CIA ALERT

Alert Archives - Page 432 of 519 - CIA Live

December 22, 2018
d8.jpg
2min17060
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
gst.jpg
1min5590
  • 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
  • 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
  • ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
  • સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
  • રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18  જીએસટી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.

આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.

જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.

December 22, 2018
oyster_hotel.jpg
1min6490

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઓયસ્ટર હોટલ કે જ્યાંથી તા.21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસે 21 દારુ પીધેલી મહિલાઓને ઝડપી પાડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ઓયસ્ટર હોટલ કે જ્યાં દારુની પાર્ટી ચાલી રહી હતી એ ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં કશુંક રંધાયું હોવાની વાતોએ વેગ પકડ્યું છે.

શહેરની માલેતુજાર મહિલાઓને હોટેલ જેવા પબ્લિક પ્લેશમાં દારુની ખુલ્લેઆમ પાર્ટી અને એ પણ ડી.જે.ના મ્યુઝિકના સથવારે કરવા દેવાની પરવાનગી આપનાર ઓયસ્ટર હોટેલના સંચાલકો આ કેસમાં પણ પોતાનું નામ ન આવે તે માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે તા.21મી ડિસેમ્બર 2018ના રોજ માલેતુજાર મહિલાઓને દારુની પાર્ટી કરવાની ઓયસ્ટર હોટેલના સંચાલકોએ બિન્ધાસ્ત રીતે છૂટ આપી એવી જ રીતે આ હોટેલમાં છાશવારે દારુની મહેફિલો જામતી રહે છે, હોટેલના સંચાલકો મોટી રકમ વસુલ કરીને તમામ વ્યવસ્થા કરી આપતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

21 દારુ પીધેલી મહિલાઓ ઝડપાવાના કેસમાં ઉમરા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ઓયસ્ટર હોટેલમાં આ પ્રકારની પાર્ટી ખુલ્લેઆમ ચાલી રહી હતી, મહિલાઓ વ્હીસ્કી, દારુ અને વાઇન ઢીંચી રહી હતી, ખુલ્લેઆમ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું આમ છતાં ઓયસ્ટર હોટેલના સંચાલકોએ પાર્ટી કેમ ચાલવા દીધી, ઓયસ્ટર હોટેલમાં આ પાર્ટી માટે બુકિંગ કોણે કરાવ્યું હતું, કેટલા રૂપિયા લઇને દારુની પાર્ટી કરવા દેવામાં આવે છે વગેરેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાય તેમ છે.

પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયસ્ટર હોટલ અગાઉ પણ ગોરખધંધા માટે બદનામ થઇ ચૂકી છે. ઇલિગલ કપલ્સ માટેનું આ મિટીંગ સ્થળ ગણાય છે, એ સિવાયના ધંધાઓ પણ થતા હોવાની ગંભીર ફરીયાદો હોવા છતાં પોલીસે હજુ સુધી ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અગાઉ તા.29મી ડિસેમ્બર 2015ના રોજ ઉમરા પોલીસે ઓયસ્ટર હોટેલમાં ગેરકાનૂની રીતે ચાલી રહેલા હુક્કાબાર પર રેડ પાડીને તેના એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. એ વખતે પણ ઓયસ્ટર હોટેલના સંચાલકો યેનકેન પ્રકારે કાયદાની ચુંગાલ માંથી છટકી ગયા હતા.

સુરતની ઓયસ્ટર હોટલમાં 29મી ડિસેમ્બર 2015ના રોજ હુક્કાબાર પર પોલીસે રેઇડ કરી હતી. અહીં જીતેન્દ્ર ઠાકુર નામના કર્મચારીને હાજર કરીને તેની સામે કેસ કરાયો હતો. અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમયે છપાયેલા સમાચારની લિંક પ્રસ્તુત છે

https://timesofindia.indiatimes.com/city/surat/New-Year-crackdown-Hookah-bars-raided/articleshow/50388873.cms

