CIA ALERT

Alert Archives - Page 400 of 512 - CIA Live

March 8, 2019
modi_in_kashi.jpg
1min6100

વડાપ્રધાન મોદી ફરી એક વાર તેમના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે, તેમણે કાશી વિશ્વનાથ કૉરિડોરની આધારશીલા સ્થાપી

કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજે મારું સૌભાગ્ય છે કે જે સપનું વર્ષોથી જોયું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામમાં આજે ભોળાનાથની મુક્તિનું પર્વ છે. ચારે તરફ દીવાલોથી ઘેરાયેલા ભોલેબાબાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમને વિશાળતાનો અનુભવ થશે. હું આ કૉરિડોર બનાવવા માટે જે લોકોએ તેમની જમીન આપી છે તેમનો પણ આભાર માનું છું. સાથે જ યોગી આદિત્યનાથની સરકારનો પણ આભાર માનું છું. જેમણે ઘણા ઓછા સમયમાં આ કાર્યને પૂર્ણ કર્યું.

March 7, 2019
she1-1280x720.jpg
1min6960

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

और अंत में उन मर्दो के लिए जिसकी हंमेशा पत्नी से फाइट होती रहेती है..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….

अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

March 7, 2019
she1-1280x720.jpg
1min12050

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

તા.8મી માર્ચ 2019ના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિનના રોજ આપ પણ આપના જીવનમાં માતા, દાદી, પત્ની, પુત્રી, બહેન, પ્રેમીકા કોઇપણ સ્વરૂપમાં રહેલી મહિલાને કેવી રીતે ખુશ રાખશો? એ ખાસ યાદ રાખજો કે આપણા જીવનમાં માતા, બહેન, પત્ની તરીકે રહેલી મહિલાઓ આખું જીવન નિશ્વાર્થ, થેંક લેસ અને સેલ્ફ લેસ ડ્યુટી બજાવતી હોય છે, આપણો એક નાનકડો પ્રયાસ તેમના જીવનને ખુશીઓથી ભરી દેતો હોય છે.

સી.આઇ.એ. લાઇવ આપને કેટલીક એવી ટીપ્સ આપે છે કે જેના અજમાવવાથી આપ આપના જીવનમાં રહેલી મહિલાઓને તા.8મી માર્ચના દિવસે સન્માન આપીને તેમનો આખો દિવસ ખુશ રાખી શકશો એટલું જ નહીં પણ જીવનમાં જેમ નાની નાની ખુશી જ  વ્યક્તિને આનંદની અનૂભુતિ કરાવે છે એમ અમારી નાના સરપ્રાઇઝ આપવાની ટીપ્સ પણ તા.8મી માર્ચ 2019ને શુક્રવારનો આપનો તેમજ આપના સમગ્ર પરિવારનો દિવસ ખુશીઓથી ભરપૂર બનાવી દેશે.

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

મહિલા દિવસે તમારી પત્ની કે તમારી માતાને રસોઇના કામકાજમાંથી સંપૂર્ણ આરામ આપો. તમારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સ્નેક્સ બધું જ બહારથી મેનેજ કરી લો. જે મહિલાઓ તમારા સ્વાસ્થય અને સ્વાદનો હરહંમેશ ખ્યાલ રાખે છે તેમના સ્વાદ અને સ્વાસ્થયનો ખ્યાલ ફક્ત 8મી માર્ચે રાખો અને અમારી પર વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માતા, પત્ની,બહેન, પ્રેમીકા, લિવ ઇન પાર્ટનર કોઇપણ સ્વરૂપે રહેલી મહિલા 2019નો વુમન્સ ડે ક્યારેય નહીં ભૂલી શકે. તેમના માટે આ અવિસ્મરણીય બની રહેશે.

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

મહિલા દિવસ પૂરતી તમારા શક્ય એટલા કામો છોડીને તમારા જીવનમાં સેલ્ફલેસ અને થેંકલેસ જોબ કરી રહેલી મહિલાઓને શક્ય એટલો વધુ સમય આપો, આખો દિવસ તેમની સાથે રહો. દરેક માં, પત્ની, પ્રેમીકા એવું ઇચ્છતી હોય છે કે તેમના પતિ, દિકરા, પ્રેમી તેમની સાથે સમય વ્યતિત કરે અને પુષ્કળ વાતો કરે. તમારી સાથે વાતો કરીને તમારી પત્ને કે માં સૌથી વધુ ખુશ થતી હોય છે.

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

શક્ય હોય તો એક દિવસ પૂરતો સરપ્રાઇઝ આઉટિંગનો પ્રોગ્રામ બનાવો. માતા, પત્ની, બહેન આપની જીવનમાં રહેલી મહિલાઓને એમના મનપસંદ સ્થળે આકસ્મિક મુલાકાતે લઇ જાવો.

