ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત
14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા

સૌરાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ઠંઠીમાં સ્વાઇન ફલૂનો કેર યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉતરાયણના દિવસે સ્વાઇન ફલૂથી ત્રણ લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા.
સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કેર વતાવ્યો હોય તેમ એક દિવસમાં ત્રણ લોકોના સ્વાઇન ફલૂના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે ત્રણ લોકોનો મોત નીપજ્યા હતા. રાજકોટના મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું તેમ જ ધાગધ્રાના એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન ત્રણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા. તેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગઇ તા.13મી જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું હતું.
મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમ જ અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હૉસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.




