December 22, 2018
CIA_Live_Logo_New2.jpg
1min9180

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે સુરત શહેરમાં બે સ્થળોએ ચાલી રહેલી મહિલાઓની શરાબ પાર્ટીમાં પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી પાડી. પહેલો કેસ હાઇપ્રોફાઇલ અને બીજો કેસ મિડલ ક્લાસનો હતો. માલેતુજાર મહિલાઓને ઉમરા પોલીસે બ્લડ સેમ્પલની કાર્યવાહી બાદ ઘરે જવા દીધી અને સગરામપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા મિડલ ક્લાસ કેસમાં અઠવા પોલીસે 4 મહિલા સમેત 14ને આખી રાત લોકઅપમાં રાખ્યા હતા. પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાને કેસ આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે કેવા પગલાં ભરવામાં આવે છે

ઉમરા પોલીસની ઓઇસ્ટર હોટેલમાં રેડ કેસ, અહીંથી હાઇપ્રોફાઇલ માલેતુજાર મહિલાઓ ઝડપાઇ હતી, જેને બ્લડ સેમ્પલ લીધા બાદ ઘરે જવા દેવાઇ, રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી

હાઇપ્રોફાઇલ કેસમાં પીપલોદ સ્થિત ઓઇસ્ટર હોટેલમાં પોલીસ કમિશનરની સીધી સૂચનાથી ઉમરા પોલીસે પાડેલી રેડમાં શહેરના કહેવાતા ખાનદાન ઘરાનાઓની 21 જેટલી મહિલાઓ દારુનો નશામાં ધૂત ઝડપાઇ જવા પામી હતી. પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ માટે મોકલી આપી હતી. દારુના નશામાં ઝડપાયેલી શહેરના કરોડોપતિ પરિવારોની મહિલાઓના બ્લડ સેમ્પલ લેવાઇ ગયા પછી આશ્ચર્યજનક રીતે ઉમરા પોલીસે મહિલાઓને ઘરે જવા દીધી. રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી. સ્થળ પર ઉપસ્થિત લોકોએ મહિલાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાની ફરીયાદો કરી હતી. પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસે હાઇપ્રોફાઇલ કેસમાં દારૂ પીને ઝડપાયેલી મહિલાઓ પરત્વે કયા કારણથી સોફ્ટ કોર્નર રાખીને ઘરે જવા દીધી એ તપાસનો વિષય બન્યો છે.

Video 01

Video 02

અઠવા પોલીસ મથકે સગરામપુરા ખાતે ચાલી રહેલી દારુની મહેફિલમાં રેડ પાડીને 5 મહિલા સમેત 14ને પકડ્યા હતા, બ્લડ સેમ્પલ લીધા બાદ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી અને રાત્રે તમામને લોકઅપમાં જ રાખવામાં આવ્યા હતા

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે જ શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં પોલીસે દારુની મહેફીલ પર રેડ પાડીને કુલ 14 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસે દારુ પીને ઝડપેલા 14 પૈકી 5 મહિલાઓ હતી. તમામને નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ અપાવડાવ્યા બાદ અઠવા પોલીસે પોતાના લોકઅપમાં મૂકી દીધા હતા. અઠવા પોલીસે રાત્રે જ દારૂની મહેફિલ અંગેની એફ.આઇ.આર. નોંધી દીધી હતી. અને 5 મહિલાઓ સમેત કુલ 14 ની ધરપકડ પણ બતાવી દીધી હતી.

ઉમરા અને અઠવા પોલીસ મથકની કામગીરીમાં એક જ વિરોધાભાસ, દારુબંધીના નિયમો બન્ને પોલીસ મથકના અલગ અલગ કેમ

ઉપરોક્ત બન્ને કેસમાં વિરોધાભાસ એ જ છે કે સુરત શહેરની હદમાં બનેલા આ બન્ને કેસ પૈકી ઉમરા પોલીસે માલેતુજાર મહિલાઓને રાત્રે ઘરે કેમ જવા દીધી એ પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્યમાં દારુબંધીનો કાયદો સમાન છે, પોલીસ કમિશનરની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસના દારુબંધીના કાટલા કેમ અલગ. ઉમરા પોલીસની શંકાસ્પદ ભૂમિકા હવે છૂપી રહી નથી. પીપલોદની ઓયસ્ટર હોટલમાંથી ઝડપાયેલી મહિલાઓને વીઆઇપી ્ટ્રીટમેન્ટ આપવાના મુદ્દે વગોવાઇ ગયેલી ઉમરા પોલીસ કયા સંજોગોમાં માલેતુજાર મહિલાઓને ઘરે જવા દીધી એનો જવાબ સંભવતઃ પોલીસ કમિશનર માગશે તો તમામ રહસ્યો ઉજાગર થઇ શકે તેમ છે.

