ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, ગાંધીનગર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ CETP પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ભ્રષ્ટાચાર મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
આ બેઠકમાં ઘણા જાણીતા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસોસિએશન તરફથી પ્રમુખ શ્રી કમલવિજય તુલસિયાન, SGTPA પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા, શ્રી મહેશભાઈ કબુતરવાળા, શ્રી જે.પી. અગ્રવાલ અને અન્ય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહી.
અતિથિ મહાનુભાવોમાંથી CBIના શ્રી રામ પ્રસાદ (DSP, CBI, ગાંધીનગર), શ્રી નીરજ મલિક (PI, CBI, ACB, ગાંધીનગર), અને શ્રી પંકજ એ પટેલ (PI, CBI, ACB, ગાંધીનગર)એ તેમના અનુભવ અને અભિપ્રાયો શેર કર્યા. ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદાકીય પગલાં અને જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.
CBI, ACB ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના:
જો કોઈ કેન્દ્રીય સરકાર, બેંક અથવા રેલ્વેના ઓફિસર/કર્મચારી, લાંચ માંગે,પોતાનો પદનો દુરુપયોગ કરી નાજાયઝ આર્થિક લાભ મેળવે અથવા પોતાની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે, તો CBI, ACB ગાંધીનગરને તરત જ જાણ કરો.
સેતુ ફાઉન્ડેશન નું એક ડેલિગેશન ચેરમેન શ્રી હેતલ મેહતા ના નેજા હેઠળ યુરોપ ના ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ગયું હતું. જેમાં સેતુ ફોઉન્ડેશન ના ડિરેક્ટર શ્રી પંકજ ત્રિવેદી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તેમજ સેતુ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ શ્રીમતી વિજયા માહેશ્વરી તેમજ સી આઈ આઈ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ અને ડિરેક્ટર શ્રી અનિલ પાંડે સામેલ હતા.
ફ્રાન્સ ખાતે ફ્રાન્સ ઇન્ડિયા બિઝનેસ ડે નીમ્મીતે ભારત-ફ્રાન્સ વેપાર સંવાદમાં સક્રિય ભાગીદારી કરી બંને દેશોના વચ્ચે વેપારિક સહકારને પ્રોત્સાહન આપી નવા રોકાણના અવસરો માટે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઘણા નવા વેપોરો ની શક્યતા ઉદ્ભવી હતી.
ત્યાર બાદ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આયોજિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૨૪ ના લોન્ચ પ્રોગ્રામ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં દુનિયા ભર ના વિવિધ ઇનોવેશન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્ય ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર વિવિધ દેશો દ્વારા ચર્ચા થઇ હતી જેમાં સેતુ ફોઉન્ડેશન ના ચેરમેન દ્વારા ભારત દેશ ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે “આ ભારત માટે ગર્વનો ક્ષણ છે, ગ્લોબલ ઇનોવશન ઇન્ડેક્સમાં ભારતનું સામેલ થવું એ આપણા દેશના ઇનોવેશન અને ટેકનીકી ક્ષમતા વધારવાની શક્તિનું પુરાવો છે.
ત્યાર બાદ યુનિટેડ નેશન ના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ના એકેડમિક વિભાગ જોડે સ્પેશ્યલ મિટિંગ કરી ભારત ખાતે નાના ઉદ્યોગકારો માટે ના લોકલ ભાષા માં સ્પેશ્યલ કોર્ષ ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.
