CIA ALERT

Alert Archives - Page 478 of 519 - CIA Live

September 5, 2018
funds.jpg
1min5830

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min9390

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from

 

September 5, 2018
congress.jpg
1min8710

Jayesh Brahmbhatt 98253 44944

 

સિનિયર કોંગ્રેસી નેતા શ્રી બાબુભાઈ રાયકાને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા બાદ આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રોજ પહેલો પબ્લિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા શ્રી અસદ કલ્યાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૬/૯/૨૦૧૮ ગુરુવાર ના રોજ બપોરે ૩:૩૦-કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડૉ. બાબા આંબેડકર પ્રતિમા, માન દરવાજા, રિંગ રોડ, સુરત ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં રોજેરોજ વધતા પેટ્રોલ ડિઝલના ભાવો ડામવામાં નિષ્ફળ નિવડેલી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર દેખાવો યોજવામાં આવશે.

કોંગ્રેસ ના તમામ કાર્યકરમિત્રોએ હાજર રહેવા વિનંતી. શ્રી બાબુભાઇ રાયકા (પ્રમુખ_સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ)

September 5, 2018
Ravi_chaav.jpg
3min11710

A well known Educational Personality of Surat CA Ravi Raghav Chhawchharia

“No deserving student should ever be deprived of an opportunity to get educated and build a successful life merely because of financial disability.” This has been the most prominent motto of my life and today, on Teacher’s day, I want to share with you my extremely dear and visionary project – CA STARS.

‘CA STARS’, is the dream of my life, the mission of my life – India’s only wholistic free CA education program for the talented but financially weak aspirants.

From my very first year, I have always provided free education to financially underprivileged students, who are talented and have strong desire to learn.
Many of such past students are today successful professionals and working well in practice and industry.

Later on, I increased the number of such beneficiary students and designed a structured and dedicated program for them which came to be known as – CA STARS to enable them to compete one of the most toughest exams of the country.

Under CA STARS, a written analytical test is conducted across Gujarat and Rajasthan, in which students from cities, small towns and villages appear.
The selected students are interviewed and a visit to their residence is conducted.

They are then provided complete free education for full 4 years of CA course along with free accommodation and food in Surat. They are given special attention and facilities.

No sort of donations or financial assistance is taken from anyone.

Under CA STARS, six months before, out of 38 students, 27 passed and in recent exam out of 34 students, 24 passed the CA Intermediate(IPCC) exam.

Thus, last year, out of total 72 students, 51 passed the CA Intermediate exam and are now continuing Final.

Selection to CA STARS is not just based on Merit, but on the will power and inner potential of the student.
In coming years, we will increase such students and will select them from across India.

Regards,
RaviRaghav Chhawchharia

September 5, 2018
prafuldoshi.jpg
1min14440

Contact for more information  98253 44944

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતા ગાયનેક તબીબી વર્તુળ ગણાતા સુરતના મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી સામે ગઇ મધરાત્રે પરણિતા સાથે દુષ્કર્મ કર્યાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

અઠવાલાઇન્સ પોલીસમાં એક પરણિતાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ અનુસાર પરણિત મહિલા પુત્ર પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે નાનપુરા ડક્કા ઓવારા નજીક આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ડો. પ્રફુલ દોશી પાસે ગઇ હતી. જ્યાં ડો. પ્રફુલ દોશીએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરીયાદમાં નોંધાવાયું છે. ડો. પ્રફુલ દોશીએ તેણીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પરણિતાએ પોલીસને જણાવ્યું કે મંગળવાર તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ એ જ્યારે ડો. દોશીની હોસ્પિટલમાં ગઇ હતી ત્યારે પહેલા તેણીને ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. એ પછી પરણિતાને ડો. પ્રફુલ દોશીની ચેમ્બરમાં લઇ જવાઇ હતી જ્યાં ડો.પ્રફુલ દોશીએ નર્સિંગ સ્ટાફને ચેમ્બરની બહાર કાઢી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરણિતાની ફરીયાદને પગલે પોલીસે મધરાત્રે ડો. પ્રફુલ દોશી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરીયાદ દાખલ કર્યા બાદ આજે તા.5મી સપ્ટેમ્બર 2018ના રોજ સવારથી જ ડો. પ્રફુલ દોશી ગાયબ જણાયા હતા. તેમનો મોબાઇલ ફોન પણ બંધ હતો અને તેઓ હોસ્પિટલ પર પણ ઉપલબ્ધ ન હતા. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં અઠવાલાઇન્સ પોલીસની ટીમ નાનપુરા ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં તપાસ માટે ગઇ હતી જ્યાં સ્ટાફે પણ ડો. પ્રફુલ દોશી સવારથી હોસ્પિટલ આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.

 

September 5, 2018
dollarvsrupeee.jpg
1min6270

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની ચિંતાએ રૂપિયો 37 પૈસા ગબડીને 71.58ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં ઉછાળાને પગલે રૂપિયામાં સતત પાંચમા સેશનમાં ઘટાડો થયો છે.