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

ગીફ્ટ સૌથી વધુ આકર્ષક હોય છે અને જ્યારે કોઇ માં ને તેનો દિકરો ગીફ્ટ આપે, કોઇ પત્નીને પતિ ગીફ્ટ આપે કે કોઇ બહેનને તેનો ભાઇ માંગ્યા વગર કશું ગીફ્ટ કરે ત્યારે એ મહિલાઓને જે ખુશી થાય છે એ ખુશી દુનિયાની કોઇ ભૌતિક ચીજ ન આપી શકે એનાથી પણ વધુ હોય. તો પ્લાન કરો કે તા.8મી માર્ચ અને શુક્રવારે તમે તમારા જીવનને સુંદર બનાવી રહેલી માં, પત્ની, બહેન, પ્રેમીકા, દાદીને શું આપી રહ્યા છો

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

આપના કામ કરવાના સ્થળે, આપના ઘરમાં, આપની આડોશ-પાડોશમાં, સોસાયટી, એપાર્ટમેન્ટ વગેરે કોઇપણ સ્થળે મહિલાઓનું સન્માન કરો અને મહિલાઓ માટે એક સુરક્ષિત સમાજ બનાવવા માટે તમામને હાકલ કરો. મહિલાની જાહેરમાં થતી કનડગત, હેરાનગતિ જુઓ તો તેની પડખે નિડર રહીને ઉભા રહો. તમારા જેવો નાનકડો પ્રયાસ બધા કરવા માંડશે તો સમાજમાં કોઇપણ લફંગાઓ મહિલાઓની હેરાન કરવાનું વિચારી પણ નહીં શકે.

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

અને છેલ્લે જેઓ પત્ની સાથે હરહંમેશ લડતા ઝઘડતા રહેતા હોય છે તેમના માટે ખાસ..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….
अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

March 7, 2019
gseb-1280x720.jpg
1min18750

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 6, 2019
rafale-fighter-1.jpg
1min6290

રાફેલ વિમાન મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં લંચ બાદ ફરી સુનાવણી શરૂ થઈ. સંજય સિંહની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. રાફેલ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લડાયક વિમાન સંબંધી કોઈ પણ વધારાના દસ્તાવેજ લેવાનો ઈન્કાર કરી દીધો. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજો એક કર્મચારીએ ચોર્યા હતા. તેમણે કહ્યું કે અમે રક્ષા ખરીદ જેમાં રાજ્યની સુરક્ષા પણ સામેલ છે, તેના પર અમે કામ કરી રહ્યા છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.

લંચ બ્રેક બાદ ફરીથી સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે રિવ્યૂ પિટિશન પર સુનાવણી શરૂ થઈ. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આમ નેતા સંજય સિંહે આપેલું નિવેદન અપમાનજનક છે. રાફેલ રિવ્યૂ પિટિશનની સુનાવણી બાદ અને સિંહને સમજાવવાનો મોકો આપ્યા બાદ અપમાનજનક ટિપ્પણીઓ માટે સંજય સિંહ સામે કાર્રવાઈ કરવામાં આવશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલ રાવે કહ્યું કે અખબાર, અરજીકર્તા ભૂષણ અને અન્ય લોકો ચોરીના દસ્તાવેજો પર ભરોસા કરી રહ્યા છે, જેના માટે તેમને આધિકારીક ગુપ્તતાના અધિનિયમ અંતર્ગત અભિયોજનનો સામનો કરવો પડશે. જે કરવામાં આવ્યું છે, તે અપરાધ છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવી શકાય. રિવ્યૂને ફગાવવામાં આવે.

કોર્ટે આ મામલે સવાલ કરતા કહ્યું કે જો કાગળો ચોરી થયા છે તો આ મામલે તમે શું કરી રહ્યા છો? લંચ બાદ કેન્દ્ર જણાવે કે આ મુદ્દા પર તમે શું કરી રહ્યા છો? તમે કહી રહ્યા છો કે કાર્રવાઈ કરવામાં આવી રહી છે તો શું કાર્રવાઈ છે?

આ પહેલા પ્રશાંત ભૂષણે કહ્યું હતુંકે રાફેલના નિર્ણયમાં અનેક ગરબડ છે, જે તથ્યો પર ભરોસો કરવામાં આવ્યો છે. સરકારની સીલબંધ નોટમાં ગરબડ હોવાની પણ વાત કરી. કોર્ટનો નિર્ણય સરકારે આપેલી ખોટી માહિતી પર આધારિત હતો.

મહત્વનું છે કે કોર્ટે ગયા વર્ષે 14 ડિસેમ્બરે પોતાના આદેશમાં રાફેલ ડીલની તપાસ વાળી અરજીઓને ફગાવી દીધી હતી. જે બાદ નિર્ણયની સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલને લઈને 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણય સામે દાખલ થયેલી રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરી રહ્યું છે.