December 22, 2018
LRB-lokrakshak-constable-2018.jpg
1min5390

સમય બપોરના 3 વાગ્યાનો બદલીને સવારે 11નો કરાયો

પરીક્ષા પૂર્વે જ પેપર લીક થઇ જતા ગઇ તા.2જી ડિસેમ્બર 2018ના રોજ છેલ્લી ઘડીએ રદ કરાયેલી લોકરક્ષક (પોલીસ જવાન) ભરતીની પ્રવેશ પરીક્ષા હવે તા.6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. આ અંગેની હોલ ટિકીટ જારી કરી દેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો જે હવે સવારે 11નો કરી દેવામાં આવ્યો છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીક્ષા આપનારા ઉમેદવારોને મુસાફરી ભથ્થું આપવાની કરેલી જાહેરાતનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં હોલ ટિકીટમાં કરવામાં આવ્યો નથી.

સ્પર્ધકના રહેઠાણના જે તે જિલ્લામાં કે તાલુકામાંના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર હોય નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાના બદલે ભૂલનું પુનરાવર્તન કરી ફરીથી તેઓને અગાઉના સ્થળે જ 200 થી 400કિમી.દૂર  મોકલી પરીક્ષા આપવા મજબૂર કર્યા છે. જેઓને કોલ લેટરમાં અગાઉનો માથે પડેલો ભાડાખર્ચ કે હવે ચૂકવવા પડનારા બીજા ભાડાદર ચૂકવવાની ભરતી બોર્ડે કોઈ સૂચના આપી નથી કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ આવવા-જવાના બસભાડા આપવાનું કે તેઓએ ચુકવેલ ભાડું પરત આપવાની જાહેરાત કરેલી જેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. એટલે સ્પર્ધકોએ વહેલી સવારે નીકળી  ઠંડીભરી સવારમાં 8-30 કલાકે જે તે કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું છે અને 10:30 પછી પ્રવેશ પ્રતિબંધ છે.

પરીક્ષાર્થીઓનું એવું કહેવું છે કે અમને જે તે પરીક્ષા કેન્દ્રમાં જ ઓછામાં ઓછા 1000 રૂપિયાની તક્ષણ રાહત ચૂકવવાના આદેશ રાજ્ય સરકારે કરવા જોઈએ, નહીંતર પરીક્ષા પૂરી થયા બાદ સરકારી તંત્ર ટલ્લે ચડાવશે. બીજી ડિસેમ્બરના રોજ જે તે શાળા-કેન્દ્ર  આચાર્યને બે દિવસના મળી પંદરસો રૂપિયા સુપરવાઇઝરને 375 અને પાણી- પટાવાળાને  રૂ.225 લેખે ચુકવણું કરેલ જે ખર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ  ફરી ચૂકવવાના થશે.

December 22, 2018
shangani_solanki.jpg
1min5900

રાજ્યમાં છેલ્લા 19 વર્ષોથી ચાલી રહેલા ભાજપાના શાસનમાં દાયકાઓ અગાઉ થઇ ચૂકેલા કૌભાંડોના હાડપિંજર હવે બહાર આવી રહ્યા છે. એક પછી એક કૌભાંડો બહાર નીકળશે. તાજેતરમાં મત્સ્ય વિભાગમાં થયેલા રૂ.400 કરોડના જંગી કૌભાંડની વિગતો સપાટી પર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે એક પૂર્વમંત્રી દિલિપ સંઘાણી અને એક વર્તમાન મંત્રી પુરુષોત્તમ સોલંકી બન્નેને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. વાંચો ફુલ સ્ટોરી અહીંયા.

400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે હાઇકોર્ટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ દિલિપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને ઝટકો આપ્યો છે. રાજ્યસરકારના પ્રધાન પુરુસોત્તમ સોલંકી અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને હાઇકોર્ટે 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોના તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બન્ને કોન્ટ્રક્ટરો પર કેસ ચાલી રહ્યો છે જેને લઇને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલિક ફગાવીને હાઇકોર્ટે બન્ને નેતાઓને 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. પરિણામે આ બન્ને નેતાઓ સામે હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

  • રૂ.400 કરોડની જંગી રકમના મત્સ્ય કૌભાંડની સિલસિલાબદ્ધ વિગતો

  • ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી
  • ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો
  • વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા
  • મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો
  • ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • મહત્વનું છે કે, 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઇ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવી હતી. આ બન્ને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટના આધારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે હાઇકોર્ટે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને રાહત આપવાની ના કહી દીધી છે.
  • મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી
  • દિલીપ સંઘાણીએ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચર્ચા જગાડનાર આ ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો. જેમાં વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા પરંતુ મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો. ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા.