ઇન્ટર બેન્ક ફોરેન એક્સ્ચેન્જ (ફોરેક્સ)માં ડોલર સામે રૂપિયો અગાઉના 71.21ના બંધ ભાવ સાથે 71.24એ ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે તેમાં થોડી રિકવરી આવી હતી અને 71.09ના ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો. આ પછી ભારે વોલેટિલિટી સાથે સેશનના અંતે 37 પૈસા અથવા 0.52 ટકા ગબડીને 71.58ના ઐતિહાસિક નીચા સ્તરે બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને 79.26ના ઊંચા સ્તરે પહોંચતાં ફોરેક્સ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

સરકારે જણાવ્યું હતું કે રૂપિયામાં ઘટાડા માટે ઘરેલુ પરિબળો જવાબદાર નથી. રૂપિયો તેની મેળે સ્થિર થશે. વૈશ્વિક વેપારયુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. રૂપિયામાં ઘટાડો અને ક્રુડના ભાવમાં વધારાની બેવડી અસરને કારણે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

આર્જેન્ટીના પેસો, તુર્કીશ લીરા, સાઉથ આફ્રિકન રેન્ડ, બ્રાઝિલિયન રૂપિયાહ જેવી અન્ય ઊભરતા બજારની કરન્સી પણ તૂટી રહી છે. વિશ્વનાં અગ્રણી ચલણો સામે ડોલર ઇન્ડેક્સ વધીને 95.44એ ટ્રેડ થતો હતો.

September 5, 2018
hyderabad_twin_blasts.jpg
1min11460

હૈદરાબાદના બે અલગ-અગલ વિસ્તારમા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચી ગઇ હતી. એક બોમ્બ વિસ્ફોટ ગોકુલ ચાટ વિસ્તાર અને અન્ય વિસ્ફોટ લુંબીની પાર્કમાં થયો હતો.

હૈદરાબાદમાં 25 ઓગસ્ટ 2007માં થયેલા બે વિસ્ફોટ કેસમાં એનઆઇએની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં અનિક શફિક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષી ગણાવ્યા છે જ્યારે બે આરોપીઓને નિર્દોષ મુક્ત કરાયા છે. આ કેસના પાંચ આરોપીઓ પૈકી એક ફરાર છે જેની સુનાવણી તેમજ બે દોષીતોને સજાની સુનાવણી સોમવારે કરાશે.

આ હુમલો 25 ઓગસ્ટ 2007ના રોજ હૈદરાબાદના લુમ્બિની પાર્ક અને ગોકુલ ચાટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બોમ્બ વિસ્ફોટના આ કેસને ચાલુ વર્ષે જૂન મહિનામાં નામપલ્લી કોર્ટમાંથી કરી ચેરલાપલ્લી મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જજ શ્રીનિવાસ રાવે 7 ઓગસ્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપવા માટે 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. જોકે, આ દિવસે ચુકાદો આવ્યો નહોતો. આ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોએ 25 ઓગસ્ટે આની 11મી વરસી મનાવી હતી. આ ઘટનાની તપાસ તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજેન્સ(સીઆઇ)એ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

 

September 5, 2018
hardik-1280x720.jpg
1min5940

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

September 5, 2018
jp2-1280x720.jpg
1min7400

જાપાન પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભૂકંપ અને વાવાઝોડા જેવી મુસીબતોનો સામનો કરતું આવ્યું છે. આવી જ એક કુદરતી આફત જાપાનના પશ્ર્ચિમી ભાગ પર ત્રાટકી છે. સમુદ્રમાં આવેલા ‘જેબી’ નામના આ ચક્રવાતી તોફાને જાપાનને ફરી એકવાર મુસીબતમાં મૂક્યું છે. આમાં છ જણનાં મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઈ છે. આ તોફાનમાં હવાની ઝડપ લગભગ 162 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ છે, જેના લીધે દરિયામાં મોટી લહેરો ઊઠી હતી. અનુમાન છે કે હવાની ઝડપમાં હજુ વધારો થશે. આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી અપાઇ છે.

જાપાનના ઈતિહાસમાં છેલ્લા પચીસ વર્ષમાં ત્રાટકનારું આ સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું છે. પશ્ર્ચિમ જાપાનમાં વાવાઝોડાના તોફાની પવનને લીધે ઘણાંને ઇજા થઈ હતી. આ ઉપરાંત ક્યોટો સ્ટેશનમાં ઘણાં કાચ તૂટી ગયા હતા. 11.9 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે.

જાપાનના ક્ધસાઇ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા હવાઇ સેવાઓ રદ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 600થી વધારે ફલાઇટ્સને રદ કરવામાં આવી હતી. ઓસાકા અને હિરોશિમા વચ્ચેની લોકલ હાઇસ્પીડ ટ્રેન સેવાઓને હાલમાં બંધ કરી દેવાઇ હતી. ઓસાકાના પ્રવાસી સ્થળ યુનિવર્સલ સ્ટુડિયોના થીમ પાર્કને બંધ રાખવામાં આવ્યો હતો.

જાપાનની રાજધાની ટોકયોમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. ‘જેબી’ નામનું આ ચક્રવાત આ સિઝનનું 21મું તોફાન છે, જે જાપાન સાથે ટકરાઇ રહ્યું છે. કોરિયાઇ ભાષામાં જેબી ચક્રવાતનો મતલબ ‘ગળી જવું’ એવો થાય છે. આશંકા છે કે પશ્ર્ચિમી જાપાન સાથે ટકરાયા પછી આ તોફાન વધારે ભયાનક સ્વરૂપ લેશે. હાલમાં આ તોફાન હોનશૂ આઇલેન્ડ તરફ વધી રહ્યું છે. જે પછી તેને નબળું પડવાની સંભાવનાઓ છે. જાપાન સરકારે રાજધાની ટોકયોમાં જેબી તેથી સૌથી મજબૂત સ્થિતિમાં ટકરાવાની ચેતવણી આપી હતી. ટોકયોમાં હાલ ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના અહેવાલ મળ્યા છે.

જાપાનમાં દર વર્ષે ઘણા તોફાનો આવે છે. વિતેલા મહિનાઓમાં જાપાનમાં આવેલા પૂરમાં 200થી વધારે લોકોના મોત થયા હતા. હાલમાં સરકારે 1500 શિબિરો લગાવી છે. સુરક્ષાનાં કારણોથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

September 5, 2018
Drrupal.jpg
1min7520

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.