March 6, 2019
Swaksh2109.jpg
22min6560

દેશના શહેરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019ના નામથી એક તંદુરસ્ત હરીફાઇ દર વર્ષે યોજવામાં આવે છે. દેશના લગભગ દરેક શહેરોમાં સ્વચ્છતા અંગેના સર્વેક્ષણ, લોકોના મત, જુદા જુદા પ્લેટફોર્મ પરથી એકત્રિત કરીને જે તે શહેરોના સ્વચ્છતામાં સ્થાન આપવામાં આવે છે. 2019ના વર્ષ માટેના સ્વચ્છ સર્વેક્ષણમાં નીચે મુજબના 100 શહેરોને સ્વચ્છતા અંગેના રેટિંગ્સ આપવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણના પેરામીટર્સ ધ્યાને લેવામાં આવ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના પરિણામો જાહેર થયા છે. જેમાં રાજકોટ દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે સૌથી સ્વચ્છ મોટા શહેરની યાદીમાં અમદાવાદ પ્રથમ

સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ 64 લાખથી વધુ લોકોના પ્રતિભાવો જાણ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શહેરોના 4 કરોડ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યો. ટીમે આ શહેરોના 41 લાખ ફોટો ભેગા કર્યા. સર્વેક્ષણમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં સાડા ચાર લાખે ડૉક્યૂમેંટ્સ અપલોડ કરવામાં આવ્યા.

  • World’s largest cleanliness survey
  • વિશ્વમાં સૌથી મોટો સ્વચ્છતા આધારિત સરવે

 

  • 4237 cities covered
  • ભારતના 4237 શહેરો, નગરોને આવરી લેવાયા

 

  • Survey completed within 28 days
  • 28 દિવસમાં સ્વચ્છ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું

 

  • 4.5 Lakh documents were uploaded by cities
  • શહેરોએ પોતાના તરફથી 4.5 લાખ જેટલા ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા હતા

 

  • 41 lakhs Geotagged Photos captured from field
  • 41 લાખ જીઓટેગ ફોટો ફિલ્ડમાંથી કેપ્ચર કરવામાં આવ્યા

 

  • Massive participation by citizens
  • નાગરીકોએ મોટી સંખ્યામાં મંતવ્યો આપ્યા

 

  • 64 Lakhs citizen feedback collected
  • 64 લાખ નાગરિકોના ફિડબેક ભેગા કરવામાં આવ્યા

 

  • Social Media Outreach of 4 Crores
  • સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમોથી 4 કરોડ લોકો સુધી અભિયાન પહોંચાડવામાં આવ્યું હતું

સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના ટોચના 100 શહેરોમાં કયા કયા શહેરોને સ્થાન મળ્યું છે એ નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાશે

RANK CITY NAME SCORE
#1 Indore 4659.09
#2 Ambikapur 4394.09
#3 Mysore 4378.54
#4 Ujjain 4244.47
#5 New Delhi (NDMC) 4190.52
#6 Ahmedabad 4137.43
#7 Navi Mumbai 4128.85
#8 TIRUPATI 4024.61
#9 Rajkot 4000.15
#10 Dewas 3967.61
#11 Bhilai Nagar 3929.48
#12 Vijayawada 3882.46
#13 Ghaziabad 3877.43
#14 Surat 3860.66
#15 Jamshedpur 3805.72
#16 Kolhapur 3803.28
#17 Khargone 3798.34
#18 Nagda 3794.48
#19 Bhopal 3793.68
#20 Chandigarh 3787.09

 