આ સમયે કૃષિ અને મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણી હતા. તેમણે રાજ્યકક્ષાના પ્રધાને નિયમ વિરુદ્ધ આપેલા કોન્ટ્રાક્ટમાં સુપરવિઝન કરવાની જવાબદારી નિભાવવાના બદલે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું એટલું જ નહીં પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેમણે આ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

December 22, 2018
rajiv_gandhi-1.jpg
1min10260

૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોને ધ્યાનમાં રાખતાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને એનાયત કરવામાં આવેલો ભારત રત્નનો ઇલકાબ પાછો લેવાની માગણી કરતી દરખાસ્તને દિલ્હીની વિધાનસભાએ મંજૂરી આપી હતી.

AAPના વિધાનસભ્ય જરનૈલ સિંહે રજૂ કરેલી દરખાસ્ત વૉઇસ વોટથી પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દિલ્હીની રાજ્ય સરકારે ગૃહમંત્રાલયને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવવું જોઈએ કે રાષ્ટ્રીય રાજધાનીના ઇતિહાસમાં સૌથી વધારે ક્રૂર હત્યાકાંડના પીડિતો હજી ન્યાયથી વંચિત છે. રાજ્ય સરકારે ડોમેસ્ટિક વાયલન્સના કાયદામાં માનવતાવિરોધી કૃત્યો અને હત્યાકાંડોનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ અને જરૂરી પગલાં લેવાં જોઈએ.’ દિલ્હી હાઈ કોર્ટે સિખવિરોધી રમખાણોના કેસમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમાર તથા અન્યોને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો.

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખવિરોધી રમખાણોના બચાવમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોઈ વિશાળ વટવૃક્ષ તૂટે ત્યારે સ્વાભાવિક રીતે જ આસપાસની જમીન ધ્રૂજે છે. ઇન્દિરાજીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. તેમને ૧૯૯૧માં ભારત રત્નનો ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો હતો. અગાઉ હરિયાણાના આરોગ્યપ્રધાન અનિલ વિજે ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો માટે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારને આજીવન કેદની સજાના ચુકાદાને બિરદાવતાં રાજીવ ગાંધીને મરણોત્તર સજાની માગણી કરી હતી. વિજે એ રમખાણો માટે મરણોત્તર સજારૂપે રાજીવ ગાંધીને આપવામાં આવેલાં સન્માનો, ઇનામો, પારિતોષિકો અને ઇલકાબો પાછાં લેવા અને જે યોજનાઓ, સ્ટેશનો, માર્ગો, વસાહતોને તેમનું નામ આપવામાં આવ્યું હોય એ બધાનાં નામો બદલવાની માગણી કરી હતી.

ખરેખર BJPની B ટીમ દિલ્હી વિધાનસભાએ પસાર કરેલી દરખાસ્ત બદલ કૉન્ગ્રેસે AAP સરકારની ટીકા કરી હતી. કૉન્ગ્રેસના નેતા અજય માકને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીએ દેશ માટે જીવન કુરબાન કર્યું હતું. તેમના માટે આવી માગણી કરવી ગેરવાજબી છે. ખ્ખ્ભ્નો અસલ ચહેરો આ દરખાસ્ત દ્વારા પ્રકાશમાં આવ્યો છે. હું માનતો હતો કે AAP હકીકતમાં BJPની B ટીમ છે. BJPને મદદ કરવા માટે જ AAPએ ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતાર્યા હતા.’

