA Live)
  • ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ (CiA Live)
  • પ્રભુજી ચૌધરી (CiA Live)
  • સંજયભાઇ સરાવગી (CiA Live)
  • વિનોદભાઇ અગ્રવાલ (CiA Live)
  • દ્વારકાદાસ મારુ (CiA Live)
  • જગદીશભાઇ પ્રયાગ (CiA Live)
  • સી.પી. વાનાણી (CiA Live)
  • દિનેશભાઇ નાવડીયા (CiA Live)
  • અરજણભાઇ ધોળકીયા (CiA Live)

  • Note: હજુ પણ સુરતના નાગરીકોને સત્તાવાર રીતે અયોધ્યાથી આમંત્રણ પત્રિકા મળી હોઇ શકે અથવા ભવિષ્યમાં મળી શકે છે. જો કોઇને આમંત્રણ મળ્યા હોય અને અમને 98253 44944 પર જાણકારી આપવામાં આવશે તો અમે અહીં તેમના નામ સમાવિષ્ટ કરીશું.
Ayodhya's Ram Temple consecration on this date; 6,000 invitations being  sent out | Latest News India - Hindustan Times

દેશભરમાંથી 6000 લોકોને જ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે

ઉત્તર પ્રદેશના પવિત્ર નગરમાં નવનિર્મિત રામ મંદિરમાં સમારોહ માટેના આમંત્રણ કાર્ડ 6,000 થી વધુ મહેમાનોને મોકલવામાં આવી રહ્યા છે, જેમાં પૂજારીઓ, દાતાઓ અને કેટલાક રાજકારણીઓનો સમાવેશ થાય છે. મંદિરનો શિલાન્યાસ મોદીએ ઓગસ્ટ 2020માં કર્યો હતો.

22 જાન્યુઆરીએ યોજાનાર સમારોહમાં દેશભરના પૂજારીઓ અને સંતો જ નહીં, પરંતુ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ટોચના રાજકારણીઓ પણ ભાગ લેશે.

રામ મંદિરના ભવ્ય ઉદઘાટન સમારોહ પહેલા, ઉત્તર પ્રદેશ સરકાર જાન્યુઆરી 2024માં રાજ્યના મુખ્ય મંદિરોમાં અખંડ રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 14 થી 22 જાન્યુઆરી દરમિયાન પારાયણ કાર્યક્રમો યોજાશે.

હાલમાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

ભગવાન શ્રીરામલલ્લા, સીતા મૈયા, લક્ષ્મણભૈયાની મૂર્તિ તા.22 જાન્યુઆરીએ રામ મંદિરની અંદર ભવ્ય સમારોહમાં સ્થાપિત કરવામાં આવશે, તે દિવસ માટે અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યા રામ મંદિર નિર્માણ

અયોધ્યા વિવાદ પર 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી, કેન્દ્રએ મંદિરના નિર્માણ અંગેના તમામ નિર્ણયો લેવા માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી 5 ઓગસ્ટ, 2020 ના રોજ બાંધકામ શરૂ થયું. રામ મંદિરનું આર્કિટેક્ચર 1988માં અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન પર આધારિત છે, જેમાં 2020માં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, થાઈલેન્ડ ખાસ સાંસ્કૃતિક સંકેતોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રામજન્મભૂમિ પર માટી મોકલી રહ્યું છે. આ કર્મ થાઈલેન્ડની બે નદીઓનું પાણી ભગવાન રામના મંદિરમાં મોકલવાના પહેલાના સંકેતને અનુસરે છે.

January 4, 2024
Cia_business_news-1280x936.jpg
1min496

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૬થી ૮ જાન્યુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાશે

‘સીટેક્ષ એક્ષ્પો’માં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૪’ એ ખરેખર વિકસિત ભારત @ ર૦૪૭ની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇનડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૪’નો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૬ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી એસ.પી. વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ઉદ્‌ઘાટન સમારોહમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા સ્ટોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજન અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. જેની વિવિધ વિશેષતાઓ જોઇએ તો આ હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઇટ (૮.પ)માં ડાયરેકટ મશીન પર સરળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. સાથે જ જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઇ શકે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.

ચેમ્બરના ગૃપ ચેરમેન તેમજ ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ૪૦૦ આરપીએમવાળું તેમજ ર૬૮૮ હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓનું પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલ અને કો–ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી હોલમાં તથા બહાર અલગથી ઉભા કરવામાં આવેલા ડોમમાં ૧૦૦થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પ્રદર્શનના આયોજનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સર્જન અને સોલટેક્ષ ઉપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સુરત વણકર સહકારી સંઘ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, ધી ઉધના ગૃપ વિવર્સ પ્રોડયુસર કો–ઓપરેટીવ સોસાયટી, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, બોમ્બે માર્કેટ આર્ટ સિલ્ક કો–ઓપરેટીવ સોસાયટી, મેરીયોટ સુરત, સત્વ હોસ્પિટલ, એરલીન્ક અને આરકે ઇન્ફ્રાટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.