સેતુ ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભારતીય વેપારી સમુદાય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને પણ મજબૂત બનાવશે। ગયા કેટલાક વર્ષોમાં, ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે।
સેતુ ફાઉન્ડેશનનો આ પ્રવાસ ભારતના ઇનોવેશન ક્ષેત્રમાં એક માળખાકીય પાયે લક્ષ્ય બનશે અને આ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. 2024માં, ભારતની ઇનોવેશન ક્ષમતા ને વધુ ઊંચાઈઓ પર લઇ જવાનો લક્ષ્ય છે, અને આ સંકેત છે કે ભારત વૈશ્વિક ઇનોવેશન ના ફિલ્ડ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્ર પોલીસ- રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન ચેતવણી : કોઈ કોર્ટ વીડિયો કોલથી ધરપકડ કરતાં નથી
સીબીઆઈ, પોલીસ, કસ્ટમ, ઈડી કે કોઈ કોર્ટ લોકોની વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતાં નથી. ડિજિટલ ડિટેન્શન એક ફ્રોડ છે. આ ફ્રોડ દ્વારા લોકોને ધમકાવી મોટી રકમ પડાવી લેવાય છે તે સામે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. દેશમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સંદર્ભમાં સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન દ્વારા એક પબ્લિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ૧૯૯૭ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો- મહારાષ્ટ્રમાં એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવતા વિશ્વાસ નાંગરે-પાટીલે લોકોને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂક કરતા એક વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફ્રોડસ્ટરો વિવિધ સરકારી એજન્સીઓ જેવીકે ઇડી, સીબીઆઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો, સાયબર પોલીસ કોર્ટના જજ આદીના નામે તેમને વીડિયો કોલ કરે છે. જેમાં પોલીસના યુનિફોર્મમાં એક અધિકારી તમારા નામે ગુનો નોંધાયો છે અને તમારું એરેસ્ટ વારંટ બહાર પડયું છે તેવા વિવિધ કારણો આપી તમને ડરાવી મૂકે છે. ફ્રોડસ્ટરો એવું ગપ્પું ચલાવે છે કે તમારા નામે મોટા પાયે મની લોન્ડરિંગ થયું છે. અથવા તમે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અથવા તમે તમારા મોબાઇલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીક ક્લિપ્સ મોકલી છે તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવું જણાવી અમારા ઉપરી અધિકારીઓ તમને કોલ આવશે તેવું જણાવવામાં આવે છે.
ત્યાર બાદ ફ્રોડસ્ટરો ખરેખર કોઇ અધિકારી હોય તેમ યુનિર્ફોર્મમાં તમને વીડિયો કોલ કરે છે અને તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે તેવું તમને જણાવી તમારા સામે ઘણી ફરિયાદ થઇ છે અને ઘણા વોરંટ બહાર પાડવામાં આવ્યા છે તેથી આ બાબતથી બચવું હોય તો અમને કો-ઓપરેટ કરો તેવું કહેવામાં આવે છે. આબાબતે તમારા પરિવારજનોને કાંઇ જણાવતા નહીં તેવી સલાહ આપી તેઓ તમારા જે બેંક એકાઉન્ટ દ્વારા મની લોન્ડરિંગ થયું છે તે એકાઉન્ટ દ્વારા અમૂક રકમ મગાવવામાં આવે છે જે ‘ફંડ લીગલાઇઝેશન પ્રોસેસ’ માટે જરૂરી છે જેથી તમારા એકાઉન્ટમાંથી ખરેખર અંડર વર્લ્ડે તો કોઇ મનીલોન્ડરિંગ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. આવું જણાવી બેન્ક ખાતાની તમામ ગુપ્ત વિગત મેળવી તમારું તમામ ખાતું ખાલી કરી દેવામાં આવે છે.
આ સિવાય અમૂક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ, એફ.ડી., શેર આદીની વિગત મેળવી તે પણ અન્ય એકાઉન્ટમાં ટ્રન્સ્ફર કરાવી નાંખે છે તેથી આવા ફોન કોલ, વીડિયો કોલ પર કોઇ ધ્યાન ન આપવાની વિનંતિ કરી હતી.
આ વીડિયોમાં નાંગરે પાટીલે જણાવ્યું છે કે જો આવું કાઇં થાય છે તે તેવા કિસ્સામાં સત્વરે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર તમારી ફરીયાદ નોંધાવી દયો જેથી ‘ગોલ્ડન અવર’માં તમારા પૈસા જે ખાતામાં ટ્રાન્સ્ફર થયા છે તેને ‘ફ્રીઝ’ કરી દેવાય અને તમારી પરસેવાની કમાણીને બચાવી શકાય, આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સહિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર પર નિયમ ફોર્મેટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી એલર્ટ રહેવાની લોકોને અપીલ કરી છે.
સાયબર ઠગોએ છેલ્લો થોડા સમયમાં ડિજિટલ એરેસ્ટની ધમકીથી લોકો પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા પડાવ્યા છે. યુપીમાં ડિજિટલ એરેસ્ટથી ભય પામી એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત પણ નોંધાયું છે.