December 22, 2018
vaccine.jpg
1min6600

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 22, 2018
governement_spying.jpg
1min5980

 

  • ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ
  • ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું
  • 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે
  • કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે

સરકારે 10 કેન્દ્રીય તપાસ ઍજન્સીને કોઇપણ કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાની, તેના પર નજર રાખવાની અને તેની સાંકેતિક ભાષા ઉકેલવાની સત્તા આપતો આદેશ શુક્રવારે બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે આ સત્તાનો ગેરકાયદે ઉપયોગ રોકવા આમ કરાયું છે તેમ જ માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારા અને ટૅલિગ્રાફ ઍક્ટમાં સંબંધિત જોગવાઇ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે

નિવેદનમાં જણાવ્યું હતું કે 20મી ડિસેમ્બર 2018ની રાત્રે બહાર પડાયેલા નવા આદેશમાં કોઇ સલામતી કે તપાસ ઍજન્સીને નવી સત્તા નથી અપાઇ. આમ છતાં, વિપક્ષો સરકારના આ પગલાંના વિરોધમાં એકત્ર થયા છે અને તેને જનતાના મૂળભૂત અધિકાર અને ગુપ્તતા ધારાનો ભંગ ગણાવ્યો હતો.

સરકારે બહાર પાડેલા આદેશ મુજબ 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે. આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે.

ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ છે.

તેણે જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાના, તેના પર નજર રાખવાના અને તેની સાંકેતિક માહિતી ઉકેલવાના દરેક કૅસમાં કેન્દ્રના ગૃહ સચિવની કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 4 અને ટૅલિગ્રાફ ઍક્ટની જોગવાઇ મુજબ તપાસ ઍજન્સીઓને આ સત્તા અપાઇ હોવાનો સરકાર દાવો કરે છે.

સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારોના સંબંધિત વિભાગોને પણ 2009ના માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ આ સત્તા અપાઇ જ છે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 22માંની જોગવાઇ મુજબ માહિતી આંતરવાના, નજર રાખવાના કે સાંકેતિક માહિતી ઉકેલવાના બધા કૅસ કૅબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની સમીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવા જરૂરી છે. આ સમિતિની બેઠક દર બે મહિને ઓછામાં ઓછી એક વખત મળવી જોઇએ. રાજ્ય સરકારોના કિસ્સામાં આવા કૅસની સમીક્ષા સંબંધિત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિ કરશે.

ઇન્ટૅલિજન્સ બ્યુરૉ, નાકૉર્ટિક્સ ક્ધટ્રૉલ બ્યુરૉ, એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરેટ, (આવકવેરા વિભાગ માટે) સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ, ડિરૅક્ટરૅટ ઑફ રૅવૅન્યુ ઇન્ટૅલિજન્સ, સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન, નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી, રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ, (જમ્મુ અને કાશ્મીર, ઇશાન ભારત અને આસામના સર્વિસ ઍરિયામાં) ડિરૅક્ટરેટ ઑફ સિગ્નલ ઇન્ટૅલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનર મળીને 10 તપાસ ઍજન્સીને સંબંધિત સત્તા અપાઇ છે.

December 21, 2018
fogwa-1.jpg
1min11860

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કર્યા પછી કોઇ દાદ નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુદ્દો લઇ જવાની ધમકી ઉચ્ચારનાર ફોગવાના અશોક જીરાવાળા એન્ડ કંપની હવે ફરીથી પી.એમ. મોદીના શરણે આવી છે. 22મી ડિસેમ્બર 2018ના રોજ મળી રહેલી GST કાઉન્સિલની બેઠકમાં વિવર્સની અંદાજે રૂ.600 કરોડની ક્રેડિટ પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.

GST ક્રેડિટનો મુદ્દો હકીકતમાં વિવર્સ ફેડરેશનના નેજા હેઠળ લડત ચલાવી રહેલા અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશિષ ગુજરાતી એન્ડ કંપની અવૈચારિક પગલાઓને કારણે વકર્યો છે. ભાજપાના સ્થાનિક આગેવાનો ખાસ કરીને નવસારીના એમ.પી. શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની દરમિયાનગીરી અને કેન્દ્રના કેટલાક મંત્રીઓની ભલામણ બાદ વિવર્સ અને પ્રોસેસર્સ બન્ને મળીને રૂ.1500 કરોડની GST ક્રેડિટ અંગેનો પ્રશ્ન ઉકેલાય જવાની તૈયારીમાં હતો. પરંતુ, બરાબર એ જ સમયે ધીરજ ગુમાવી ચૂકેલા ફોગવાના આગેવાનો પૈકી અશોક જીરાવાળાએ એવું નિવેદન આપી દીધું કે ભાજપાના નેતાઓથી કશું નહીં થાય તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવું પડશે.