December 30, 2023
sri-ram.jpg
1min842

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.

December 7, 2023
cia_edu-1280x925.jpg
1min843

જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.

અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ

મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને

  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
  • કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
  • ડાઉટ ક્લાસ શું હોય છે?,
  • વિદ્યાર્થીઓએ શું ભોગ આપવો પડશે?,
  • વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે?,
  • ભૂલકા વિહાર સ્કુલ તરફથી કેવા પ્રકારનું એક્સ્ટ્રા નોલેજ અપાશે?,
  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ સફળતાપૂર્વક પાસ થયા પછી કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો?,
  • ફોરેન જવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
  • વગેરેની માહિતી વિદ્યાર્થીઓના માબાપ, વાલીઓને મળી રહે તે માટે એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટીંગની વિગતો

  • તા.10 ડિસેમ્બર 2023
  • રવિવાર
  • સમય સવારે 8.30 કલાકે
  • સ્થળ- ભૂલકાવિહાર સ્કુલ, પાલ-ભાઠા રોડ, સુરત
  • સંપર્ક નં.0261-2971900 – 89800 08283
November 29, 2023
jee-main-2024.jpg
1min1306

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.

પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.

2024માં જેઇઇ ક્યારે લેવાશે તેનું સંપૂર્ણ સમયપત્રક

જેઇઇ મેઇન્સ પરીક્ષાની પેપર પેટર્ન

જેઇઇ મેઇન્સના ગુજરાતના પરીક્ષા કેન્દ્રો

November 27, 2023
weather-forecast.jpg
1min664

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

November 24, 2023
amns-logo.jpeg
1min712

“બનાઉંગા મેં, બનેગા ભારત” કોમર્શિયલ જાહેરાત સાથે નવા ભારતના વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત – હજીરા, નવેમ્બર 22, 2023:

વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ “બનાઉંગા મેં, બનેગા ભારત” નામની નવી ટેલિવિઝન કોમર્શિય લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ભારતની પ્રગતિ અને તેના વિવિધ કુશળ કાર્યબળ પ્રત્યે સામૂહિક ઉત્સાહ અને ગર્વ પેદા કરવાનો છે, જે દેશના વિકાસને શક્તિ આપી રહી છે.

યુવાનોને આકર્ષિત કરવા અને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત ફિલ્મ તાજેતરના રાષ્ટ્રીય ઉપલ્બધિઓને પ્રતિબિંબિત કરે છે, જે ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે.

AM/NS Indiaની વધતી જતી બ્રાન્ડ વેલ્યુને આધારે, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ બ્રાન્ડ દ્વારા આધારીત, આ પહેલ આ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે AM/NS Indiaની સ્થિતિને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે સ્ટીલના ઉત્પાદન માટે કંપનીના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે જે દેશના સર્વાંગી વિકાસને ચલાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.

શ્રી દિલીપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા ગયા વર્ષના ‘રીઇમેજિનિયરિંગ’ અભિયાનની સફળતાના આધારે, આ નવીનતમ પ્રયાસ નવા ભારતમાં યોગદાન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમૃતકાળના ધ્યેય તરફની તેની સફરમાં, ભારત સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર આગળ વધવા માટે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા સ્ટીલ-સઘન વિકાસને અપનાવી રહ્યું છે. અમે અમારા બ્રાન્ડ વચન ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરવા અને દેશની પ્રગતિનો ભાગ બનવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

આ જાહેરાત ફિલ્મ ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા બનાવવામાં આવી છે અને ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા સેક્ટરમાં ડેન્ટસુ ઈન્ડિયાના એક એકમ iProspect દ્વારા રજૂ કરવામાં આવશે.