કેન્દ્ર સરકારની સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન કમિટીએ પણ પબ્લિક એડવાઈઝરીમાં સાફ સાફ જમાવ્યું છે કે સીબીઆઈ, પોલીસ, ઈડી, કસ્ટમ કે કોઈ જજ પણ આ રીતે ડિજિટલ એરેસ્ટ કરતા નથી વીડિયો કોલથી કોઈ ધરપકડ થતી નથી. ઠગો સ્કાઈપ કે વ્હોટસ એપ જેવાં માધ્યમોનો દુરુપયોગ કરી વીડિયો કોલથી ધરપકડ થયાનું દર્શાવી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે તે સામે સાવચેત રહેવા જણાવાયું છે.
મુંબઈ પોલીસે પાંચમી ઓકટોબરના એક જ દિવસમાં સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર આવેલી ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા અધિકારીઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે નિર્દોષ લોકો પાસેથી પડાવેલી લગભગ એક કરોડથી વધુની રકમ ફ્રોડસ્ટરોના હાથમાં જાય તે પહોલા જ બચાવી લીધી હતી.
મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’
હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?
મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.
પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.
ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.
જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.
પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.
IITમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચને સૌથી વધુ ચોઇશ, કોર બ્રાન્ચિસ પણ પ્રવેશાર્થીઓની પ્રથમ પસંદગી
પાછલા વર્ષોની જેમ, 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs)માં સૌથી વધુ લોકપ્રિય અભ્યાસક્રમો કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ છે. જોઈન્ટ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી (JIC) રિપોર્ટ 2024માં જોઈન્ટ એડમિશન બોર્ડ (JAB) દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ ચાલુ વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગને તેમની ઇચ્છિત શાખા તરીકે પહેલી પસંદ કરી હતી.
કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) એ IIT ના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક રહી છે. તાજેતરના JIC અહેવાલોમાં પણ સમાન પેટર્ન દેખાય છે. ડેટા મુજબ, 2024માં કુલ 4,30,238 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ માટે અરજી કરી હતી, જે આશરે 12 ટકા (ગત વર્ષે 3,82,296 થી) 2022માં 3,99,642 અને 2021માં 3,86,360નો વધારો છે. જો કે, એ ફક્ત 2020 માં નોંધાયું હતું જ્યારે આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની પસંદગી કરનારાઓની સંખ્યા 4 લાખ 30 હજારને સ્પર્શી ગઈ હતી.
અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો આલેખ છે. અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.
મિકેનિકલ એન્જિનિયરિંગ પણ આ વર્ષની સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક છે જેમાં 3,18,477 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 2019 માં, મિકેનિકલ એન્જિનિયરીંગ બ્રાન્ચ માટે ઉમેદવાર પસંદગીની સંખ્યા 2,97,817 હતી, જે પછી 2020 માં તીવ્રપણે વધીને 3,37,115 થઈ ગઈ હતી, પરંતુ 2021 માં લોકપ્રિયતામાં મોટો ફટકો પડ્યો જ્યારે તે ઘટીને 2,52,906 થઈ ગયો. 2022 અને 2023 (2,76,384)માં લોકપ્રિયતા (2,78,629)માં થોડો સુધારો જોવા મળ્યો હતો.
આ વર્ષે બીજી લોકપ્રિય શાખા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 2024માં 3,12,631 વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો. 2024 પહેલાં, તે માત્ર 2020માં જ હતું જ્યારે આ એન્જિનિયરિંગ શાખામાં રસ દર્શાવનારા ઉમેદવારોની સંખ્યા ત્રણ લાખ (3,38,352)ને પાર કરી ગઈ હતી. 2023 માં, કુલ 2,86,966 વિદ્યાર્થીઓએ EE માં રસ દર્શાવ્યો હતો. 2022 માં, કુલ 2,80,724 અને 2021 માં 2,80,724 ઉમેદવારોએ તેમની ઇચ્છિત શાખા તરીકે EE મૂકી હતી. 2019માં પણ આ આંકડો ત્રણ લાખ (2,92,267)ને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો.