RANK CITY NAME SCORE
#21 Singrauli 3763.08
#22 Gandhinagar 3756.71
#23 GVMC Visakhapatnam 3744.09
#24 Karnal 3735.72
#25 Jabalpur 3667.32
#26 Chhindwara 3636.41
#27 Mira-Bhayandar 3622.11
#28 Bilaspur 3616.57
#29 Chandrapur_M 3603.73
#30 Ambarnath 3575.32
RANK CITY NAME SCORE
#31 Bathinda 3520.18
#32 Jagdalpur 3510.18
#33 Durg 3500.35
#34 Wardha 3475.07
#35 Greater Hyderabad 3454.9
#36 Vasai Virar 3447.93
#37 Pune 3445.54
#38 Latur 3426.81
#39 Tiruchirappalli 3414.37
#40 Coimbatore 3411.64
RANK CITY NAME SCORE
#41 Raipur 3393.28
#42 Rajnandgaon 3390.69
#43 Raigarh 3373.97
#44 Jaipur 3365.75
#45 Satara 3361.44
#46 Ranchi 3319.31
#47 Neemuch 3314.39
#48 Sagar 3283.6
#49 Greater Mumbai 3276.84
#50 Pithampur 3273.2
RANK CITY NAME SCORE
#51 Kulgaon-Badlapur 3243.57
#52 Pimpri Chinchwad 3228.33
#53 Udgir 3225.28
#54 Solapur 3206.43
#55 Barshi 3197.66
#56 Dhanbad 3190.09
#57 Thane 3181.06
#58 Nagpur 3160.31
#59 Gwalior 3147.59
#60 Nanded Waghala 3141.37
RANK CITY NAME SCORE
#61 Chennai 3118.03
#62 Ratlam 3116.27
#63 Kanpur 3113.33
#64 Hazaribag 3112.56
#65 Korba 3111.36
#66 Chas 3095.89
#67 Nashik 3092.99
#68 Jhansi 3086.27
#69 Rohtak 3082.76
#70 Varanasi 3063.21
RANK CITY NAME SCORE
#71 Panchkula 3055.89
#72 Patiala 3053.86
#73 Deesa 3051.91
#74 Amravati 3041.88
#75 Rewa 3039.33
#76 Jalgaon 3033.6
#77 Kalyan Dombivali 3013.26
#78 Damoh 3011.64
#79 Vadodara 2999.85
#80 Jamnagar 2995.95
RANK CITY NAME SCORE
#81 Warangal 2995.25
#82 Shivpuri 2986.85
#83 Gurgaon 2975.41
#84 Bhiwandi Nizampur 2971.78
#85 Agra 2970.14
#86 Panvel 2968.58
#87 Hoshangabad 2955.85
#88 Vapi 2952.76
#89 Achalpur 2936.41
#90 Tenali 2935.8
RANK CITY NAME SCORE
#91 Bhavnagar 2921.17
#92 Saharanpur 2908.16
#93 Khandwa 2907.74
#94 Beed 2904.89
#95 Mango 2897.5
#96 Yavatmal 2887.13
#97 Katni 2872.43
#98 Rajahmundry 2866.89
#99 Karimnagar 2861.24
#100 Dhule 2858.07

સ્વચ્છ સર્વેક્ષણ 2019માં રાજ્યોની કેવી સ્થિતિ

States Ranking

POSITION STATE NAME
#1 Chhattisgarh
#2 Jharkhand
#3 Maharashtra
#4 Madhya Pradesh
#5 Gujarat
#6 Andhra Pradesh
#7 Punjab
#8 Telangana
#9 Haryana
#10 Uttar Pradesh
POSITION STATE NAME
#11 Rajasthan
#12 Tamil Nadu
#13 Manipur
#14 Karnataka
#15 Jammu and Kashmir
#16 Mizoram
#17 Odisha
#18 Goa
#19 Uttarakhand
#20 Himachal Pradesh
POSITION STATE NAME
#21 Kerala
#22 Sikkim
#23 Tripura
#24 Bihar
#25 Nagaland
#26 Assam
#27 Arunachal Pradesh
#28 Meghalaya
March 6, 2019
gseb-1280x720.jpg
1min6740

  • વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
  • ધો. 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
  • 2018 માં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા
  • આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.
  • ધોરણ 10ની પરીક્ષા 11,59,762 વિદ્યાર્થીઓ
  • ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો
  • 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે
  • 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ
  • ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે
રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓમાં 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  ધોરણ 10માં ગુજરાત બોર્ડ દ્વારા એનસીઇઆરટી આધારિત અભ્યાસક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી તેના આધારે પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરી હતી.  જેમાં ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 12,263 રેગ્યુલર વિદ્યાર્થી અને 431 રિપિટર વિદ્યાર્થીનો સમાવેશ તાય છે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ
  • વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો
  • ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓ
  • ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓ
  • સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302
રાજ્યભરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ગ્રુપ એબી (ગણિત-જીવવિજ્ઞાન)માં 31 વિદ્યીર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302 છે.
  • સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી
  • 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી
  • ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ
  • સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા માટે 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત વર્ષે બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 11,03,674 વિદ્યાર્થી નોંધાય હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો થયો છે. એવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થી નોંધાયા છે જેની સામે ગત વર્ષે 1,34,671 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
આમ ગત વર્ષ કરતા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો થયો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રાહના કુલ 5,33,626 વિદ્યાર્થીઓની સામે ગત વર્ષે 4,76,634 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પરીક્ષા સારા વાતવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવાટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  આ સાતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યાછે. ઝોનલરૂમને પમ સીસીટીવી ની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સંવેદનશીલ પરીક્ષા મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. શાળાઓની આજુબાજુના ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નિયમનું પાલન ન કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
March 5, 2019
ann2.jpg
1min18670

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
exams.jpg
1min7180

જયેશ બ્રહ્મભટ્ટ

તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.

આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
JET.jpg
1min10490
  • જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
  • જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
  • ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
  • મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
  • કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.

રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.