જાણકારો કહે છે કે અશોક જીરાવાળાના આ જ વાણી વિલાસને પગલે હજારો વિવર્સને કનડતો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થતા રહી ગયો. ભાજપી નેતાગીરીએ ગંભીર નોંધ લઇને વિવર્સને આ મુદ્દે લટકાવી રાખ્યા. આ બાબત સાથે એ પૂર્વે અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની કરેલી હરકત પણ જોડાઇ જવા પામી હતી અને વિવર્સનો પ્રશ્ન તેમના જ આગેવાનોના અપરિપક્વ વર્તનને કારણે આજે પણ ટલ્લે ચઢી રહ્યો છે.

હવે ફોગવા ફરીથી પી.એમ. નરેન્દ્ર મોદીના દરબારમાં ક્રેડિટનો પ્રશ્ન ઉકેલી આપવા ગુજારીશ કરી રહ્યું છે. હકીકતમાં ફોગવાની આ લેખિત ગુજારીશ પી.એમ. સુધી શું દિલ્હી સુધી પણ પહોંચે તો બસ છે. કેમકે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના લેટરહેડ પર વડાપ્રધાનને ઉદ્દેશીને હાથથી લખાયેલા પત્રમાં કોઇપણ જાતના રેફરન્સ, અગાઉની રજૂઆતો ટાંક્યા વગર લખાયો છે. એવું સ્પષ્ટ જણાય આવે છે કે વડાપ્રધાનને નહીં ફક્તને ફક્ત મિડીયામાં માઇલેજ લેવા માટે આ પત્ર લખાયો છે.

વડાપ્રધાનને ફોગવાના લેટર હેડ પર આ પ્રકારે પત્ર લખાયો

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતી અને તેમની કંપની દ્વારા ભરાયેલા આ પગલાંઓને કારણે સમગ્ર વિવર્સ આલમે સહન કરવું પડી રહ્યું છે

  • સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની હરકત
  • ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા નેતાગીરીને ધમકાવવા માટે રાહુલ ગાંધીના નામની હૂલ આપવાની હરકત
  • કારખાનેદારોના સંગઠન ફોગવામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઘૂસાડવાની હરકત
  • નક્કર નહીં પણ ઉપજાવી કાઢેલી આંકડાકીય માહિતીઓ રજૂ કરવાની અપરિપક્વ હરકત

પરીણામ શું આવ્યું

  • ફોગવા જેવા વિશાળ સંગઠનને સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાએ કોર્નર કરવી પડી
  • કોંગ્રેસને ક્રેડિટ આપવાની પેરવી થતાં રાજ્ય સરકારે રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ ન આપ્યો
  • ટેક્સટાઇલ પોલિસીમાં વિવર્સના પ્રશ્નો ફોગવા પાસેથી નહીં પણ અન્ય સંગઠનો, આગેવાનો પાસેથી સરકારે સાંભળ્યા
  • ફોગવા એ બિનરાજકીય સંગઠન છે એવી છાપ ભૂંસાઇ અને કોંગ્રેસનું લેબલ લાગવા માંડતા ભાજપના નેતાઓએ સહાનુભૂતિ દાખવવાનું છોડી દીધું

હવે શું થશે

  • હવે શું થશે એવી કલ્પના કરવી સરળ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ડ્રાફ્ટ થઇ રહેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતોને પ્રાધાન્ય અપાશે
  • પ્રોસેસર્સનો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થઇ જાય તો નવાઇ નહીં, પણ ફોગવાના આગેવાનોને કારણે સમગ્ર વિવર્સ આલમે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા 
  • અશોક જીરાવાળા, મયુર ગોળવાળા અને આશીષ ગુજરાતી એન્ડ કંપની દ્વારા ફોગવામાં ઘૂસાડવામાં આવેલા ડર્ટી પોલિટીક્સને કારણે હવે ભવિષ્યમાં ફોગવાના જેન્યુઇન પ્રશ્નોને પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે.
  • ફોગવાની રજૂઆતો સાચી અને નક્કર હશે તો પણ તેના પર રાજકારણનું લેબલ લગાડીને તેને ક્રેડિટ નહીં મળવા દેવાય