અહીં 2019 થી 2024 સુધી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (EE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યાને રજૂ કરતો ગ્રાફ છે.
રોગચાળા પછી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. JIC ના અહેવાલો મુજબ, 2019માં સિવિલ એન્જિનિયરિંગ માટે ઉમેદવારોની પસંદગીની સંખ્યા 2,15,651 હતી, જે પછી 2020માં ઘટીને 241096 થઈ ગઈ અને 2021માં તે ઘટીને 1,82,000 થઈ ગઈ. જો કે, તે પછી 2022માં વધીને 198620 થઈ ગઈ, પરંતુ 2020માં તે વધીને 198620 થઈ ગઈ. 2023 માં ફરીથી (1,95,248 સુધી)
અહીં 2019 થી 2024 સુધી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.
CSE માં, સૌથી વધુ લોકપ્રિય IIT એ IIT બોમ્બે છે જ્યાં આ વર્ષે કુલ 25,481 પસંદગીની ગણતરી નોંધવામાં આવી હતી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સમાન વલણ જોવા મળ્યું હતું જ્યાં 19,469 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેના ME પ્રોગ્રામમાં રસ દર્શાવ્યો હતો.
જો કે, IIT દિલ્હી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે વધુ લોકપ્રિય બન્યું કારણ કે 21,855 વિદ્યાર્થીઓએ ભારતની રાજધાનીમાં સ્થિત આ IITમાંથી આ ચાર વર્ષના પ્રોગ્રામને અનુસરવામાં રસ દર્શાવ્યો હતો. સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે દિલ્હી પણ લોકપ્રિય હતું કારણ કે 15,122 વિદ્યાર્થીઓએ આ IITમાં રસ દાખવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, JIC રિપોર્ટ 2024માં IIT (BHU) વારાણસી, IIT હૈદરાબાદ, IIT કાનપુર અને IIT રૂરકી પછીના ક્રમે IIT પટના આ વર્ષની ‘બધા અભ્યાસક્રમો માટે ઉમેદવારોની પસંદગીની ગણતરી’ની યાદીમાં સૌથી વધુ લોકપ્રિય તરીકે દેખાઈ હતી. જો કે, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સંસ્થાની લોકપ્રિયતા નક્કી કરતું નથી, કારણ કે આ વધુ કે ઓછી સંખ્યામાં બેઠકો, કાર્યક્રમો અને અન્ય વિવિધ પરિબળોના સંયોજનને કારણે પણ હોઈ શકે છે.
મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.
MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.
“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.
ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.
સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.
હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.
હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.
90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઊભા છે અને તેમાથી 101 મહિલા છે તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે.
હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.
શ્રી નિરવ માંડલેવાલાને FICCI CMSMEના સુરત ( ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપાઇ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના વર્ષ ર૦ર૪–રપના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI CMSME (કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ)ના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે વરણી કરાઇ છે. FICCI – CMSMEના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે શ્રી નિરવ માંડલેવાલાને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.
ડિસેમ્બર ર૦૧૩માં સ્થપાયેલી કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) એ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની એક સંલગ્ન સંસ્થા છે, જે ભારતના ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખાય છે. આ સંસ્થાનો હેતુ ભારતીય MSMEsને સક્ષમ બનાવવા અને તેમની સ્પર્ધાત્મકતા વિકસાવવા માટેનો છે.
આ સંસ્થા સુક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ કરવાના હેતુથી તેઓને મેન્ટર્સ, ઇન્કયુબેટર્સ અને એકસેલરેટર્સ સાથે જોડવાનું કામ કરે છે. એમએસએમઇઝને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમએસએમઇ ક્ષેત્રની કાર્યક્ષમતા પર અસર કરે તેવી નીતિ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને તેઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમજ અન્ય સંબંધિત વિભાગો તથા બેંકોને રજૂઆતો કરવામાં આવે છે.
કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) દ્વારા એમએસએમઇઝને સરકારી યોજનાઓથી તથા ગ્લોબલ ટ્રેન્ડથી માહિતગાર કરવા માટે વિવિધ વર્કશોપ્સ, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ મિટીંગો કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આ સંસ્થા દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને જાન્યુઆરી ર૦રપમાં ગુજરાત એમએસએમઇ સમિટ– ર૦રપનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.