આ મનમોહક ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો:

November 24, 2023
praful-panseria.jpg
1min793

સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણ માટે લોક માનસના ધડતર માટે સારા વિચારોની જરૂર છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે. ૨૩મી નવેમ્બર થેન્ક્સગીવીંગ-ડે તરીકે ઉજવાય છે. તેને ધ્યાનમાં રાખી ૩૬ માં વિચારને રજુ કરતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કૃતજ્ઞતાએ જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે, ખરેખર કૃતજ્ઞતાના ભાવમાં ચમત્કારીક શક્તિ રહેલી છે. કૃતજ્ઞતાના સિધ્ધાંત સાથેનું જીવન જ સ્વપ્નો સાકાર કરે છે. તેમણે જણાવ્યું હતું કે હકારાત્મક ઉર્જાથી હદય છલકાયું હોય તો તે વ્યક્તિ વંદનીય હોય છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જો અંતકરણથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવેતો તે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આવે છે. લોઓફ એટ્રેક્શન એ કુદરતના સિદ્ધાંત ઉપર આપનું મન કામ કરે છે. ક્રોધ ઉપરની જીત એજ ખરી જીત છે. ગુણવતા યુક્ત જીવન જીવવા માટે આહવાન સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

|| જમનાબા ભવન ખાતે કાર્યાલય તથા સેવા પ્રવૃત્તિ કેન્દ્રનો પ્રારંભ ||

    શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ, કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે નિર્માણાધીન છે. જમનાબાભવન માં વહીવટી કાર્યાલય અને વિવિધ સેવા પ્રવૃતિઓ માટે માર્ગદર્શન સેન્ટરનો આજથી શુભારંભ થયો છે. રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મુખ્ય નામકરણના દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલિયાના હસ્તે કાર્યાલય અને માર્ગદર્શન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં કારકિર્દી માર્ગદર્શન અને સરકારી યોજનાની જાણકારી વિનામૂલ્યે કોઈપણ ને આપવામાં આવશે. આ પ્રસંગે સિગ્નેચર ગ્રુપના યુવા ઉદ્યોગ સાહસીક હિતેશભાઈ ડી. ધામેલીયાનું દાતાટ્રસ્ટી બનવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ૧૦૦ ના શ્રી નરેન્દ્રભાઈ કુકડિયાએ ન્યુઝીલેન્ડ ખાતે સમાજની પ્રવૃત્તિની સુવાસ પહોંચાડી તથા ડૉ. સુરેશભાઈ જે. બલર દાતા તરીકે સંસ્થા સાથે જોડાયા છે. તે બદલ તેમનું સન્માન કરાયું હતું. તાજેતરમાં જી.પી.એસ.સી. ક્લાસ-૧ પરીક્ષા પાસ કરી (Dysp) ડી.વાય.એસ.પી ના પદ સુધી પહોચનાર કુ. સૃષ્ટિ માંડણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.  
    કામરેજ રોડ ખાતે નિર્માણાધીન જમનાબા ભવનમાં આર.સી.સી. વર્ક પૂરું થવામાં છે. આગામી ૮ માસમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તથા ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથીભવન તૈયાર થઈ જશે. પરંતુ તે પહેલા ગ્રાઉન્ડફલોરમાં વહીવટી તેમજ જરૂરી કામકાજ માટે અને પ્રવૃત્તિઓ માટે કાર્યાલયનો વપરાશ શરુ કરેલ છે. બાંધકામ સમિતિ સુરતના ધીરુભાઈ માલવિયા, શ્રી હરીભાઈ કથીરીયા, શ્રી ભવાનભાઈ નવાપરા અને સંસ્થાના ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રીશ્રી કાંતિભાઈ ભંડેરી તથા ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થેંક્સગીવીંગ-ડે

 દર વર્ષે ૨૩મી નવેમ્બરે યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવા આવે છે. આભારભાવ પ્રગટ કરવો તે એક સદગુણ છે. દર ગુરુવારે યોજાતા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં દર વખતે એક નવા વિચારોનું વાવેતર થાય છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરી યુવાનો સહભાગી અને છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને ધ્યાનમાં રાખી એક નવો વિચાર રજુ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત અને જ્યાં પણ વિચાર વંચાય છે ત્યાં ખુબ સારી હકારાત્મક અસર જોવા મળી છે. સંસ્થાનો ઉદેશ લોકોમાં આરોગ્ય, આર્થિક અને મનની તંદુરસ્તી બાબત જાગૃતિ લાવવા તથા હકારાત્મક વિચાર વાવવાનોનો આ પ્રયાસ છે. તમામ લાગણીની એક અસર થતી હોય છે. ત્યારે આભાર પ્રગટ કરવો એટલે કે કૃતજ્ઞતાની ખુબ જાદુઈ અસર થાય છે. તમાર સ્વપ્ન સાકાર થાય છે અને એટલેજ યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવામાં આવે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવાટીમે વ્યવસ્થા જાળવી હતી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, જાગૃત ભાઈઓ, બહેનો અને યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.

November 22, 2023
Cia_business_news-1280x936.jpg
1min513

સુરત: નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાંકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલ દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે. એનએસઈ રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે. ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ. લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતીકાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે.